ShareChat
click to see wallet page

#💑ફેમસ સિંગરે ગુપચુપ કરી લીધા લગ્ન🤩 ,ગુજરાતી લોકગાયિકા કાજલ મહેરિયા સાથે જોડાયેલ લગ્ન વિવાદ છેલ્લા કેટલાક દિવસોમાં વધુ ચર્ચાનો વિષય બન્યો છે. તમે બધા જાણતા જ હશો કે, સોશિયલ મીડિયા પર ફરતા વિવિધ દાવા અને આરોપો થઈ રહ્યા છે. આ તરફ તાજેતરમાં જ કાજલ મહેરિયાના પરિવારજનો અને સામાજિક આગેવાનોએ શેરથા ગામે પહોંચી હોબાળો કર્યાનું પણ સામે આવ્યું હતું. જોકે હવે આ બધાની વચ્ચે એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં કાજલ મહેરિયાએ પોતાની તરફથી સ્પષ્ટતા કરીને સમગ્ર મામલે પોતાનું વલણ જાહેર કર્યું છે.નોંધનીય છે કે, છેલ્લા કેટલાય દિવસોથી સોશિયલ મીડિયામાં ચર્ચાતા આ મુદ્દાએ વધુ આગ ત્યારે પકડી જે જ્યારે 20 એપ્રિલે કાજલ ,મહેરિયાની માતા શારદાબેન મહેરિયાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. વીડિયોમાં તેમણે અલ્પેશ ઠાકોર અને તેમના પરિવાર પર ગંભીર આક્ષેપો કર્યા. તેમનું કહેવું હતું કે, છોકરાનો પરિવાર કોઈ પ્રકારની ગેમ રમી રહ્યો છે અને તેમની દીકરીને પરત સોંપવા માટે તેઓ શેરથા ગામ સુધી ગયા હતા, જ્યાં તેમને પાછા મોકલવામાં આવ્યા.આ તરફ કાજલ મહેરિયાએ સ્પષ્ટ કહ્યું છે કે, તેઓ પોતાના અંગત જીવન અંગે કોઈને ગેરમાર્ગે દોરવા માંગતી નથી. તેમણે પરિવાર તરફથી મળેલી ધમકીઓનો પણ વિરોધ કર્યો છે અને ખોટી માહિતી ફેલાવતા લોકો સામે કાયદાકીય કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.કાજલ મહેરિયા ઉત્તર ગુજરાતની જાણીતી લોકગાયિકા છે. વિસનગર તાલુકાના ગોઠવા ગામમાં 21 નવેમ્બર, 1992ના રોજ જન્મેલી કાજલે પોતાના સુરીલા અવાજથી અનેક લોકગીતો, ભજન અને લગ્નગીતોમાં લોકપ્રિયતા મેળવી છે. તેમના ‘મળ્યાં માના આશીર્વાદ’ જેવા ગીતોએ તેમને વિશેષ ઓળખ અપાવી છે અને તેઓ સોશિયલ મીડિયા પર પણ ખુબ સક્રિય રહે છે.

44.4K ने देखा
7 दिन पहले