https://youtu.be/VKvblonutTo?si=A4p6WR5C7xy_-sm2 #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ
##જય સ્વામિનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર
🍃🍃🌼🍃🍃
બાળ ચરીત્ર...
હે રામશરણજી! નીલકંઠ બ્રહ્મચારી એટલું કાર્ય ત્યાં કરીને ત્યાર પછી ત્યાં થકી ચાલ્યા તે વચ્ચે એક મોટી નદી આવી. તે નદીના કિનારા ઉપર વટેશ્વર મહાદેવનું મંદિર હતું. તેમાં ઉતારો કરીને નદીમાં સ્નાન કરવા ગયા. ત્યારે તે મંદિરમાં એક બ્રાહ્મણ કેટલાંક વર્ષથી દ્રવ્યની પ્રાપ્તિ માટે શિવજીની પૂજા કરતો હતો. તેના ઉપર શિવજી પ્રસન્ન થયા અને બોલ્યા જે, હે વિપ્ર ! તમો ઘણા દિવસથી નિષ્કામ ભાવે અમારી પૂજા કરો છો. તેનું ફળ મળવાનો આજે સમય આવ્યો છે. એમ કહીને પોતાનો હાથ લાંબો કરીને કહ્યું જે, આ નદીમાં સ્નાન કરે છે તે મારા ઇષ્ટદેવ છે અને સાક્ષાત્ અક્ષરાધિપતિ પુરુષોત્તમ ભગવાન છે. તેમની તમો મન, કર્મ, વચને કરીને સેવા કરીને રાજી કરો. તમારો મનોરથ સફળ કરશે, એવું વચન સાંભળીને તે બ્રાહ્મણ આનંદ પામતો સતો વિશ્વાસ લાવીને તત્કાળ શ્રીનીલકંઠ બ્રહ્મચારીની પાસે જઈને વિનંતીપૂર્વક પગે લાગીને બોલ્યો જે, હે દીનબંધો ! તમો તો સાક્ષાત્ પરમેશ્વર છો. અને જગતના આધાર છો. માટે હું શિવજીના કહેવાથી તમારી પાસે આવ્યો છું અને તમો મારો સંકલ્પ સત્ય કરો. ત્યારે બોલ્યા જે, હે વિપ્ર ! આ નાશવંત પદાર્થમાં શું માગો છો ? ફરીથી આવો યોગ તમોને મળવાનો નથી. માટે તમારા જીવનું રૂંડું થાય તેવું કંઇક માગો.તેવું સાંભળીને બોલ્યો જે, હે મહારાજ ! જીવનું સારૂં કરવું તે તો તમારા હાથમાં જ છે. પરંતુ મને તો ધનની લોલુપતા ઘણી રહે છે. માટે હે મહારાજ ! મને તો દ્રવ્ય આપો. તે સાંભળીને દયાળુ એવા જે, શ્રીનીલકંઠ બ્રહ્મચારી તે એ બ્રાહ્મણની અતિ દ્રવ્યની આતુરતા જોઇને કહ્યું જે, હે વિપ્ર ! આ મંદિરની સમીપે જમણી બાજુએ પાંચ હાથ છેટે ખોદજો એટલે જોઇશે તેટલું દ્રવ્ય પ્રાપ્ત થશે. પરંતુ હે વિપ્ર ! જા, તારા તપના બળથી અમો મળ્યા તેથી તારો મોક્ષ પણ થશે. એવી રીતે બ્રાહ્મણને બે વર આપીને ત્યાં થકી મંદિરમાં આવીને પોતાનો નિત્યનિયમ પૂજાપાઠ કરી રહ્યા કે તુરત પિનાકીએ આવીને પ્રાર્થના કરીને વનફળ આપ્યાં. તે ઠાકોરજીને નૈવેદ્ય કરીને પોતે જમતા હતા.
🍃🍃🌼🍃🍃 #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ
https://youtu.be/mdFeEn9hr6Y?si=Sd7gWiJoYmDSKXet ##જય સ્વામિનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ
🍃🍃🌼🍃🍃
🥀મહા વદ-૧૪ શિવરાત્રીના વ્રતની કથા...
સુતજી કહે છે :- એક વાર દેવાધિદેવ મહાદેવ કૈલાશ પર્વત ઉપર બેઠા હતા. ત્યારે પાર્વતીજીએ વિનય પૂર્વક પૂછ્યું - " હે મહાદેવ ? જે ઉત્તમ અને મોક્ષ આપનાર વ્રત હોય તેની કથા સાંભળવાની ઈચ્છા છે. "
શિવજી કહે છે :- હે દેવી ? માધમાસના કૃષ્ણ પક્ષમાં અમાવાસ્યાના યોગ વાળી મહાશિવરાત્રી આવે છે. આ શિવરાત્રીનું વ્રત અજાણતા થઈ જાય તે મનુષ્યને પણ મોક્ષ ની પ્રાપ્તિ થાય છે.
પાર્વતીજી પૂછે છે :- હે શિવશંકર ? મનુષ્ય યમલોકનો ત્યાગ કરીને શિવલોકમાં કેવી રીતે જઈ શકે તે કથા મને કહો.
શિવજી કહે છે :- હે દેવી ? પુરાણની પવિત્ર વાર્તા તમે સાંભળો. એક પર્વતની તળેટીમાં એક ભીલ હંમેશા શિકાર કરવામાં તત્પર રહેતો. એક દિવસ શિકાર કરવા ખૂબ ભટક્યો, સાંજ પડવા આવી પરંતુ તેને શિકાર મળ્યો નહિ. છેવટે પારધી એક પાણીના તળાવ પાસે બીલીપત્રના વૃક્ષ ઉપર ચડીને શિકારની રાહ જોવા લાગ્યો. તે વૃક્ષ નીચે એક સ્વયંભૂ શિવલિંગ હતું. રાત પસાર થવા લાગી. ત્યાં એક હરણી પાણી પીવા આવી. એટલે આ પારધી બાણ ચડાવીને હરણીને મારવા તૈયાર થયો. વૃક્ષ ઉપર તેની આ હલચલ થવાથી કેટલાક બીલી પત્ર શિવલિંગ ઉપર પડયા. હરણી એ આ જોયું અને પારધીને કહ્યું કે તું મને કેમ મારે છે ?
પારધી કહે મારી પાસે ધન નથી એટલે મારી અને મારા આખા કુટુંબની ભૂખ શાંત કરવા તને મારું છું, પરંતુ માણસ જેવી ભાષા બોલનારી તું કોણ છે ? તું કોઈ સાધારણ હરણી નથી. હરણી કહે છે :- હું સ્વર્ગની રંભા અપ્સરા છું. મારાથી એક પાપ થઈ ગયું એટલે ઇન્દ્રદેવે શ્રાપ આપ્યો. અને વરદાન પણ આપ્યું કે બાર વર્ષ પછી એક શિવલિંગ પાસે પારધી બેઠો હશે ત્યારે તને આ બધી સ્મૃતી થશે અને મનુષ્ય વાણી બોલી શકીશ. માટે હે પારધી ? હું દુબલી - પાતળી છું તેથી તારા કુટુંબની ભૂખ શાંત નહિ થાય. મારા જન્મેલા બચ્ચા અને બીજા મૃગ પણ અહીં આવશે. આ વચન સત્ય માનીને હરણીને જવા દીધી. પછી સવાર થવા આવ્યું ત્યાં બીજા હરણ અને હરણીઓ ત્યાં આવ્યા ને બોલ્યા કે હે પારધી ? અમને મારીને તું અને તારા કુટુંબની ભૂખ શાંત કર.
તે દિવસ શિવરાત્રીનો હતો અને પારધીને શિકાર ન મળવાથી અનાયાસે જ ઉપવાસ થયો ને જાગરણ થયું તેમજ અજાણતાજ શિવલિંગ ઉપર બીલી પત્ર ચડયા. આથી તેનું હૃદય પરિવર્તન થયું ને તેણે બધાય મૃગોને જવા દીધા ને ધનુષ્ય ભાંગી નાખ્યું અને શિકાર ન કરવાનો નિશ્ચય કર્યો. ત્યાં તો આકાશમાંથી એક વિમાન આવ્યું ને પારધી ને દિવ્ય શરીર મળ્યું ને તે શિવલોકમાં ગયો. મૃગલા પણ નક્ષત્ર લોકને પામ્યા. આ ઉત્તમ મૃગશીર્ષ નક્ષત્રના દર્શન શિવભક્તોએ અવશ્ય કરવા.
શિવરાત્રિનું વ્રત કરવાથી એક હજાર અશ્વમેઘ યજ્ઞ અને સો વાજપેય યજ્ઞનું ફળ મળે છે.
કાર્તિકસ્વામી શિવજીને પૂછે છે કે હે મહાદેવ ? આ મહાશિવરાત્રી નું વ્રત કેવી રીતે કરવું ?? ત્યારે મહાદેવજી કહે છે કે આ વ્રત કરવા માટે ચૌદશના દિવસે ઉપવાસ કરીને મંડપ રચીને સર્વતોભદ્રમંડલ કરવું. પવિત્ર બ્રાહ્મણ પાસે મંત્ર બોલીને પૂજા કરાવવી. પોતાની શક્તિ પ્રમાણે કોઈ પણ ધાતુની, બળદ ઉપર બેઠેલા શિવ - પાર્વતીની મૂર્તિ કળશ ઉપર સ્થાપન કરવી. સુંદર અલંકાર ધારણ કરાવીને પૂજા કરવી. પુરાણ સાંભળીને મહીમ્ન સ્તોત્ર નો પાઠ કરવો ને રાત્રે જાગરણ કરવું.
સવારે સ્નાન કરીને પવિત્ર બ્રાહ્મણ પાસે જવ, તલ, ચોખા થી શિવ - પાર્વતીનો હોમ કરાવવો. પછી અજઇત્યાત, અહિરબુધન્ય, ભવ, શર્વ, ઉમાપતિ, રુદ્ર, પશુપતિ, શંભુ, વરદ, શિવ, ઈશ્વર, મહાદેવ, હર અને ભીમ આ ચૌદ નામો વડે બીલીપત્રથી હોમ કરવો. પછી વસ્ત્ર આદિકથી બ્રાહ્મણની પૂજા કરીને પૂજાની મૂર્તિ મંત્ર બોલીને બ્રાહ્મણને દાનમાં આપવી અને જમાડીને તૃપ્ત કરવા ને યોગ્ય શક્તિ અનુસાર દક્ષિણા આપવી. જો શિવ ચૌદશ નિમિતે ચૌદ બ્રાહ્મણોને આમંત્રિત કર્યા હોય તો ચૌદ તાંબાના ઘડા, જનોઈ, વસ્ત્ર વગેરે દક્ષિણાઓ આપીને જમાડીને તૃપ્ત કરવા ને તેમને વિદાય આપીને પછી પોતે સગાં - સંબંધીઓ સાથે ભોજન કરવું.
આ રીતે સ્કંદપુરાણમાં કાલોતરમાં શિવરાત્રી વ્રતનું ઉધાપન કહેલું છે.
🍃🍃🌼🍃🍃 #મહા શિવરાત્રી શિવ અને શક્તિનુ મિલન એટલે મહાશિવરાત્રી #🙇♂️🔱હેપ્પી મહા શિવરાત્રી🔱🙇♂️
https://youtu.be/jrG-odj3Kn0?si=uKlJdyYJT8MV4aam #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ
##જય સ્વામિનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ
🍃🍃🌼🍃🍃
બાળ ચરીત્ર...
પછી ત્યાં થકી ચાલ્યા તે એક મોટો પર્વત આવ્યો, તેની તળેટીમાં વૃક્ષ જોતા સતા ચાલ્યા તે ચાલતાં ચાલતાં કેટલાક દિવસ વીતી ગયા પછી એક ગામ આવ્યું. ત્યારે તે ગામના માણસોને પૂછ્યું જે, હે ભાઈઓ ! અમોને કયાંક સારી ઉતારાની જગ્યા હોય તો બતાવો. ત્યારે કહ્યું જે, હે બાલાજોગી ! તમારે ઉતરીને એક બે રાત્રિ રહેવું હોય તો આ એક મોટી વૈરાગીની જગ્યા છે તેમાં જઈને સુખેથી રહો. તે સર્વે તીર્થવાસીને ઉતરવાની છે. તે સાંભળીને તે જગ્યામાં ગયા અને બાવાએ આપેલા આસન ઉપર બેસતા હતા. પછી જયારે રાત્રિ પડી ત્યારે ગામના કેટલાક તે બાવાના સેવકો તથા કેટલીક સ્ત્રીઓ તે આવીને કથા સાંભળીને તે બાવાને સ્પર્શ કરીને કેટલીક સ્ત્રીઓ બાવાની ચરણ સેવા કરવા લાગી. એવો અતિશય અધર્મ જોઈને શ્રીનીલકંઠ બ્રહ્મચારી તે બાવા પ્રત્યે બોલ્યા જે, આપણે તો સાધુ થયા. માટે કનક-કામિનીનો ત્યાગ રાખવો જોઇએ અને સ્વધર્મના માર્ગે ચાલીને ભગવાનનું ભજન કરવું જોઇએ. તે સાંભળીને અતિશય ક્રોધાયમાન થઈને કેટલાક બાવાઓ એકદમ ઉઠીને બોલ્યા જે,
अरे लडका तुम यहांसे बाहर चले जाओ नहि तो मारेगा ।
ત્યારે તે જગ્યાના દરવાજે તાળું વાસેલું હતું તોપણ તે બાવાઓને અતિ અધર્મી જાણીને તત્કાળ ત્યાં થકી અન્તર્ધાન થઈને ચાલી નીકળ્યા.
અને બહાર એક વાણિયાની દુકાનની ઓસરીમાં જઈને રાત્રિ રહેવાનો વિચાર કરતા હતા તેટલામાં તો આવો મહાન કોપ જોઇને મારૂતિદેવ આવીને શ્રીનીલકંઠ બ્રહ્મચારીને પગે લાગીને તે બાવાના મંદિરમાં જઈને વૈરાગીઓને મારવા માંડયા. ત્યારે તે સર્વે વૈરાગી અતિશય રૂદન કરવા લાગ્યા. તે સમયે મારુતિ બોલ્યા જે, ત્યાગી થઈને આવાં નીચ કામ કરો છો. અને કોઇ કહે ત્યારે વળી ક્રોધ કરીને મારવા જાઓ છો. તેવું સાંભળીને તે વૈરાગી બોલ્યા જે, હે ભાઈ! તમો કોણ છો? ત્યારે બોલ્યા જે, અમો તો હનુમાનજી છીએ. એમ કહ્યું કે તુરત તે વૈરાગી અત્યન્ત નિર્માની થઇને બોલ્યા જે, હે પવનસુત ! અમો તો આજ બાલાજોગીરૂપે નાનો એક છોકરો અમારા આશ્રમમાં આવીને અમોને અધર્મ વિષે શિખામણ દેવા લાગ્યો તેથી તે છોકરા ઉપર ક્રોધ કર્યો કે તુરત તે અદ્રશ્ય થઇ ગયો. અને દરવાજો તાળાએ સહિત એમને એમ વાસેલો હતો. ત્યારે બોલ્યા જે, અરે, અભાગીઆઓ ! કેમ તમારો દિવસ ફર્યો છે. અને તે તો સાક્ષાત્ શ્રીરામચંદ્રજી છે. આ પૃથ્વીને વિષે જન્મ ધરીને વનવિચરણ કરતા સતા અધર્મને ત્યાગ કરાવવા સારૂં પધાર્યા છે. માટે જાઓ. તેમને અહિં બોલાવી લાવો અને રાજી કરીને તેમનો આશ્રય કરો. તમારા જીવનું સારું થશે. નહિ તો આમ ને આમ માર ખાઈને મરી જશો. એમ કહીને અદ્રશ્ય થઈ ગયા. તે જોઈને મહા આશ્ચર્ય પામતા સતા તત્કાળ તે દરવાજાનું તાળું ઉઘાડીને બહાર આવીને જુએ છે, ત્યાં તો વાણિયાની દુકાનની ઓસરીમાં બેઠેલા દેખીને તે સર્વે વૈરાગીઓ અતિ નિર્માની થઈને પાસે જઈને પગે લાગી પ્રાર્થના કરીને બોલ્યા જે, હે બાલાજોગી ! તમો તો સાક્ષાત્ અમારા ઇષ્ટદેવ શ્રીરામચંદ્રજી છો. માટે હે મહારાજ ! અમારો અપરાધ ક્ષમા કરીને અમારા આસને પધારો. અને હવે અમો આવાં અધર્મનાં કર્મ કોઈ દિવસ નહિં કરીએ અને સર્વ પ્રકારે કનક કામિનીનો ત્યાગ રાખીશું.
એમ કહેતા સતા અતિ પશ્ચાતાપ કરતા હતા. ત્યારે આવી રીતનાં અતિ નિર્માનીપણાનાં વચન સાંભળીને દયા આવી ગઈ છે જેમને એવા જે, નીલકંઠ બ્રહ્મચારી તે એ વૈરાગીઓના આશ્રમમાં પધારતા હતા. ત્યારે તેમણે તે હેતપૂર્વક આસન ઉપર બેસારીને પોતાના અધર્મનો ત્યાગ કરીને, જમાડયા થકા ત્યાં ત્રણ દિવસ રાખતા હતા.
🍃🍃🌼🍃🍃 #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ
# good night #શુભ રાત્રી #🌠ગુડ નાઈટ શાયરી...🎑🌠💫.😘😘😘 #🌑🌙 શુભ રાત્રિ 🌙🌑 ગુડ નાઈટ શાયરી 🌙🌙 શુભકામના🌹🌹













