ShareChat
click to see wallet page
search
🍃🍃🌼🍃🍃 બાળ ચરીત્ર...               પછી શ્રીહરિ હમ્મીરસર તળાવમાં આથમણા આરે સ્નાન કરી આવીને, પાઠ પૂજા નિત્યવિધિ કરી રહ્યા. એટલે સુંદરજીભાઇ પોતાને ઘેર જમવા તેડી ગયા.તે જમીને પાછા તે ડહેલામાં આવીને રામાનંદ સ્વામીની નાની પાટ હતી તેના ઉપર આથમણે મુખારવિંદે વિરાજમાન થયા. અને સર્વે સંત હરિભક્ત હેઠે બેઠા. તે સમયે શ્રીજી મહારાજ તે બે આવેલા વૈરાગી પ્રત્યે બોલ્યા જે, કેમ અમારા સાધુ તમો થશો? ત્યારે કહે હા. પછી એક વાળંદને બોલાવીને મુંડન કરાવીને એક એક ભગવી ચાદર ઓઢાડીને દીક્ષા આપીને કૃપાનંદમુનિ તથા વીરભદ્રાનંદ મુનિ એવાં નામ પાડીને કાનમાં મંત્ર આપીને કહ્યું જે, આ સર્વેને દંડવત્ કરીને પગે લાગો.ત્યારે પ્રથમ ગુરુને દંડવત્ કરીને પછી બીજા સભાના જનને દંડવત્ કર્યાં. તે જોઇને શ્રીજી મહારાજ તેમના ઉપર બહુ રાજી થયા અને અંતરમાં જાણ્યું જે, વિવેક અને સમજણ છે. એમ જાણીને પોતે જગન્નાથપુરીમાં અસુરનો નાશ કરાવ્યો હતો તે વાર્તા વિસ્તારીને કહેતા હતા.તે સાંભળીને ગદ્ગદ્ કંઠે થઇને સ્તુતિ કરવા લાગ્યા જે, હે  મહારાજ! તમો તો સાક્ષાત્ સર્વ અવતારના અવતારી પુરુષોત્તમ ભગવાન છો. એમ વિનંતીપૂર્વક બોલ્યા. એટલામાં તો શ્રીહરિની ઇચ્છા થકી તેમને સમાધિ થઇ ગઈ.પછી શ્રીજી મહારાજ બોલ્યા જે, આ બે સંતને ઉપાડી એકાંતમાં સુવાડી મૂકો અને ઉપર વસ્ત્ર ઓઢાડો. તેવું સાંભળીને સભામાંથી ચાર સંત ઉઠીને તે ડેલામાં એક પડાલી હતી તેમાં લઇ જઇ સુવાર્યા. અને એક ચાદર ઓઢાડીને પાછા તે ચારે સંત સભામાં આવીને સર્વેને પગે લાગીને બેઠા. પછી થોડા સમય બાદ તે સાધુ સમાધિમાંથી જાગ્યા અને પોતે બદરિકાશ્રમ, શ્વેતદ્વિપ, વૈકુંઠ, ગોલોક, બ્રહ્મપુરને વિષે જે જે ઐશ્વર્ય જોયાં અને તેમાં અલૌકિક શ્રીજીનું દર્શન કર્યું ઇત્યાદિક વાર્તા કરી. તે સાંભળીને સર્વે સભાસદે શ્રીજીને વિષે પુરુષોત્તમપણાનો નિશ્ચય કર્યો.                            🍃🍃🌼🍃🍃 #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #🙏 સ્વામિનારાયણ મંદિર ##જય સ્વામિનારાયણ #✋ જય સ્વામીનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા
🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 - सोहत हरि सहजानंद. Shrre SummnnrnyonGik(RakorSonsihun  सोहत हरि सहजानंद. Shrre SummnnrnyonGik(RakorSonsihun - ShareChat