#જીવન કોટ્સ...✍🏻 #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ #🌅 Good Morning #😍 ગુડ મોર્નિંગ શાયરી
https://youtu.be/9jI5MK5gW50?si=fZfABHHOnN8h9Z0I #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 ##જય સ્વામિનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ
#✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗
🍃🍃🌼🍃🍃
નીડર સિદ્ધાંતવાદી સદ્. ઇશ્વરચરણદાસજી સ્વામીનું જીવન ભાગ :-૧૪
મુક્ત તો મૂર્તિમાં છે, છે ને છે જ. અનાદિ મુક્તને અમારુ માહાત્મ્ય તથા અમારા વિષે પ્રેમ પરમ એકાંતિક મુક્તથી ઘણા અધિક છે ને અનાદિ મુક્ત તો અમારા રૂપ છે ને અમારી સમગ્ર મૂર્તિમાં લીન રહ્યા થકા સમગ્ર મૂર્તિનું નવીન નવીન સુખ ભોગવે છે. પરમ એકાંતિક મુક્તથી અનાદિ મુક્તને સુખ ઘણું અધિક છે.
(૫) વળી પ્રશ્ન પૂછ્યો: હે મહારાજ ! અનાદિ મુક્ત તમારામાં લીન રહે છે તે અનાદિ મુક્તને તમારે વિષે દાસ-ભાવ કેવી રીતે રહે છે?
શ્રીજીમહારાજ કહે : અનાદિ મુક્ત જેમ અમારો
મહિમા અધિક જાણે છે તેમ જ અમારે વિષે દાસભાવ પણ પરમ એકાંતિકથી અતિ અધિક રહે છે, કેમ કે જેનું સુખ આવે તેને વિષે દાસભાવ રહે જ. પરમ એકાંતિક મુક્તના સમૂહ પણ અનંત ને અપાર છે ને તે મધ્યે હું બિરાજમાન છું ને સર્વે મુક્તને પાસે ને સન્મુખ દેખાઉં છું, એવું મારું અલૌકિકપણું છે, ને તે પરમ એકાંતિક મુક્તને પણ ઊંચું-નીચું તથા પડખે-કેડે એવો ભાવ નથી તથા દેહ-દેહીં ભાવ નથી. દિવ્ય વિગ્રહ ને ચૈતન્યઘન અને દિવ્ય મૂર્તિઓ છે ને જેમ વૃક્ષ સાથે છાલ ચોટી છે તેમ મારી મૂર્તિ સાથે બહારથી જોડાઈ ગયા છે, પણ અનાદિ મુક્તની પેઠે પરમ એકાંતિક મુક્તને મારી મૂર્તિમાં લીન રહેવાની ગતિ નથી, તે મુક્તને સુખ તથા દાસભાવ અનાદિ મુક્તથી ન્યૂન છે. સર્વોત્તમ સ્થિતિ અનાદિ મુક્તની છે ને અનાદિ મુક્ત મૂર્તિ સ્વરૂપ છે.
(૬) વળી પ્રશ્ન પૂછ્યો: હે મહારાજ ! તમારા ભેગા તમારી મૂર્તિમાં કેટલાક મુક્ત અનાદિ કાળથી રહે છે. તેઓ અનાદિ મુક્ત કહેવાય છે તે તો બરાબર છે, પણ જે તમોને ભજીને નવા મુક્ત થયા તેઓ અનાદિ કેમ કહેવાય ?
શ્રીજીમહારાજે કહ્યું : નવાને અનાદિ કહેવાય છે તેનું કારણ એ છે કે જે મુક્ત અમારી મૂર્તિમાં રહે છે તે મુક્તની અનાદિ મુક્ત એવી સંજ્ઞા છે, ને કેવલ્ય મુક્ત તથા નિત્ય મુક્ત ને સર્વાત્માબ્રહ્મ તે પણ અનાદિ મુક્તને જ કહ્યા છે. વળી નવા મુક્ત અનાદિ કહેવાય છે, તે શાથી તો, અનાદિ મુક્તને આદિભાવ અમે ભૂલવી દઈએ છીએ, તેથી તે મુક્તને 'હું અનાદિ કાળથી મૂર્તિમાં જ છું’—એમ વર્તે છે, જેથી નવા મુક્ત મૂર્તિમાં આવે છે તે સર્વેને પણ અનાદિ કહેવાય છે ને તે મુક્તને અમે જ એક દેખાઈએ છીએ, માટે કૈવલ્ય-મુક્ત છે ને અમારા સિવાય અન્ય સર્વથી પર ને મોટા છે તેથી સર્વાત્માબ્રહ્મ કહેવાય છે. વળી, અનાદિ એવા ભગવાનમાં તે અમે – અમારામાં રહે છે ને અમારારૂપ – ભગવાનરૂપ – છે માટે અમને લઈને અનાદિ મુક્ત કહેવાય છે.
આ રીતે શ્રીજીમહારાજે પ્રશ્નોના ઉત્તર કર્યા પછી, પોતે વાત કરી : કેટલાક સ્થૂળ દષ્ટિવાળાને શંકા થાય છે કે એક મૂર્તિમાં અનેક મુક્તો કેમ રહી શકે ? તેનો ઉત્તર એ છે કે અમારી મૂર્તિ તો દિવ્ય, અકળિત ને અમાપ છે ને મૂર્તિની ગતિ તો મૂર્તિમાં રહેનારા મુક્તો જ જાણે છે. આવી રીતે શ્રીજીમહારાજે ગોપાળાનંદ સ્વામી આદિ સંત મંડળને વાત કરી હતી અને ગોપાળાનંદ સ્વામીએ મને કરી હતી, તે મેં તમને કહી.
વળી, સદ્ગુરુ નિર્ગુણદાસજી સ્વામીએ વાત કરી કે : “અનાદિ મુક્તની સ્થિતિની વાત સમજવી ઘણી કઠણ છે તેથી કરીને વિસ્તારથી લખાણી નથી પણ ઘણાંક વચનામૃતમાં તથા સત્સંગી ભૂષણ, બ્રહ્મહ્મસૂત્રભાષ્ય, ભક્તચિંતામણી, નિષ્કુળાનંદ કાવ્ય વગેરે ગ્રંથોમાં તથા સદ્દગુરુઓના કીર્તનોમાં, સદ્ગુરુઓની વાતોમાં અનાદિ મુક્તની સ્થિતિ, મૂર્તિમાં રહેવાની વાતનો સ્પષ્ટ ઉલ્લેખ છે.
🍃🍃🌼🍃🍃 #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 ##જય સ્વામિનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ
🥀વચનામૃતનું રહસ્ય એ સ્વયં શ્રીજી મહારાજે લખાવેલુ રહસ્ય છે એમાં શંકાને કોઈ સ્થાન નથી......
વચનામૃત' ટીકાના સંપાદનમાં સદગુરુશ્રીની સાથે મદદમાં રહેલામાં મુખ્ય એવા પુરાણી....
🥀ધર્મકિશોરદાસજી સ્વામીશ્રી કહેતા : “સદગુરુશ્રી વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા મુક્તરાજ બાપાશ્રી કહે તેમ જ લખતા. કોઇ શબ્દ અજાણમાં લખવામાં રહી ગયો હોય તો શ્રીજીમહારાજ તથા મુક્તરાજ અબજીબાપા પ્રત્યક્ષપણે આવી લખાવી જતા.
એક વખત વાંટાવદર ગામમાં સદ્દગુરુશ્રીએ લોયાના સાતમા વચનામૃતની ટીકા બાપાશ્રીના કહેવા પ્રમાણે લખેલ, પણ કાંઈક જરા વિચારમાં પડ્યા. તે દિવસે મુક્તરાજ બાપાશ્રી આવી કહે: 'આનો આવો અર્થ લખો. તમે કેમ ભૂલી ગયા? અમે તમને કહ્યું હતું ને?’ તે વખતે મુક્તરાજ ભૂરાભાઈને દર્શન થયા કે બાપાશ્રી આવ્યા હતા. વળી, શ્રીજીમહારાજનો સર્વોપરી નિશ્ચય કરાવવામાં તો જાણે પોતે તે સ્થાનને દેખીને કહેતા હોય તેમ પ્રત્યક્ષાનુભવથી વાત કરતા, જેથી સાંભળનારના જીવમાં હા જ પડે.” #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗
🍃🍃🌼🍃🍃
🥀વૈશાખ વદી - ૧૧ અપરા એકાદશી.
યુધિષ્ઠિરે પૂછ્યું :- હે જનાર્દન ? વૈશાખ વદ એકાદશીનું નામ શું છે ? તેનો મહિમા કેવો છે તે બધું મને કહી સંભળાવો !!
શ્રી કૃષ્ણ કહે છે :- હે રાજન ? તમે બહુ ઉત્તમ પ્રશ્ન કર્યો છે. વૈશાખ વદ એકાદશીનું નામ " અપરા " છે. આ એકાદશીનું વ્રત કરનારને અનંત ફળ મળે છે. જે અપરા એકાદશીનું વ્રત ઉપવાસ કરીને કરે છે તે આ જગતમાં વિખ્યાત થાય છે. મોટા પાપો કરનાર જેમ કે બ્રહ્મહત્યા , ગોત્રનો નાશ કરનાર , ગર્ભ હત્યા , પરસ્ત્રીગમન કરનારો , ખોટી સાક્ષી પુરવા વાળો , માપતોલમાં કપટ કરનાર , યુધ્ધમાં પીઠ દેખાડનાર આવા બધાય પાપી અપરા એકાદશીના વ્રતથી પાપ રહીત થઈને પવિત્ર થાય છે.
કાર્તિક પૂર્ણિમાના દિવસે પુષ્કર તીર્થમાં સ્નાન કરવાથી , મકરસક્રાંતિ અને માધમાસ માં પ્રયાગમાં સ્નાન કરવાથી , શિવરાત્રીના દિવસે કાશીમાં ઉપવાસ કરવાથી , ગયામાં પિંડદાન કરવાથી , ગુરુ સિંહરશીમાં હોય ત્યારે ગોદાવરીમાં સ્નાન કરવાથી , ગુરુ કુંભરાશીમાં હોય ત્યારે કેદારનાથના દર્શન કરવાથી , સૂર્યગ્રહણ ના દિવસે કુરુક્ષેત્રમાં સ્નાન - દાન કરવાથી...જે ફળ પ્રાપ્ત થાય છે તે ફળ અપરા એકાદશીના વ્રતથી મળે છે.
હે રાજન ? પાપથી ડરતા મનુષ્યોએ અપરા એકાદશીનું વ્રત કરવું. આ વ્રત સ્વર્ગનું સુખ આપનારું છે. જે કોઈ વિધિ પૂર્વક ઉપવાસ કરીને વિષ્ણુનું ભજન કરે છે તે વૈકુંઠધામને પામે છે. હે રાજન ? લોકોના હિતને અર્થે આ વ્રત વિશે મેં તમોને કહ્યું. આ કથાના પાઠથી અને શ્રવણથી પણ સર્વે પાપો નષ્ટ થઈ જાય છે.
આવી રીતે બ્રહ્માંડ પુરાણમાં વૈશાખ માસની કૃષ્ણ પક્ષની અપરા એકાદશીનું મહાત્મ્ય કહેલું છે.
🍃🍃🌼🍃🍃 #એકાદશી #એકાદશી ની શુભકામના #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ
#😍 ગુડ મોર્નિંગ શાયરી #🌅 Good Morning #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ #જીવન કોટ્સ...✍🏻
https://youtu.be/3K5_v5_rHd8?si=bTtgm2n8fklZqhvV #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 ##જય સ્વામિનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ
🍃🍃🌼🍃🍃
નીડર સિદ્ધાંતવાદી સદ્. ઇશ્વરચરણદાસજી સ્વામીનું જીવન ભાગ :- ૧૩
સ. ગુ. શ્રી નિર્ગુણદાસજી સ્વામી સ. ગુ. શ્રી અક્ષરજીવન-દાસજી સ્વામી સહિત બળદિયા પધાર્યા. વૃષપુર (બળદિયા) ગામ દિવ્યતામાં ડૂબી ગયું! સ્વામી ઈશ્વરચરણદાસજી તો રાજી રાજી થઈ ગયા. રુંવાડે રુંવાડે દિવ્યના અનુભવવા લાગ્યા છે !
સભામાં કથા થતી હોય તો ય દિવ્યતા, કથાની સમાપ્તિ થાય ને મુક્તો ધ્યાનસ્થ બેઠા હોય તો ય દિવ્યતા, રમૂજમાં આવી એકબીજાની સેવા કરતા-કરાવતા હોય તો ય દિવ્યતા, પળે-પળ ને ક્ષણે-ક્ષણ દિવ્યતા જ જણાય.
વૃષપુરના મંદિરમાં મુક્તો બિરાજ્યા છે, ને સંત - હરિભક્તો-ની સભા ભરાઈને બેઠી છે, ને વચનામૃતની કથા વંચાય છે. સારંગપુર પ્રકરણના ૧૧મા વચનામૃતમાં વાત આવી કે *ભગવાન કૃપા કરે ત્યારે ભગવાનના તુલ્યપણાને પામે છે.' સદ્ગુરુ નિર્ગુણદાસજી સ્વામી સભામાં વાત કરે છે :
"ભગવાનના તુલ્યપણાની આ વાત તે મૂર્તિમાં રહેવાની વાત. તે વાતો મેં ગોપાળાનંદ સ્વામી થકી જે સાંભળી છે તે કહું છું:
એક સમયે શ્રીજીમહારાજ રાત્રિને વિષે સુરા ખાચરના ઓરડામાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા, ને પાસે ગોપાળા-નંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી આદિ મોટા મોટા સંતો બેઠા હતા. પછી શ્રીજીમહારાજ બહુ પ્રસન્નતા જણાવીને બોલ્યા કે સંતો! પ્રશ્ન પૂછો. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું :
(૧) હે મહારાજ ! જે મુક્ત મૂર્તિમાં રહે છે તે મૂર્તિ-માન થકા મૂર્તિમાં રહે છે કે નિરાકાર થકા મૂર્તિમાં રહે છે?
શ્રીજીમહારાજ કહે: જે મુક્ત અમારી મૂર્તિમાં રહે છે તેમને કૈવલ્ય મુક્ત કે અનાદિ મુક્ત કહે છે. તે મુક્તો મૂર્તિમાન છે ને મૂર્તિમાન થકા જ અમારી મૂર્તિમાં રહે છે, નિરાકાર થઈને રહેતા નથી. અમારી પેઠે જ એ મુક્તો સદાય દિવ્ય સાકાર મૂર્તિ છે.
(૨) વળી પ્રશ્ન પૂછ્યો : મૂર્તિમાં રહેનારા મુક્તો સમગ્ર મૂર્તિમાં રહે છે કે એક અંગમાં રહે છે?
શ્રીજીમહારાજ કહે : તે અનાદિ મુક્તો અમારી મૂર્તિમાં
મસ્તકથી ચરણ પર્યંત સમગ્ર મૂર્તિમાં રહે છે, પણ મુખ, છાતી કે ચરણ એમ એક અંગમાં રહેતા નથી.
(૩) વળી પ્રશ્ન પૂછ્યો: એ અનાદિ મુક્તો અખંડ
મૂર્તિમાં રહે છે કે ક્યારેક મૂર્તિમાં રહે છે ને ક્યારેક મૂર્તિથી
બહાર પણ રહે છે?
શ્રીજીમહારાજ કહે: એ અનાદિ મુક્તો અખંડ મૂર્તિમાં
રહે છે પણ મૂર્તિથી બહાર આવતા નથી, ને અમે અમારી ઇચ્છાથી અનાદિ મુક્તોને જીવના કલ્યાણ સારુ પ્રગટ કરીએ છીએ; અનાદિ મુક્ત અમારી ઈચ્છાથી અમારી મૂર્તિમાં રહ્યા થકા જ દેખાય છે, પણ આવતા-જતા નથી. વળી અનાદિ મુક્ત અતિશય હેતે કરીને ક્યારેક ભગવાનમાં લીન થઈ જાય છે ને ક્યારેક તો મૂર્તિમાન થકા ભગવાનની સેવામાં રહે છે નેમ જે કહ્યું (સારંગપુર ૧૧) તે પણ અમારી મૂર્તિમાં રહ્યા થકા જ અમારી ઈચ્છાથી બ્રહ્માંડમાં દર્શન દે છે ને જીવોની મોક્ષ કરવા રૂપી સેવા કરે છે.
(૪) ગોપાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો: મૂર્તિમાં રહેનારા મુક્તો ને સન્મુખ રહેનારા મુક્તોમાં કેટલો ભેદ છે?
શ્રીજીમહારાજ કહે : અમારી મૂર્તિમાં રહેનારા મુક્તોને
અનાદિ મુક્તો કહે છે અને અમારી મૂર્તિની સન્મુખ રહેનારા મુક્તોને વિદેહી કે પરમ એકાંતિક મુક્તો કહે છે, તેમને વિષે ઘણો ભેદ છે. અનંત કોટિ અનાદિ મુક્ત છે તેમની સ્થિતિ પરમ એકાંતિકથી અતિ અધિક છે.
🍃🍃🌼🍃🍃 #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗
#જીવન કોટ્સ...✍🏻 #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ #🌅 Good Morning #😍 ગુડ મોર્નિંગ શાયરી




![જીવન કોટ્સ...✍🏻 - jadav C 3೬ 52 g 91d 21[2] ucl alalui 2 2 9, / तो शुं ? SRul नछताथ छताथ तोथ ५२ छे !! ٦٤ G(Goruug @ jadav C 3೬ 52 g 91d 21[2] ucl alalui 2 2 9, / तो शुं ? SRul नछताथ छताथ तोथ ५२ छे !! ٦٤ G(Goruug @ - ShareChat જીવન કોટ્સ...✍🏻 - jadav C 3೬ 52 g 91d 21[2] ucl alalui 2 2 9, / तो शुं ? SRul नछताथ छताथ तोथ ५२ छे !! ٦٤ G(Goruug @ jadav C 3೬ 52 g 91d 21[2] ucl alalui 2 2 9, / तो शुं ? SRul नछताथ छताथ तोथ ५२ छे !! ٦٤ G(Goruug @ - ShareChat](https://cdn4.sharechat.com/bd5223f_s1w/compressed_gm_40_img_595001_3b41e591_1778734593070_sc.jpg?tenant=sc&referrer=user-profile-service%2FrequestType50&f=070_sc.jpg)




![એકાદશી - ஆஅசி deuga8-ga] थपश थेडा8शीना ळयश्वाभिनाशथP @Jada ஆஅசி deuga8-ga] थपश थेडा8शीना ळयश्वाभिनाशथP @Jada - ShareChat એકાદશી - ஆஅசி deuga8-ga] थपश थेडा8शीना ळयश्वाभिनाशथP @Jada ஆஅசி deuga8-ga] थपश थेडा8शीना ळयश्वाभिनाशथP @Jada - ShareChat](https://cdn4.sharechat.com/bd5223f_s1w/compressed_gm_40_img_843941_2eb8c706_1778650744918_sc.jpg?tenant=sc&referrer=user-profile-service%2FrequestType50&f=918_sc.jpg)



