🚜 ગુજરાત સરકારનો ખેડૂતોના હિતમાં ઐતિહાસિક નિર્ણય 🌾
ગુજરાતમાં આ વર્ષે પડેલા અસાધારણ કમોસમી વરસાદથી અનેક જિલ્લાના ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે.
આ સંદર્ભે, માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલએ જણાવ્યું છે કે તેઓ તથા રાજ્યના મંત્રીશ્રીઓએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને ખેડૂતોની સ્થિતિ જાણી છે અને રાજ્ય સરકાર આ મુશ્કેલ સમયમાં ખેડૂતોના પડખે સંવેદનાથી ઊભી છે.
💰 મુખ્યમંત્રીશ્રીએ ખેડૂતો માટે આશરે ₹10,000 કરોડના રાહત-સહાય પેકેજની જાહેરાત કરી છે.
🫘 સાથે જ, 9 નવેમ્બરથી રૂ. 15,000 કરોડથી વધુ મૂલ્યની મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી ટેકાના ભાવે શરૂ થવાની પણ જાહેરાત કરી છે.
મુખ્યમંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે રાજ્ય સરકાર અન્નદાતાઓની આર્થિક સુખાકારી માટે હંમેશા પ્રતિબદ્ધ રહી છે અને રહેશે. 🌱
#Gujarat #FarmersFirst #CMO #BhupendraPatel #ReliefPackage #KhedutHit #GujaratGovernment #📢7 नवंबर के अपडेट 🗞️