#🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ #જીવન કોટ્સ...✍🏻 #🌅 Good Morning #😍 ગુડ મોર્નિંગ શાયરી
https://youtu.be/lRHrP95XLTo?si=qTYlBgJ6g9wbBwGq #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ
##જય સ્વામિનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર
🍃🍃🌼🍃🍃
બાળ ચરીત્ર...
હે રામશરણજી ! ત્યાં થકી ચાલ્યા એવા જે શ્રીનીલકંઠ બ્રહ્મચારી તે કેટલેક દિવસે શ્રીરંગક્ષેત્રમાં જઇને બે માસ પર્યંત રહેતા હતા. અને વૈષ્ણવો સાથે સંવાદ કરતા સતા તેમને વિષે જે દુરાચાર તેનો ત્યાગ કરાવતા હતા. પછી ત્યાં થકી ચાલ્યા તે સુંદ૨૨ાજ નામે જે વિષ્ણુ તેમનાં દર્શન કરીને, ત્યાં થકી ચાલતા થકા માર્ગને વિષે એક ઘોર વન આવ્યું તેને ઉલ્લંઘીને આગળ ચાલ્યા, તે ભૂતપુરીને પામ્યા. અને ત્યાં શ્રીરામાનુજ આચાર્યની પ્રતિમાનું દર્શન તથા પૂજન કરીને ત્યાં થકી પદ્મનાભ ગયા. અને ત્યાંથી જનાર્દન ગયા. અને ત્યાંથી આદિકેશવ નામે જે વિષ્ણુ તેમનાં દર્શન કરીને, ત્યાં થકી ચાલ્યા તે મલયાચલ નામે જે કુલિંગરી તેને પામતા હતા. અને સાક્ષીગોપાલ નામે જે વિષ્ણુ તેનાં દર્શન કરતા થકા ત્યાં પાંચ દિવસ રહેતા હતા. અને ત્યાંથી ચાલ્યા જે નીલકંઠ બ્રહ્મચારી તે કેટલાક દિવસે બુરાનપુર શહેર આવ્યું. તે શહેરની સમીપે વહેતી જે તાપી નદી તેના રાજઘાટે સ્નાન કરીને એક મોટી પથ્થરની શીલા ઉપર બેસીને પોતાનો નિત્યવિધિ કરતા થકા, શ્રીઠાકોરજીની સેવા કરવા લાગ્યા.તે સમયે જીનાવાદના આહિરોની કેટલીક સ્ત્રીઓ દહીંના ગોરસાં લઈને શહેરમાં વેચવા માટે જતી હતી. તે શ્રીનીલકંઠ બ્રહ્મચારીને પૂજા કરતા જોઈને, આ બાવો કોઈ મહાતપસ્વી અને ચમત્કારી છે એમ જાણીને પૂછ્યું જે, હે જોગીરાજ! કંઈ જમશો? ત્યારે શ્રીનીલકંઠ બ્રહ્મચારીએ કહ્યું જે, શું આપશો? ત્યારે તેણે કહ્યું જે, અમારી પાસે દહીં છે. ત્યારે કહે બહુ સારૂં, લાવો. પછી અતિ પ્રેમથી પોતાના ગોરસમાંથી દહીં કાઢીને આપતી હતી. તેને નૈવેદ્ય કરીને પોતે અતિ સ્નેહથી જમી તૃપ્ત થઇને સર્વે સ્ત્રીઓને પોતાનું શ્રીકૃષ્ણ રૂપે દર્શન દેતા હતા. ત્યારે તો અતિશય સ્નેહ થકી તે સર્વે દહીંનાં ગોરસાં તેમની પાસે મૂકીને વિનંતીપૂર્વક પગે લાગીને બોલી જે, અહો હે મહારાજ ! તમો તો સાક્ષાત્ કાનજી છો. તે આ સર્વે અમારૂં દહીં જમીને અમારૂં કલ્યાણ કરો. તેવું સાંભળીને તત્કાળ પોતે જેટલાં ગોરસાં હતાં તે સર્વે દહીં જમતાં થકા બોલ્યા જે, હે ગોપીઓ ! તમો પાછાં કચ્છ દેશને વિષે જન્મ પામશો તેથી અમારો યોગ થશે. ત્યાં હું તમારૂં સર્વેનું કલ્યાણ કરીશ. એવી રીતનો વર પામીને તે સર્વે સ્ત્રીઓ મહા આશ્ચર્ય પામતી સતી પોતાના ઘેર જતી હતી. ત્યાર પછી નીલકંઠ બ્રહ્મચારી ત્યાં થકી ઉઠીને ચાલવાની તૈયારી કરે છે, તેટલામાં તો એક પ્રભુદાસ નામનો વણિક ત્યાં આવ્યો, તે આવીને તપસ્વી બાલાજોગીને જોઇને પોતાના મનમાં વિચાર કરવા લાગ્યો જે, આમની નાની અવસ્થા છે ને તીર્થમાં ફરવા નીકળ્યા છે. તે મહાતપસ્વી અને પવિત્ર પણ બહુ જણાય છે. માટે મારી પાસે ધનમાલ ખાનાર કોઇ નથી અને પૈસા પણ ઘણા છે. માટે તે જો બ્રાહ્મણાદિક ઉત્તમ જ્ઞાતિના હોય તો આ સર્વે મારૂં ધનમાલ એમને સોંપી દઉં અને મારા ઘરે રાખું. એમ સંકલ્પ કરે છે, ત્યારે તે સંકલ્પ અંતર્યામીપણે જાણીને બોલ્યા જે, હે પ્રભુદાસ ! અમો તો ગામમાં કોઈના ઘેર જતા નથી. અને તીર્થયાત્રા કરવા નીકળ્યા છીએ. આવું તે બાલાજોગીનું વચન સાંભળીને મહા આશ્ચર્ય પામતો સતો એમ વિચાર કરવા લાગ્યો જે, આ તો કોઇક મોટા પુરુષ છે. તે મારા અંતરની સર્વે વાત જાણીને મને કહીં. માટે જરૂર આમને ગમે તે ઉપાયે કરીને મારા ઘેર લઇ જવા. એમ વિચાર કરે છે તેટલામાં તો તે વણિકને પોતાનું શ્રીરામચંદ્રજી રૂપે ચતુર્ભુજ દર્શન દેતા હતા. ત્યારે અતિ ગદ્ગદ્ કંઠ થયો થકો, શ્રીનીલકંઠ બ્રહ્મચારીના ચરણમાં પોતાનું મસ્કત મૂકીને બે હાથે વિનંતીપૂર્વક પગે લાગતો હતો. અને બોલ્યો જે, હે મહારાજ ! તમો તો સાક્ષાત્ મારા ઇષ્ટદેવ શ્રીરામચંદ્રજી છો, તે મારા જીવનું સારૂં કરો. ત્યારે દયાળુ એવા જે શ્રીનીલકંઠ બ્રહ્મચારી તે એ વણિકને પૂર્વનો મુમુક્ષુ જાણીને તે પ્રત્યે બોલ્યા જે, અમો કોઈના ઘેર તો જતા નથી, પરંતુ તારી શ્રદ્ધાપૂર્વક અહીં સીધું લાવ. ત્યારે તે વણિક સીધું લાવ્યો, તેની બાટીઓ કરીને શાલગ્રામને નૈવેદ્ય ધરી, જમીને પ્રસન્ન થયા થકા તે બોલ્યા જે, જા તારા જીવનું સારૂં થશે. અને તું અમારા વચને કરીને સદ્ગતિ પામીશ. એવી રીતનો વર આપીને ત્યાં થકી ચાલ્યા તે નાસીકપુર પ્રત્યે આવ્યા.
🍃🍃🌼🍃🍃 #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ
https://youtu.be/SQrr-QXSqFE?si=7ahmbbnG5IbvNDXL ##જય સ્વામિનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર
🍃🍃🌼🍃🍃
બાળ ચરીત્ર....
ભગવાનદાસ તેમની પાસે ગયો અને પોતાના વૃત્તાન્તની સર્વે વાર્તા કહી. તે સાંભળીને શ્રીનીલકંઠ બ્રહ્મચારી બોલ્યા જે, ભલે તમારો સાચો ભાવ હશે. તો હમણાં હાલજ તમોને ભગવાન મળશે. કેમ જે ભગવાન તો અંતર્યામી છે અને સર્વેના અંતરની જેવી ઇચ્છા હોય તે પૂર્ણ કરે છે. એમ કહીને વળી બોલ્યા જે, હે ભાઈ ! અમારા પગે નદી ઉતરતાં કાંટો વાગ્યો છે, તે વેદના બહુ કરે છે માટે કાઢો તો બહુ સારૂં. ત્યારે બોલ્યો જે, લાવો. એમ કહીને તેમના પગ પોતાના ઢીંચણ ઉપર મૂકીને જોવા જાય છે. ત્યાંતો પગમાં નવ ચિહ્ન તેને માલુમ પડતાં હતાં. તે જોઇને બોલ્યો જે, હે જોગી મહારાજ ! આ તમારા ચરણમાં તો કાંટો નથી. માટે બીજો ચરણ લાવો. જોઉં. તેમાં કયાંય છે ? એમ કહીને તે ચરણ પણ પોતાના ઢીંચણ ઉપર મૂકીને જોવા લાગ્યો, ત્યાં તો તે ચરણમાં સાત ચિહ્ન દીઠાં.
એવી રીતે બે ચરણમાં થઈને સોળ ચિહ્ન દેખીને પોતાના મનમાં વિચાર કરવા લાગ્યો જે, જાણો વા ન જાણો પરંતુ જરૂર આ ભગવાન છે. એમ વિચાર કરતો સતો એકદમ બોલી ઉઠ્યો જે, હે બાલાજોગી મહારાજ ! તમો તો સાક્ષાત્ ભગવાન છો અને અમારા ત્રણ માણસના ઉપર દયા કરીને તમો અહીં પધાર્યા છો. માટે તમો મારે ઘેર ચાલો. મારા માતુશ્રી તમોને બહુજ ઇચ્છે છે અને તમારા માટે આટલો દાખડો કરવો પડત.
આવી રીતે અતિ સ્નેહે સહિત નિર્માનીપણાની વંદના કરીને શ્રીનીલકંઠ બ્રહ્મચારીને પોતાને ઘેર લઈ જઈને અતિ હર્ષનો ભર્યો ઉંચે સાદે કરીને બોલ્યો જે, હે માતા ! તમે કયાં ગયાં ? જુઓ, હું આ ભગવાનને લઇ આવ્યો. તેવું સાંભળીને બન્ને સાસુવહુ તત્કાળ ઘરમાંથી બહાર નીકળી આવ્યાં, ત્યાંતો આંગણામાં ઉભેલા હતા તેમની છાયા ન જોઇને જાણ્યું જે, જરૂર આ ભગવાન છે. એમ જાણીને અતિ હેતે સહિત ચરણાર-વિંદમાં મસ્તક મૂકીને વિનંતી સહ પગે લાગીને આસન આપીને ઉપર બિરાજમાન કરતાં હતાં. ત્યારે બોલ્યા જે, હે ડોસીમા ! તમારો ત્રણે
જણાનો પ્રેમ જોઇને તમોને દર્શન દેવા સારૂં અમો આવ્યા છીએ. પછી તે બન્ને જણ સાસુ-વહુ અતિ પ્રેમે સહિત રસોઇ કરીને શ્રીનીલકંઠ બ્રહ્મચારીને જમાડતાં હતાં. અને દીવો કરીને સામો મૂક્યો કે સોંસરો દેખાવા લાગ્યો. તે જોઈને ત્રણે જણ નિશ્ચય કરતાં હતાં. ત્યાર પછી તે ડોસી પોતાનાં સગાંસંબંધીને કહેતી હતી જે, ચાલો દર્શન કરવા. અમારે ઘરે ભગવાન પધાર્યા છે. તેવું સાંભળીને સર્વે જન વિચાર કરવા લાગ્યાં જે આ ડોસી શું બોલે છે ? જે મારે ઘેર ભગવાન આવ્યા અને દર્શન કરવા ચાલો. આ વાતની કંઇ ખબર પડતી નથી. એમ કહેતાં સતાં તે સર્વે જન મળીને શ્રીનીલકંઠ બ્રહ્મચારી પાસે આવતાં હતાં.ત્યારે તો પોતાનું શંખ, ચક્ર, પદ્મ, ગદા એ ચાર આયુધે સહિત ચતર્ભુજ શ્રીકૃષ્ણ રૂપે દર્શન આપતા હતા. ત્યારે તે સર્વે આવેલાં જન આવું મહા અદ્ભુત્ ચરિત્ર જોઇને મહાવિસ્મય પામતાં સતાં વંદના કરીને પગે લાગતાં હતાં.પછી તે ડોસી, છોકરો અને સ્ત્રી એ ત્રણે જણને અતિ નિષ્કામી જાણીને કહ્યું જે, તમો ત્રણે જણ દંઢાવ્ય દેશમાં ગામ શ્રીવડનગરને વિષે ઝુમખરામ ભાવસારને ઘેર જન્મ ધારણ કરશો. અને ત્યાં અમારો યોગ થશે અને અમારા અક્ષરધામને પામશો. એવી રીતનો તે ત્રણે જણને વર આપ્યો અને ત્યાં એવી રીતનું ઐશ્વર્ય ધૂળીયા-માલેગામના સર્વે જનને બતાવતા સતા, ત્યાં ત્રણ દિવસ રહીને તેમની સેવા અંગીકાર કરીને ત્યાં થકી ચાલતા હતા.
🍃🍃🌼🍃🍃 #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ
#🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ #જીવન કોટ્સ...✍🏻 #😍 ગુડ મોર્નિંગ શાયરી #🌅 Good Morning











