#🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ #જીવન કોટ્સ...✍🏻 #😍 ગુડ મોર્નિંગ શાયરી #🌅 Good Morning
https://youtu.be/0pbCUCkEuow?si=936FoM39egXS-kgI ##જય સ્વામિનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર
🍃🍃🌼🍃🍃
બાળ ચરીત્ર...
હે ભાઈ! એટલું ચરિત્ર ત્યાં કરીને બાલાજોગી ત્યાં થકી ચાલ્યા તે કેટલાક દિવસે શ્રીજગન્નાથપુરીને વિષે આવતા હતા. અને ત્યાં કોઈ એક વૈરાગી ગીતાનો પાઠ કરતો હતો તેની પાસેથી ગીતા માગી લઇને એક શ્લોકના દશ અર્થ કર્યા. તે જોઈને વૈરાગીને ઘણું હેત થયું. તેથી પોતાની પાસે બેસારી રાખે. પણ કંઈ કામ કરવા દે નહીં, તેથી બીજા વૈરાગીઓને ઇર્ષા આવી અને તે મહા કામી હતા તેથી તે વૈરાગીઓમાં પરસ્પર વૈર ઉત્પન્ન કરાવીને, યુદ્ધ કરાવીને દશ હજારનો નાશ કરાવી નાખતા હતા. એટલું કાર્ય ત્યાં કરીને બાલાજોગી ચાલ્યા, તે દક્ષિણ દિશા પ્રત્યે આદિકૂર્મ નામે જે, તીર્થક્ષેત્ર તેને પામ્યા. અને ત્યાંથી મહા વનને વિષે ચાલતા થકા માનસપુરમાં આવ્યા. ત્યાં તે પુરનો સત્રધર્મા નામે રાજા હતો તે પોતાનો આશ્રિત થયો. અને તે રાજાદ્વારા ચાર હજાર અસુરોનો પરાભવ કરાવતા સતા, ત્યાં થકી ચાલ્યા તે વેંકટાદ્રિને પામ્યા અને ત્યાં કેટલાક દિવસ રહીને ત્યાં થકી ચાલ્યા તે સેતુબંધ રામેશ્વર ગયા. અને તે તીર્થમાં કેટલાક દિવસ રહીને ત્યાં થકી ચાલ્યા તે વચ્ચે એક ગામ આવ્યું. તે ગામના ગોંદરે નદીના કાંઠે પીપળાના વૃક્ષ નીચે પોતાનું આસન પાથરીને બેઠા. તે સમયે ગામમાં એક ભાવસારની સ્ત્રીને પોતાનો એકજ પુત્ર હતો. તે પ્રત્યે એમ બોલી જે, હે પુત્ર! તને હું ભાતું કરી આપું તે લઇને ગમે તે જગ્યાએ જઈને ભગવાનને કોટી ઉપાયે કરીને ઓળખીને આપણા ઘરે બોલાવી લાવ. અને મારૂં કહેલું વચન પાળે તો મારો પુત્ર ખરો, નહીં તો મારે પેટ તું પથરો પડ્યો છે એમ હું સમજું છું. કેમ જે, તારા પિતા તો મહા ભગવદીય હતા અને તું એક ક્ષણમાત્ર પણ પ્રભુને સંભારતો નથી. માટે આ ભાતું લઇને જા. તે ભગવાન મળે તો બોલાવીને પાછો ઘેર આવજે. નહીં તો મારે તારૂં કામ નથી. અને તેમ કરતાં પણ શોધ્યા અને લીધા સિવાય ઘરે આવીશ તો હું ગમે તેમ કરીને મારા દેહનો ત્યાગ કરી દઇશ. આવી રીતનાં પોતાની માતાનાં વચન સાંભળીને તે પુત્ર ભગવાનદાસ એમ બોલ્યો જે, હે માતા ! તમો આ બધી વાતો કહો છો તે સાચી, પરંતુ હું ભગવાનને કેવી રીતે ઓળખી શકું? ત્યારે ડોસી બોલ્યાં જે, ભગવાન હશે તે તેમના બે ચરણમાં સોળ ચિહ્ન હશે, અને તેમના શરીરનો પડછાયો પણ પડતો નહીં હોય અને દીવો કરીને સામો મૂકીશ એટલે સોંસરો દેખાશે, એ તને હું નિશાનીઓ બતાવું છું. તે સમયે તે છોકરાની સ્ત્રી બોલી જે, હે સ્વામિન્! હવે તમો તો પરદેશ વનમાં જશો અને તે વનમાં જતાં પણ ભગવાન મળે તો બહુ સારૂં અને પાછા તેડીને ઘેર આવો, પરંતુ કદાપિ ન મળ્યા, તો મારી શી દશા થશે? એમ કહીને તે સ્ત્રી રૂદન કરવા લાગી. ત્યારે છોકરો બોલ્યો જે, હે સ્ત્રી ! તું શા માટે રૂદન કરે છે. જો આપણાં માતુશ્રી સાચા ભાવથી મને કહેતાં હશે અથવા હું સાચા ભાવથી ખોળવા જઈશ અને તારો પણ સાચો પ્રેમ હશે અને તું બરાબર પતિવ્રતા હોઇશ તો જરૂર મને ભગવાન મળશે.અને હું હમણાં દસ પંદર દિવસમાં ખોળીને હાલ પાછો આવું છું. એ વાતમાં તું જરાએ સંશય રાખીશ નહીં, કેમ જે ભગવાન તો અંતર્યામી છે, તે આવો આપણો સાચા દીલનો ભાવ જોઈને કેમ નહીં મળે ? જરૂર મળશે અને તે છતાં જો એમનો આપણો સંબંધ નહીંજ થવા દેવો હોય તો તો સર્વેની જીવન દોરી એમના જ હાથમાં છે. તે છોકરો પોતાની સ્ત્રીને આવી રીતનાં વચન સંભળાવીને ધીરજ આપીને માતાએ કરેલું ભાતું લઈને, એકજ ભગવાન ઉપર ટેક રાખીને ભગવાનને શોધવા સારૂં ચાલ્યો તે ગામના ગોંદરે નદીના કિનારેથી ઉતરવા ગયો, ત્યારે કૃપાળુ એવા જે, શ્રીનીલકંઠ બ્રહ્મચારી તે એ ત્રણ માતા, પુત્ર અને સ્ત્રી તેમનો સાચો ભાવ અંતર્યામી-પણે જાણીને તે છોકરા પ્રત્યે બોલ્યા જે, હે ભગવાનદાસ ! તમો કયાં જાઓ છો ? અહીં આવો. તેવું સાંભળીને પોતાના મનમાં જરાએક ખચકાઇને ઘડી એક સુધી તો ત્યાં ને ત્યાં ઉભો રહીને વિચાર કરવા લાગ્યો જે, આ તે કોણ હશે ? હું તો એમને ઓળખતો નથી અને તેમણે મારૂં નામ લીધું માટે હું એમની પાસે જાઉ.
🍃🍃🌼🍃🍃 #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ
https://youtu.be/6gV501sTT88?si=CMg-8A_Q9cgLXQBG ##જય સ્વામિનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર
#🌅 Good Morning #જીવન કોટ્સ...✍🏻 #😍 ગુડ મોર્નિંગ શાયરી #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ
https://youtu.be/VKvblonutTo?si=A4p6WR5C7xy_-sm2 #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ
##જય સ્વામિનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર
🍃🍃🌼🍃🍃
બાળ ચરીત્ર...
હે રામશરણજી! નીલકંઠ બ્રહ્મચારી એટલું કાર્ય ત્યાં કરીને ત્યાર પછી ત્યાં થકી ચાલ્યા તે વચ્ચે એક મોટી નદી આવી. તે નદીના કિનારા ઉપર વટેશ્વર મહાદેવનું મંદિર હતું. તેમાં ઉતારો કરીને નદીમાં સ્નાન કરવા ગયા. ત્યારે તે મંદિરમાં એક બ્રાહ્મણ કેટલાંક વર્ષથી દ્રવ્યની પ્રાપ્તિ માટે શિવજીની પૂજા કરતો હતો. તેના ઉપર શિવજી પ્રસન્ન થયા અને બોલ્યા જે, હે વિપ્ર ! તમો ઘણા દિવસથી નિષ્કામ ભાવે અમારી પૂજા કરો છો. તેનું ફળ મળવાનો આજે સમય આવ્યો છે. એમ કહીને પોતાનો હાથ લાંબો કરીને કહ્યું જે, આ નદીમાં સ્નાન કરે છે તે મારા ઇષ્ટદેવ છે અને સાક્ષાત્ અક્ષરાધિપતિ પુરુષોત્તમ ભગવાન છે. તેમની તમો મન, કર્મ, વચને કરીને સેવા કરીને રાજી કરો. તમારો મનોરથ સફળ કરશે, એવું વચન સાંભળીને તે બ્રાહ્મણ આનંદ પામતો સતો વિશ્વાસ લાવીને તત્કાળ શ્રીનીલકંઠ બ્રહ્મચારીની પાસે જઈને વિનંતીપૂર્વક પગે લાગીને બોલ્યો જે, હે દીનબંધો ! તમો તો સાક્ષાત્ પરમેશ્વર છો. અને જગતના આધાર છો. માટે હું શિવજીના કહેવાથી તમારી પાસે આવ્યો છું અને તમો મારો સંકલ્પ સત્ય કરો. ત્યારે બોલ્યા જે, હે વિપ્ર ! આ નાશવંત પદાર્થમાં શું માગો છો ? ફરીથી આવો યોગ તમોને મળવાનો નથી. માટે તમારા જીવનું રૂંડું થાય તેવું કંઇક માગો.તેવું સાંભળીને બોલ્યો જે, હે મહારાજ ! જીવનું સારૂં કરવું તે તો તમારા હાથમાં જ છે. પરંતુ મને તો ધનની લોલુપતા ઘણી રહે છે. માટે હે મહારાજ ! મને તો દ્રવ્ય આપો. તે સાંભળીને દયાળુ એવા જે, શ્રીનીલકંઠ બ્રહ્મચારી તે એ બ્રાહ્મણની અતિ દ્રવ્યની આતુરતા જોઇને કહ્યું જે, હે વિપ્ર ! આ મંદિરની સમીપે જમણી બાજુએ પાંચ હાથ છેટે ખોદજો એટલે જોઇશે તેટલું દ્રવ્ય પ્રાપ્ત થશે. પરંતુ હે વિપ્ર ! જા, તારા તપના બળથી અમો મળ્યા તેથી તારો મોક્ષ પણ થશે. એવી રીતે બ્રાહ્મણને બે વર આપીને ત્યાં થકી મંદિરમાં આવીને પોતાનો નિત્યનિયમ પૂજાપાઠ કરી રહ્યા કે તુરત પિનાકીએ આવીને પ્રાર્થના કરીને વનફળ આપ્યાં. તે ઠાકોરજીને નૈવેદ્ય કરીને પોતે જમતા હતા.
🍃🍃🌼🍃🍃 #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ











