ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો
ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ત્યારે ક્ષત્રિય ઠાકોર સમાજે પાટનગર ગાંધીનગરમાં 26 મી જાન્યુઆરીએ મધરાતે શક્તિ પ્રદર્શન કર્યું. અડધી રાત્રે ગાંધીનગરના રામકથા મેદાનમાં ઠાકોર સમાજનું મહા સંમેલન યોજાયું હતું. અભ્યુદય નામે ક્ષત્રિય ઠાકોર સેનાના મહાસંમેલનમાં સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો તથા સમાજના જાણીતા લોકો ઉપસ્થિત રહ્યા હતા. ઠાકોર સમાજના સામાજીક અને શૈક્ષણિક સુધારણા માટે આ સંમેલન મળ્યું છે. આ સંમેલનમાં સાસંદ ગેનીબેન ઠાકોર, કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી, કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર, સાસંદ બારીયા, ધારાસભ્ય લવીંગજી ઠાકોર, પૂર્વ મંત્રી દિલીપ ઠાકોર, કેશાજી ઠાકોર સહિતના નેતાઓ હાજર રહ્યા. તો આ ઉપરાંત કલાકાર વિક્રમ ઠાકોર, ભરત બારીયા, કીર્તીદાન ગઢવી પણ હાજર રહ્યા. આ પ્રસંગે અલ્પેશ ઠાકોરની