🍃🍃🌼🍃🍃
ફાગણ વદ-૦૧ ધુળેટી
હોળીના બીજા દિવસે ધુળેટીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વખતે 2 માર્ચે ધૂળેટી છે. આ દિવસે સવારથી સૌ કોઇ નાના મોટા એકબીજા પર અબિલ, ગુલાલ તેમજ નિતનવા રંગો છાંટી, રંગોની વર્ષામાં તરબોળ થઈને પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરે છે. કેટલાક લોકો આ દિવસે ભગવાન શિવને યાદ કરી ભાંગના નશાનો આનંદ લઈને મસ્ત બનીને નાચે છે.
ધૂળેટીનો તહેવાર એકબીજાને ગુલાલ લગાવવી અને રંગ છાંટવો, સામાજીક મેળ મિલાપ અને ભાઈચારાની એકતાનું પ્રતિક છે. રંગની પિચકારી અને ગુલાલથી રમવાની પ્રથા તે સંકેત આપે છે કે હવે ઠંડીની ઋતુ પૂર્ણ થઈ ગઈ છે અને ગરમીના દિવસો ચાલુ થઈ ગયાં છે તેથી હવે ગરમ પાણીથી નહાવાની કોઈ જ જરૂરત નથી. હવે ઠંડા પાણીથી નહાવામાં કોઈ જ નુકસાન નથી.
બરસાનાની લઠ્ઠમાર હોળી.....
હોળી-ધુળેટીનો ઉત્તમોત્તમ ઉજવણીનો રસ ચાખવો હોય તો વ્રજભૂમિ જેવી ઉમંગભર ભૂમિ ભારતભરમાં નથી. અહીંની ધૂળ પણ આ દિવસોમાં ગુલાલ બની બ્રીજબાળને તોફાને ચડવા ઉશ્કેરતી રહે છે. વ્રજનો પ્રત્યેક બાંકો છોરો કાન્હો અને પ્રત્યેક છબીલી છોરી રાધાના પરિવેશમાં આ દિવસે ગુલતાન બની મહાલે છે.
હોળીનાં વિવિધ લોકગીતો જેવાં કે ફાગ, ધ્રુપદ, ધમાર, રસિયા, રંગ કે ડફકી હોરી જેવાં ઋતુગીત વ્રજના દરેક નરનારીના મુખેથી લયબદ્ધ રીતે વહ્યાં કરે છે. આ દિવસે ગાયનવાદન, નૃત્યનાટકો લોકગીતો (રસિયા)નું માન કરવામાં આવે છે. સામૂહિક રીતે ઘણા જ અવનવા કાર્યક્રમોથી વ્રજભૂમિની ગલી-ગલી રાસલીલાઓથી ઊભરાય છે.
ધુળેટીના દિવસે લોકો એકબીજા સાથે નિર્દોષતાથી હાસ્ય મજાક કટાક્ષ વાણી ઉચ્ચારે છે. અબીલ, ગુલાલ, ચંદન, હળદર અને અત્તર તથા ગુલાબજળનો રંગબેરંગી પિચકારીઓથી એકબીજા ઉપર છંટકાવ કરવામાં આવે છે. આ ઉપરાંત એકબીજા પ્રત્યે મીઠાશ ટકી રહે તે હેતુથી અવનવી વાનગીઓ પીરસવાનો પણ કાર્યક્રમ યોજાય છે. વ્રજમાં સૌથી વધારે પ્રખ્યાત બરસાનાની લઠ્ઠમાર હોળી છે. બરસાના એ મથુરા પાસે આવેલું રાધાજીનું જન્મસ્થાન છે. અહીંની લઠ્ઠમાર હોળીની ખાસિયત એ છે કે બરસાના ગામની સ્ત્રીઓ શણગાર સજી લાંબા ઘૂમટા તાણીને ખાસ પ્રકારથી તૈયાર કરવામાં આવેલ કલાત્મક લાઠી દ્વારા હોળી ખેલવા તૈયાર રહે છે. ત્યારે નંદગાવથી હોળી રમવા આવેલા પુરુષો જે રાધાજીના મંદિર ‘લાડિલીજી’ પર ધજા ફરકાવવાનો પ્રયત્ન કરે છે ત્યારે મહિલાઓ પુરુષો પર જમકર લાઠીનો પ્રહાર કરે છે. સ્ત્રીઓના નાજુક હાથમાં ચૂડલાનો રણકાર લાઠીના પ્રહારને ખનકદાર બનાવી દે છે.
પુરુષો તેનો ખાસ પ્રકારની ઢાલથી પ્રતિકાર કરતાં કરતાં આ લાઠીનો માર સહન કરે છે. જો પુરુષો આ મારમાં પકડાઇ જાય તો તેમને મહિલાના પરિવેશમાં શૃંગાર સજીને નાચ નચાવવામાં આવે છે. પૌરાણિક કાળમાં શ્રીકૃષ્ણને પણ બરસાનાની ગોપીઓએ આ રીતે નાચ નચાવ્યા હતા.
🍃🍃🌼🍃🍃 #😇હેપ્પી ધુળેટી 💐 #ધુળેટી
#અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗
🍃🍃🌼🍃🍃
બાળ ચરીત્ર...
પછી શ્રીહરિ હમ્મીરસર તળાવમાં આથમણા આરે સ્નાન કરી આવીને, પાઠ પૂજા નિત્યવિધિ કરી રહ્યા. એટલે સુંદરજીભાઇ પોતાને ઘેર જમવા તેડી ગયા.તે જમીને પાછા તે ડહેલામાં આવીને રામાનંદ સ્વામીની નાની પાટ હતી તેના ઉપર આથમણે મુખારવિંદે વિરાજમાન થયા. અને સર્વે સંત હરિભક્ત હેઠે બેઠા. તે સમયે શ્રીજી મહારાજ તે બે આવેલા વૈરાગી પ્રત્યે બોલ્યા જે, કેમ અમારા સાધુ તમો થશો? ત્યારે કહે હા. પછી એક વાળંદને બોલાવીને મુંડન કરાવીને એક એક ભગવી ચાદર ઓઢાડીને દીક્ષા આપીને કૃપાનંદમુનિ તથા વીરભદ્રાનંદ મુનિ એવાં નામ પાડીને કાનમાં મંત્ર આપીને કહ્યું જે, આ સર્વેને દંડવત્ કરીને પગે લાગો.ત્યારે પ્રથમ ગુરુને દંડવત્ કરીને પછી બીજા સભાના જનને દંડવત્ કર્યાં. તે જોઇને શ્રીજી મહારાજ તેમના ઉપર બહુ રાજી થયા અને અંતરમાં જાણ્યું જે, વિવેક અને સમજણ છે. એમ જાણીને પોતે જગન્નાથપુરીમાં અસુરનો નાશ કરાવ્યો હતો તે વાર્તા વિસ્તારીને કહેતા હતા.તે સાંભળીને ગદ્ગદ્ કંઠે થઇને સ્તુતિ કરવા લાગ્યા જે, હે મહારાજ! તમો તો સાક્ષાત્ સર્વ અવતારના અવતારી પુરુષોત્તમ ભગવાન છો. એમ વિનંતીપૂર્વક બોલ્યા. એટલામાં તો શ્રીહરિની ઇચ્છા થકી તેમને સમાધિ થઇ ગઈ.પછી શ્રીજી મહારાજ બોલ્યા જે, આ બે સંતને ઉપાડી એકાંતમાં સુવાડી મૂકો અને ઉપર વસ્ત્ર ઓઢાડો. તેવું સાંભળીને સભામાંથી ચાર સંત ઉઠીને તે ડેલામાં એક પડાલી હતી તેમાં લઇ જઇ સુવાર્યા. અને એક ચાદર ઓઢાડીને પાછા તે ચારે સંત સભામાં આવીને સર્વેને પગે લાગીને બેઠા. પછી થોડા સમય બાદ તે સાધુ સમાધિમાંથી જાગ્યા અને પોતે બદરિકાશ્રમ, શ્વેતદ્વિપ, વૈકુંઠ, ગોલોક, બ્રહ્મપુરને વિષે જે જે ઐશ્વર્ય જોયાં અને તેમાં અલૌકિક શ્રીજીનું દર્શન કર્યું ઇત્યાદિક વાર્તા કરી. તે સાંભળીને સર્વે સભાસદે શ્રીજીને વિષે પુરુષોત્તમપણાનો નિશ્ચય કર્યો.
🍃🍃🌼🍃🍃 #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #🙏 સ્વામિનારાયણ મંદિર ##જય સ્વામિનારાયણ #✋ જય સ્વામીનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા
#જીવન કોટ્સ...✍🏻 #🌅 Good Morning #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ #😍 ગુડ મોર્નિંગ શાયરી
https://youtu.be/PzygYYHuo4E?si=KqSJMjmVHVtQzkqA #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ ##જય સ્વામિનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા
🍃🍃🌼🍃🍃
બાળ ચરીત્ર...
હે રામશરણજી ! શ્રીરામાનંદ સ્વામી દેહોત્સર્ગ કર્યા પછી શ્રીજી મહારાજ સોરઠ દેશમાં કેટલાક દિવસ વિચર્યા થકા પોતાનો મહા અલૌકિક પ્રતાપ જણાવીને, જે શ્રીરામાનંદ સ્વામીના આશ્રિતો હતા તથા બીજા કેટલાક જન તે સર્વેને પોતાના સ્વરૂપનો યથાર્થ દ્રઢ નિશ્ચય કરાવીને પોતાના શિષ્ય શ્રીભુજનગરમાં રામાનંદ સ્વામીના સત્સંગી જે રથકાર સુંદરજીભાઈ, હીરજીભાઈ તથા ભગવાનજીભાઈ તથા ગંગારામ મલ્લ તથા ડોસાભાઈ તથા કાયસ્થ મહેતા શિવરામભાઈ
તથા મહેતા હરજીવનભાઈ તથા લાધીબાઇ એ આદિક બીજાં કેટલાંક હરિજન બાઈભાઈ તેમણે અતિ આદર વડે સન્માન કરીને ભગવાનજી-ભાઈના ડેલામાં ઉતારો કરાવતા હતા. અને ત્યાં શ્રીરામાનંદ સ્વામીનું સદાવ્રત બાંધેલું હતું. તે સદાવ્રત લેવા માટે પૂર્વ દેશના બે વૈરાગી આવ્યા.તેને શીરોપુરી કરીને શ્રીજી મહારાજે પોતે બહુ હેત દેખાડીને જમાડ્યા, એટલે તેમને બહુ સારૂં લાગ્યું. અને કેટલાક દિવસ ભેગા રહ્યા. અને સમાધિઓ આદિક ઘણોક શ્રીજી મહારાજનો પ્રતાપ ઐશ્વર્ય જોઇને અંતરમાં શાંતિ પામતા હતા. પછી એક દિવસે શ્રીજી મહારાજે તેમને પૂછ્યું જે, તમો ક્યાંથી આવ્યા છો? ત્યારે તે વૈરાગી બોલ્યા જે, અમો તો સરવરીયા બ્રાહ્મણના પુત્ર હતા, બાળપણામાંથી જ ઘરનો ત્યાગ કરીને કલ્યાણને અર્થે જગન્નાથપુરીમાં મૂંડાઇને રહ્યા હતા. પછી એક નાનો બ્રહ્મચારી પંચતીર્થી કરતો સતો તપસ્વીના વેષે ત્યાં આવ્યો. તેણે ત્યાં રહેનારા બીજા કેટલાક વૈરાગીઓને પરસ્પર વિરોધ કરાવ્યો, તેથી કેટલાક વૈરાગી કપાઈ મૂવા અને કેટલાક ઘાયલ પણ થયા અને અમો બે જણ તો જીવ લઈને નાઠા તે બચી ગયા.એટલે કેટલાંક તીર્થમાં ફરતા ફરતા શ્રીદ્વારિકાનાથ જતા હતા.તે આ સદાવ્રત લેવા સારૂં અહીં આવ્યા અને આ તમારો યોગ થયો. તેથી અહીં અમારા અંતરમાં શાંતિ થઇ. એવી રીતે વિસ્તારે સહિત વાર્તા કરી તે સાંભળીને શ્રીજી મહારાજ મંદમંદ હસીને બોલ્યા જે, હવે દ્વારકાનાથ જાઓ. ત્યારે કહ્યું જે, હે મહારાજ ! હવે તો ક્યાંય જવું નથી. તમારા ભેગું અહીં સત્સંગમાં રહેવું છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે, શું સમજીને રહેશો? અને સમજ્યા વિના તો જગતમાં પણ કોઇ રહેતું નથી અને જેને એમ સમજાણું છે જે, આપણે શહેરમાં રહેવું તે ઠીક છે તે શહેરમાં રહે છે અને જેને એમ જાણ્યું છે જે, આપણે ગામડામાં રહેવું તે ઠીક છે, તે ગામડામાં રહે છે. અને જેને વન પર્વતમાં રહેવું ગમે છે તે ત્યાં રહે છે. માટે આ સંસારમાં જ્ઞાની અથવા અજ્ઞાની તે સર્વે સમજણને વિષે રહે, પણ શહેર આદિક જે રહેવાનાં ઠેકાણાં કહ્યાં છે. તેમાં કોઇ રહેતું નથી. માટે આ બધું વિશ્વ સમજણને વિષે રહે છે. અને તમો અમારા સત્સંગમાં શું સમજીને રહેશો ? ત્યારે બોલ્યા જે, હે મહારાજ ! અહીં તમારા સત્સંગને વિષે કલ્યાણનું ઠેકાણું અમે જોયું. તેથી અમો મનમાં તપાસ કરીને રહ્યા છીએ. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે, દ્વારકાનાથ જાઓ, અગર બદ્રિનારાયણ જાઓ, તે સર્વે કલ્યાણનાં ઠેકાણાં છે, તેવું સાંભળીને અતિ નિર્માની થકા બોલ્યા જે, હે મહારાજ ! અમારે તો તમારાં દર્શનને વિષે સર્વે સાધન સંપૂર્ણ થઇ રહ્યાં છે. અને જેમ તમો કહો તેમ કરવું છે, અને તમો જ્યાં મોકલશો ત્યાં અમારે રાજી થઇને જવું છે. તેવાં દીનપણાનાં વચન સાંભળીને બહુ પ્રસન્ન થતા હતા.
🍃🍃🌼🍃🍃 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗
#😍 ગુડ મોર્નિંગ શાયરી #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ #🌅 Good Morning #જીવન કોટ્સ...✍🏻
https://youtu.be/XhoFxHnXS5M?si=iCsRTquZlWgTnpT ##જય સ્વામિનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ -











