c.j. jadav
ShareChat
click to see wallet page
@44336850
44336850
c.j. jadav
@44336850
હું શેરચેટ ને પ્રેમ કરું છુ.
🍃🍃🌼🍃🍃 🥀ફાગણ સુદ - ૧૧ આમલકી એકાદશી.                  રાજા  માંધાતા વશિષ્ઠમુની ને પૂછે છે હે ભગવન ? આપ મને આ ફાગણ સુદ - ૧૧ ના વ્રતની કથા કહેવાની કૃપા કરો. તથા આ વ્રતનું શું પુણ્ય મળે તે પણ મને કહો.              વશિષ્ઠજી કહે છે હે રાજન ? ફાગણ સુદી - ૧૧ એકાદશી નું નામ છે આમલકી એકાદશી. આ એકાદશીનું વ્રત મહાપાપોનો નાશ કરનારું  છે. મોક્ષ આપનારું  છે. આ વ્રત કરનારને એક હજાર ગાયોનું દાન આપવાનું પુણ્ય મળે છે.              હે રાજન ? વૈદીશ નામે સુંદર મોટું શહેર હતું. તે શહેરમાં ચારેય વર્ણના લોકો સુખ પૂર્વક રહેતા હતા. અહીં ચૈત્રરથ નામે સોમવંશી રાજા રાજ્ય કરતો હતો. તે ધર્મનિષ્ઠ અને સત્યપ્રતિગ્ય હતો. શાસ્ત્ર અને શસ્ર વિદ્યામાં કુશળ હતો. તેનામાં દશ હજાર હાથીનું બળ હતુ. પ્રજા સર્વ રીતે સુખી હતી. કોઈ લોભી કે નિર્ધન ન હતું. બધી પ્રજા વિષ્ણુ ભક્તિ કરનારી હતી. રાજા અને પ્રજા બધાય વર્ષની બધી એકાદશીના વ્રત ઉપવાસ અને જાગરણ કરીને વિધિ પૂર્વક કરતા. બધાય નિરોગી હતા. ક્યારેય દુષ્કાળ પડતો નહિ.             એકવાર ફાગણ સુદ આમલકી એકાદશી આવી. આખા  શહેરમાં બધાએ નિયમથી ઉપવાસ કર્યો. રાજાએ અને પ્રજાએ નદીમાં સ્નાન કરીને દેવાલાયમાં જઈને સુગંધી જળથી ભરેલો, પંચ રત્ન મુકેલો , ચંદન વાળો ઘડો તેની સ્થાપના કરી. પરશુરામજીની મૂર્તિને નમસ્કાર કર્યા. પછી આમળાના વૃક્ષને કહ્યું હે આમળા ? તમે બ્રહ્માજી થી ઉતપન્ન થયા છો. તમે પરશુરામ દ્વારા પુજીત છો તેથી હું આપને પ્રદક્ષિણા કરું છું. આવી રીતે બધાય પૂજન - ભજન - કીર્તન કરે છે ત્યાં આખા દિવસનો ભૂખ્યો એક પારધી ત્યાં આવ્યો. અહીં ઘણા માણસો વિધિ પૂર્વક પૂજન કરતા હતા. વિષ્ણુભગવાનની મૂર્તિ , સ્થાપિત કરેલો ઘડો , આમળાનું વૃક્ષ આ બધું જોયું. તેથી તે ત્યાં રોકાયો. તેણે કથામાં બધું  મહાત્મ્ય સાંભળ્યું. આમ આખી રાત બધા માણસો સાથે તે પારધીને પણ જાગરણ થયું.            સવારે બધા માણસો સ્નાન કરીને પોતપોતાના ઘરે ગયા. પારધી પણ ઘરે ગયો ને શાંતિથી ભોજન કર્યું. પારધીથી અનાયાસે આમલકી એકાદશીનું વ્રત થઈ ગયું. પછી જ્યારે તેનું આયુષ્ય પૂરું થયું ત્યારે તેને તે પારધીનું શરીર છૂટી ગયું ને આ આમલકી એકાદશીના વ્રતના પુણ્યથી તે જયંતિ નગરીના વિદુરથ રાજાને ત્યાં જન્મ્યો. તેનું નામ વસુરથ. આ વસુરથ રાજા ના રાજ્યમાં એક લાખ ગામ હતા. ધન - ધાન્ય અને ખૂબ જ સમૃદ્ધિ હતી. રાજા પણ ધર્મનિષ્ઠ અને વિષ્ણુભક્ત હતો.           એકવાર વનમાં જતાં ભૂલો પડ્યો. રાત્રી પડી ગઈ ને માર્ગ મળ્યો નહિ તેથી તે વનમાં જ એક સલામત જગ્યાએ સુઈ ગયો. તે વનમાં રહેનારા કેટલાક મલેચ્છો આવ્યા જે તેના પૂર્વના વૈરી હતા. તે બધા હથિયારોથી રાજાને મારવા લાગ્યા. ખબ જ મારીને થાકી ગયા પરંતુ વસુરથને કાંઈ જ થયું નહિ. આથી મલેચ્છો બધા દિન જેવા થઈ ગયા.            એટલામાં રાજાના શરીરમાંથી સુંદર સ્ત્રી નીકળી. ચંદન ચરચેલું ને દિવ્ય અલંકારો ધારણ કરેલા. હાથમાં ચક્ર હોવાથી કાળ રાત્રી જેવી જણાતી હતી. તેણે બધા મલેચ્છોને મારી નાખ્યા. જ્યારે રાજા જાગ્યો ત્યારે બધા મલેચ્છોને નષ્ટ થયેલા જોયા. તેથી મનમાં વિચાર કરે જે આ મારી રક્ષા કરનારું કોણ હશે ? ત્યાં આકાશવાણી થઈ કે તારી રક્ષા કરનાર ભગવાન નારાયણ સિવાય બીજું કોઈ નથી. પછી તે રાજા  સકુશળ પોતાના નગરમાં આવ્યો. ઘણા વર્ષ રાજ્ય સુખ ભોગવી ને વિષ્ણુ લોકમાં ગયો. આવી રીતે જે કોઈ આમલાકી એકાદશીનું વ્રત કરે છે તે આ લોકમાં અને પરલોકમાં મહાસુખ પામે છે.            આવી રીતે બ્રહ્માંડપુરાણમાં ફાગણ સુદ - ૧૧ આમલકી એકાદશીનું મહાત્મ્ય કહેલું છે.                   🍃🍃🌼🍃🍃 #એકાદશી #એકાદશી ની શુભકામના #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ
એકાદશી - ஆழக்ிஅதி &12gg8-99] थाभदड्ी थेडा६शीना श्वाभिनााशथPा @ cj jadav  ஆழக்ிஅதி &12gg8-99] थाभदड्ी थेडा६शीना श्वाभिनााशथPा @ cj jadav - ShareChat
https://youtu.be/3g4rMtkuL2k?si=-RVYmW36WiofDkF9 #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ
youtube-preview
🍃🍃🌼🍃🍃 બાળ ચરીત્ર...           હે ભાઈ ! ગામ પીપલાણામાં આવ્યા જે શ્રીરામાનંદ સ્વામી તે નરસિંહ મહેતાના ઘરમાં પોતે નિવાસ કરીને રહેતા સતા, પોતે પત્ર લખીને કુંવરજી નામે બ્રાહ્મણને શ્રીલોજપુર મોકલતા હતા. બ્રાહ્મણ કાગળ લઇને લોજપુરમાં આવીને મુક્તાનંદ સ્વામીને આપતો હતો. ત્યારે સ્વામી તે પત્ર લઇને સરજુદાસને વંચાવતા હતા. તે વાંચીને બોલ્યા જે, હે સ્વામિન્ ! હવે આપણે સર્વે ચાલો ત્યાં જઈએ. એમ કહીને સ્વામીએ સહિત સર્વે સંત હરિભક્તોને સાથે લઈને ચાલ્યા, તે વચ્ચે ગામ કાલવાણીમાં આવ્યા અને ટીંમણ કરીને પછી સ્વામી ત્યાં રાત્રિ રહેવાનો વિચાર કરે છે ત્યારે, દિલગીર થઇને સરજુદાસજી બોલ્યા જે, હે સ્વામિન્ ! અત્યારે ને અત્યારે સ્વામીનાં દર્શને ચાલો. ત્યારે કહ્યું જે આજે કૃષ્ણપક્ષની દશમી તિથિ છે. તે ચંદ્ર ઉગે ત્યારે ચાલીશું. ત્યારે બોલ્યા જે, આપણે ચંદ્રમા ઉગ્યાનું શું પ્રયોજન છે ? સ્વામીનાં દર્શને જવું તેમાં વિલંબ શા કરો છો ? ત્યારે સ્વામી બોલ્યા જે, પર્વતભાઇ આદિક ગામડાંના હરિભક્તોએ વાયદો કર્યો છે. તે સર્વે હરિભક્તો આવે એટલે ભેગા મળીને જઈએ. તમો દયા કરીને એક પ્રહરવાર ધીરજ રાખો. ત્યારે એમ બોલ્યા જે, સ્વામીનાં દર્શન કર્યા વિના એક પળ જાય છે. તે કોટી કલ્પ જેવી જાય છે. અને તમો તો ધીરજ રખાવતા જાઓ છો. ત્યારે સ્વામીએ કહ્યું જે, હે મહારાજ ! આટલા ઉતાવળા થાઓ છો, પરંતુ ઈશ્વરનું દર્શન તો ઇશ્વરના હાથમાં છે. તે આપણી ઉતાવળે કંઈ કામ સરતું નથી. ત્યારે બોલ્યા જે, કેમ સ્વામી ? આપણી ઉતાવળે કામ ન સરે ? આપણને જો દર્શનની અતિ આતુરતા છે. તો જરૂર દર્શન કરીશું. ત્યારે સ્વામી બોલ્યા જે, કદાપિ રાત્રિમાં કંઇક વિઘ્ન થયું કે દેહ પડી ગયો તો કેમ દર્શન થાય ? ત્યારે કહ્યું જે, એક વિઘ્નને કોણ ગણે છે ? કોટી વિઘ્ન થાય તો પણ સ્વામીનું દર્શન જરૂર કરવું. આવી રીતનો સંવાદ કરતા થકા ચંદ્રમાનો ઉદય થયો એટલે પર્વતભાઇ, અંબારામ વ્યાસ, જીવરામ સોની, તથા ખીમજી શેઠ એ આદિક કેટલાક હરિભક્તો તૈયાર થઇને આવ્યા. પછી ચંદ્રમાના અજવાળે ભગવદ્વાર્તા કરતા સતા ચાલ્યા, તે ગામ પીપલાણામાં ઓઝત નદીના કિનારા ઉપર બેસતા હતા. ત્યારે તે નદીમાં ચોમાસાના દિવસને કારણે પાણીનું પૂર આવેલું હતું. તેને સર્વેના દેખતે સતે પોતે પાણી ઉપર ચાલીને સામા કિનારે જઈને ઉભા રહ્યા. તે ચરિત્ર જોઈને મુક્તાનંદ સ્વામી આદિક સર્વે સંત હરિજન તો આશ્ચર્ય પામતા સતા, વહાણમાં બેસીને સામે કિનારે જઈને ઉતર્યા. પછી સર્વે ભેગા થઇને ગામમાં જતા હતા. ત્યારે નરસી મહેતાના ઘરમાં રામાનંદ સ્વામીનાં દર્શન કરતા થકા, દૂરથી સ્વામીને દંડવત્ પ્રણામ કરીને પગે લાગતા હતા. તે સમયે રામાનંદ સ્વામી તત્કાળ પોતાના આસન ઉપરથી ઉતરીને ઉતાવળા થકા, સામા જઇને સરજુદાસજી બ્રહ્મચારીને ઉપાડી લઇને અતિ સ્નેહ સહિત ગદ્ગદ્ કંઠે થઇને બાથ ભીડીને મળતા હતા. પછી મુક્તાનંદ સ્વામી આદિક સર્વે સંત હરિજનને અતિ સ્નેહ સહિત મળતા હતા. પછી પોતાના આસન ઉપર આવીને જેમ જેને ઘટે તેમ અતિ આદર વડે આસન આપીને બેસારતા હતા.                         🍃🍃🌼🍃🍃 ##જય સ્વામિનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ
#જય સ્વામિનારાયણ - 9856 < 20s2 6lCIS6 cঙী 9856 < 20s2 6lCIS6 cঙী - ShareChat
#😍 ગુડ મોર્નિંગ શાયરી #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ #🌅 Good Morning #જીવન કોટ્સ...✍🏻
😍 ગુડ મોર્નિંગ શાયરી - 80 [2[09boo dng Good Morn 0 जोष पधा पशिश्थितिभी भनने व्यथित V2Hlcllol थव न हेश॰ थह शप 6 त्था उही पध भूद थती नथी थने डेर्ष vu Qulஎ சal zed எa ag. 80 [2[09boo dng Good Morn 0 जोष पधा पशिश्थितिभी भनने व्यथित V2Hlcllol थव न हेश॰ थह शप 6 त्था उही पध भूद थती नथी थने डेर्ष vu Qulஎ சal zed எa ag. - ShareChat
https://youtu.be/Qu7GZ9W2UCc?si=wDNWn9E2w5VR4BkQ #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ
youtube-preview
##જય સ્વામિનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ
#જય સ્વામિનારાયણ - డఞీ g५@वनधास%थे पूछथुं %, " भूर्वन।  U2I(] 2i25/2 ಅ4 ೬[a {1 2lr3iಇ[ a[quldi ೊ नथी तेनुं शुं SI२एI ७शे?" त्थारे कापIश्री नोढ्या %, " थशुत्भ शंगन। दोषे डशीने २२SI२ ६५Iर्ध २७ छे ते %्था२े सत्पुरुषनो %ो२ थाथ ने संप्रधाथनी २त भ्रभाएो थादे तो शं२$I२ G६थ थाथ ने थोsIsभiं साधन yri थाथ. ৪s Qacgaoo డఞీ g५@वनधास%थे पूछथुं %, " भूर्वन।  U2I(] 2i25/2 ಅ4 ೬[a {1 2lr3iಇ[ a[quldi ೊ नथी तेनुं शुं SI२एI ७शे?" त्थारे कापIश्री नोढ्या %, " थशुत्भ शंगन। दोषे डशीने २२SI२ ६५Iर्ध २७ छे ते %्था२े सत्पुरुषनो %ो२ थाथ ने संप्रधाथनी २त भ्रभाएो थादे तो शं२$I२ G६थ थाथ ने थोsIsभiं साधन yri थाथ. ৪s Qacgaoo - ShareChat
🍃🍃🌼🍃🍃 બાળ ચરીત્ર...         આવી રીતે લોજપુરમાં કેટલાક દિવસો વીત્યા પછી, મુક્તાનંદ સ્વામીએ શ્રીનીલકંઠ બ્રહ્મચારી આવ્યાના સમાચાર પત્રમાં લખીને બોલ્યા જે, હે સરજુદાસજી ! તમે પણ એક પત્ર લખો. તેવું સાંભળીને પોતે પણ રામાનંદ સ્વામીના ઉપર પત્ર લખ્યો. અને તે બે પત્રો ભેળા કરીને મુક્તાનંદ સ્વામીએ મયારામ ભટ્ટ સાથે શ્રીભુજનગરને વિષે રામાનંદ સ્વામીને પહોંચાડ્યા. ત્યારે રામાનંદ સ્વામી, ગંગારામભાઇના ઘરમાં પોતાના હજારો સેવકોથી વિંટાણા સતા બેઠેલા હતા. ત્યાં જઈને તે પત્ર આપતા હતા. ત્યારે તે પત્ર અતિ હર્ષથી લઈને ઉખેડવા જાય છે, એટલે અતિ સ્નેહ આવી ગયો છે જેમને, એવા જે શ્રી રામાનંદ સ્વામી તેમનાં બંને નેત્રમાંથી અતિશય હર્ષનાં આંસુ આવી ગયાં. તે જોઇને ગંગારામ મલ્લ તથા સુંદરજીભાઇ વિગેરે સર્વે સભાજનો પૂછવા લાગ્યા જે કેમ, સ્વામી ! તમોનું શું થયું ? ત્યારે સ્વામી તે પત્રની વાર્તા તથા શ્રીનીલકંઠ બ્રહ્મચારી પોતે પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન પધાર્યા, એ બે વૃત્તાન્તની વાર્તા કહેવા લાગ્યા. તેજ વખતે કોટી કોટી સૂર્યનો પ્રકાશ તે પત્રમાંથી નીકળતો જોઈને સર્વે ભક્તો મહા આશ્ચર્ય પામી ગયા. પછી તો સ્વામી બોલ્યા જે, હવે અમારે કંઇ કરવું ન રહ્યું. પોતે પુરુષોત્તમ પધાર્યા તેમનો પત્ર આવેલો છે. તે પત્રમાં આટલો ચમત્કાર છે, તો એમની તે શી વાત કરવી? એમ કહીને પત્રના જવાબમાં લખ્યું જે, હે શ્રીનીલકંઠ બ્રહ્મચારી ! તમો અકળાશો નહીં. અમો થોડાક દિવસોમાં ત્યાં આવીશું. એમ લખી મોકલ્યું. પછી થોડાક માસ ત્યાં રહીને સર્વે હરિજનની રજા માગીને તે ભુજનગરમાંથી રામાનંદ સ્વામી કેટલાક પોતાના સેવકોને સાથે લઈને ચાલ્યા. તે રસ્તામાં મુકામ કરતા થકા કેટલાક દિવસે ગામ પીપલાણામાં આવતા હતા.                              🍃🍃🌼🍃🍃 #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ
✋ જય સ્વામીનારાયણ - GurukutAif Surdf वन में विचरे, शोभा अलौकिक न्यार नीलकंठ प्रभुजी GurukutAif Surdf वन में विचरे, शोभा अलौकिक न्यार नीलकंठ प्रभुजी - ShareChat
#🌅 Good Morning #😍 ગુડ મોર્નિંગ શાયરી #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ #જીવન કોટ્સ...✍🏻
🌅 Good Morning - న ~ఃcl CJ Jadav डोर्छनी साथे थेड स२५ो थने थेड धाशे सीध %५वी श५वो थे छवननी शौथी भोटी २३Oत! छे. 000 న ~ఃcl CJ Jadav डोर्छनी साथे थेड स२५ो थने थेड धाशे सीध %५वी श५वो थे छवननी शौथी भोटी २३Oत! छे. 000 - ShareChat