🍃🍃🌼🍃🍃
બાળ ચરીત્ર...
નીલકંઠવર્ણી પોતે જે દિવસથી લોજપુરની જગ્યામાં પધાર્યા છે તેજ દિવસથી સ્ત્રી માત્રની તે જગ્યામાં આવવાની બંધી કરાવી. ત્યારે મુક્તાનંદ સ્વામીએ એમ કહ્યું જે, હવે તમો અમારા ભેગા રહ્યા ત્યારે જેવી અમોને રામાનંદ સ્વામીની આજ્ઞા છે તેવાં વસ્ત્રાદિક તમો રાખો. ત્યારે કહે બહુ સારૂં. જે આજ્ઞા તમોને હોય તે પ્રમાણે અમોને કરો. પછી સ્વામીએ મસ્તક ઉપરથી કેશ ઉતરાવ્યા અને કૌપીન ઉપર પહેરવા બે આચ્છાદન આપ્યાં. અને પહેરવા અલફી તથા ચાદર તથા મસ્તક ઉપર બાંધવા માટે હજુરીયો એટલાં વસ્ત્ર ધારણ કરાવ્યાં અને સરજુદાસજી એવું નામ સ્થાપન કર્યું. ત્યાર પછી સ્વામીએ સહિત સર્વે ધ્યાનમાં બેઠા. ત્યારે એક શ્વાન આવ્યું તે આવીને કંઇક કરડવા લાગ્યું. ત્યારે ધ્યાનમાંથી ઉઠીને મુક્તાનંદ સ્વામીએ હાંકી મૂક્યું. અને ફરીથી વળી તે પદાર્થને કરડવા લાગ્યું. ત્યારે સુખાનંદ સ્વામીએ લગારેક રીસ લાવીને સોટી મારીને કાઢી મૂક્યું. પછી સવારના પહોરમાં સરજુદાસજી બોલ્યા જે, હે સ્વામિન્ ! જે સંત હોય તે તો ગુણાતીત હોય. અને ધ્યાનમાંથી ઉઠીને શ્વાનને સોટી મારીને કાઢી મૂક્યું, તો તે પદાર્થમાં વધારે માલ કે ભગવાનમાં વધારે માલ? તેનો ઉત્તર કરો. અને તમોગુણ આવ્યા વિના ધ્યાનમાંથી ઉઠીને તે શ્વાનને સોટી કેમ મરાય ? એમ કહ્યું. ત્યારે સ્વામી બે હાથ જોડીને બોલ્યા જે, સરજુદાસજી ! એતો મોટી ભૂલ પડી અને પોતાને રામાનંદ સ્વામીનું દર્શન અંતર્યામીપણે થયું છે તો પણ મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં વર્તે છે, તો પણ કોઇ જગ્યાએ ભૂલ પડી દેખે તો બોલ્યા વિના રહે નહીં. અને કોઈને ઘાટ સંકલ્પ થાય ત્યારે પોતે અંતર્યામીપણે જાણીને તે વાત સર્વેને કહે અને એમ બોલે જે, તમે તો ભગવાનનાં દર્શન કર્યાં છે તોય તમારી વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં કેમ જોડાતી નથી ? અને નિદ્રા કેમ આવે છે? અને અમે તો હજુ ભગવાનનું પ્રત્યક્ષ દર્શન કર્યું નથી. છતાં પણ જ્યારે સૂઇ રહીએ છીએ, ત્યારે કાળના ભય થકી નિદ્રા આવતી નથી. અને તમોને ભજન કરતાં નિદ્રા આવે છે. તે જોઇને અમોને મોટું આશ્ચર્ય લાગે છે. એમ બોલતા હતા. અને પોતે તો સાક્ષાત્ જગદ્ગુરુ છે. અને પરબ્રહ્મ તેને કાળનો શો ભય હોય ? પણ મુમુક્ષુ જીવના કલ્યાણને અર્થે વૈરાગ્યવાનના જેવી દશાને ગ્રહણ કરતા હતા. અને પોતે મુક્તાનંદ સ્વામીને હમેશાં એમ કહે જે, અમોને સ્વામીનાં દર્શન કરાવો પછી આપણે બન્ને જણ સ્વામીની આજ્ઞા માગીને વનમાં જઇશું. અને જ્યારે તમો ધ્યાનમાં બેસશો ત્યારે તમારા દેહની અમો સંભાળ રાખીશું અને અમો ધ્યાનમાં બેસીએ ત્યારે તમો અમારા દેહની સંભાળ રાખજો. એવી રીતની વાર્તા કરે. અને વળી એમ કહે જે, અમારે તો વનમાં રહેવાનો બહુ અભ્યાસ છે. કાં જે અમો વનમાં એવાં મહા વસમાં ઠેકાણાં તેને વિષે ફરતા અને હજારો હાથી, સિંહ, અરણાપાડા, ચમરી ગાયો એ આદિક બીજાં અનેક જીવ-જંતુવાળા મહા ઘોર વનને વિષે અમો રહેતા. માટે વનમાં રહેવું તેતો અમારે માટે કોઇ કઠણ જ નથી. અમારે તો વસ્તીમાં રહેવું અતિ કઠણ છે. સ્વામીના મનમાં વૈરાગ્યની ઘણીક વૃદ્ધિ થતી હતી. અને મનમાં એમ વિચાર થાય જે, આમની સાથે વનમાં જઈને રહીએ તો ઘણું સારૂં અને વળી એમ કહે જે, કેટલાક રાજા તથા કેટલાક મોટા મોટા સિદ્ધ તથા તપસ્વી તેમના સંગે રહ્યા પણ સાચા સંત અને કલ્યાણની વાર્તા તો અમે અહીંજ દીઠી. અને બીજામાં તો કેવળ દંભ અને અહંકાર રહ્યો છે. કોઇક મુમુક્ષુ હશે, તો તે અહીં આવ્યા હશે નહીં તો હવે આવશે. કાં જે મુમુક્ષુને સત્સંગ વિના બીજે ક્યાંય શાન્તિ થવાનું ઠેકાણું છે જ નહીં. અને જેટલા મતપંથ છે તે સર્વે અમોએ જોયા છે. એવી ઘણીક વાર્તા કરતા હતા. તે સાંભળીને સર્વે સંત બહુ રાજી થતા.
🍃🍃🌼🍃🍃 ##જય સ્વામિનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ
https://youtu.be/x-_NM5wYTCo?si=m6ob9JiaBwcx0zyl #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ
🍃🍃🌼🍃🍃
બાળ ચરીત્ર...
એમ કરતાં કેટલાક દિવસ વીતી ગયા પછી શ્રીનીલકંઠ બ્રહ્મચારી તો ઉતાવળા થકા મુક્તાનંદ સ્વામીને કહેવા લાગ્યા. જે, હે સ્વામિન્ ! તમો રામાનંદ સ્વામીનું ધ્યાન કરો. ત્યારે અમો તમારી વૃત્તિ ભેગી અમારી વૃત્તિ મેળવીને રામાનંદ સ્વામીનાં દર્શન તમારી કૃપાથી કરીશું. પછી જ્યારે સ્વામી ધ્યાન કરવા બેઠા તે વખતે શ્રીનીલકંઠ બ્રહ્મચારી તો અન્તર્દષ્ટિ કરીને રામાનંદ સ્વામીનું દર્શન શ્રીભુજનગરમાં ગંગારામ મલ્લને ઘેરે યથાર્થ કરતા હતા. પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, હે બ્રહ્મચારી ! કહો, સ્વામીની મૂર્તિ કેવી છે ? ત્યારે બોલ્યા જે, રાતાં કમળ જેવાં બે ચરણ છે. અને બે પાનીથી આરંભીને અંગુઠા પર્યંત તે ચરણમાં મોટી ઉભી ઉર્ધ્વરેખાઓ છે. અને મૂર્તિ ઘણી પુષ્ટ છે. અને શ્વેત ધોતી પહેરી છે. ને સુધા ગોરા નહીં તેમ સુધા શ્યામ પણ નહીં, લગારેક ભીનેવાન મૂર્તિ છે. તેવું સાંભળીને મુક્તાનંદ સ્વામીએ પોતાના મનમાં વિચાર કર્યો જે, હજી તો રામાનંદ સ્વામીનું પ્રત્યક્ષ દર્શન થયું નથી અને જેવી સ્વામીની મૂર્તિ છે, તેવીજ વર્ણન કરી દેખાડી, માટે આ બહુ મોટા છે અને નિશ્ચય કોઇ ઇશ્વરનો અવતાર છે, કાં તો રામાનંદ સ્વામી બીજે સ્વરૂપે આપણી પરીક્ષા લેવા આવ્યા છે. એમ જાણીને પગે લાગતા હતા. હે ભાઇ ! શ્રીનીલકંઠ બ્રહ્મચારી વનમાંથી જ્યારે શ્રીલોજપુર આવ્યા ત્યારે તપે કરીને નાડીઓ બહાર દેખાતી હતી.અને શરીર બહુ કૃશ હતું. અને જો સ્નાન કરવા પધાર્યા હોય તો પાછા જાયગામાં આવવાની કંઈ ખબર રહેતી નહીં. અથવા રસ્તામાં ચાલતાં કંઇ ઠેસ વાગે તો તેની પણ સુરત રહે નહીં.સ્વામી આદિક સર્વે સંતને એમ વાત કરે જે, હે સંતો ! જીવ, ઇશ્વર, માયા, બ્રહ્મ, અને પરબ્રહ્મને તો હથેળીમાં જળના ટીપાની જેમ દેખું છું. અને તમારું મન જ્યાં જ્યાં જાય છે તેને પણ હું દેખું છું. એવી રીતે પોતે અદ્ભુત સામર્થ્યવાળા હતા તો પણ પોતે સ્ત્રી માત્રનો ત્યાગ રાખતા. અને જો કોઈ સ્ત્રી ઉપરવાસ નીકળી હોય અને તેના દેહની ગંધ આવે તો, તે દિવસે પેટમાં અન્ન રહે નહીં. એવા મહા વૈરાગ્યવાન અને અતિ સમર્થ હતા. અને જે જે સારૂં પદાર્થ હોય તેને અતિ તુચ્છ અને માયિક જાણીને પોતાને બંધન કરવા સમર્થ નથી. છતાંપણ તેનો અતિશય ત્યાગ રાખતા. અને ભાગવત ધર્મ પ્રવર્તાવવા માટે પોતે પ્રગટ થયા છે માટે જો એવો ત્યાગ પોતે ન રાખે તો બીજામાં પણ એમ પ્રવર્તે કારણ કે, ગીતામાં એમ કહ્યું છે જે, શ્રેષ્ઠ એવો જે પુરુષ થયો તે જે જે આચરણ કરે છે તે તે આચરણને બીજો મનુષ્ય કરે છે. અને તે શ્રેષ્ઠ પુરુષ જે જે પ્રમાણે કરે છે તે તે પ્રમાણે લોક અનુસરે છે.
🍃🍃🌼🍃🍃 ##જય સ્વામિનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ
https://youtu.be/x-_NM5wYTCo?si=As-F3BwYV2BmDl-f #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ
##જય સ્વામિનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર
🍃🍃🌼🍃🍃
બાળ ચરીત્ર...
હે રામશરણજી ! ત્યાર પછી ત્યાં થકી ચાલ્યા તે ગામ ગોરાડામાં આવ્યા.અને તે ગામના ચોરામાં ત્રણ દિવસ રહીને આહીર બોઘા એ આદિકની કેટલીક સ્ત્રીઓ દહીંનાં ગોરસાં લાવીને જમાડતી હતી.તેથી શ્રીનીલકંઠ બ્રહ્મચારી અતિશય પ્રસન્ન થઈને મોક્ષરૂપી વર આપતા હતા. અને કૂવામાંથી જળની કઠારી ભરીને ચાલ્યા, તે સાભ્રમતિ ગંગા ઉતરીને ભીમનાથ જતા હતા. અને ત્યાં કેટલાક દિવસ રહીને શ્રીમહાદેવજીનાં દર્શન કરતા સતા ત્યાં રહેતા અતીતોએ શ્રીનીલકંઠ બ્રહ્મચારીને અતિશે તપસ્વી જાણીને અતિ પ્રેમ વડે કરીને સેવા કરી. તેથી પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવીને ત્યાં થકી ચાલ્યા તે કેટલેક દિવસે ગોપનાથ મહાદેવને પામતા હતા. અને ત્યાં ત્રણ દિવસ રહીને ત્યાં થકી ચાલ્યા તે સોરઠ દેશને વિષે લોઢવા ગામમાં આવ્યા. અને ત્યાં ચારણના ચોરામાં ઉતર્યા એટલે તે ગામમાં એક ચારણને આત્માનંદ સ્વામીનો થોડોક સમાગમ થયેલો હતો. પછી તે ચારણે શ્રીનીલકંઠ બ્રહ્મચારીને તે આત્માનંદ સ્વામીની થોડીક વાત કરી. તે સાંભળીને તે ચોરામાં એક માસ રહ્યા. અને તે ચારણની સ્ત્રી લખુબાઇ તે બ્રહ્મચારી વેષે રહ્યા જે બાલાજોગી, તેમને બહુ ત્યાગી અને તપસ્વી જાણીને અતિ હેતપૂર્વક છેટે રહીને સેવા કરતી હતી. પછી શ્રીનીલકંઠ બ્રહ્મચારીએ વિચાર કર્યો જે, આમાંથી બંધન થશે. એમ જાણીને ત્યાં થકી પ્રાતઃકાળે વહેલા ઉઠીને દ્વારિકાના માર્ગે નીકળ્યા અને ત્યાંથી થોડેક દિવસે ગામ માંગરોળ બંદરમાં આવ્યા અને ત્યાં પશ્ચિમ તરફ વૈરાગીના અખાડામાં થોડાક દિવસ રહીને, ત્યાં થકી ચાલ્યા તે ગામ લોજપુરની વાવ ઉપર આવ્યા.અને ત્યાં વાવમાં સ્નાન કરીને ચોતરા ઉપર પોતાનો નિત્યવિધિ કરવા બેઠા. તે વખતે રામાનંદ સ્વામીના સાધુ સુખાનંદ સ્વામી તે વાવ ઉપર સ્નાન કરવા માટે આવ્યા. ત્યારે તેમણે શ્રીનીલકંઠ બ્રહ્મચારી મહા તપસ્વી બાલાજોગી રૂપે જોઇને બોલ્યા જે, હે બ્રહ્મચારી ! આ ગામમાં અમારી જગ્યામાં ચાલો. ત્યાં અમારા ગુરુ મુક્તાનંદ સ્વામી છે તે દર્શન કરવા યોગ્ય છે. માટે તમો આવો તો ભલે, નહીં તો એમને અહીં બોલાવીએ. ત્યારે બોલ્યા જે, ના. ચાલો. અમો ત્યાં આવીએ છીએ. એમ કહીને તે સુખાનંદ સ્વામીની સાથે જઇને મુક્તાનંદ સ્વામીનાં દર્શન કરતા હતા. ત્યારે મુક્તાનંદ સ્વામી છેટેથી વર્ણિને આવતા જોઇને ઓસરી ઉપર બેસીને ગીતાનો પાઠ કરતા હતા તે એકદમ ઉભા થઈને અતિ હેતે સહિત મળીને આસન આપતા હતા. તે આસનને પોતે લગારેક કોરે ખસેડીને પૃથ્વી ઉપર બેઠા. તે જોઇને સ્વામીએ જાણ્યું જે, આતો કોઇક જ્ઞાની જણાય છે. એમ જાણીને ઘણુંક સન્માન કરીને બહુ હેત દેખાડતા સતા પોતાની પાસે રાખતા હતા. પછી બીજા દિવસે સવારના પહોરમાં સભા થઇ, તે સમયે શ્રીનીલકંઠ બ્રહ્મચારી બોલ્યા જે, હે સ્વામિન્ !
જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ, અને પરબ્રહ્મ એમનાં જુદાં જુદાં સ્વરૂપ કહી દેખાડો તો, અમો તમારી પાસે રહીએ. ત્યારે નિર્માનીપણે સ્વામી બોલ્યા જે, અમારા ગુરુ શ્રીરામાનંદ સ્વામી પાસેથી જેટલું મારા જાણવામાં આવ્યું છે, તે તમોને કહી દેખાડું છું. એમ કહીને તે પ્રશ્નોના ઉત્તર વિક્તિએ સહિત કર્યા. અને કહ્યું જે, યથાર્થ તો શ્રીરામાનંદ સ્વામી જાણે છે. ત્યારે અતિ પ્રસન્ન થયા થકા બોલ્યા જે, હે સ્વામિન્ ! હવે અમો તમારી પાસે રહીશું. પરંતુ તમારા ગુરુ શ્રીરામાનંદ સ્વામીનાં દર્શન મને કરાવો. ત્યારે સ્વામીએ કહ્યું જે, બહુ સારૂં, પણ તમો અહીં રહો તો થાય. ત્યારે શ્રીનીલકંઠ બ્રહ્મચારી, સ્વામી પાસે રહેતા હતા.
🍃🍃🌼🍃🍃 #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ








![😍 ગુડ મોર્નિંગ શાયરી - ६६ शिवाथ @ि६गी అdup శక్రని छे न। s२%ो थइशोञ 99g %३२ dui3 (e1 4? 348 d413 (%ep1| विन। डोछs नी @ि६zी थधु२ . CJ: Jadav Good Mornfrg] ६६ शिवाथ @ि६गी అdup శక్రని छे न। s२%ो थइशोञ 99g %३२ dui3 (e1 4? 348 d413 (%ep1| विन। डोछs नी @ि६zी थधु२ . CJ: Jadav Good Mornfrg] - ShareChat 😍 ગુડ મોર્નિંગ શાયરી - ६६ शिवाथ @ि६गी అdup శక్రని छे न। s२%ो थइशोञ 99g %३२ dui3 (e1 4? 348 d413 (%ep1| विन। डोछs नी @ि६zी थधु२ . CJ: Jadav Good Mornfrg] ६६ शिवाथ @ि६गी అdup శక్రని छे न। s२%ो थइशोञ 99g %३२ dui3 (e1 4? 348 d413 (%ep1| विन। डोछs नी @ि६zी थधु२ . CJ: Jadav Good Mornfrg] - ShareChat](https://cdn4.sharechat.com/bd5223f_s1w/compressed_gm_40_img_960986_3b991719_1771819959586_sc.jpg?tenant=sc&referrer=user-profile-service%2FrequestType50&f=586_sc.jpg)

