ShareChat
click to see wallet page

સુરતની મિલેનિયમ માર્કેટમાં ભીષણ આગ લાગવાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, આગ વિકરાળ બનતા મેજર કોલ જાહેર કરાયો હતો. કાપડના વેપારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. આગના પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. શહેરમાં રીંગરોડ સ્થિત મિલેનિયમ 1 કાપડ માર્કેટના પહેલા માળે આગ લાગી હતી. ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો છે. પહેલા માળે વૈભવી ક્રિએશનની ત્રણ દુકાનમાં આગ લાગી હતી. દુકાનમાં કાપડનો જથ્થો હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. જો કે આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે તેમજ સદનસીબે કોઈ જાનહાનિ નહીં હોવાની માહિતી મળી છે.#SuratFire #MillenniumMarket #FireAccident #SuratNews #BreakingNews #humdekhengenews #🗞️ ગુજરાત અપડેટ્સ

416 એ જોયું
17 કલાક પહેલા