#અમે સુરતી #સુરત સમાચાર #📰 5 ડિસેમ્બર ના સમાચાર #💥 સુરત અપડેટ્સ #સુરત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભારે વરસાદ બાદ સુરતના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. સૌપ્રથમ તેમણે વરાછા સ્થિત પોદાર આર્કેડની મુલાકાત લઈને વરસાદી પાણીથી પ્રભાવિત વેપારીઓ સાથે ચર્ચા કરી હતી.
પ્રાથમિક માહિતી મુજબ પોદાર આર્કેડની અંદાજે 250 દુકાનોમાં પાણી ઘૂસી જતાં વેપારીઓને આશરે ₹200 કરોડના નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રીએ સ્થળ પર જ વેપારીઓની રજૂઆતો સાંભળી અને સરકાર દ્વારા જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.
ત્યારબાદ તેમણે પર્વત ગામ સહિત અન્ય અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને સ્થાનિક રહેવાસીઓ સાથે વાતચીત કરી હતી. ઘરો અને દુકાનોમાં ભરાયેલા પાણીથી થયેલા નુકસાન અંગે માહિતી મેળવી અને SMCના અધિકારીઓને સફાઈ, પાણીના નિકાલ અને રાહત કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી હતી.
Harsh Sanghavi, Surat flood, Poddar Arcade, Varachha, Parvat Gam, Surat rain update, flood relief, Gujarat news
#SuratNews #HarshSanghavi #FloodRelief #SuratRain #SuratFlood