https://youtu.be/SQrr-QXSqFE?si=7ahmbbnG5IbvNDXL ##જય સ્વામિનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર
🍃🍃🌼🍃🍃
બાળ ચરીત્ર....
ભગવાનદાસ તેમની પાસે ગયો અને પોતાના વૃત્તાન્તની સર્વે વાર્તા કહી. તે સાંભળીને શ્રીનીલકંઠ બ્રહ્મચારી બોલ્યા જે, ભલે તમારો સાચો ભાવ હશે. તો હમણાં હાલજ તમોને ભગવાન મળશે. કેમ જે ભગવાન તો અંતર્યામી છે અને સર્વેના અંતરની જેવી ઇચ્છા હોય તે પૂર્ણ કરે છે. એમ કહીને વળી બોલ્યા જે, હે ભાઈ ! અમારા પગે નદી ઉતરતાં કાંટો વાગ્યો છે, તે વેદના બહુ કરે છે માટે કાઢો તો બહુ સારૂં. ત્યારે બોલ્યો જે, લાવો. એમ કહીને તેમના પગ પોતાના ઢીંચણ ઉપર મૂકીને જોવા જાય છે. ત્યાંતો પગમાં નવ ચિહ્ન તેને માલુમ પડતાં હતાં. તે જોઇને બોલ્યો જે, હે જોગી મહારાજ ! આ તમારા ચરણમાં તો કાંટો નથી. માટે બીજો ચરણ લાવો. જોઉં. તેમાં કયાંય છે ? એમ કહીને તે ચરણ પણ પોતાના ઢીંચણ ઉપર મૂકીને જોવા લાગ્યો, ત્યાં તો તે ચરણમાં સાત ચિહ્ન દીઠાં.
એવી રીતે બે ચરણમાં થઈને સોળ ચિહ્ન દેખીને પોતાના મનમાં વિચાર કરવા લાગ્યો જે, જાણો વા ન જાણો પરંતુ જરૂર આ ભગવાન છે. એમ વિચાર કરતો સતો એકદમ બોલી ઉઠ્યો જે, હે બાલાજોગી મહારાજ ! તમો તો સાક્ષાત્ ભગવાન છો અને અમારા ત્રણ માણસના ઉપર દયા કરીને તમો અહીં પધાર્યા છો. માટે તમો મારે ઘેર ચાલો. મારા માતુશ્રી તમોને બહુજ ઇચ્છે છે અને તમારા માટે આટલો દાખડો કરવો પડત.
આવી રીતે અતિ સ્નેહે સહિત નિર્માનીપણાની વંદના કરીને શ્રીનીલકંઠ બ્રહ્મચારીને પોતાને ઘેર લઈ જઈને અતિ હર્ષનો ભર્યો ઉંચે સાદે કરીને બોલ્યો જે, હે માતા ! તમે કયાં ગયાં ? જુઓ, હું આ ભગવાનને લઇ આવ્યો. તેવું સાંભળીને બન્ને સાસુવહુ તત્કાળ ઘરમાંથી બહાર નીકળી આવ્યાં, ત્યાંતો આંગણામાં ઉભેલા હતા તેમની છાયા ન જોઇને જાણ્યું જે, જરૂર આ ભગવાન છે. એમ જાણીને અતિ હેતે સહિત ચરણાર-વિંદમાં મસ્તક મૂકીને વિનંતી સહ પગે લાગીને આસન આપીને ઉપર બિરાજમાન કરતાં હતાં. ત્યારે બોલ્યા જે, હે ડોસીમા ! તમારો ત્રણે
જણાનો પ્રેમ જોઇને તમોને દર્શન દેવા સારૂં અમો આવ્યા છીએ. પછી તે બન્ને જણ સાસુ-વહુ અતિ પ્રેમે સહિત રસોઇ કરીને શ્રીનીલકંઠ બ્રહ્મચારીને જમાડતાં હતાં. અને દીવો કરીને સામો મૂક્યો કે સોંસરો દેખાવા લાગ્યો. તે જોઈને ત્રણે જણ નિશ્ચય કરતાં હતાં. ત્યાર પછી તે ડોસી પોતાનાં સગાંસંબંધીને કહેતી હતી જે, ચાલો દર્શન કરવા. અમારે ઘરે ભગવાન પધાર્યા છે. તેવું સાંભળીને સર્વે જન વિચાર કરવા લાગ્યાં જે આ ડોસી શું બોલે છે ? જે મારે ઘેર ભગવાન આવ્યા અને દર્શન કરવા ચાલો. આ વાતની કંઇ ખબર પડતી નથી. એમ કહેતાં સતાં તે સર્વે જન મળીને શ્રીનીલકંઠ બ્રહ્મચારી પાસે આવતાં હતાં.ત્યારે તો પોતાનું શંખ, ચક્ર, પદ્મ, ગદા એ ચાર આયુધે સહિત ચતર્ભુજ શ્રીકૃષ્ણ રૂપે દર્શન આપતા હતા. ત્યારે તે સર્વે આવેલાં જન આવું મહા અદ્ભુત્ ચરિત્ર જોઇને મહાવિસ્મય પામતાં સતાં વંદના કરીને પગે લાગતાં હતાં.પછી તે ડોસી, છોકરો અને સ્ત્રી એ ત્રણે જણને અતિ નિષ્કામી જાણીને કહ્યું જે, તમો ત્રણે જણ દંઢાવ્ય દેશમાં ગામ શ્રીવડનગરને વિષે ઝુમખરામ ભાવસારને ઘેર જન્મ ધારણ કરશો. અને ત્યાં અમારો યોગ થશે અને અમારા અક્ષરધામને પામશો. એવી રીતનો તે ત્રણે જણને વર આપ્યો અને ત્યાં એવી રીતનું ઐશ્વર્ય ધૂળીયા-માલેગામના સર્વે જનને બતાવતા સતા, ત્યાં ત્રણ દિવસ રહીને તેમની સેવા અંગીકાર કરીને ત્યાં થકી ચાલતા હતા.
🍃🍃🌼🍃🍃 #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ
#🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ #જીવન કોટ્સ...✍🏻 #😍 ગુડ મોર્નિંગ શાયરી #🌅 Good Morning
https://youtu.be/0pbCUCkEuow?si=936FoM39egXS-kgI ##જય સ્વામિનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર
🍃🍃🌼🍃🍃
બાળ ચરીત્ર...
હે ભાઈ! એટલું ચરિત્ર ત્યાં કરીને બાલાજોગી ત્યાં થકી ચાલ્યા તે કેટલાક દિવસે શ્રીજગન્નાથપુરીને વિષે આવતા હતા. અને ત્યાં કોઈ એક વૈરાગી ગીતાનો પાઠ કરતો હતો તેની પાસેથી ગીતા માગી લઇને એક શ્લોકના દશ અર્થ કર્યા. તે જોઈને વૈરાગીને ઘણું હેત થયું. તેથી પોતાની પાસે બેસારી રાખે. પણ કંઈ કામ કરવા દે નહીં, તેથી બીજા વૈરાગીઓને ઇર્ષા આવી અને તે મહા કામી હતા તેથી તે વૈરાગીઓમાં પરસ્પર વૈર ઉત્પન્ન કરાવીને, યુદ્ધ કરાવીને દશ હજારનો નાશ કરાવી નાખતા હતા. એટલું કાર્ય ત્યાં કરીને બાલાજોગી ચાલ્યા, તે દક્ષિણ દિશા પ્રત્યે આદિકૂર્મ નામે જે, તીર્થક્ષેત્ર તેને પામ્યા. અને ત્યાંથી મહા વનને વિષે ચાલતા થકા માનસપુરમાં આવ્યા. ત્યાં તે પુરનો સત્રધર્મા નામે રાજા હતો તે પોતાનો આશ્રિત થયો. અને તે રાજાદ્વારા ચાર હજાર અસુરોનો પરાભવ કરાવતા સતા, ત્યાં થકી ચાલ્યા તે વેંકટાદ્રિને પામ્યા અને ત્યાં કેટલાક દિવસ રહીને ત્યાં થકી ચાલ્યા તે સેતુબંધ રામેશ્વર ગયા. અને તે તીર્થમાં કેટલાક દિવસ રહીને ત્યાં થકી ચાલ્યા તે વચ્ચે એક ગામ આવ્યું. તે ગામના ગોંદરે નદીના કાંઠે પીપળાના વૃક્ષ નીચે પોતાનું આસન પાથરીને બેઠા. તે સમયે ગામમાં એક ભાવસારની સ્ત્રીને પોતાનો એકજ પુત્ર હતો. તે પ્રત્યે એમ બોલી જે, હે પુત્ર! તને હું ભાતું કરી આપું તે લઇને ગમે તે જગ્યાએ જઈને ભગવાનને કોટી ઉપાયે કરીને ઓળખીને આપણા ઘરે બોલાવી લાવ. અને મારૂં કહેલું વચન પાળે તો મારો પુત્ર ખરો, નહીં તો મારે પેટ તું પથરો પડ્યો છે એમ હું સમજું છું. કેમ જે, તારા પિતા તો મહા ભગવદીય હતા અને તું એક ક્ષણમાત્ર પણ પ્રભુને સંભારતો નથી. માટે આ ભાતું લઇને જા. તે ભગવાન મળે તો બોલાવીને પાછો ઘેર આવજે. નહીં તો મારે તારૂં કામ નથી. અને તેમ કરતાં પણ શોધ્યા અને લીધા સિવાય ઘરે આવીશ તો હું ગમે તેમ કરીને મારા દેહનો ત્યાગ કરી દઇશ. આવી રીતનાં પોતાની માતાનાં વચન સાંભળીને તે પુત્ર ભગવાનદાસ એમ બોલ્યો જે, હે માતા ! તમો આ બધી વાતો કહો છો તે સાચી, પરંતુ હું ભગવાનને કેવી રીતે ઓળખી શકું? ત્યારે ડોસી બોલ્યાં જે, ભગવાન હશે તે તેમના બે ચરણમાં સોળ ચિહ્ન હશે, અને તેમના શરીરનો પડછાયો પણ પડતો નહીં હોય અને દીવો કરીને સામો મૂકીશ એટલે સોંસરો દેખાશે, એ તને હું નિશાનીઓ બતાવું છું. તે સમયે તે છોકરાની સ્ત્રી બોલી જે, હે સ્વામિન્! હવે તમો તો પરદેશ વનમાં જશો અને તે વનમાં જતાં પણ ભગવાન મળે તો બહુ સારૂં અને પાછા તેડીને ઘેર આવો, પરંતુ કદાપિ ન મળ્યા, તો મારી શી દશા થશે? એમ કહીને તે સ્ત્રી રૂદન કરવા લાગી. ત્યારે છોકરો બોલ્યો જે, હે સ્ત્રી ! તું શા માટે રૂદન કરે છે. જો આપણાં માતુશ્રી સાચા ભાવથી મને કહેતાં હશે અથવા હું સાચા ભાવથી ખોળવા જઈશ અને તારો પણ સાચો પ્રેમ હશે અને તું બરાબર પતિવ્રતા હોઇશ તો જરૂર મને ભગવાન મળશે.અને હું હમણાં દસ પંદર દિવસમાં ખોળીને હાલ પાછો આવું છું. એ વાતમાં તું જરાએ સંશય રાખીશ નહીં, કેમ જે ભગવાન તો અંતર્યામી છે, તે આવો આપણો સાચા દીલનો ભાવ જોઈને કેમ નહીં મળે ? જરૂર મળશે અને તે છતાં જો એમનો આપણો સંબંધ નહીંજ થવા દેવો હોય તો તો સર્વેની જીવન દોરી એમના જ હાથમાં છે. તે છોકરો પોતાની સ્ત્રીને આવી રીતનાં વચન સંભળાવીને ધીરજ આપીને માતાએ કરેલું ભાતું લઈને, એકજ ભગવાન ઉપર ટેક રાખીને ભગવાનને શોધવા સારૂં ચાલ્યો તે ગામના ગોંદરે નદીના કિનારેથી ઉતરવા ગયો, ત્યારે કૃપાળુ એવા જે, શ્રીનીલકંઠ બ્રહ્મચારી તે એ ત્રણ માતા, પુત્ર અને સ્ત્રી તેમનો સાચો ભાવ અંતર્યામી-પણે જાણીને તે છોકરા પ્રત્યે બોલ્યા જે, હે ભગવાનદાસ ! તમો કયાં જાઓ છો ? અહીં આવો. તેવું સાંભળીને પોતાના મનમાં જરાએક ખચકાઇને ઘડી એક સુધી તો ત્યાં ને ત્યાં ઉભો રહીને વિચાર કરવા લાગ્યો જે, આ તે કોણ હશે ? હું તો એમને ઓળખતો નથી અને તેમણે મારૂં નામ લીધું માટે હું એમની પાસે જાઉ.
🍃🍃🌼🍃🍃 #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ
https://youtu.be/6gV501sTT88?si=CMg-8A_Q9cgLXQBG ##જય સ્વામિનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર
#🌅 Good Morning #જીવન કોટ્સ...✍🏻 #😍 ગુડ મોર્નિંગ શાયરી #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ











