c.j. jadav
ShareChat
click to see wallet page
@44336850
44336850
c.j. jadav
@44336850
હું શેરચેટ ને પ્રેમ કરું છુ.
#જીવન કોટ્સ...✍🏻 #🌅 Good Morning #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ #😍 ગુડ મોર્નિંગ શાયરી
જીવન કોટ્સ...✍🏻 - %ो २२्तो सुंध२ खोथ तो दक्ष्थ नी थित। ड२वी २७ी , थने %ो दक्ष्थ सुंधट२ खोथ तो शेड नी थिंत। ड२वानी %३२ नथी. CJ Jadav Good [LLRLiNg %ो २२्तो सुंध२ खोथ तो दक्ष्थ नी थित। ड२वी २७ी , थने %ो दक्ष्थ सुंधट२ खोथ तो शेड नी थिंत। ड२वानी %३२ नथी. CJ Jadav Good [LLRLiNg - ShareChat
https://youtu.be/PzygYYHuo4E?si=KqSJMjmVHVtQzkqA #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ ##જય સ્વામિનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા
youtube-preview
🍃🍃🌼🍃🍃 બાળ ચરીત્ર...            હે રામશરણજી ! શ્રીરામાનંદ સ્વામી દેહોત્સર્ગ કર્યા પછી શ્રીજી મહારાજ સોરઠ દેશમાં કેટલાક દિવસ વિચર્યા થકા પોતાનો મહા અલૌકિક પ્રતાપ જણાવીને, જે શ્રીરામાનંદ સ્વામીના આશ્રિતો હતા તથા બીજા કેટલાક જન તે સર્વેને પોતાના સ્વરૂપનો યથાર્થ દ્રઢ નિશ્ચય કરાવીને પોતાના શિષ્ય શ્રીભુજનગરમાં રામાનંદ સ્વામીના સત્સંગી જે રથકાર સુંદરજીભાઈ, હીરજીભાઈ તથા ભગવાનજીભાઈ તથા ગંગારામ મલ્લ તથા ડોસાભાઈ તથા કાયસ્થ મહેતા શિવરામભાઈ તથા મહેતા હરજીવનભાઈ તથા લાધીબાઇ એ આદિક બીજાં કેટલાંક હરિજન બાઈભાઈ તેમણે અતિ આદર વડે સન્માન કરીને ભગવાનજી-ભાઈના ડેલામાં ઉતારો કરાવતા હતા. અને ત્યાં શ્રીરામાનંદ સ્વામીનું સદાવ્રત બાંધેલું હતું. તે સદાવ્રત લેવા માટે પૂર્વ દેશના બે વૈરાગી આવ્યા.તેને શીરોપુરી કરીને શ્રીજી મહારાજે પોતે બહુ હેત દેખાડીને જમાડ્યા, એટલે તેમને બહુ સારૂં લાગ્યું. અને કેટલાક દિવસ ભેગા રહ્યા. અને સમાધિઓ આદિક ઘણોક શ્રીજી મહારાજનો પ્રતાપ ઐશ્વર્ય જોઇને અંતરમાં શાંતિ પામતા હતા. પછી એક દિવસે શ્રીજી મહારાજે તેમને પૂછ્યું જે, તમો ક્યાંથી આવ્યા છો? ત્યારે તે વૈરાગી બોલ્યા જે, અમો તો સરવરીયા બ્રાહ્મણના પુત્ર હતા, બાળપણામાંથી જ ઘરનો ત્યાગ કરીને કલ્યાણને અર્થે જગન્નાથપુરીમાં મૂંડાઇને રહ્યા હતા. પછી એક નાનો બ્રહ્મચારી પંચતીર્થી કરતો સતો તપસ્વીના વેષે ત્યાં આવ્યો. તેણે ત્યાં રહેનારા બીજા કેટલાક વૈરાગીઓને પરસ્પર વિરોધ કરાવ્યો, તેથી કેટલાક વૈરાગી કપાઈ મૂવા અને કેટલાક ઘાયલ પણ થયા અને અમો બે જણ તો જીવ લઈને નાઠા તે બચી ગયા.એટલે કેટલાંક તીર્થમાં ફરતા ફરતા શ્રીદ્વારિકાનાથ જતા હતા.તે આ સદાવ્રત લેવા સારૂં અહીં આવ્યા અને આ તમારો યોગ થયો. તેથી અહીં અમારા અંતરમાં શાંતિ થઇ. એવી રીતે વિસ્તારે સહિત વાર્તા કરી તે સાંભળીને શ્રીજી મહારાજ મંદમંદ હસીને બોલ્યા જે, હવે દ્વારકાનાથ જાઓ. ત્યારે કહ્યું જે, હે મહારાજ ! હવે તો ક્યાંય જવું નથી. તમારા ભેગું અહીં સત્સંગમાં રહેવું છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે, શું સમજીને રહેશો? અને સમજ્યા વિના તો જગતમાં પણ કોઇ રહેતું નથી અને જેને એમ સમજાણું છે જે, આપણે શહેરમાં રહેવું તે ઠીક છે તે શહેરમાં રહે છે અને જેને એમ જાણ્યું છે જે, આપણે ગામડામાં રહેવું તે ઠીક છે, તે ગામડામાં રહે છે. અને જેને વન પર્વતમાં રહેવું ગમે છે તે ત્યાં રહે છે. માટે આ સંસારમાં જ્ઞાની અથવા અજ્ઞાની તે સર્વે સમજણને વિષે રહે, પણ શહેર આદિક જે રહેવાનાં ઠેકાણાં કહ્યાં છે. તેમાં કોઇ રહેતું નથી. માટે આ બધું વિશ્વ સમજણને વિષે રહે છે. અને તમો અમારા સત્સંગમાં શું સમજીને રહેશો ? ત્યારે બોલ્યા જે, હે મહારાજ ! અહીં તમારા સત્સંગને વિષે કલ્યાણનું ઠેકાણું અમે જોયું. તેથી અમો મનમાં તપાસ કરીને રહ્યા છીએ. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે, દ્વારકાનાથ જાઓ, અગર બદ્રિનારાયણ જાઓ, તે સર્વે કલ્યાણનાં ઠેકાણાં છે, તેવું સાંભળીને અતિ નિર્માની થકા બોલ્યા જે, હે મહારાજ ! અમારે તો તમારાં દર્શનને વિષે સર્વે સાધન સંપૂર્ણ થઇ રહ્યાં છે. અને જેમ તમો કહો તેમ કરવું છે, અને તમો જ્યાં મોકલશો ત્યાં અમારે રાજી થઇને જવું છે. તેવાં દીનપણાનાં વચન સાંભળીને બહુ પ્રસન્ન થતા હતા.                          🍃🍃🌼🍃🍃 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗
અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા - Vn rt Gurukul Surat Vn rt Gurukul Surat - ShareChat
#😍 ગુડ મોર્નિંગ શાયરી #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ #🌅 Good Morning #જીવન કોટ્સ...✍🏻
😍 ગુડ મોર્નિંગ શાયરી - Goodorotng @j jadav किसी भी विपत्ति के समय आपको ये सात गुण सहायक बनेंगे. आपका ज्ञान. आपकी विनम्रता. आपकी बुद्धि. आपके भीतर का साहस आपके अच्छे कर्म. सच बोलने की आदत. विश्वास. S&# जय श्री कृष्ण Goodorotng @j jadav किसी भी विपत्ति के समय आपको ये सात गुण सहायक बनेंगे. आपका ज्ञान. आपकी विनम्रता. आपकी बुद्धि. आपके भीतर का साहस आपके अच्छे कर्म. सच बोलने की आदत. विश्वास. S&# जय श्री कृष्ण - ShareChat
https://youtu.be/XhoFxHnXS5M?si=iCsRTquZlWgTnpT ##જય સ્વામિનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ -
youtube-preview
#✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ
✋ જય સ્વામીનારાયણ - C.J. Jadav पोताने शुज-्थैश्र्वर्थ ५्राप्त थथुं खोथ ते 4ोताने विषे भाएसने जेंथवा भाटे २{ग२ 4ोतानी भोz५  की॰ाने %९IववL भाटे siधs थभत्$ा२ Alतावे శu { dIdl sadI ~4is d २{ग२ थभत$ा२ ने पोतानी श्थितिभांथी uडी %ाथ ने सत्संगभांथी ५ए८ uडी %्ाथ थेवुं भोटुं विध्न थावे. 4ोतानो atiq uiನ ೩ia ulei; ಒizei ui-l ] 2u ೩ಯ se9 siu d uld aioldd , uQl ollel-| (G. ஆழழுSஆிஆளுுo C.J. Jadav पोताने शुज-्थैश्र्वर्थ ५्राप्त थथुं खोथ ते 4ोताने विषे भाएसने जेंथवा भाटे २{ग२ 4ोतानी भोz५  की॰ाने %९IववL भाटे siधs थभत्$ा२ Alतावे శu { dIdl sadI ~4is d २{ग२ थभत$ा२ ने पोतानी श्थितिभांथी uडी %ाथ ने सत्संगभांथी ५ए८ uडी %्ाथ थेवुं भोटुं विध्न थावे. 4ोतानो atiq uiನ ೩ia ulei; ಒizei ui-l ] 2u ೩ಯ se9 siu d uld aioldd , uQl ollel-| (G. ஆழழுSஆிஆளுுo - ShareChat
🍃🍃🌼🍃🍃 બાળ ચરીત્ર...           રામાનંદસ્વામી તો સરજુદાસજી ને જોઈને બહુ આનંદ પામતા હતા. અને તેમનું વૃતાન્ત સર્વે તેને પૂછવા લાગ્યા. પછી તે સરજુદાસજી પોતાનું જન્મસ્થાન, કુળ, માતા-પિતા, ગોત્ર, વેદ, પ્રવર, ગુરુ, ઇષ્ટદેવ એ સર્વેને જેમ છે તેમ કહેતા હતા. તથા પોતાનો વૈરાગ્ય તથા પોતે જેમ સ્વજનનો ત્યાગ કર્યો તથા પોતે જેમ વનમાં નિવાસ કરીને રહ્યા તથા પોતે જેમ નાના પ્રકારે તપશ્ચર્યા કરી તથા પોતે જેમ અષ્ટાંગયોગ સાધ્યો તથા પોતે જેમ તીર્થયાત્રા કરી તથા તે તીર્થમાં રહેનારા જે પાખંડી ગુરુ તેનો જેમ પોતે પરાભવ કર્યો એ આદિક જે જે સર્વે પોતાનું વૃત્તાંત તેને વિસ્તારે સહિત અનુક્રમથી કહેતા હતા. ત્યારે તે સાંભળીને સ્વામી અતિશય પ્રસન્ન થયા.અને શ્રીનીલકંઠ બ્રહ્મચારી પ્રત્યે બોલ્યા જે, હે બ્રહ્મચારી ! તમો તો અમારા છો, કેમ જે, તમારા પિતા ધર્મદેવ પ્રથમ પ્રયાગક્ષેત્રને વિષે અમારાથી જ ભાગવતી દીક્ષા પામ્યા હતા.અને અમારી આજ્ઞાથી મુમુક્ષુજનને ધર્મ સહિત શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિનો ઉપદેશ કરતા થકા કોશલ દેશમાં રહ્યા હતા. તે ધર્મદેવના તમો પુત્ર છો. અને ગુણથી તો તમારા પિતાથી પણ અધિક છો. એવી રીતનાં વચન સાંભળીને સરજુદાસજી અતિશય પ્રસન્ન થઇ સ્વામી પાસે રહેતા હતા. પછી સંવત્ (૧૮૫૭) અઢારસો સત્તાવનના કાર્તિક સુદી ૧૧ એકાદશીના દિવસે તે સ્વામી થકી ભાગવતી દીક્ષાને ગ્રહણ કરતા હતા. ત્યારે તે સ્વામીએ શ્રીસહજાનંદ સ્વામી તથા નારાયણ મુનિ એ બે નામ પાડયાં. પછી પોતે અતિ પ્રીતિએ કરીને તે સ્વામીની સેવા કરતા હતા. ત્યારે રામાનંદ સ્વામીએ સર્વે ગુણે સંપન્ન અને અતિ સમર્થ એવા, શ્રીનારાયણ મુનિને જોઇને પોતાની ધર્મધૂરા તે નારાયણ મુનિને સુપ્રત કરીને, પોતે સંવત્ (૧૮૫૮) અઢારસો ને અઠ્ઠાવનના માગસર સુદી ૧૩ તેરસના દિવસે દેહનો ત્યાગ કરીને, પાછા બદરિકાશ્રમને વિષે પધાર્યા અને દુર્વાસાના શાપથી મુકાયા. પછી શ્રીસહજાનંદ સ્વામી પોતાના ગુરુની દેહક્રિયા યથાવિધિ કરીને તે ધર્મધુરાને ઉપાડી લેતા હતા.અને રામાનંદ સ્વામીના આશ્રિત જે સાધુ બ્રહ્મચારી તથા ગૃહસ્થો હતા તેમને સત્શાસ્ત્રનો ઉપદેશ કરીને સંભાવના રાખતા હતા અને તેમને પોતાનો અલૌકિક પ્રતાપ દેખાડીને પોતાને વિષે તેમના ચિત્તને તાણી લેતા હતા. ત્યાર પછી સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ પોતાના શિષ્ય જે, ત્યાગી સાધુ તથા બ્રહ્મચારી તથા કેટલાક ગૃહસ્થ સત્સંગી તેમણે વિટાંણા થકા સોરઠ, હાલાર, કચ્છ, કાઠિયાવાડ, ઝાલાવાડ,દંઢાવ્ય, ભાલ, ગુજરાત એ આદિક જે સર્વે દેશ તેને વિષે પોતાના પ્રતાપને વિસ્તારતા થકા અને ધર્મ, જ્ઞાન, વૈરાગ્યયુક્ત જે ભક્તિ તેને પ્રવર્તાવતા થકા અને અધર્મનો ઉચ્છેદ કરતા સતા અને અધર્મી એવા જે પાખંડી અસુરાંશ ગુરુ તેનો પરાભવ કરતા થકા વિચરતા હતા. અને શ્રીજી મહારાજ જે જે દેશને વિષે વિચર્યા તે તે દેશના જે જન, તે શ્રીજી મહારાજનાં અલૌકિક આશ્ચર્ય જોઇને ઘણાક આશ્રિત થઇને પ્રગટ પ્રમાણ ભજન કરતા હતા. પછી શ્રીજી મહારાજ તે તેમના ઉત્સાહને અર્થે, તેમની બુદ્ધિની દ્રઢતાને અર્થે, પોતાનું જે નાના પ્રકારનું ઐશ્વર્ય સમાધિએ કરીને દેખાડતા હતા.                          🍃🍃🌼🍃🍃 ##જય સ્વામિનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ
#જય સ્વામિનારાયણ - swaminarayansampraday? swaminarayansampraday? - ShareChat
🍃🍃🌼🍃🍃 🥀ફાગણ સુદ - ૧૧ આમલકી એકાદશી.                  રાજા  માંધાતા વશિષ્ઠમુની ને પૂછે છે હે ભગવન ? આપ મને આ ફાગણ સુદ - ૧૧ ના વ્રતની કથા કહેવાની કૃપા કરો. તથા આ વ્રતનું શું પુણ્ય મળે તે પણ મને કહો.              વશિષ્ઠજી કહે છે હે રાજન ? ફાગણ સુદી - ૧૧ એકાદશી નું નામ છે આમલકી એકાદશી. આ એકાદશીનું વ્રત મહાપાપોનો નાશ કરનારું  છે. મોક્ષ આપનારું  છે. આ વ્રત કરનારને એક હજાર ગાયોનું દાન આપવાનું પુણ્ય મળે છે.              હે રાજન ? વૈદીશ નામે સુંદર મોટું શહેર હતું. તે શહેરમાં ચારેય વર્ણના લોકો સુખ પૂર્વક રહેતા હતા. અહીં ચૈત્રરથ નામે સોમવંશી રાજા રાજ્ય કરતો હતો. તે ધર્મનિષ્ઠ અને સત્યપ્રતિગ્ય હતો. શાસ્ત્ર અને શસ્ર વિદ્યામાં કુશળ હતો. તેનામાં દશ હજાર હાથીનું બળ હતુ. પ્રજા સર્વ રીતે સુખી હતી. કોઈ લોભી કે નિર્ધન ન હતું. બધી પ્રજા વિષ્ણુ ભક્તિ કરનારી હતી. રાજા અને પ્રજા બધાય વર્ષની બધી એકાદશીના વ્રત ઉપવાસ અને જાગરણ કરીને વિધિ પૂર્વક કરતા. બધાય નિરોગી હતા. ક્યારેય દુષ્કાળ પડતો નહિ.             એકવાર ફાગણ સુદ આમલકી એકાદશી આવી. આખા  શહેરમાં બધાએ નિયમથી ઉપવાસ કર્યો. રાજાએ અને પ્રજાએ નદીમાં સ્નાન કરીને દેવાલાયમાં જઈને સુગંધી જળથી ભરેલો, પંચ રત્ન મુકેલો , ચંદન વાળો ઘડો તેની સ્થાપના કરી. પરશુરામજીની મૂર્તિને નમસ્કાર કર્યા. પછી આમળાના વૃક્ષને કહ્યું હે આમળા ? તમે બ્રહ્માજી થી ઉતપન્ન થયા છો. તમે પરશુરામ દ્વારા પુજીત છો તેથી હું આપને પ્રદક્ષિણા કરું છું. આવી રીતે બધાય પૂજન - ભજન - કીર્તન કરે છે ત્યાં આખા દિવસનો ભૂખ્યો એક પારધી ત્યાં આવ્યો. અહીં ઘણા માણસો વિધિ પૂર્વક પૂજન કરતા હતા. વિષ્ણુભગવાનની મૂર્તિ , સ્થાપિત કરેલો ઘડો , આમળાનું વૃક્ષ આ બધું જોયું. તેથી તે ત્યાં રોકાયો. તેણે કથામાં બધું  મહાત્મ્ય સાંભળ્યું. આમ આખી રાત બધા માણસો સાથે તે પારધીને પણ જાગરણ થયું.            સવારે બધા માણસો સ્નાન કરીને પોતપોતાના ઘરે ગયા. પારધી પણ ઘરે ગયો ને શાંતિથી ભોજન કર્યું. પારધીથી અનાયાસે આમલકી એકાદશીનું વ્રત થઈ ગયું. પછી જ્યારે તેનું આયુષ્ય પૂરું થયું ત્યારે તેને તે પારધીનું શરીર છૂટી ગયું ને આ આમલકી એકાદશીના વ્રતના પુણ્યથી તે જયંતિ નગરીના વિદુરથ રાજાને ત્યાં જન્મ્યો. તેનું નામ વસુરથ. આ વસુરથ રાજા ના રાજ્યમાં એક લાખ ગામ હતા. ધન - ધાન્ય અને ખૂબ જ સમૃદ્ધિ હતી. રાજા પણ ધર્મનિષ્ઠ અને વિષ્ણુભક્ત હતો.           એકવાર વનમાં જતાં ભૂલો પડ્યો. રાત્રી પડી ગઈ ને માર્ગ મળ્યો નહિ તેથી તે વનમાં જ એક સલામત જગ્યાએ સુઈ ગયો. તે વનમાં રહેનારા કેટલાક મલેચ્છો આવ્યા જે તેના પૂર્વના વૈરી હતા. તે બધા હથિયારોથી રાજાને મારવા લાગ્યા. ખબ જ મારીને થાકી ગયા પરંતુ વસુરથને કાંઈ જ થયું નહિ. આથી મલેચ્છો બધા દિન જેવા થઈ ગયા.            એટલામાં રાજાના શરીરમાંથી સુંદર સ્ત્રી નીકળી. ચંદન ચરચેલું ને દિવ્ય અલંકારો ધારણ કરેલા. હાથમાં ચક્ર હોવાથી કાળ રાત્રી જેવી જણાતી હતી. તેણે બધા મલેચ્છોને મારી નાખ્યા. જ્યારે રાજા જાગ્યો ત્યારે બધા મલેચ્છોને નષ્ટ થયેલા જોયા. તેથી મનમાં વિચાર કરે જે આ મારી રક્ષા કરનારું કોણ હશે ? ત્યાં આકાશવાણી થઈ કે તારી રક્ષા કરનાર ભગવાન નારાયણ સિવાય બીજું કોઈ નથી. પછી તે રાજા  સકુશળ પોતાના નગરમાં આવ્યો. ઘણા વર્ષ રાજ્ય સુખ ભોગવી ને વિષ્ણુ લોકમાં ગયો. આવી રીતે જે કોઈ આમલાકી એકાદશીનું વ્રત કરે છે તે આ લોકમાં અને પરલોકમાં મહાસુખ પામે છે.            આવી રીતે બ્રહ્માંડપુરાણમાં ફાગણ સુદ - ૧૧ આમલકી એકાદશીનું મહાત્મ્ય કહેલું છે.                   🍃🍃🌼🍃🍃 #એકાદશી #એકાદશી ની શુભકામના #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ
એકાદશી - ஆழக்ிஅதி &12gg8-99] थाभदड्ी थेडा६शीना श्वाभिनााशथPा @ cj jadav  ஆழக்ிஅதி &12gg8-99] थाभदड्ी थेडा६शीना श्वाभिनााशथPा @ cj jadav - ShareChat