https://youtu.be/x-_NM5wYTCo?si=ry4fuphtZrewOgsa ##જય સ્વામિનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર
🍃🍃🌼🍃🍃
બાળ ચરીત્ર...
હે ભાઈ ! ત્યાં થકી ચાલ્યા એવા જે શ્રીનીલકંઠ બ્રહ્મચારી તે જેતે ભાલદેશમાં ગામ બુધેજ આવતા હતા. અને ત્યાં ખોડાભાઇ ગરાસીયાને ઘેર સદાવ્રત લેવા ગયા ત્યારે, તે વખતે ખોડાભાઈનાં માતુશ્રી આંગણામાં માંચી ઉપર બેસીને સદાવ્રતમાં જુવાર આપતાં હતાં. ત્યારે પોતે પણ ત્યાં જઇને ઉભા રહ્યા. એટલે તેમને પણ સર્વેની સાથે તે જુવાર આપવા લાગ્યાં. ત્યારે બોલ્યા જે, અમો તો જુવાર લેતા નથી. તૈયાર ભોજન હોય તો આપો. તેવું સાંભળીને તેની માતા બોલ્યાં જે, હે ભાઇ ! અમો તૈયાર ભોજન તે કેટલાંકને આપતા ફરીએ ? આ જુવાર તમારે લેવી હોય તો લ્યો. નહીં તો ચાલ્યા જાઓ, તમારા જેવા તો ઘણાય આવે છે. ત્યારે બોલ્યા જે, અમારા જેવા તો આ તમારા સદાવ્રતમાં કોઇ આવ્યા નથી.અને આવશે પણ નહીં. ત્યારે તે બાઇ બોલી જે, તમારા જેવા તો શું, પણ મોટા મોટા પાંચ પાંચ હાથ ઉંચા અને મોટી જટાવાળા ઘણાક આવી ગયા. ત્યારે કહે જે, ભલે આકાશે અડે એવા મોટા આવ્યા હશે. પરંતુ અમારા જેવા તો કોઈ નહીં આવ્યા હોય. એવો મર્મ કહીને તે આપેલી જુવારમાંથી બે દાણા પોતાના મુખમાં નાખીને બીજી સર્વે જુવાર લીંબડા તળે ચોતરા ઉપર કબુતરોને નાખી દઇને ત્યાં થકી ચાલ્યા. તેટલામાં તો ખોડાભાઈ કોઇક કારણસર બહારગામ ગયા હતા. તે આવ્યા. ત્યારે તેમની માતુશ્રી તે વાત વિસ્તારે સહિત કહેતાં હતાં. અને શ્રીનીલકંઠ બ્રહ્મચારી તો ગામને ગોંદરે કૂવા ઉપર જઇને, પોતાનો હાથ કૂવામાં લાંબો કરીને કઠારી જળની ભરી, પીને ચાલી નીકળ્યા. તે આવું મહા અદ્ભુત ચરિત્ર જોઇને તે કૂવા ઉપરની બાઇઓ વિસ્મય પામી. તે વાતને કહેવા સારૂં ખોડાભાઈના ઘેર આવીને વિસ્તારે સહિત વાત કહેતી હતી. તે સાંભળીને પોતે વિચાર કરવા લાગ્યા જે આ તે શી વાત કરે છે! મારા સદાવ્રતમાં ભગવાન આવી ગયા કે શું? એમ વિચાર કરતા સતા પોતાના ઘોડા ઉપર સ્વાર થઈને ચારે તરફ પાંચ પાંચ સાત સાત ગાઉના આશરે ફરીને જોયું. પરંતુ ક્યાંય પત્તો ન લાગતાં, પોતાના મનમાં અતિશે ઉદાસ અને દીલગીર થયા. આવો તેનો પ્રેમ જોઈને શ્રીબાલાજોગીએ દર્શન દીધું અને પછી તુરત અદ્રશ્ય થઇ ગયા. તેથી પાછા અતિ પશ્ચાતાપ કરતા સતા પોતાને ઘેર આવીને પોતાનાં માતુશ્રીને ઠપકો આપવા લાગ્યા જે, હે કર્મની અભાગણી ! આવા નાના બાળરૂપે પોતે સાક્ષાત્ શ્રીરામચંદ્રજી હશે. નહીં તો સાક્ષાત્ પૂર્ણ પરુષોત્તમ ભગવાન પોતે અક્ષરધામમાંથી પધારીને આપણા ઘેર આવ્યા અને તમોએ ઓળખ્યા નહીં. તેવું સાંભળીને તે પણ મહા પશ્ચાતાપ કરતાં સતાં ઉદાસ થઈ ગયાં. ત્યાર પછી કેટલાક દિવસ ગયા બાદ તે સદાવ્રતના પુણ્યે કરીને શ્રીવડતાલ ગામને વિષે મહારાજનો યોગ થયો. ત્યારે અતિ વિનંતીપૂર્વક પગે લાગીને ભગવાનપણાનો દ્રઢ નિશ્ચય કરીને મહા ભગવદીય ભક્ત થયા હતા.
🍃🍃🌼🍃🍃 #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ
https://youtu.be/KGPL1bv0fFI?si=FyMLmVej73E-pcwW ##જય સ્વામિનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર
https://youtu.be/lRHrP95XLTo?si=qTYlBgJ6g9wbBwGq #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ
##જય સ્વામિનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર
🍃🍃🌼🍃🍃
બાળ ચરીત્ર...
હે રામશરણજી ! ત્યાં થકી ચાલ્યા એવા જે શ્રીનીલકંઠ બ્રહ્મચારી તે કેટલેક દિવસે શ્રીરંગક્ષેત્રમાં જઇને બે માસ પર્યંત રહેતા હતા. અને વૈષ્ણવો સાથે સંવાદ કરતા સતા તેમને વિષે જે દુરાચાર તેનો ત્યાગ કરાવતા હતા. પછી ત્યાં થકી ચાલ્યા તે સુંદ૨૨ાજ નામે જે વિષ્ણુ તેમનાં દર્શન કરીને, ત્યાં થકી ચાલતા થકા માર્ગને વિષે એક ઘોર વન આવ્યું તેને ઉલ્લંઘીને આગળ ચાલ્યા, તે ભૂતપુરીને પામ્યા. અને ત્યાં શ્રીરામાનુજ આચાર્યની પ્રતિમાનું દર્શન તથા પૂજન કરીને ત્યાં થકી પદ્મનાભ ગયા. અને ત્યાંથી જનાર્દન ગયા. અને ત્યાંથી આદિકેશવ નામે જે વિષ્ણુ તેમનાં દર્શન કરીને, ત્યાં થકી ચાલ્યા તે મલયાચલ નામે જે કુલિંગરી તેને પામતા હતા. અને સાક્ષીગોપાલ નામે જે વિષ્ણુ તેનાં દર્શન કરતા થકા ત્યાં પાંચ દિવસ રહેતા હતા. અને ત્યાંથી ચાલ્યા જે નીલકંઠ બ્રહ્મચારી તે કેટલાક દિવસે બુરાનપુર શહેર આવ્યું. તે શહેરની સમીપે વહેતી જે તાપી નદી તેના રાજઘાટે સ્નાન કરીને એક મોટી પથ્થરની શીલા ઉપર બેસીને પોતાનો નિત્યવિધિ કરતા થકા, શ્રીઠાકોરજીની સેવા કરવા લાગ્યા.તે સમયે જીનાવાદના આહિરોની કેટલીક સ્ત્રીઓ દહીંના ગોરસાં લઈને શહેરમાં વેચવા માટે જતી હતી. તે શ્રીનીલકંઠ બ્રહ્મચારીને પૂજા કરતા જોઈને, આ બાવો કોઈ મહાતપસ્વી અને ચમત્કારી છે એમ જાણીને પૂછ્યું જે, હે જોગીરાજ! કંઈ જમશો? ત્યારે શ્રીનીલકંઠ બ્રહ્મચારીએ કહ્યું જે, શું આપશો? ત્યારે તેણે કહ્યું જે, અમારી પાસે દહીં છે. ત્યારે કહે બહુ સારૂં, લાવો. પછી અતિ પ્રેમથી પોતાના ગોરસમાંથી દહીં કાઢીને આપતી હતી. તેને નૈવેદ્ય કરીને પોતે અતિ સ્નેહથી જમી તૃપ્ત થઇને સર્વે સ્ત્રીઓને પોતાનું શ્રીકૃષ્ણ રૂપે દર્શન દેતા હતા. ત્યારે તો અતિશય સ્નેહ થકી તે સર્વે દહીંનાં ગોરસાં તેમની પાસે મૂકીને વિનંતીપૂર્વક પગે લાગીને બોલી જે, અહો હે મહારાજ ! તમો તો સાક્ષાત્ કાનજી છો. તે આ સર્વે અમારૂં દહીં જમીને અમારૂં કલ્યાણ કરો. તેવું સાંભળીને તત્કાળ પોતે જેટલાં ગોરસાં હતાં તે સર્વે દહીં જમતાં થકા બોલ્યા જે, હે ગોપીઓ ! તમો પાછાં કચ્છ દેશને વિષે જન્મ પામશો તેથી અમારો યોગ થશે. ત્યાં હું તમારૂં સર્વેનું કલ્યાણ કરીશ. એવી રીતનો વર પામીને તે સર્વે સ્ત્રીઓ મહા આશ્ચર્ય પામતી સતી પોતાના ઘેર જતી હતી. ત્યાર પછી નીલકંઠ બ્રહ્મચારી ત્યાં થકી ઉઠીને ચાલવાની તૈયારી કરે છે, તેટલામાં તો એક પ્રભુદાસ નામનો વણિક ત્યાં આવ્યો, તે આવીને તપસ્વી બાલાજોગીને જોઇને પોતાના મનમાં વિચાર કરવા લાગ્યો જે, આમની નાની અવસ્થા છે ને તીર્થમાં ફરવા નીકળ્યા છે. તે મહાતપસ્વી અને પવિત્ર પણ બહુ જણાય છે. માટે મારી પાસે ધનમાલ ખાનાર કોઇ નથી અને પૈસા પણ ઘણા છે. માટે તે જો બ્રાહ્મણાદિક ઉત્તમ જ્ઞાતિના હોય તો આ સર્વે મારૂં ધનમાલ એમને સોંપી દઉં અને મારા ઘરે રાખું. એમ સંકલ્પ કરે છે, ત્યારે તે સંકલ્પ અંતર્યામીપણે જાણીને બોલ્યા જે, હે પ્રભુદાસ ! અમો તો ગામમાં કોઈના ઘેર જતા નથી. અને તીર્થયાત્રા કરવા નીકળ્યા છીએ. આવું તે બાલાજોગીનું વચન સાંભળીને મહા આશ્ચર્ય પામતો સતો એમ વિચાર કરવા લાગ્યો જે, આ તો કોઇક મોટા પુરુષ છે. તે મારા અંતરની સર્વે વાત જાણીને મને કહીં. માટે જરૂર આમને ગમે તે ઉપાયે કરીને મારા ઘેર લઇ જવા. એમ વિચાર કરે છે તેટલામાં તો તે વણિકને પોતાનું શ્રીરામચંદ્રજી રૂપે ચતુર્ભુજ દર્શન દેતા હતા. ત્યારે અતિ ગદ્ગદ્ કંઠ થયો થકો, શ્રીનીલકંઠ બ્રહ્મચારીના ચરણમાં પોતાનું મસ્કત મૂકીને બે હાથે વિનંતીપૂર્વક પગે લાગતો હતો. અને બોલ્યો જે, હે મહારાજ ! તમો તો સાક્ષાત્ મારા ઇષ્ટદેવ શ્રીરામચંદ્રજી છો, તે મારા જીવનું સારૂં કરો. ત્યારે દયાળુ એવા જે શ્રીનીલકંઠ બ્રહ્મચારી તે એ વણિકને પૂર્વનો મુમુક્ષુ જાણીને તે પ્રત્યે બોલ્યા જે, અમો કોઈના ઘેર તો જતા નથી, પરંતુ તારી શ્રદ્ધાપૂર્વક અહીં સીધું લાવ. ત્યારે તે વણિક સીધું લાવ્યો, તેની બાટીઓ કરીને શાલગ્રામને નૈવેદ્ય ધરી, જમીને પ્રસન્ન થયા થકા તે બોલ્યા જે, જા તારા જીવનું સારૂં થશે. અને તું અમારા વચને કરીને સદ્ગતિ પામીશ. એવી રીતનો વર આપીને ત્યાં થકી ચાલ્યા તે નાસીકપુર પ્રત્યે આવ્યા.
🍃🍃🌼🍃🍃 #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ




![🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ - '3621622" d33 %-ug de453uld &, II @21? "2೯9]೬32" ದ25 129 ೧ ೩5 QQ9 good moring C.J. Jadav '3621622" d33 %-ug de453uld &, II @21? "2೯9]೬32" ದ25 129 ೧ ೩5 QQ9 good moring C.J. Jadav - ShareChat 🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ - '3621622" d33 %-ug de453uld &, II @21? "2೯9]೬32" ದ25 129 ೧ ೩5 QQ9 good moring C.J. Jadav '3621622" d33 %-ug de453uld &, II @21? "2೯9]೬32" ದ25 129 ೧ ೩5 QQ9 good moring C.J. Jadav - ShareChat](https://cdn4.sharechat.com/bd5223f_s1w/compressed_gm_40_img_114386_31e2b404_1771725112897_sc.jpg?tenant=sc&referrer=user-profile-service%2FrequestType50&f=897_sc.jpg)






