#😍 ગુડ મોર્નિંગ શાયરી #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ #જીવન કોટ્સ...✍🏻 #🌅 Good Morning
https://youtu.be/eRXAy_qyln0?si=wLXZTRk9yoNooSCy #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ ##જય સ્વામિનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗
#🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 ##જય સ્વામિનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા
🍃🍃🌼🍃🍃
બાળ ચરીત્ર...
વળી એક સમયે લખનૌ પરગણે ગામ સહાપુર મેંડીયામાં કનૈયાલાલ નામનો એક સારો સત્સંગી સુથાર હતો. તેના છોકરાને કુસંગનો યોગ થવાથી સત્સંગ મૂકી દીધો. એટલે થોડાક દિવસ પછી એક મુસલમાન જન તેને વળગ્યો. ત્યારે તેનો બાપ જે કનૈયાલાલ તેણે ઘણા રૂપીયા ખર્ચીને તે જનને કાઢવાનો ઉપાય કર્યો પણ કોઇથી નીકળ્યો નહિ. પછી તે સુથાર રામનવમીના સમૈયા ઉપર છપૈયાપુરને વિષે આવ્યો. ત્યારે તેણે ધર્મકુળમાં ઠાકો૨૨ામભાઇને વાર્તા કહીં. તે સાંભળીને ભાઇએ ઘનશ્યામ મહારાજના કંઠમાંથી ગુલાબનો હાર પ્રસાદીનો મંગાવીને તેને આપ્યો અને કહ્યું જે, આ પ્રસાદીનો હાર તારા પુત્રને પહેરાવજે. એટલે તત્કાળ તે જન બોલી ઉઠશે અને કહેશે જે હું બળી જાઉં છું. એવી રીતે બોલે ત્યારે તેને પૂછી જોજ્યો જે, કેમ મારા પુત્રને વળગ્યો છે ? ત્યારે તે બોલશે. પછી તે નીકળી જાય એટલે આ કંઠી હું આપું તે પહેરાવજો અને શ્રીજી મહારાજનો દ્રઢ આશ્રય રખાવજે એટલે સારૂં થઇ જશે. એમ કહ્યું તે સાંભળીને આનંદ પામતો સતો, દર્શન કરી છાપો લઈને પોતાના ગામ ગયો. અને તે પ્રસાદીનો હાર પોતાના પુત્રને પહેરાવ્યો કે, તરત તે જન બોલવા લાગ્યો જે, હે ભાઇ! હવે હું જાઉં છું. ત્યારે કહ્યું કે તું કોણ છે ? અને આને કેમ વળગ્યો છે ? ત્યારે બોલ્યો જે, હું જન છું અને આ તારા છોકરે નકારી અભક્ષ્ય વસ્તુ ખાવા માંડી અને તારા ગુરુનો આશ્રય મૂકી દીધો ત્યારે હું વળગ્યો હતો. અને મારે કોટી ઉપાયે નીકળવું ન હતું પરંતુ આ તારા ગુરુનો પ્રસાદીનો હાર મને પહેરાવ્યો એટલે હું બળી જાઉં છું. એમ કહીને હાથ જોડીને પગે લાગીને નીકળી ગયો. તેવો પ્રતાપ જોઈને તે છોકરો શ્રીજી મહારાજનો અનન્ય ભક્ત થયો.
🍃🍃🌼🍃🍃 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર ##જય સ્વામિનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗
#જીવન કોટ્સ...✍🏻 #🌅 Good Morning #😍 ગુડ મોર્નિંગ શાયરી #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ
#🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 ##જય સ્વામિનારાયણ #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા
🍃🍃🌼🍃🍃
બાળ ચરીત્ર...
એક સમયે ગ્વાલીયર પરગણે મગરોલી ગામના હરિભક્તો સંઘ લઇને છપૈયાપુરમાં શ્રીઘનશ્યામ મહારાજનાં દર્શન કરવા માટે આવતા હતા. ત્યારે તેમાં એક બાઇ અતિ વૃદ્ધ, અને આંખે પણ ઓછું દેખાય, એવી થકી મંડપમાં આવીને બહારની જાળીથી છેટે બેસીને શ્રીઠાકોરજીનાં દર્શન કર્યાં. પરંતુ સિંહાસન ઉપર બરાબર મૂર્તિ દેખવામાં આવી નહીં. ત્યારે પોતાના મનમાં એવો સંકલ્પ થયો જે, પ્રયાગરાજ તથા કાશી, અયોધ્યાપુરી એ સર્વે પરોક્ષ મંદિરમાં તો ઠાકોરજીના સમીપે જઇને દર્શન કર્યાં. તે ઠાકોરજીની મૂર્તિઓ મારા જોવામાં આવતી હતી અને મારા ગામમાં પણ ઠાકોરજીની મૂર્તિઓને મેં ઘણી નીરખીને દર્શન કર્યા છે. પણ હે બાળસ્વરૂપ ! હે ભક્તિધર્મના પુત્ર ! હે ઘનશ્યામ ! આ તમારા જન્મસ્થાનકને વિષે હું ભાવે કરીને આટલે છેટેથી દર્શન કરવા આવી, પરંતુ મને તો તમારાં થોડાં આભાસમાત્ર દર્શન થાય છે. પણ બરાબર જેવો તમારો બાળસ્વરૂપનો આકાર છે અને જેવાં વસ્ત્ર-ઘરેણાં તમોએ ધારણ કર્યાં છે. તેની બરાબર કંઇ ઓળખાણ પડી નહીં. અને તમો તો સાક્ષાત્ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છો. માટે મારા પ્રેમનાં દર્શન માની લેજ્યો. અને હવે તો કૃપા કરીને વહેલા તેડવા આવજો.એવી રીતે પ્રાર્થના કરવા લાગી. તેને કેટલીક વાર થઇ એટલે તે સર્વે સંઘના માણસોને ઉતારા ઉપર જવા દઈને, પોતે અતિ હેતે સહિત વિનંતીપૂર્વક દર્શન કરતી સતી, રૂદન કરવા લાગી કે, તુરત ત્રણે મંદિરમાં સૂર્યનારાયણના જેવો પ્રકાશ થઇ ગયો. તે જોઇને તે બાઇ આનંદ પામતી સતી દસે મૂર્તિઓનાં દર્શન કરતી હતી. અને વસ્ત્ર-ઘરેણાં પોતાના અંતરમાં ઉતારીને પગે લાગીને બોલી જે, હે દયાળુ ! કૃપા તો બહુ કરી પરંતુ આમાં બાળસ્વરૂપ ભક્તિધર્મના પુત્ર ઘનશ્યામ મહારાજની મૂર્તિ કઇ હશે? અને આ તો દસે મૂર્તિઓ એક સરખી ભાસે છે. અને વળી આ સર્વે મૂર્તિઓનાં નામ શાં હશે ? એમ કહ્યું કે, તુરત પોતાના પ્રેમીભક્તોનો મનોરથ પૂર્ણ કરવા માટે ઘનશ્યામ મહારાજ નાના બાળસ્વરૂપે વસ્ત્ર-ઘરેણાં સહિત પોતાના સિંહાસન ઉપરથી મૂર્તિદ્વારાએ ઉતરી આવીને પોતાના સહિત દસ મૂર્તિઓનાં નામ લઇ, ઓળખાવીને પાછા સિંહાસન ઉપર જઈને પોતાની મૂર્તિમાં લીન થઇ ગયા. એવું અદ્ભૂત ઐશ્વર્ય જોઇને તે બાઈ આનંદ પામતી સતી, પોતાના ઉતારા ઉપર આવીને સર્વેને વાતો કરતી હતી.
🍃🍃🌼🍃🍃 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ ##જય સ્વામિનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗
#🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ #😍 ગુડ મોર્નિંગ શાયરી #🌅 Good Morning #જીવન કોટ્સ...✍🏻
https://youtu.be/Rik_-Q14VEo?si=AJrZD6OUzVu8sKpi #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 ##જય સ્વામિનારાયણ #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા
🍃🍃🌼🍃🍃
બાળ ચરીત્ર....
હે રામશરણજી ! એક સમયે લખનૌ પરગણે ગામ ગોસાઇગંડના હલવાઇ હુકમચંદભાઈ આદિક બીજા કેટલાક હરિભક્તો શ્રાવણ માસમાં હિંડોળામાં ઘનશ્યામ મહારાજનાં દર્શન કરવા માટે છપૈયાપુર આવતાં, વચ્ચે અયોધ્યાપુરીમાં સરયૂગંગામાં આવ્યાં. તે સમયે પાણીનું ઘણું જોર હતું અને વાયુ તથા વરસાદ પણ ઘણો હતો તેથી તે વહાણ પાણીમાં ત્રણ ઘુમરીયો ખાઇને ડુબવા લાગ્યું. તે જોઈને વહાણનો ખેવટીયો બોલ્યો જે, હે ભાઈઓ ! પોતાના ઈષ્ટદેવને સંભારો. હવે આ વહાણ અમારા હાથમાં નથી. ડુબી જશે. તેવું મહા ત્રાસનું વચન સાંભળીને હુકમચંદના અંતઃકરણમાં ત્રાસ પડ્યો. એટલે ઘનશ્યામ મહારાજને સંભારીને બોલ્યો જે, હે શ્રીજી મહારાજ ! અમો ડુબી જઇશું તો લોકમાં તમારી લાજ જશે. કારણ કે આ અયોધ્યાપુરી અનાદિનું શ્રીરામચંદ્રજી ભગવાનનું ધામ છે અને તે ધામનાં દર્શન પડયાં મૂકીને એમના ગુરુ સ્વામિનારાયણ હમણાં થોડાક દિવસમાં પ્રગટ થયા છે તેમનાં દર્શન ક૨વા સારું છપૈયાપુર જતા હતા તેથી સર્વે પાણીમાં ડુબીને અંતરીયાળ મરી ગયા. એમ કહીને જગતમાં અમારી લોકો હાંસી કરશે, એવી રીતની પ્રાર્થના કરતા હતા. એટલામાં તો તે વહાણની ચારે બાજુ ફરતાં ચાર ચાર ધનુષ્યવા પાણી દૂર થઇ ગયું, એટલે તે વહાણ ભોય ઉપર જઇને બેઠું. પછી શ્રીજી મહારાજે હુકમચંદભાઇને દર્શન દઇને કહ્યું જે, સર્વે વહાણમાંથી નીચે ઉતરીને અંદરથી પાણી કાઢી નાખો. તેવું સાંભળીને હુકમચંદભાઇ તો અતિ આનંદ પામતા છતા, મહારાજનાં દર્શન કરીને સર્વે મનુષ્યોને વહાણમાંથી નીચે ઉતારીને એક તરફ ઉભા રાખીને વહાણને પકડીને એક બાજુ નમાવ્યું. એટલે અંદરથી સર્વે પાણી નીકળી ગયું. પછી તે વહાણમાં સર્વે મનુષ્યો બેઠાં કે તરત કોઇ પાપી ખેવટીયાએ કેયમાં પૈસા ઘાલેલા હતા. તે ભોંય ઉપર નીકળી પડ્યા. એટલે તે પાપી વીણવા લાગ્યો. તે સમયમાં ચારે તરફથી પાણી ભેગું થઈ ગયું અને તે વહાણ તરવા લાગ્યું. તે જોઈને સર્વે જન મહા આશ્ચર્ય પામતાં હતાં. પછી ત્યાં થકી હુકમચંદભાઈ કિનારે ઉતરીને છપૈયાપુર આવીને સર્વે ધર્મકુળને તે વાર્તા કહેતાં હતા.
🍃🍃🌼🍃🍃 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ ##જય સ્વામિનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗









![🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 - sತ9 ते ५९८ छे तेवा थो॰५ीने श्वाभिना२थए 4i[ ২c৬ীণী ২৪ se9[থ cী 8ীs. অণ साधुने uU[ ~1[ఞual %1రల, 5e9[থ cী 8ীs. साधुने 4[ ২৪ &1২s1 sহীণ caণ লঙি 4e[সশyতণী uldl s13- ২২৫২ থথা ৫থ c৭া aGui साधुने थपएो 4एI भGाप्रलु%नी aaca బర भूर्तिभां %वु; त्थारे % सुभ खावे. ते विन। तो सुभ e-uleysri] थारेय ५ए८ न थावे. थे शषु५{ ५९८ क२थे सत्शञभi द्रवर्ते छे. खनाादिभुधत el eloculooo sತ9 ते ५९८ छे तेवा थो॰५ीने श्वाभिना२थए 4i[ ২c৬ীণী ২৪ se9[থ cী 8ীs. অণ साधुने uU[ ~1[ఞual %1రల, 5e9[থ cী 8ীs. साधुने 4[ ২৪ &1২s1 sহীণ caণ লঙি 4e[সশyতণী uldl s13- ২২৫২ থথা ৫থ c৭া aGui साधुने थपएो 4एI भGाप्रलु%नी aaca బర भूर्तिभां %वु; त्थारे % सुभ खावे. ते विन। तो सुभ e-uleysri] थारेय ५ए८ न थावे. थे शषु५{ ५९८ क२थे सत्शञभi द्रवर्ते छे. खनाादिभुधत el eloculooo - ShareChat 🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 - sತ9 ते ५९८ छे तेवा थो॰५ीने श्वाभिना२थए 4i[ ২c৬ীণী ২৪ se9[থ cী 8ীs. অণ साधुने uU[ ~1[ఞual %1రల, 5e9[থ cী 8ীs. साधुने 4[ ২৪ &1২s1 sহীণ caণ লঙি 4e[সশyতণী uldl s13- ২২৫২ থথা ৫থ c৭া aGui साधुने थपएो 4एI भGाप्रलु%नी aaca బర भूर्तिभां %वु; त्थारे % सुभ खावे. ते विन। तो सुभ e-uleysri] थारेय ५ए८ न थावे. थे शषु५{ ५९८ क२थे सत्शञभi द्रवर्ते छे. खनाादिभुधत el eloculooo sತ9 ते ५९८ छे तेवा थो॰५ीने श्वाभिना२थए 4i[ ২c৬ীণী ২৪ se9[থ cী 8ীs. অণ साधुने uU[ ~1[ఞual %1రల, 5e9[থ cী 8ীs. साधुने 4[ ২৪ &1২s1 sহীণ caণ লঙি 4e[সশyতণী uldl s13- ২২৫২ থথা ৫থ c৭া aGui साधुने थपएो 4एI भGाप्रलु%नी aaca బర भूर्तिभां %वु; त्थारे % सुभ खावे. ते विन। तो सुभ e-uleysri] थारेय ५ए८ न थावे. थे शषु५{ ५९८ क२थे सत्शञभi द्रवर्ते छे. खनाादिभुधत el eloculooo - ShareChat](https://cdn4.sharechat.com/bd5223f_s1w/compressed_gm_40_img_564412_1b8ca9ba_1777081563140_sc.jpg?tenant=sc&referrer=user-profile-service%2FrequestType50&f=140_sc.jpg)



