https://youtu.be/flFzo5mc9qw?si=iHLTam8ln62gjVmf ##જય સ્વામિનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ
#✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ
🥀श्री हरि चरित्र-whatsapp🥀:
Jay Swaminarayan:
🍃🍃🌼🍃🍃
બાળ ચરીત્ર...
પછી સુંદરજીભાઇએ પૂછયું જે, હે મહારાજ ! સતયુગ, ત્રેતાયુગ તથા દ્વાપરયુગ એ ત્રણે યુગને વિષે ભગવાન પોતાના ભક્તની રક્ષા કરવા માટે સુદર્શન ચક્રને મોકલતા અને તે ચક્રે કરીને ભક્તની રક્ષા કરતા અને કળીયુગને વિષે ચક્ર મુકીને કેમ હવે પોતાના ભક્તની રક્ષા કરતા નથી ? હળાહળ કળિને વિષે ભગવાનનું ભજન કરે છે. તેની ભગવાનને રક્ષા કરવી જોઈએ એ પ્રશ્નો ઉત્તર કરો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન તેજ સુદર્શનચક્ર છે અને તે સુદર્શન ચક્રને વિષે દશ હજાર સૂર્યનો પ્રકાશ છે. તે જુઓને જ્ઞાનને વિષે પણ એટલો પ્રકાશ છે. જે જીવના હૃદયમાં અજ્ઞાનરૂપી અંધારૂં છે. તેને ચંદ્રમા તથા સૂર્ય તથા પ્રલયકાળનું મહાતેજ તે કોઇ ટાળવાને સમર્થ નથી. પણ જ્ઞાન તે અંધારાને ટાળી નાખે છે. તે જુઓને દશ હજાર સૂર્ય કરતાં પણ અધિક પ્રકાશ છે. અને સુદર્શનચક્ર સતયુગને વિષે તથા ત્રેતાયુગને વિષે ભગવાનના ભક્તની રક્ષા કરતું અને આજ કળિને વિષે તેનું તેજ રક્ષા કરે છે. ત્યારે તમે કહેશો જે, કઇ રીતે રક્ષા કરે છે? તે કહીએ છીએ તે સાંભળો. જ્યારે પ્રભુનો ભક્ત હોય તેના હૃદયમાં કામક્રોધાદિકના ભૂંડા ઘાટ થાય છે. ત્યારે તે ભક્તને એવો વિચાર રહે છે જે, મને ભગવાન મળ્યા છે. અને હું એવા મોટા લાભને મૂકીને ભગવાનનું વચન લોપીને કુમાર્ગે કેમ ચાલું? તેને જ્યારે આવો ભગવાનના નિશ્ચય યુક્ત પોતાના મનમાં વિચાર થાય છે ત્યારે તે ઘાટ ટળી જાય છે. તે પોતે ભક્તજનના શત્રુ તે તો કામક્રોધાદિક છે તે થકી રક્ષા પણ જ્ઞાનરૂપી સુદર્શનચક્ર કરે છે. માટે કળિને વિષે જો ભગવાન સુદર્શન ચક્ર મૂકીને અંબરીષ રાજાની પેઠે રક્ષા ન કરતા હોય તો એનાથી વર્તમાન પડે નહીં અને ભગવાનનું ભજન પણ થાય નહીં અને કામક્રોધાદિક તો એવા જબરા છે જે, શિવબ્રહ્માદિકને પણ ભૂલાવ્યા છે. તો પછી જીવનો તો શો ભાર ? માટે ભગવાન પોતાના ભક્તની જ્ઞાનરૂપી સુદર્શન ચક્ર મૂકીને સર્વે કાળને વિષે રક્ષા કરતા આવે છે. એવી રીતની ઘણીક વાર્તા કરી તે સાંભળીને સર્વે સંત હરિભક્તને શ્રીજી મહારાજને વિષે પ્રગટ પુરુષોત્તમપણાનો નિશ્ચય થયો હતો. ત્યાર પછી બીજે દિવસે ભગવાનજીભાઈને ઘેર જમવા પધાર્યા. ત્યારે રસોઇને થોડીક વાર હતી એટલે ભગવાનજીભાઈએ પોતાની ઓસરીમાં ચાકળો નાખીને તેના ઉપર બિરાજમાન કર્યા, ત્યારે તે સમયે મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો જે, હે મહારાજ ! જનક તે શું અને જાનકી તે શું? અને રઘુનાથજીએ ધનુષ્ય ભાગ્યું તે શું ? ત્યારે અતિ પ્રસન્ન થકા બોલ્યા જે, જનક તે ગુરુને કહીએ. અને જીવ તે જાનકીને અને સમજણ તે ધનુષ્ય છે. માટે તે ગુરુના ઉપદેશથી જીવની સવળી સમજણ થાય તે જીવને ભગવાન વરે. એટલી વાર્તા કરીને જમવા પધાર્યા. તે જમી રહ્યા પછી ભાલને વિષે ચંદનની અર્ચા કરીને કંઠમાં પુષ્પના હાર પહેરાવીને એક ભારે હેમની ઉતરી, કડાં, વેઢ, વીંટી, કંદોરો એવી રીતે ઘરેણાં અંગોઅંગને વિષે ધારણ કરાવી ભગવાનજીભાઈ બોલ્યા જે, હે મહારાજ ! આવી રીતે મેં રામાનંદ સ્વામીને જમાડીને આ સર્વે ઘરેણાં હું પહેરાવવા લાગ્યો, ત્યારે સ્વામીએ પહેર્યાં નહીં અને બોલ્યા જે, આવા ભારે દાગીના અમારાથી હવે ન પહેરાય, અને તેના પહેરનાર થોડાક દિવસમાં અહીં આવશે એટલે તેમને પહેરાવજો.એમ કહીને પાછા મૂકાવ્યા હતા, તે હે મહારાજ ! આજે તમોને પહેરાવ્યાં. એમ કહીને બે હાથ જોડીને વિનંતીપૂર્વક પગે લાગતા હતા. પછી ત્યાં થકી ઉતારે આવીને સાંજની વખતે ગાદી તકીયા ઉપર ઉગમણે મુખારવિંદે બિરાજમાન થયા અને બાજુમાં સર્વે સંત હરિભક્તો બેઠા. તે જ્યારે સૂર્ય અસ્ત પામ્યો તે સમયે શ્રીજી મહારાજની મૂર્તિ સૂર્યના જેવી પ્રકાશેયુક્ત જણાતી હતી. ત્યારે ભગવાનજીભાઇએ જાણ્યું જે, આ મુક્તાનંદ સ્વામીને આવું શ્રીજી મહારાજનું પ્રકાશેયુક્ત દર્શન થતું હશે કે નહીં ? એમ જાણીને મુક્તાનંદ સ્વામીના મુખ સામું જોઇને બોલ્યા જે, હે સ્વામિન્ ! તમોને કંઇ શ્રીજી મહારાજનું ઐશ્વર્ય જણાય છે ? ત્યારે કહે હા જણાય છે. એમ કહીને આનંદ પામતા હતા. ત્યાર પછી બે સંત ગામ કાળાતળાવે રામાનંદ સ્વામીનું બંધાવેલું સદાવ્રત હતું, તે સદાવ્રત અંગે કંઇ કામ હશે તે માટે ત્યાં જવાનો સંકલ્પ ધારીને તૈયાર થઇ આજ્ઞા લીધા સિવાય ચાલવા જાય છે. ત્યારે તે બન્ને સંતના અંતરના ઘાટ જાણીને બોલ્યા જે, ભગવાનને ભગવાન જાણીને કંઈ બીજું કરવાને ઇચ્છવું નહીં અને પોતાને કૃતાર્થ માનીને સહેજે ભજન સ્મરણ થાય તે કરવું. પણ કોઇ વાતનો આગ્રહ મનમાં રાખવો નહીં. જેમ ભગવાનની મરજી હશે તેમ થશે. અને પોતાને મનને જાણ્યે કંઇ કરવું નહીં અને કામાદિક જે મોટા વિકાર છે, તે તો ભગવાન વિના પોતાના બળે ટાળવા જાય તે ઘણો હેરાન થાય. માટે ભગવાનની આજ્ઞાએ કરીને જે જે સાધન કરેતો તે કામાદિક શત્રુનો તત્કાળ નાશ થઈ જાય છે. માટે ભગવાનનું બળ રાખીને તે પ્રગટ ભગવાન જેમ આજ્ઞા કરે તેમ કરવું, પણ ભગવાનને મૂકીને ફક્ત સાધનનું બળ રાખવું નહીં. એમ કહીને વળી બોલ્યા જે, આજ દિવસ પછી સત્સંગમાં ધારણા ધ્યાનનું પ્રકરણ ઘણું થશે અને સત્સંગ પણ વૃદ્ધિને પામશે.
એવી રીતની ઘણીક વાત તે બન્ને સંતને કરી. તે સાંભળીને તેમનાં અંતઃકરણ શીતળ થઇ ગયાં.અને વિનંતીપૂર્વક પગે લાગીને પાછા પોતાના આસને જઈને બેસતા હતા.
🍃🍃🌼🍃🍃 ##જય સ્વામિનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ
🍃🍃🌼🍃🍃
ફાગણ વદ-૦૧ ધુળેટી
હોળીના બીજા દિવસે ધુળેટીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વખતે 2 માર્ચે ધૂળેટી છે. આ દિવસે સવારથી સૌ કોઇ નાના મોટા એકબીજા પર અબિલ, ગુલાલ તેમજ નિતનવા રંગો છાંટી, રંગોની વર્ષામાં તરબોળ થઈને પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરે છે. કેટલાક લોકો આ દિવસે ભગવાન શિવને યાદ કરી ભાંગના નશાનો આનંદ લઈને મસ્ત બનીને નાચે છે.
ધૂળેટીનો તહેવાર એકબીજાને ગુલાલ લગાવવી અને રંગ છાંટવો, સામાજીક મેળ મિલાપ અને ભાઈચારાની એકતાનું પ્રતિક છે. રંગની પિચકારી અને ગુલાલથી રમવાની પ્રથા તે સંકેત આપે છે કે હવે ઠંડીની ઋતુ પૂર્ણ થઈ ગઈ છે અને ગરમીના દિવસો ચાલુ થઈ ગયાં છે તેથી હવે ગરમ પાણીથી નહાવાની કોઈ જ જરૂરત નથી. હવે ઠંડા પાણીથી નહાવામાં કોઈ જ નુકસાન નથી.
બરસાનાની લઠ્ઠમાર હોળી.....
હોળી-ધુળેટીનો ઉત્તમોત્તમ ઉજવણીનો રસ ચાખવો હોય તો વ્રજભૂમિ જેવી ઉમંગભર ભૂમિ ભારતભરમાં નથી. અહીંની ધૂળ પણ આ દિવસોમાં ગુલાલ બની બ્રીજબાળને તોફાને ચડવા ઉશ્કેરતી રહે છે. વ્રજનો પ્રત્યેક બાંકો છોરો કાન્હો અને પ્રત્યેક છબીલી છોરી રાધાના પરિવેશમાં આ દિવસે ગુલતાન બની મહાલે છે.
હોળીનાં વિવિધ લોકગીતો જેવાં કે ફાગ, ધ્રુપદ, ધમાર, રસિયા, રંગ કે ડફકી હોરી જેવાં ઋતુગીત વ્રજના દરેક નરનારીના મુખેથી લયબદ્ધ રીતે વહ્યાં કરે છે. આ દિવસે ગાયનવાદન, નૃત્યનાટકો લોકગીતો (રસિયા)નું માન કરવામાં આવે છે. સામૂહિક રીતે ઘણા જ અવનવા કાર્યક્રમોથી વ્રજભૂમિની ગલી-ગલી રાસલીલાઓથી ઊભરાય છે.
ધુળેટીના દિવસે લોકો એકબીજા સાથે નિર્દોષતાથી હાસ્ય મજાક કટાક્ષ વાણી ઉચ્ચારે છે. અબીલ, ગુલાલ, ચંદન, હળદર અને અત્તર તથા ગુલાબજળનો રંગબેરંગી પિચકારીઓથી એકબીજા ઉપર છંટકાવ કરવામાં આવે છે. આ ઉપરાંત એકબીજા પ્રત્યે મીઠાશ ટકી રહે તે હેતુથી અવનવી વાનગીઓ પીરસવાનો પણ કાર્યક્રમ યોજાય છે. વ્રજમાં સૌથી વધારે પ્રખ્યાત બરસાનાની લઠ્ઠમાર હોળી છે. બરસાના એ મથુરા પાસે આવેલું રાધાજીનું જન્મસ્થાન છે. અહીંની લઠ્ઠમાર હોળીની ખાસિયત એ છે કે બરસાના ગામની સ્ત્રીઓ શણગાર સજી લાંબા ઘૂમટા તાણીને ખાસ પ્રકારથી તૈયાર કરવામાં આવેલ કલાત્મક લાઠી દ્વારા હોળી ખેલવા તૈયાર રહે છે. ત્યારે નંદગાવથી હોળી રમવા આવેલા પુરુષો જે રાધાજીના મંદિર ‘લાડિલીજી’ પર ધજા ફરકાવવાનો પ્રયત્ન કરે છે ત્યારે મહિલાઓ પુરુષો પર જમકર લાઠીનો પ્રહાર કરે છે. સ્ત્રીઓના નાજુક હાથમાં ચૂડલાનો રણકાર લાઠીના પ્રહારને ખનકદાર બનાવી દે છે.
પુરુષો તેનો ખાસ પ્રકારની ઢાલથી પ્રતિકાર કરતાં કરતાં આ લાઠીનો માર સહન કરે છે. જો પુરુષો આ મારમાં પકડાઇ જાય તો તેમને મહિલાના પરિવેશમાં શૃંગાર સજીને નાચ નચાવવામાં આવે છે. પૌરાણિક કાળમાં શ્રીકૃષ્ણને પણ બરસાનાની ગોપીઓએ આ રીતે નાચ નચાવ્યા હતા.
🍃🍃🌼🍃🍃 #😇હેપ્પી ધુળેટી 💐 #ધુળેટી
#અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗
🍃🍃🌼🍃🍃
બાળ ચરીત્ર...
પછી શ્રીહરિ હમ્મીરસર તળાવમાં આથમણા આરે સ્નાન કરી આવીને, પાઠ પૂજા નિત્યવિધિ કરી રહ્યા. એટલે સુંદરજીભાઇ પોતાને ઘેર જમવા તેડી ગયા.તે જમીને પાછા તે ડહેલામાં આવીને રામાનંદ સ્વામીની નાની પાટ હતી તેના ઉપર આથમણે મુખારવિંદે વિરાજમાન થયા. અને સર્વે સંત હરિભક્ત હેઠે બેઠા. તે સમયે શ્રીજી મહારાજ તે બે આવેલા વૈરાગી પ્રત્યે બોલ્યા જે, કેમ અમારા સાધુ તમો થશો? ત્યારે કહે હા. પછી એક વાળંદને બોલાવીને મુંડન કરાવીને એક એક ભગવી ચાદર ઓઢાડીને દીક્ષા આપીને કૃપાનંદમુનિ તથા વીરભદ્રાનંદ મુનિ એવાં નામ પાડીને કાનમાં મંત્ર આપીને કહ્યું જે, આ સર્વેને દંડવત્ કરીને પગે લાગો.ત્યારે પ્રથમ ગુરુને દંડવત્ કરીને પછી બીજા સભાના જનને દંડવત્ કર્યાં. તે જોઇને શ્રીજી મહારાજ તેમના ઉપર બહુ રાજી થયા અને અંતરમાં જાણ્યું જે, વિવેક અને સમજણ છે. એમ જાણીને પોતે જગન્નાથપુરીમાં અસુરનો નાશ કરાવ્યો હતો તે વાર્તા વિસ્તારીને કહેતા હતા.તે સાંભળીને ગદ્ગદ્ કંઠે થઇને સ્તુતિ કરવા લાગ્યા જે, હે મહારાજ! તમો તો સાક્ષાત્ સર્વ અવતારના અવતારી પુરુષોત્તમ ભગવાન છો. એમ વિનંતીપૂર્વક બોલ્યા. એટલામાં તો શ્રીહરિની ઇચ્છા થકી તેમને સમાધિ થઇ ગઈ.પછી શ્રીજી મહારાજ બોલ્યા જે, આ બે સંતને ઉપાડી એકાંતમાં સુવાડી મૂકો અને ઉપર વસ્ત્ર ઓઢાડો. તેવું સાંભળીને સભામાંથી ચાર સંત ઉઠીને તે ડેલામાં એક પડાલી હતી તેમાં લઇ જઇ સુવાર્યા. અને એક ચાદર ઓઢાડીને પાછા તે ચારે સંત સભામાં આવીને સર્વેને પગે લાગીને બેઠા. પછી થોડા સમય બાદ તે સાધુ સમાધિમાંથી જાગ્યા અને પોતે બદરિકાશ્રમ, શ્વેતદ્વિપ, વૈકુંઠ, ગોલોક, બ્રહ્મપુરને વિષે જે જે ઐશ્વર્ય જોયાં અને તેમાં અલૌકિક શ્રીજીનું દર્શન કર્યું ઇત્યાદિક વાર્તા કરી. તે સાંભળીને સર્વે સભાસદે શ્રીજીને વિષે પુરુષોત્તમપણાનો નિશ્ચય કર્યો.
🍃🍃🌼🍃🍃 #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #🙏 સ્વામિનારાયણ મંદિર ##જય સ્વામિનારાયણ #✋ જય સ્વામીનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા
#જીવન કોટ્સ...✍🏻 #🌅 Good Morning #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ #😍 ગુડ મોર્નિંગ શાયરી
https://youtu.be/PzygYYHuo4E?si=KqSJMjmVHVtQzkqA #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ ##જય સ્વામિનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા
🍃🍃🌼🍃🍃
બાળ ચરીત્ર...
હે રામશરણજી ! શ્રીરામાનંદ સ્વામી દેહોત્સર્ગ કર્યા પછી શ્રીજી મહારાજ સોરઠ દેશમાં કેટલાક દિવસ વિચર્યા થકા પોતાનો મહા અલૌકિક પ્રતાપ જણાવીને, જે શ્રીરામાનંદ સ્વામીના આશ્રિતો હતા તથા બીજા કેટલાક જન તે સર્વેને પોતાના સ્વરૂપનો યથાર્થ દ્રઢ નિશ્ચય કરાવીને પોતાના શિષ્ય શ્રીભુજનગરમાં રામાનંદ સ્વામીના સત્સંગી જે રથકાર સુંદરજીભાઈ, હીરજીભાઈ તથા ભગવાનજીભાઈ તથા ગંગારામ મલ્લ તથા ડોસાભાઈ તથા કાયસ્થ મહેતા શિવરામભાઈ
તથા મહેતા હરજીવનભાઈ તથા લાધીબાઇ એ આદિક બીજાં કેટલાંક હરિજન બાઈભાઈ તેમણે અતિ આદર વડે સન્માન કરીને ભગવાનજી-ભાઈના ડેલામાં ઉતારો કરાવતા હતા. અને ત્યાં શ્રીરામાનંદ સ્વામીનું સદાવ્રત બાંધેલું હતું. તે સદાવ્રત લેવા માટે પૂર્વ દેશના બે વૈરાગી આવ્યા.તેને શીરોપુરી કરીને શ્રીજી મહારાજે પોતે બહુ હેત દેખાડીને જમાડ્યા, એટલે તેમને બહુ સારૂં લાગ્યું. અને કેટલાક દિવસ ભેગા રહ્યા. અને સમાધિઓ આદિક ઘણોક શ્રીજી મહારાજનો પ્રતાપ ઐશ્વર્ય જોઇને અંતરમાં શાંતિ પામતા હતા. પછી એક દિવસે શ્રીજી મહારાજે તેમને પૂછ્યું જે, તમો ક્યાંથી આવ્યા છો? ત્યારે તે વૈરાગી બોલ્યા જે, અમો તો સરવરીયા બ્રાહ્મણના પુત્ર હતા, બાળપણામાંથી જ ઘરનો ત્યાગ કરીને કલ્યાણને અર્થે જગન્નાથપુરીમાં મૂંડાઇને રહ્યા હતા. પછી એક નાનો બ્રહ્મચારી પંચતીર્થી કરતો સતો તપસ્વીના વેષે ત્યાં આવ્યો. તેણે ત્યાં રહેનારા બીજા કેટલાક વૈરાગીઓને પરસ્પર વિરોધ કરાવ્યો, તેથી કેટલાક વૈરાગી કપાઈ મૂવા અને કેટલાક ઘાયલ પણ થયા અને અમો બે જણ તો જીવ લઈને નાઠા તે બચી ગયા.એટલે કેટલાંક તીર્થમાં ફરતા ફરતા શ્રીદ્વારિકાનાથ જતા હતા.તે આ સદાવ્રત લેવા સારૂં અહીં આવ્યા અને આ તમારો યોગ થયો. તેથી અહીં અમારા અંતરમાં શાંતિ થઇ. એવી રીતે વિસ્તારે સહિત વાર્તા કરી તે સાંભળીને શ્રીજી મહારાજ મંદમંદ હસીને બોલ્યા જે, હવે દ્વારકાનાથ જાઓ. ત્યારે કહ્યું જે, હે મહારાજ ! હવે તો ક્યાંય જવું નથી. તમારા ભેગું અહીં સત્સંગમાં રહેવું છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે, શું સમજીને રહેશો? અને સમજ્યા વિના તો જગતમાં પણ કોઇ રહેતું નથી અને જેને એમ સમજાણું છે જે, આપણે શહેરમાં રહેવું તે ઠીક છે તે શહેરમાં રહે છે અને જેને એમ જાણ્યું છે જે, આપણે ગામડામાં રહેવું તે ઠીક છે, તે ગામડામાં રહે છે. અને જેને વન પર્વતમાં રહેવું ગમે છે તે ત્યાં રહે છે. માટે આ સંસારમાં જ્ઞાની અથવા અજ્ઞાની તે સર્વે સમજણને વિષે રહે, પણ શહેર આદિક જે રહેવાનાં ઠેકાણાં કહ્યાં છે. તેમાં કોઇ રહેતું નથી. માટે આ બધું વિશ્વ સમજણને વિષે રહે છે. અને તમો અમારા સત્સંગમાં શું સમજીને રહેશો ? ત્યારે બોલ્યા જે, હે મહારાજ ! અહીં તમારા સત્સંગને વિષે કલ્યાણનું ઠેકાણું અમે જોયું. તેથી અમો મનમાં તપાસ કરીને રહ્યા છીએ. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે, દ્વારકાનાથ જાઓ, અગર બદ્રિનારાયણ જાઓ, તે સર્વે કલ્યાણનાં ઠેકાણાં છે, તેવું સાંભળીને અતિ નિર્માની થકા બોલ્યા જે, હે મહારાજ ! અમારે તો તમારાં દર્શનને વિષે સર્વે સાધન સંપૂર્ણ થઇ રહ્યાં છે. અને જેમ તમો કહો તેમ કરવું છે, અને તમો જ્યાં મોકલશો ત્યાં અમારે રાજી થઇને જવું છે. તેવાં દીનપણાનાં વચન સાંભળીને બહુ પ્રસન્ન થતા હતા.
🍃🍃🌼🍃🍃 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗





![✋ જય સ્વામીનારાયણ - డ్డి खनIeभुSत शाभर्थी ढोवl छतi पएI २c५ %वनुं भान २पभान २eन ४२ छे ते शभर्थ थडा %२९I र२ छे. थने gो्छg Guाधि ४२ तेने भङ्ति भाने ; ड्वेभ ठ GuIध ड२नI२नI ३S१ गुएI थेभने थावे ते Guाधि 521IR ] uIu 4[[ అ %u [s %స1 d ulsl aticcj भाशीने Oीनाभो७शे भूड्ी %्१थ ने 48, %4] तेवुं थाथ. भाटे ९गवानन। Mड़तने क्षभ। २I५वी. olleSd Q1ladgdoo డ్డి खनIeभुSत शाभर्थी ढोवl छतi पएI २c५ %वनुं भान २पभान २eन ४२ छे ते शभर्थ थडा %२९I र२ छे. थने gो्छg Guाधि ४२ तेने भङ्ति भाने ; ड्वेभ ठ GuIध ड२नI२नI ३S१ गुएI थेभने थावे ते Guाधि 521IR ] uIu 4[[ అ %u [s %స1 d ulsl aticcj भाशीने Oीनाभो७शे भूड्ी %्१थ ने 48, %4] तेवुं थाथ. भाटे ९गवानन। Mड़तने क्षभ। २I५वी. olleSd Q1ladgdoo - ShareChat ✋ જય સ્વામીનારાયણ - డ్డి खनIeभुSत शाभर्थी ढोवl छतi पएI २c५ %वनुं भान २पभान २eन ४२ छे ते शभर्थ थडा %२९I र२ छे. थने gो्छg Guाधि ४२ तेने भङ्ति भाने ; ड्वेभ ठ GuIध ड२नI२नI ३S१ गुएI थेभने थावे ते Guाधि 521IR ] uIu 4[[ అ %u [s %స1 d ulsl aticcj भाशीने Oीनाभो७शे भूड्ी %्१थ ने 48, %4] तेवुं थाथ. भाटे ९गवानन। Mड़तने क्षभ। २I५वी. olleSd Q1ladgdoo డ్డి खनIeभुSत शाभर्थी ढोवl छतi पएI २c५ %वनुं भान २पभान २eन ४२ छे ते शभर्थ थडा %२९I र२ छे. थने gो्छg Guाधि ४२ तेने भङ्ति भाने ; ड्वेभ ठ GuIध ड२नI२नI ३S१ गुएI थेभने थावे ते Guाधि 521IR ] uIu 4[[ అ %u [s %స1 d ulsl aticcj भाशीने Oीनाभो७शे भूड्ी %्१थ ने 48, %4] तेवुं थाथ. भाटे ९गवानन। Mड़तने क्षभ। २I५वी. olleSd Q1ladgdoo - ShareChat](https://cdn4.sharechat.com/bd5223f_s1w/compressed_gm_40_img_106096_76c1d4e_1772674099096_sc.jpg?tenant=sc&referrer=user-profile-service%2FrequestType50&f=096_sc.jpg)






