c.j. jadav
567 views
🍃🍃🌼🍃🍃 🥀મહા વદ-૧૪ શિવરાત્રીના વ્રતની કથા...             સુતજી કહે છે :- એક વાર દેવાધિદેવ મહાદેવ કૈલાશ પર્વત ઉપર બેઠા હતા. ત્યારે પાર્વતીજીએ વિનય પૂર્વક પૂછ્યું - " હે મહાદેવ ? જે ઉત્તમ અને મોક્ષ આપનાર વ્રત હોય તેની કથા  સાંભળવાની ઈચ્છા છે. "              શિવજી કહે છે :- હે દેવી ? માધમાસના કૃષ્ણ પક્ષમાં અમાવાસ્યાના યોગ વાળી મહાશિવરાત્રી આવે છે. આ શિવરાત્રીનું વ્રત અજાણતા થઈ જાય તે મનુષ્યને પણ મોક્ષ ની પ્રાપ્તિ થાય છે.              પાર્વતીજી પૂછે છે :- હે શિવશંકર ? મનુષ્ય યમલોકનો ત્યાગ કરીને શિવલોકમાં કેવી રીતે જઈ શકે તે કથા મને કહો.               શિવજી કહે છે :- હે દેવી ? પુરાણની પવિત્ર વાર્તા તમે સાંભળો. એક પર્વતની તળેટીમાં એક ભીલ હંમેશા શિકાર કરવામાં તત્પર રહેતો. એક દિવસ શિકાર કરવા ખૂબ ભટક્યો, સાંજ પડવા આવી પરંતુ તેને શિકાર મળ્યો નહિ. છેવટે પારધી એક પાણીના તળાવ પાસે બીલીપત્રના વૃક્ષ ઉપર ચડીને શિકારની રાહ જોવા લાગ્યો. તે વૃક્ષ નીચે એક સ્વયંભૂ શિવલિંગ હતું. રાત પસાર થવા લાગી. ત્યાં એક હરણી પાણી પીવા આવી. એટલે આ પારધી બાણ ચડાવીને હરણીને મારવા તૈયાર થયો. વૃક્ષ ઉપર તેની આ હલચલ થવાથી કેટલાક બીલી પત્ર શિવલિંગ ઉપર પડયા. હરણી એ આ જોયું અને પારધીને કહ્યું કે તું મને કેમ મારે છે ?              પારધી કહે મારી પાસે ધન નથી એટલે મારી અને મારા આખા કુટુંબની ભૂખ શાંત કરવા તને મારું છું, પરંતુ માણસ જેવી ભાષા બોલનારી તું કોણ છે ? તું કોઈ સાધારણ હરણી નથી. હરણી કહે છે :- હું સ્વર્ગની રંભા અપ્સરા છું. મારાથી એક પાપ થઈ ગયું એટલે ઇન્દ્રદેવે શ્રાપ આપ્યો. અને વરદાન પણ આપ્યું કે બાર વર્ષ પછી એક શિવલિંગ પાસે પારધી બેઠો હશે ત્યારે તને આ બધી સ્મૃતી થશે અને મનુષ્ય વાણી બોલી શકીશ. માટે હે પારધી ? હું દુબલી - પાતળી છું તેથી તારા કુટુંબની ભૂખ શાંત નહિ થાય. મારા જન્મેલા બચ્ચા અને બીજા મૃગ પણ અહીં આવશે. આ વચન સત્ય માનીને હરણીને જવા દીધી. પછી સવાર થવા આવ્યું ત્યાં બીજા હરણ અને હરણીઓ ત્યાં આવ્યા ને બોલ્યા કે હે પારધી ? અમને મારીને તું અને તારા કુટુંબની ભૂખ શાંત કર.             તે દિવસ શિવરાત્રીનો હતો અને પારધીને શિકાર ન મળવાથી  અનાયાસે જ ઉપવાસ થયો ને જાગરણ થયું તેમજ અજાણતાજ શિવલિંગ ઉપર બીલી પત્ર ચડયા. આથી તેનું હૃદય પરિવર્તન થયું ને તેણે બધાય મૃગોને જવા દીધા ને ધનુષ્ય ભાંગી નાખ્યું અને શિકાર ન કરવાનો નિશ્ચય કર્યો. ત્યાં તો આકાશમાંથી એક વિમાન આવ્યું ને પારધી ને દિવ્ય શરીર મળ્યું ને તે  શિવલોકમાં ગયો. મૃગલા પણ નક્ષત્ર લોકને પામ્યા. આ ઉત્તમ મૃગશીર્ષ નક્ષત્રના દર્શન શિવભક્તોએ અવશ્ય કરવા.               શિવરાત્રિનું વ્રત કરવાથી એક હજાર અશ્વમેઘ યજ્ઞ અને સો વાજપેય યજ્ઞનું ફળ મળે છે.                કાર્તિકસ્વામી શિવજીને પૂછે છે કે હે મહાદેવ ? આ મહાશિવરાત્રી નું વ્રત કેવી રીતે કરવું ??  ત્યારે મહાદેવજી કહે છે કે આ વ્રત કરવા માટે ચૌદશના દિવસે ઉપવાસ કરીને મંડપ રચીને સર્વતોભદ્રમંડલ કરવું. પવિત્ર બ્રાહ્મણ પાસે મંત્ર બોલીને પૂજા કરાવવી. પોતાની શક્તિ પ્રમાણે કોઈ પણ ધાતુની, બળદ ઉપર બેઠેલા શિવ - પાર્વતીની મૂર્તિ કળશ ઉપર સ્થાપન કરવી. સુંદર અલંકાર ધારણ કરાવીને પૂજા કરવી. પુરાણ સાંભળીને મહીમ્ન સ્તોત્ર નો પાઠ કરવો ને રાત્રે જાગરણ કરવું.            સવારે સ્નાન કરીને પવિત્ર બ્રાહ્મણ પાસે જવ, તલ, ચોખા થી શિવ - પાર્વતીનો હોમ કરાવવો. પછી અજઇત્યાત, અહિરબુધન્ય, ભવ, શર્વ, ઉમાપતિ, રુદ્ર, પશુપતિ, શંભુ, વરદ, શિવ, ઈશ્વર, મહાદેવ, હર અને ભીમ આ ચૌદ નામો વડે બીલીપત્રથી હોમ કરવો. પછી વસ્ત્ર આદિકથી બ્રાહ્મણની પૂજા કરીને પૂજાની મૂર્તિ મંત્ર બોલીને બ્રાહ્મણને દાનમાં આપવી અને જમાડીને તૃપ્ત કરવા ને યોગ્ય શક્તિ અનુસાર દક્ષિણા આપવી. જો શિવ ચૌદશ નિમિતે ચૌદ બ્રાહ્મણોને આમંત્રિત કર્યા હોય તો  ચૌદ તાંબાના ઘડા, જનોઈ, વસ્ત્ર વગેરે દક્ષિણાઓ આપીને જમાડીને તૃપ્ત કરવા ને તેમને વિદાય આપીને પછી પોતે સગાં - સંબંધીઓ સાથે ભોજન કરવું.               આ રીતે સ્કંદપુરાણમાં કાલોતરમાં શિવરાત્રી વ્રતનું ઉધાપન કહેલું છે.                     🍃🍃🌼🍃🍃 #મહા શિવરાત્રી શિવ અને શક્તિનુ મિલન એટલે મહાશિવરાત્રી #🙇‍♂️🔱હેપ્પી મહા શિવરાત્રી🔱🙇‍♂️