#સુરત #💥 સુરત અપડેટ્સ #📰 5 ડિસેમ્બર ના સમાચાર #સુરત સમાચાર #અમે સુરતી ખાડી પૂર અને વરસાદથી થયેલી તારાજી બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે બેદરકારી, નવા રસ્તાઓ તૂટી જવા અને ગેરરીતિ માટે જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
પૂર જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખાડીઓના રિ-ડેવલપમેન્ટ અને ગેરકાયદે બાંધકામો દૂર કરવા માટે અંદાજે ₹500 કરોડની રકમ ફાળવવાની જાહેરાત કરવામાં આવી છે. તેમણે અસરગ્રસ્ત વિસ્તારોમાં લાંબા ગાળાના ઉકેલ પર ભાર મૂક્યો હતો.
નાયબ મુખ્યમંત્રીએ અધિકારીઓને અસરગ્રસ્ત ઘરો અને દુકાનોમાં થયેલા નુકસાનનો તાત્કાલિક સર્વે પૂર્ણ કરવાની સૂચના આપી છે. સાથે જ તમામ સંબંધિત વિભાગો વચ્ચે સંકલન કરીને રાહત સામગ્રી, ઘરવખરી અને જરૂરી સહાય ઝડપથી લોકો સુધી પહોંચાડવાની કામગીરી હાથ ધરવા પણ નિર્દેશ આપ્યા છે.
Harsh Sanghavi, Surat flood, flood relief, Surat rain update, redevelopment, illegal construction, Gujarat government, Gujarat news
#SuratNews #HarshSanghavi #FloodRelief #SuratRain #SuratFlood