https://youtu.be/r8RGaEs1eqc?si=Q81m0VVapwmaPoqo #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 ##જય સ્વામિનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર
🍃🍃🌼🍃🍃
નીડર સિદ્ધાંતવાદી સદ્. ઇશ્વરચરણદાસજી સ્વામીનું જીવન ભાગ :-૩૩
એક શ્રી સ્વામિનારાયણ ભગવાન સિવાય બીજા કોઈની સારપ્ય જીવને ન રહે તેની સ્વામીશ્રી બહુ જ કાળજી કરતા હતા. આ કાળજીને કારણે ક્યારેક સ્વામીશ્રીને ન સમજનાર એમ માની બેસે કે સ્વામીશ્રી બીજા અવતારાદિકનો દ્રોહ કરે છે. પણ તેવું કશું સ્વામીશ્રીના મનમાં હતું જ નહીં. હા, એક વાત તો ખરી કે તેમના મનમાં એક શ્રીહરિ સિવાય બીજા કોઈનો ભાર હતો નહીં. પણ કોઈનો દ્રોહ કરવાનું કારણ તેમને શા માટે હોય? સર્વોપરી અને અવતારી એવા જે ભગવાન શ્રી સ્વામિનારાયણના પોતે અનાદિમુક્ત હતા, અને પોતે એમ જ કહેતા કે મુક્ત તો મૂર્તિમાં સુખ જ માણે છે, અને મુક્તનું દ્વાર લઈને મહારાજ પોતે જ સર્વે ક્રિયાઓ કરે છે. જેની આ સ્થિતિ હોય તેને કોઈનો દ્રોહ કરવાપણું રહ્યું જ ક્યાં? જેને ગીતામાં સ્થિતપ્રજ્ઞની સ્થિતિ કહેલ છે. તેવા સ્થિતપ્રજ્ઞ સ્વામીશ્રીને કહેવા તે તેમની સ્થિતિનું પૂરું વર્ણન ન કહેવાય. સ્વામીશ્રી તો તેથી પણ ઉચ્ચતર સ્થિતિમાં સદાય રહેતા હતા. તેમની સ્થિતિ અલૌકિક હતી.
મોરબીમાં આઠ દિવસ રહી બાપાશ્રી, સ્વામીશ્રી તથા સંતમંડળ ગઢડા ગયા. બળદેવભાઈ પણ તેમની સાથે ગયા.
રેલગાડીમાં તથા ગઢડામાં બાપાશ્રીની તથા સ્વામીશ્રીની વાતોનો લાભ મળ્યા જ કરતો. પોતે બધું જોઈને જ કહેતા હોય તેવી બાપાશ્રીની તથા સ્વામીશ્રીની વાતો સાંભળી બળદેવભાઈની મનની શંકાઓ નિમૂળ થઈ ગઈ, અને તેમની સાથે ઘણો સ્નેહ બંધાઈ ગયો. ગઢડાથી જૂનાગઢ, ગોંડળ, રાજકોટ થઈને પાછા મોરબી આવ્યા. ત્યાંથી બાપાશ્રી વૃષપુર પધાર્યા અને સ્વામીશ્રી, સંતમંડળ તથા બળદેવ-ભાઈ અમદાવાદ આવ્યા.
થોડા દિવસ અમદાવાદ રહીને સ્વામીશ્રી પોતાના મંડળે સહિત ગામડે સત્સંગ કરાવવા નીકળ્યા. દશક્રોઈ તાલુકાના ગામોમાં ફરતા ફરતા સ્વામીશ્રી માતર તાલુકામાં આવ્યા. નવાગામ, ગોભલજ, વડાલા થઈ સ્વામીશ્રી ઢઠાલ આવ્યા. આ દરમ્યાન સ્વામીશ્રીજ તબિયત સારી રહેતી નહીં, અને ક્રમળાના ચિહનો જણાયા. દેહનો મૂળથી જ અનાદર, તેથી દવા બરાબર થઈ નહીં, અને કમળામાંથી કમળી થઈ ગઈ. કમળીનું દર્દ સામાન્ય રીતે જીવલેણ નીવડે છે. પોતે વિચાર કર્યો જે આમે કમળી થઈ છે તે દેહ રહેવાનો નથી, માટે કચ્છમાં જઈને બાપાશ્રી પાસે દેહ ત્યાગ કરીએ. પછી અમદાવાદ આવ્યા ત્યારે ચિતારા સ્વામી હરગોવિંદદાસજી વૈદ્ય હતા તેમણે કહ્યું જે હું અમુક દવા-ભસ્મ આપું તે તમો ખાવ તો તે તમારો ક્રમળીનો રોગ મટી જાય, ને જો નહિ ખાવ તો શિયાળા-ઉનાળામાં કમળી નહીં વરતાય પણ ચોમાસામાં જરૂર દેહ પડી જશે. પણ પોતે તો બાપાશ્રી પાસે જવાનો વિચાર દઢ રાખ્યો ને દવા લીધી નહી'.
પોતાના અને સદ્ગુરુ વૃંદાવનદાસજી સ્વામીના મંડળે સહિત સ્વામીશ્રી કચ્છમાં આવવા નીકળ્યા. મોરબીથી નવલખી જઈ આગબોટમાં બેઠા, આગબોટ ચાલી જતી હતી તેમાં નહેરમાં સામેથી વહાણ આવ્યું ને પવનની દિશા બદલાતા તે આગબોટ સાથે ભટકાયું અને તેનો થાંભલો આગબોટમાં ભરાયો ને આગ-બોટ આડી થઈ ગઈ! સૌએ જાણ્યું કે હમણા બૂડીશું. ત્યારે સ્વામીશ્રી આદિ સંતોએ મહારાજ અને બાપાશ્રીને સંભારવા માંડયા, ત્યાં તો એ થાંભલો ભાંગ્યો ને આગબોટ સરખી થઈ ચાલવા લાગી. બધાને થયું કે આ સાધુઓના પ્રતાપે જ આપણે બચ્યા. અંજારના એક ભાટિયા કુટુંબ મિલકત સહિત તે વહાણમાં હતા. તેમણે તો આ અદ્ભુત બચાવ થયો તેથી સ્વામીશ્રીને બહુ જ પ્રાર્થના કરી. સ્વામીશ્રી તેમના ઉપર રાજી થયા ને શ્રીહરિના પ્રતાપની વાતો કરી, બાપાશ્રીની ઓળખાણ કરાવી.
🍃🍃🌼🍃🍃 #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗
#🌅 Good Morning #😍 ગુડ મોર્નિંગ શાયરી #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ #જીવન કોટ્સ...✍🏻
https://youtu.be/glZFNW9-t-0?si=h6i4UHKsMz5zQL9s #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 ##જય સ્વામિનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર
#🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗
🍃🍃🌼🍃🍃
નીડર સિદ્ધાંતવાદી સદ્. ઇશ્વરચરણદાસજી સ્વામીનું જીવન ભાગ :-૩૨
સ્વામી ઇશ્વરચરણદાસજી મહારાજની નવી નવી લીલાના વર્ણનોની જ વાતો કરે. સાંભળનારાઓને એમ જ થાય કે આટલી બધી વિગતો તેમણે વાંચી ક્યારે હશે ? અને વાંચ્યા બાદ યાદ પણ કેમ રહી હશે? કેવળ નજરે જોનાર જ એટલી વિગત યાદ રાખી શકે. વળી વાતો કરે ત્યારે જરા પણ સમય બીજા કશામાં જવા ન દે. કેવળ શ્રીજીની જ વાતો ચાલે. આગળ ઉપર પછી જ્યારે જ્ઞાન અને સિદ્ધાંતને લગતી વાતો કરવા માંડી ત્યારે ને વાતો પણ તેટલી જ છટા અને તત્પરતાથી કરતા. મૃત્યુલોક અને જીવોથી માંડીને અક્ષરધામ અને શ્રીહરિની મૂર્તિ પર્યંતની ભૂમિકાઓ અને તે તે ભૂમિકાઓના અધિપતિઓની સ્પષ્ટ વિગત કહી સંભળાવતા, અને પછી સાંભળનારાઓને આડું-અવળું પૂછી તે વિગતો કંઠસ્થ કરાવી દે ત્યારે જંપે. શ્રીહરિની ઉપાસના બાબત નેમને જે તાન અને વેગ હતાં તેવાં તાન ને વેગ ભાગ્યે જ બીજે કયાંય દેખાય છે. જુદા જુદા ધામાધિપતિઓ અને ઐશ્વયાર્થીઓના અધિકારો તથા ભૂમિકાઓ બાબત જરા પણ અચકાયા વગર સ્પષ્ટતા કરી દેતા. સાંભળનારાઓમાં કોઈને રુચશે કે નહિ તેની તેઓશ્રી ફિકર કરતાં જ નહિ. એક ગામમાં એક પ્રસંગે સભામાં વચનામૃત વંચાતું હતું. તે ઉપરથી શ્રીજીની સર્વોપરીતાની વાતનો પ્રસંગ નીકળતાં પોતે વાત કરવા લાગ્યા. તેમાંથી કેટલીક વાત ત્યાંના હરિભક્તોમાંથી કેટલાકને રુચિકર ન લાગી. તેમાં એક અગ્રગણ્ય અને પ્રતિષ્ઠિત ગૃહસ્થ પણ હતા. તેમણે ચર્ચા કરવા માંડી એટલે સ્વામીશ્રીએ તેના સ્પષ્ટ ઉત્તર દેવા માંડયા. તેથી તે નિરુત્તર તો થઈ ગયા, પણ પોતાનો વાંધો પકડી બેઠા; એટલે સ્વામીશ્રીને બીજાઓએ કહ્યું કે હવે વાતો બંધ રાખો. એટલે સ્વામીશ્રીએ શાંતિથી કહ્યું કે વાતો કરવા નો આવ્યા છીએ, ને કોઈને ખોટું લાગવાની બીકે બંધ કરીએ તો બીજા જેને સાંભળવી હોય તેનું શું? માટે વાતો કર્યા વગર કેમ ચાલે? એટલે તે પ્રતિષ્ઠિત ગૃહસ્થે કહ્યું કે તો પછી તે મુદ્દા સિવાય બીજી વાતો કરો. એટલે સ્વામીશ્રીએ વગર વિલંબે જ શાંતિથી કહી દીધું કે વાતો તો જે હૃદયમાંથી નીકળે તે જ કરાય. ન સાંભળવું હોય તે ઊઠી જઈ શકે. આખી સભા આ સાંભળીને આશ્ચર્યચકિત જ થઈ ગઈ સ્વામીશ્રી પોતાના નિર્ણયમાં કેવા અડગ છે. જે વ્યક્તિની સામે એક શબ્દ ઉચ્ચારવા કોઈ હિંમત ન કરે તેને પણ ચોખ્ખું સંભળાવી દીધું અને તે પણ કોઈ જાતના ગર્વ કે આવેગથી નહીં પણ વિન્રમતાથી સામાન્ય રીતે કહેતા હોય તેમ શાંતિપૂર્વક જ. આવાં તો તેમનાં ધીરજ અને દઢતા હતાં. તેમને કોઈ પ્રત્યે દ્વેષ કે અવગણના હતી જ નહીં. પણ પોતાને જે કાર્ય કરવાનું હતું તે ઉપર જ નજર રહેતી, અને તેમાં જે કાંઈ વિરોધ ઉપસ્થિત થાય તેની તદ્દન અવ-ગણના જ કરતા. પોતે તો સ્ટીમરોલરની પેઠે પોતાના માર્ગે જ જતા.
વચનામૃતો ૨૭૩ તો તેમને જિહુવાગ્રે હતાં. કયા વચનામૃતમાં કયા પ્રશ્નના જવાબમાં શું બાબત કહેવાઈ છે તે બતાવવું તેમને રમત જેવું હતું. શાસ્ત્રાર્થ કરવા આવનાર છેવટ તેમને પગે પડીને જ જતા. કદાચ સ્વામીશ્રીને અભિપ્રાય તે પૂરો કબૂલ રાખે કે ન પણ રાખે, છતાં સ્વામીશ્રીના જ્ઞાનભંડારથી તો ડધાઈ જ જતા, અને છેવટ તેઓને કહેતા સાંભળ્યા છે કે 'આપનો આટલો અભ્યાસ અમે ધાર્યો ન હતો.’ આમ દેખાવમાં કોઈને એમ ન થાય કે સ્વામીશ્રી ઊંડા અભ્યાસી હશે, છતાં જ્યારે પ્રસંગ આવે ત્યારે વાગ્ધારા છૂટે તે એટલી એકધારી ને ધોધબંધ હોય કે સામાને અવાક્ થવું જ પડે.
🍃🍃🌼🍃🍃 #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 ##જય સ્વામિનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર
#જીવન કોટ્સ...✍🏻 #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ #😍 ગુડ મોર્નિંગ શાયરી #🌅 Good Morning
https://youtu.be/A6UozTQDoIU?si=WLlNGVzmZnIUnEit #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗
#🌅 Good Morning #😍 ગુડ મોર્નિંગ શાયરી #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ #જીવન કોટ્સ...✍🏻
https://youtu.be/S-4NKGqZcoc?si=vq43c9V5sl8yriOV #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 ##જય સ્વામિનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર













