https://youtu.be/0DOvvNFZCic?si=k_VYLpI8b0Qp8MFc #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 ##જય સ્વામિનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ
🍃🍃🌼🍃🍃
નીડર સિદ્ધાંતવાદી સદ્. ઇશ્વરચરણદાસજી સ્વામીનું જીવન ભાગ :- 54
પારાયણની સમાપ્તિ પછી સૌ સંતહરિભક્તો પોત-પોતાના સ્થાને ગયા, ત્યારે સ.ગુ.શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીના સાધુ મુક્તજીવનદાસજી માંદા હતા, તેથી સ્વામીશ્રી વૃષપુર રોકાયા. બીજે દિવસે સભામાં બાપાશ્રી કહે : “તમને રોકવા હતા તેથી આ સાધુને રાખ્યા છે, નહિ તો કંકોત્રીઓ લખ્યા પછી સિનોગરા (ગામ)માં મિસ્ત્રી દેવજીભાઈની પારાયણ સાંભળવા ગયા હતા ત્યાં જ દેહ મૂકવાના હતા. જો દેહ મૂક્યો હોત તો તમને સ્વામી વૃંદાવનદાસજી-સ્વામી ઘનશ્યામ-જીવનદાસજી અહીં રહેવા દેત નહિ, અમદાવાદ લઈ જાત; પણ આ સાધુને માંદા જોઈને કોઈ બોલ્યા નહિ.” ત્યારે સદ્ગુરુશ્રી કહે: “વૈધે નાડી જોઈને એમ કહ્યું હતું કે આ સાધુને કફ સૂકાઈ ગયો છે, તો પણ દેહ રહ્યો છે તેનું કારણ કાંઈ સમજાતું નથી.” બાપાશ્રી કહે : "તમને રોકવા સારુ જ અમે એમને રાખ્યા છે. ” બે દિવસ બાદ સદ્ગુરુશ્રી બાપાશ્રી પાસે વૃષપુર મંદિરની ઓસરીમાં બેઠા હતા ને બીજા સાધુ માંદા સાધુની સેવામાં હતા, ત્યારે સદ્દગુરુશ્રીએ બાપાશ્રીને પૂછ્યું : “આ સાધુને ક્યારે લઈ જશો ?” બાપાશ્રી બોલ્યા : "તમને ખપતા નથી ?” સદ્દગુરુશ્રી કહે: “જો સાજા કરો તો ખપે!” બાપાશ્રી કહે: “એમને માટે ગઈ કાલે લાકડાં તૈયાર કરી રાખ્યાં છે ને આજ લઈ જવા છે.” ને ૧૫-૨૦ મિનિટ બાદ તો તેમની સ્થિતિ બદલાઈ ગઈ ને દેહ મૂકી ધામમાં ગયા.
પાંચેક દિવસ કથાના લાભ આપી બાપાશ્રીએ સદ્ગુરુશ્રીને પૂછ્યું કે તમારે કેટલા દિવસ અહીં રહેવાનું ફાવે તેમ છે? સદ્દગુરુશ્રી કહે : “ધર્માદા ઉધરાવવા જવાનો સમય થઈ ગયો હોવાથી પાંચેક દિવસમાં નીકળવું પડે. ” બાપાશ્રી કહે : “પંદર દિવસ રહેવું હોય તો રહો, ને થોડું રહેવું હોય તો કાલે જ સવારે નીકળો.” સદ્ગુરુશ્રી કહે: “પંદર દિવસ કહ્યું તે સમજાયું નહિ.” બાપાશ્રી કહે: “તમે કાલે નહિ ચાલો, તો તમને કોઈક સાધુ પંદર દિવસ રોકશે. " તેથી બીજે જ દિવસે ભુજ ગયા. ત્યાં સાધુ પુરુષોત્તમપ્રિય-દાસજીને બહુ તાવ આવ્યો. બીજે દિવસે ભુજથી નીકળી નવલખી-મોરબી થઈ દેવપરા આવ્યા. બાપાશ્રીએ કહેલું તેમ બરાબર પંદર દિવસે સાધુ પુરુષોત્તમપ્રિયદાસજીએ દેહ મૂક્યો ને મૂર્તિના સુખે સુખિયા થઈ ગયા. સદ્દગુરુશ્રી ગામડેથી ધર્માદો ઉધરાવી અમદાવાદ પધાર્યા, જ્યાં જયાં જાય ત્યાં સૌને આનંદ-ઉલ્લાસ ને દિવ્યતાની લહાણી ! સાથે સાથે વચનામૃત અને બાપાશ્રીની વાતોના લખાણનું કામ તો ચાલુ જ. જન્માષ્ટમીના સમૈયે સદ્ગુરુશ્રી મૂળી પધાર્યા. ઝાલાવાડના હેતવાળા હરિભક્તોની સભામાં સદ્ગુરુશ્રી વાતો કરે : “શ્રી સ્વામિનારાયણ જેવા તો એક સ્વામિનારાયણ જ. શ્રીજીમહારાજે અનંત મુક્તોએ સહિત આ પૃથ્વી ઉપર દર્શન આપી પ્રેમી ભક્તના લાડકોડ પૂર્યા, તે સાથે ધર્મધુરંધર નિયમરૂપી દઢ પાળ બાંધી છે, તેની પુષ્ટિ થયા કરે તે રીતે મહાપ્રભુની બાંધેલ મર્યાદા પ્રમાણે વર્તવું. સત્સંગને વિષે સદાય આત્મબુદ્ધિ રાખવી, બધોય સત્સંગ દિવ્ય જાણવો, કોઈનો અવગુણ ન લેવો. વળી, સદાય દાસભાવે વર્તવું. એમના અનાદિ મુક્ત મૂર્તિમાં રસબસ રહ્યા છે. મહારાજ સૌને સુખ આપે છે. જ્યાં મહારાજ ત્યાં મુક્તો, જ્યાં મુક્તો ત્યાં મહારાજ ! મૂર્તિ વિના મુક્તો રહે નહિ, મહારાજ મુક્તો વિના રહે નહિ. 'રસબસ હાઈ રહી રસિયા સંગ, યૂ મિસરી પયમાંહી ભળી.’ મુક્તો અહીં દેખાય છે, પણ એ તો સદાય મૂર્તિમાં જ છે.” આમ વાતો કરી સૌને છેલ્લામાં છેલ્લી સમજણ આપતા. વળી, કૃપા કરીને હરિભક્તોના હાથમાં પાણી આપી સંકલ્પ કરી કહેતા : “જાવ, આજથી તમને મૂર્તિમાં રાખ્યા, હવે સદાય મૂર્તિ ભેળા છો એમ દઢપણે માનજો. ”
🍃🍃🌼🍃🍃 #🙏 સ્વામિનારાયણ મંદિર #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ #✋ જય સ્વામીનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗
#😍 ગુડ મોર્નિંગ શાયરી #જીવન કોટ્સ...✍🏻 #🌅 Good Morning #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ
https://youtu.be/jd2qipU7OcY?si=i7vEEA3kyzix9oMR #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #✋ જય સ્વામીનારાયણ ##જય સ્વામિનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🙏 સ્વામિનારાયણ મંદિર
🍃🍃🌼🍃🍃
નીડર સિદ્ધાંતવાદી સદ્. ઇશ્વરચરણદાસજી સ્વામીનું જીવન ભાગ :- 53
માગશર માસમાં અમદાવાદમાં સદ્ગુરુશ્રી ઉપર મુક્તરાજ બાપાશ્રીનો કાગળ આવ્યો. તેમાં લખેલું : “અમારા માતુ-શ્રીને કાળી તળાવડી ઉપર શ્રીજીમહારાજે દર્શન આપીને વરદાન આપ્યું હતું, તે ઠેકાણે છત્રી કરાવી ચરણારવિંદ પધરાવવાનો અમોએ વિચાર કર્યો છે, તેમાં તમારો શું અભિપ્રાય છે તે લખશો.” સ.ગુ.શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામી તથા સ.ગુ.શ્રી વૃંદાવનદાસજી સ્વામીએ જવાબ લખ્યો : “આપનો જે વિચાર છે તે અનંત જીવોના ઉદ્ધારને અર્થે છે. આપ જે કરતા હશો તે સારું જ કરતા હશો અને આપની જે જે ક્રિયા છે તે સર્વે કલ્યાણકારી છે.” થોડા સમય બાદ બાપાશ્રીનો ફરી પત્ર આવ્યો કે "છત્રીનું કામ શરૂ કર્યું છે, ફાગણ માસમાં સત્સંગીજીવનનું પારાયણ બેસાડવાનો વિચાર કર્યો છે, અને ચારસો મણ ઘી, છસો મણ ગોળ તથા ઘઉં, દાળ, ચોખા, વગેરે સામાન મંગાવ્યો છે. હવે તમે મૂળીએ વસંતપંચમીનો સમૈયો કરીને અહીં આવજો અને સર્વેને અહીં આવવાનું કહેતા આવજો.” આવા સમાચારથી સદ્ગુરુઓના હર્ષનો પાર રહ્યો નહિ. એમણે તો એ કાગળ જ કંકોત્રી જેવો જાણી દરેક ગામોએ હેતવાળા હરિભક્તોને આ વિગત જણાવી તૈયાર રહેવાનું લખ્યું.
સ.ગુ.શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામી મૂળીએ વસંતપંચ-મીનો સમૈયો કરીને પોતાના મંડળે સહિત વૃષપુર પધાર્યા. ત્યાં જઈને સૌ સેવામાં જોડાઈ ગયા. સદ્ગુરુશ્રીએ સર્વ ઠેકાણે કંકોત્રી લખાવી મોકલી કે ફાગણ વદ ૧૧ને રોજ સત્સંગીજીવનનું પારાયણ બેસશે અને તેની સમાપ્તિ ચૈત્ર સુદ ૩ ને રોજ થશે, ને તે દિવસે છત્રીએ ચરણારવિંદ પધરાવાશે. તે પ્રસંગે અમદાવાદથી બસો સંત તથા ભુજ, મૂળી, ગઢડા, જૂનાગઢ, વડતાલ, વગેરેના સંત-બ્રહ્મચારી મળી ચારસો હતા. અને હરિભક્તો દેશદેશાંતરથી ત્રીસ હજાર આવ્યા હતા, ને મહામોટો યજ્ઞ થયો હતો. સીના હૃદય આનંદથી ઊભરાતાં હતાં. તે પ્રસંગે સભામાં સ.ગુ.શ્રી ઈશ્વરચરણદાસજી શ્રીહરિજીની રહસ્યવાતો કરતા. પારાયણની સમાપ્તિ થઈ ને છત્રીએ ચરણારવિદ પધરાવવા સર્વે આવ્યા. તે વખતે તો ત્યાં કેવળ ખુલ્લી જગ્યા, તળાવડીનો કાંઠો ને પથ્થરની ધાર હતી જે શ્રીજીમહારાજની પ્રસાદીની હતી. એ પ્રસાદીની જગ્યાએ છત્રી કરી હતી. છત્રીએ ચરણારવિંદ પધરાવતી વખતે સદ્ગુરુ ઈશ્વરચરણદાસજી સ્વામીએ મુક્તરાજ બાપાશ્રીને કહ્યું જે આ વખતે સર્વેને વરદાન આપો, ત્યારે બાપાશ્રી બોલ્યા :
“આ યજ્ઞમાં આવેલા સંતહરિભક્તાદિક સર્વે મનુષ્યો તથા ઉપયોગમાં આવેલા સર્વે પશુઓ તથા આકાશમાં વિમાને બેસીને દર્શન કરવા આવેલા અધિકારી દેવો તે સર્વેનો છેલ્લો જન્મ કરી શ્રીજી-મહારાજની મૂર્તિમાં લઈ જઈશું. આ છત્રી તથા આ સ્થાનનાં જે દેવ તથા મનુષ્યો દર્શન કરશે અને ઉપર થઈને પક્ષી ઊડીને જશે તે સર્વેનો અમે આત્યંતિક મોક્ષ કરીશું, અને શ્રીજીસહારાજની મૂર્તિમાં લઈ જઈશું.”
આત્યંતિક કલ્યાણનું અનેરું સદાવ્રત ખૂલી ગયું – સદ્ગુરુશ્રીએ તો અનંત જીવોનું રૂડું કરાવી દીધું, “યાવત્ ચંદ્રદિવાકરી ” કલ્યાણગંગા વહેતી કરી દીધી. ધન્ય મહારાજ, ધન્ય બાપાશ્રી, ધન્ય સદ્દગુરુશ્રી ! આપના ઉપર તો વારી વારી જાઉં! અમારું સમગ્ર અસ્તિત્વ તમારા ઉપર ન્યોછાવર કરી દઈએ તો ય તમોએ જે અમો સૌને દીધું છે તેનો કોઈ રીતે બદલો વળે તેમ નથી, આપ તો આપ જ છો! પારાયણ-પક્ષનો જય જયકાર થયો.
🍃🍃🌼🍃🍃 #🙏 સ્વામિનારાયણ મંદિર #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ #✋ જય સ્વામીનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗
#🌅 Good Morning #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ #જીવન કોટ્સ...✍🏻 #😍 ગુડ મોર્નિંગ શાયરી
https://youtu.be/UF3NW_k1YWk?si=SJRNKAqHWPqdnZDw #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #✋ જય સ્વામીનારાયણ ##જય સ્વામિનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🙏 સ્વામિનારાયણ મંદિર
#🙏 સ્વામિનારાયણ મંદિર #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #✋ જય સ્વામીનારાયણ ##જય સ્વામિનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗
🍃🍃🌼🍃🍃
નીડર સિદ્ધાંતવાદી સદ્. ઇશ્વરચરણદાસજી સ્વામીનું જીવન ભાગ :-51
સાહિત્યની મોટી પ્રવૃત્તિ ઉપાડી હતી, તે છતાં ગામે-ગામ વિચરીને સૌને પોષણ આપવાની પ્રવૃત્તિ તો ચાલુ જ હતી. વળી, મુક્તરાજ બાપાશ્રીના દર્શન-સમાગમનો લાભલેવા-અપાવવા વર્ષોવર્ષ મહિનો-બે મહિના કચ્છમાં જવાનું પણ ચાલુ જ હતું.
સં. ૧૯૭૦ની વસંતપંચમીનો સમૈયો મૂળીએ કરીને સ.ગુ.શ્રી વૃંદાવનદાસજી, સ.ગુ.શ્રી ધનશ્યામજીવનદાસજી સહિત સ.ગુ.શ્રી ઈશ્વરચરણદાસજી વૃષપુર પધાર્યા. સાથે સ્વામી નારાયણસેવકદાસજી, પુરાણી કેશવપ્રિયદાસજી સ્વામી, સ્વામી હરિપ્રસાદદાસજી, પુરાણી ધર્મકિશોરદાસજી સ્વામી તથા સ્વામી શ્વેતવું કુઠદાસજી, સ્વામી દેવજીવનદાસજી, આદિ સંતો તથા ઘણાં હરિભક્તો હતા. મુક્તરાજ બાપાશ્રી રાજી થઈને સૌને મળ્યા. કહે : “તમે બહુ દયા કરી પધાર્યા. અમારે આવા સંત વિના ઘડી યે ન ચાલે ને તમારે મંદિરના વ્યવહાર ને વારેવારે દેશમાં જવું પડે, તો ય તમારી દયા બહુ જેથી અમને ઘેર બેઠાં દર્શન આપો છો!” ત્યારે સદ્ગુરુ ઈશ્વર-ચરણદાસજી સ્વામી કહે : “અમને આપે એમ રાખ્યા છે, તેથી શું થાય? નહિ તો અમે અહીંથી કયારેય જઈએ નહિ, એવું થાય છે, પણ તમે આશા કરો છો એટલે જવું પડે છે.”—ને દિવ્યસભામાં દિવ્ય આનંદ વરસવા લાગ્યો ! સૌ કોઈએ દિવ્યવર્ષાના ઘૂંટડા પીધા, એવા પીધા કે સમય કયાં વહી ગયો તે કોઈને જાણ જ ન થઈ! નારાયણપુરથી ધનજી-ભાઈ આવી પોતાના ગામ પધારવા આગ્રહ કરે, તો મુક્ત-સ્વરૂપ ધનબા રામપુરાથી આગ્રહભર્યો સંદેશો મોકલે, તેથી સંત-હરિભક્તો સહિત બાપાશ્રી નારાયણપુર-રામપુરા પધારી ભારાસર પધાર્યા. ત્યાં સાત દિવસની શિક્ષાપત્રીની પારાયણ થઈ. ગામેગામથી હરિભક્તો આવે. બાપાશ્રીની સાથે સદ્ગુરુઓની સેવા સમાગમનો પણ લાભ લે.
🍃🍃🌼🍃🍃 #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 ##જય સ્વામિનારાયણ #✋ જય સ્વામીનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🙏 સ્વામિનારાયણ મંદિર
https://youtu.be/W6zZ5BBE8mU?si=YXY_G_qfAan8c-jN #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗











![🙏 સ્વામિનારાયણ મંદિર - 5 2892 9 [[ulql-iE 24[1-t[ 2iseu-1 21[ भूर्तिथो GुएuaIsiभi डरि%नने तेsवा गर्छ त्थiं ७र%नो दर्शन s२वा २I२ २{ट्था तेभएे शो A8cd %i81 s6j % , 'oilulal-ie] भूर्तिथ्ो २्वाभी तो थ्ेs % छे थने २{l तभे शो %९८ श्री sigt ೨t[utqt-i 34[21 ಣ[ ೬u[aೊi ಅ[ { {11 छो?' त्थारे ५ोeथा %, ' थभो तो श्री गोuie!नi६ स्वाभीन। शscu छीथ्े थने ७२लSतने dsवा थनाधभुSत २lवा शभर्थ डोथ. ಖ[eal ಅ3 , ஆலவேதீல &1aఞgdoo 5 2892 9 [[ulql-iE 24[1-t[ 2iseu-1 21[ भूर्तिथो GुएuaIsiभi डरि%नने तेsवा गर्छ त्थiं ७र%नो दर्शन s२वा २I२ २{ट्था तेभएे शो A8cd %i81 s6j % , 'oilulal-ie] भूर्तिथ्ो २्वाभी तो थ्ेs % छे थने २{l तभे शो %९८ श्री sigt ೨t[utqt-i 34[21 ಣ[ ೬u[aೊi ಅ[ { {11 छो?' त्थारे ५ोeथा %, ' थभो तो श्री गोuie!नi६ स्वाभीन। शscu छीथ्े थने ७२लSतने dsवा थनाधभुSत २lवा शभर्थ डोथ. ಖ[eal ಅ3 , ஆலவேதீல &1aఞgdoo - ShareChat 🙏 સ્વામિનારાયણ મંદિર - 5 2892 9 [[ulql-iE 24[1-t[ 2iseu-1 21[ भूर्तिथो GुएuaIsiभi डरि%नने तेsवा गर्छ त्थiं ७र%नो दर्शन s२वा २I२ २{ट्था तेभएे शो A8cd %i81 s6j % , 'oilulal-ie] भूर्तिथ्ो २्वाभी तो थ्ेs % छे थने २{l तभे शो %९८ श्री sigt ೨t[utqt-i 34[21 ಣ[ ೬u[aೊi ಅ[ { {11 छो?' त्थारे ५ोeथा %, ' थभो तो श्री गोuie!नi६ स्वाभीन। शscu छीथ्े थने ७२लSतने dsवा थनाधभुSत २lवा शभर्थ डोथ. ಖ[eal ಅ3 , ஆலவேதீல &1aఞgdoo 5 2892 9 [[ulql-iE 24[1-t[ 2iseu-1 21[ भूर्तिथो GुएuaIsiभi डरि%नने तेsवा गर्छ त्थiं ७र%नो दर्शन s२वा २I२ २{ट्था तेभएे शो A8cd %i81 s6j % , 'oilulal-ie] भूर्तिथ्ो २्वाभी तो थ्ेs % छे थने २{l तभे शो %९८ श्री sigt ೨t[utqt-i 34[21 ಣ[ ೬u[aೊi ಅ[ { {11 छो?' त्थारे ५ोeथा %, ' थभो तो श्री गोuie!नi६ स्वाभीन। शscu छीथ्े थने ७२लSतने dsवा थनाधभुSत २lवा शभर्थ डोथ. ಖ[eal ಅ3 , ஆலவேதீல &1aఞgdoo - ShareChat](https://cdn4.sharechat.com/bd5223f_s1w/compressed_gm_40_img_868702_2242e7f6_1782098866876_sc.jpg?tenant=sc&referrer=user-profile-service%2FrequestType50&f=876_sc.jpg)

