ગુજરાતના મુસાફરોને મોટો ઝટકો: સ્પાઈસજેટ 1 જૂનથી તમામ 12 ફ્લાઈટો બંધ કરશે! જાણો કયા શહેરોને લાગશે ફટકો?
Ahmedabad News: વેકેશનની સીઝનમાં પ્રવાસનું આયોજન કરી રહેલા ગુજરાતના હવાઈ મુસાફરો માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. ભારે આર્થિક સંકટ અને કાનૂની વિવાદોમાં ઘેરાયેલી બજેટ એરલાઇન સ્પાઈસજેટ (SpiceJet) આગામી 1 જૂનથી ગુજરાતમાંથી તેનું ઓપરેશન સમેટી લેવા જઈ રહી છે. કંપનીએ ગુજરાતના ત્રણ મુખ્ય શહેરોમાંથી ઓપરેટ થતી તમામ 12 ફ્લાઈટો બંધ કરવાનો મોટો નિર્ણય લીધો છે.