c.j. jadav
ShareChat
click to see wallet page
@44336850
44336850
c.j. jadav
@44336850
હું શેરચેટ ને પ્રેમ કરું છુ.
https://youtu.be/3g4rMtkuL2k?si=-RVYmW36WiofDkF9 #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ
youtube-preview
🍃🍃🌼🍃🍃 બાળ ચરીત્ર...           હે ભાઈ ! ગામ પીપલાણામાં આવ્યા જે શ્રીરામાનંદ સ્વામી તે નરસિંહ મહેતાના ઘરમાં પોતે નિવાસ કરીને રહેતા સતા, પોતે પત્ર લખીને કુંવરજી નામે બ્રાહ્મણને શ્રીલોજપુર મોકલતા હતા. બ્રાહ્મણ કાગળ લઇને લોજપુરમાં આવીને મુક્તાનંદ સ્વામીને આપતો હતો. ત્યારે સ્વામી તે પત્ર લઇને સરજુદાસને વંચાવતા હતા. તે વાંચીને બોલ્યા જે, હે સ્વામિન્ ! હવે આપણે સર્વે ચાલો ત્યાં જઈએ. એમ કહીને સ્વામીએ સહિત સર્વે સંત હરિભક્તોને સાથે લઈને ચાલ્યા, તે વચ્ચે ગામ કાલવાણીમાં આવ્યા અને ટીંમણ કરીને પછી સ્વામી ત્યાં રાત્રિ રહેવાનો વિચાર કરે છે ત્યારે, દિલગીર થઇને સરજુદાસજી બોલ્યા જે, હે સ્વામિન્ ! અત્યારે ને અત્યારે સ્વામીનાં દર્શને ચાલો. ત્યારે કહ્યું જે આજે કૃષ્ણપક્ષની દશમી તિથિ છે. તે ચંદ્ર ઉગે ત્યારે ચાલીશું. ત્યારે બોલ્યા જે, આપણે ચંદ્રમા ઉગ્યાનું શું પ્રયોજન છે ? સ્વામીનાં દર્શને જવું તેમાં વિલંબ શા કરો છો ? ત્યારે સ્વામી બોલ્યા જે, પર્વતભાઇ આદિક ગામડાંના હરિભક્તોએ વાયદો કર્યો છે. તે સર્વે હરિભક્તો આવે એટલે ભેગા મળીને જઈએ. તમો દયા કરીને એક પ્રહરવાર ધીરજ રાખો. ત્યારે એમ બોલ્યા જે, સ્વામીનાં દર્શન કર્યા વિના એક પળ જાય છે. તે કોટી કલ્પ જેવી જાય છે. અને તમો તો ધીરજ રખાવતા જાઓ છો. ત્યારે સ્વામીએ કહ્યું જે, હે મહારાજ ! આટલા ઉતાવળા થાઓ છો, પરંતુ ઈશ્વરનું દર્શન તો ઇશ્વરના હાથમાં છે. તે આપણી ઉતાવળે કંઈ કામ સરતું નથી. ત્યારે બોલ્યા જે, કેમ સ્વામી ? આપણી ઉતાવળે કામ ન સરે ? આપણને જો દર્શનની અતિ આતુરતા છે. તો જરૂર દર્શન કરીશું. ત્યારે સ્વામી બોલ્યા જે, કદાપિ રાત્રિમાં કંઇક વિઘ્ન થયું કે દેહ પડી ગયો તો કેમ દર્શન થાય ? ત્યારે કહ્યું જે, એક વિઘ્નને કોણ ગણે છે ? કોટી વિઘ્ન થાય તો પણ સ્વામીનું દર્શન જરૂર કરવું. આવી રીતનો સંવાદ કરતા થકા ચંદ્રમાનો ઉદય થયો એટલે પર્વતભાઇ, અંબારામ વ્યાસ, જીવરામ સોની, તથા ખીમજી શેઠ એ આદિક કેટલાક હરિભક્તો તૈયાર થઇને આવ્યા. પછી ચંદ્રમાના અજવાળે ભગવદ્વાર્તા કરતા સતા ચાલ્યા, તે ગામ પીપલાણામાં ઓઝત નદીના કિનારા ઉપર બેસતા હતા. ત્યારે તે નદીમાં ચોમાસાના દિવસને કારણે પાણીનું પૂર આવેલું હતું. તેને સર્વેના દેખતે સતે પોતે પાણી ઉપર ચાલીને સામા કિનારે જઈને ઉભા રહ્યા. તે ચરિત્ર જોઈને મુક્તાનંદ સ્વામી આદિક સર્વે સંત હરિજન તો આશ્ચર્ય પામતા સતા, વહાણમાં બેસીને સામે કિનારે જઈને ઉતર્યા. પછી સર્વે ભેગા થઇને ગામમાં જતા હતા. ત્યારે નરસી મહેતાના ઘરમાં રામાનંદ સ્વામીનાં દર્શન કરતા થકા, દૂરથી સ્વામીને દંડવત્ પ્રણામ કરીને પગે લાગતા હતા. તે સમયે રામાનંદ સ્વામી તત્કાળ પોતાના આસન ઉપરથી ઉતરીને ઉતાવળા થકા, સામા જઇને સરજુદાસજી બ્રહ્મચારીને ઉપાડી લઇને અતિ સ્નેહ સહિત ગદ્ગદ્ કંઠે થઇને બાથ ભીડીને મળતા હતા. પછી મુક્તાનંદ સ્વામી આદિક સર્વે સંત હરિજનને અતિ સ્નેહ સહિત મળતા હતા. પછી પોતાના આસન ઉપર આવીને જેમ જેને ઘટે તેમ અતિ આદર વડે આસન આપીને બેસારતા હતા.                         🍃🍃🌼🍃🍃 ##જય સ્વામિનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ
#જય સ્વામિનારાયણ - 9856 < 20s2 6lCIS6 cঙী 9856 < 20s2 6lCIS6 cঙী - ShareChat
#😍 ગુડ મોર્નિંગ શાયરી #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ #🌅 Good Morning #જીવન કોટ્સ...✍🏻
😍 ગુડ મોર્નિંગ શાયરી - 80 [2[09boo dng Good Morn 0 जोष पधा पशिश्थितिभी भनने व्यथित V2Hlcllol थव न हेश॰ थह शप 6 त्था उही पध भूद थती नथी थने डेर्ष vu Qulஎ சal zed எa ag. 80 [2[09boo dng Good Morn 0 जोष पधा पशिश्थितिभी भनने व्यथित V2Hlcllol थव न हेश॰ थह शप 6 त्था उही पध भूद थती नथी थने डेर्ष vu Qulஎ சal zed எa ag. - ShareChat
https://youtu.be/Qu7GZ9W2UCc?si=wDNWn9E2w5VR4BkQ #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ
youtube-preview
##જય સ્વામિનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ
#જય સ્વામિનારાયણ - డఞీ g५@वनधास%थे पूछथुं %, " भूर्वन।  U2I(] 2i25/2 ಅ4 ೬[a {1 2lr3iಇ[ a[quldi ೊ नथी तेनुं शुं SI२एI ७शे?" त्थारे कापIश्री नोढ्या %, " थशुत्भ शंगन। दोषे डशीने २२SI२ ६५Iर्ध २७ छे ते %्था२े सत्पुरुषनो %ो२ थाथ ने संप्रधाथनी २त भ्रभाएो थादे तो शं२$I२ G६थ थाथ ने थोsIsभiं साधन yri थाथ. ৪s Qacgaoo డఞీ g५@वनधास%थे पूछथुं %, " भूर्वन।  U2I(] 2i25/2 ಅ4 ೬[a {1 2lr3iಇ[ a[quldi ೊ नथी तेनुं शुं SI२एI ७शे?" त्थारे कापIश्री नोढ्या %, " थशुत्भ शंगन। दोषे डशीने २२SI२ ६५Iर्ध २७ छे ते %्था२े सत्पुरुषनो %ो२ थाथ ने संप्रधाथनी २त भ्रभाएो थादे तो शं२$I२ G६थ थाथ ने थोsIsभiं साधन yri थाथ. ৪s Qacgaoo - ShareChat
🍃🍃🌼🍃🍃 બાળ ચરીત્ર...         આવી રીતે લોજપુરમાં કેટલાક દિવસો વીત્યા પછી, મુક્તાનંદ સ્વામીએ શ્રીનીલકંઠ બ્રહ્મચારી આવ્યાના સમાચાર પત્રમાં લખીને બોલ્યા જે, હે સરજુદાસજી ! તમે પણ એક પત્ર લખો. તેવું સાંભળીને પોતે પણ રામાનંદ સ્વામીના ઉપર પત્ર લખ્યો. અને તે બે પત્રો ભેળા કરીને મુક્તાનંદ સ્વામીએ મયારામ ભટ્ટ સાથે શ્રીભુજનગરને વિષે રામાનંદ સ્વામીને પહોંચાડ્યા. ત્યારે રામાનંદ સ્વામી, ગંગારામભાઇના ઘરમાં પોતાના હજારો સેવકોથી વિંટાણા સતા બેઠેલા હતા. ત્યાં જઈને તે પત્ર આપતા હતા. ત્યારે તે પત્ર અતિ હર્ષથી લઈને ઉખેડવા જાય છે, એટલે અતિ સ્નેહ આવી ગયો છે જેમને, એવા જે શ્રી રામાનંદ સ્વામી તેમનાં બંને નેત્રમાંથી અતિશય હર્ષનાં આંસુ આવી ગયાં. તે જોઇને ગંગારામ મલ્લ તથા સુંદરજીભાઇ વિગેરે સર્વે સભાજનો પૂછવા લાગ્યા જે કેમ, સ્વામી ! તમોનું શું થયું ? ત્યારે સ્વામી તે પત્રની વાર્તા તથા શ્રીનીલકંઠ બ્રહ્મચારી પોતે પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન પધાર્યા, એ બે વૃત્તાન્તની વાર્તા કહેવા લાગ્યા. તેજ વખતે કોટી કોટી સૂર્યનો પ્રકાશ તે પત્રમાંથી નીકળતો જોઈને સર્વે ભક્તો મહા આશ્ચર્ય પામી ગયા. પછી તો સ્વામી બોલ્યા જે, હવે અમારે કંઇ કરવું ન રહ્યું. પોતે પુરુષોત્તમ પધાર્યા તેમનો પત્ર આવેલો છે. તે પત્રમાં આટલો ચમત્કાર છે, તો એમની તે શી વાત કરવી? એમ કહીને પત્રના જવાબમાં લખ્યું જે, હે શ્રીનીલકંઠ બ્રહ્મચારી ! તમો અકળાશો નહીં. અમો થોડાક દિવસોમાં ત્યાં આવીશું. એમ લખી મોકલ્યું. પછી થોડાક માસ ત્યાં રહીને સર્વે હરિજનની રજા માગીને તે ભુજનગરમાંથી રામાનંદ સ્વામી કેટલાક પોતાના સેવકોને સાથે લઈને ચાલ્યા. તે રસ્તામાં મુકામ કરતા થકા કેટલાક દિવસે ગામ પીપલાણામાં આવતા હતા.                              🍃🍃🌼🍃🍃 #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ
✋ જય સ્વામીનારાયણ - GurukutAif Surdf वन में विचरे, शोभा अलौकिक न्यार नीलकंठ प्रभुजी GurukutAif Surdf वन में विचरे, शोभा अलौकिक न्यार नीलकंठ प्रभुजी - ShareChat
#🌅 Good Morning #😍 ગુડ મોર્નિંગ શાયરી #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ #જીવન કોટ્સ...✍🏻
🌅 Good Morning - న ~ఃcl CJ Jadav डोर्छनी साथे थेड स२५ो थने थेड धाशे सीध %५वी श५वो थे छवननी शौथी भोटी २३Oत! छे. 000 న ~ఃcl CJ Jadav डोर्छनी साथे थेड स२५ो थने थेड धाशे सीध %५वी श५वो थे छवननी शौथी भोटी २३Oत! छे. 000 - ShareChat
🍃🍃🌼🍃🍃 બાળ ચરીત્ર...        નીલકંઠવર્ણી પોતે જે દિવસથી લોજપુરની જગ્યામાં પધાર્યા છે તેજ દિવસથી સ્ત્રી માત્રની તે જગ્યામાં આવવાની બંધી કરાવી. ત્યારે મુક્તાનંદ સ્વામીએ એમ કહ્યું જે, હવે તમો અમારા ભેગા રહ્યા ત્યારે જેવી અમોને રામાનંદ સ્વામીની આજ્ઞા છે તેવાં વસ્ત્રાદિક તમો રાખો. ત્યારે કહે બહુ સારૂં. જે આજ્ઞા તમોને હોય તે પ્રમાણે અમોને કરો. પછી સ્વામીએ મસ્તક ઉપરથી કેશ ઉતરાવ્યા અને કૌપીન ઉપર પહેરવા બે આચ્છાદન આપ્યાં. અને પહેરવા અલફી તથા ચાદર તથા મસ્તક ઉપર બાંધવા માટે હજુરીયો એટલાં વસ્ત્ર ધારણ કરાવ્યાં અને સરજુદાસજી એવું નામ સ્થાપન કર્યું. ત્યાર પછી સ્વામીએ સહિત સર્વે ધ્યાનમાં બેઠા. ત્યારે એક શ્વાન આવ્યું તે આવીને કંઇક કરડવા લાગ્યું. ત્યારે ધ્યાનમાંથી ઉઠીને મુક્તાનંદ સ્વામીએ હાંકી મૂક્યું. અને ફરીથી વળી તે પદાર્થને કરડવા લાગ્યું. ત્યારે સુખાનંદ સ્વામીએ લગારેક રીસ લાવીને સોટી મારીને કાઢી મૂક્યું. પછી સવારના પહોરમાં સરજુદાસજી બોલ્યા જે, હે સ્વામિન્ ! જે સંત હોય તે તો ગુણાતીત હોય. અને ધ્યાનમાંથી ઉઠીને શ્વાનને સોટી મારીને કાઢી મૂક્યું, તો તે પદાર્થમાં વધારે માલ કે ભગવાનમાં વધારે માલ? તેનો ઉત્તર કરો. અને તમોગુણ આવ્યા વિના ધ્યાનમાંથી ઉઠીને તે શ્વાનને સોટી કેમ મરાય ? એમ કહ્યું. ત્યારે સ્વામી બે હાથ જોડીને બોલ્યા જે, સરજુદાસજી ! એતો મોટી ભૂલ પડી અને પોતાને રામાનંદ સ્વામીનું દર્શન અંતર્યામીપણે થયું છે તો પણ મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં વર્તે છે, તો પણ કોઇ જગ્યાએ ભૂલ પડી દેખે તો બોલ્યા વિના રહે નહીં. અને કોઈને ઘાટ સંકલ્પ થાય ત્યારે પોતે અંતર્યામીપણે જાણીને તે વાત સર્વેને કહે અને એમ બોલે જે, તમે તો ભગવાનનાં દર્શન કર્યાં છે તોય તમારી વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં કેમ જોડાતી નથી ? અને નિદ્રા કેમ આવે છે? અને અમે તો હજુ ભગવાનનું પ્રત્યક્ષ દર્શન કર્યું નથી. છતાં પણ જ્યારે સૂઇ રહીએ છીએ, ત્યારે કાળના ભય થકી નિદ્રા આવતી નથી. અને તમોને ભજન કરતાં નિદ્રા આવે છે. તે જોઇને અમોને મોટું આશ્ચર્ય લાગે છે. એમ બોલતા હતા. અને પોતે તો સાક્ષાત્ જગદ્ગુરુ છે. અને પરબ્રહ્મ તેને કાળનો શો ભય હોય ? પણ મુમુક્ષુ જીવના કલ્યાણને અર્થે વૈરાગ્યવાનના જેવી દશાને ગ્રહણ કરતા હતા. અને પોતે મુક્તાનંદ સ્વામીને હમેશાં એમ કહે જે, અમોને સ્વામીનાં દર્શન કરાવો પછી આપણે બન્ને જણ સ્વામીની આજ્ઞા માગીને વનમાં જઇશું. અને જ્યારે તમો ધ્યાનમાં બેસશો ત્યારે તમારા દેહની અમો સંભાળ રાખીશું અને અમો ધ્યાનમાં બેસીએ ત્યારે તમો અમારા દેહની સંભાળ રાખજો. એવી રીતની વાર્તા કરે. અને વળી એમ કહે જે, અમારે તો વનમાં રહેવાનો બહુ અભ્યાસ છે. કાં જે અમો વનમાં એવાં મહા વસમાં ઠેકાણાં તેને વિષે ફરતા અને હજારો હાથી, સિંહ, અરણાપાડા, ચમરી ગાયો એ આદિક બીજાં અનેક જીવ-જંતુવાળા મહા ઘોર વનને વિષે અમો રહેતા. માટે વનમાં રહેવું તેતો અમારે માટે કોઇ કઠણ જ નથી. અમારે તો વસ્તીમાં રહેવું અતિ કઠણ છે. સ્વામીના મનમાં વૈરાગ્યની ઘણીક વૃદ્ધિ થતી હતી. અને મનમાં એમ વિચાર થાય જે, આમની સાથે વનમાં જઈને રહીએ તો ઘણું સારૂં અને વળી એમ કહે જે, કેટલાક રાજા તથા કેટલાક મોટા મોટા સિદ્ધ તથા તપસ્વી તેમના સંગે રહ્યા પણ સાચા સંત અને કલ્યાણની વાર્તા તો અમે અહીંજ દીઠી. અને બીજામાં તો કેવળ દંભ અને અહંકાર રહ્યો છે. કોઇક મુમુક્ષુ હશે, તો તે અહીં આવ્યા હશે નહીં તો હવે આવશે. કાં જે મુમુક્ષુને સત્સંગ વિના બીજે ક્યાંય શાન્તિ થવાનું ઠેકાણું છે જ નહીં. અને જેટલા મતપંથ છે તે સર્વે અમોએ જોયા છે. એવી ઘણીક વાર્તા કરતા હતા. તે સાંભળીને સર્વે સંત બહુ રાજી થતા.                            🍃🍃🌼🍃🍃 ##જય સ્વામિનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ
#જય સ્વામિનારાયણ - वर्णी वेश दर्शनम C/L AMM Surwt' वर्णी वेश दर्शनम C/L AMM Surwt' - ShareChat