🍃🍃🌼🍃🍃
બાળ ચરીત્ર...
એક સમયે ગ્વાલીયર પરગણે ગામ ધોરીમાર્ગમાં બે સ્ત્રીપુરુષ સારા સત્સંગી સુથાર હતાં. તે બન્નેને પરસ્પર કોઇક દિવસે વઢવેડ થઇ. ત્યારે તે બાઇ અણસમજણથી રીસાઇને સંધ્યા સમયે કૂવે પડવા ગઇ. તે કૂવાના કિનારે ઘડી એક બેસીને પોતાના ઇષ્ટદેવ સ્વામિનારાયણનું ઉચ્ચ સ્વરે નામ લઇને ભજન કરતી સતી તે કૂવામાં પડતી હતી, કે તરત શ્રીજી મહારાજ પોતાના ભક્તની સહાય કરવા માટે આવીને તે બાઇની રક્ષા કરીને તેને ભય બતાવીને બોલ્યા જે, આત્મઘાત જે કરે છે તેના જીવનો કદી મોક્ષ થતો નથી. એમ કહીને તે સુથારના ઘેર જઇને તેને ત્રણ સોટીઓ મારીને ઠપકો દેવા લાગ્યા, ત્યારે તે સુથાર તુરત પગે લાગીને કહ્યું જે, હે મહારાજ ! તમો અત્યારે કયાંથી આવ્યા ? ત્યારે બોલ્યાજે, તારી સ્ત્રી કૂવામાં પડી છે. એમ કહીને અદ્રશ્ય થઇ ગયા. પછી તે સુથાર ઉતાવળો થકો પોતાના ઘરમાં ચારે તરફ જોઇને ન દેખી એટલે બીજાં કેટલાંક માણસોને લઈને કૂવા ઉપર ગયો. ત્યારે તે બાઇ કૂવામાં પાણી ઉપર બેઠેલી હોયને શું ? એવી થકી શ્રીજી મહારાજનું ભજન કરતી હતી. પછી તે બાઇને બહાર કાઢી એટલે તે વૃત્તાંત કહેતી હતી. તે સાંભળીને કેટલાંક જનોએ તે કૂવામાં ઉતરીને જોયું તો લાકડું આદિક કોઇ પણ આધાર ન મળે. એવો પ્રગટ પ્રતાપ જોઈને શ્રીજી મહારાજનું વિશેષ ભજન કરતાં હતાં.
🍃🍃🌼🍃🍃 #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗


