#✅અધિક માસમાં શું કરવું શું ન કરવું🙅♂️ #ॐ નમો ભગવતે વાસુદેવાય નમઃ
*🥞માલપુડા નું દાન🥞*
🥞અધિક માસ દરમિયાન માલપૂળા ના દાનનું ઘણું મહત્વ છે, જેમાં ૩૩ નંગ માલપુડા નું દાન નું મહત્વ દર્શાવવામાં આવેલ છે.
🥞દાન માં માલપુડા જ કેમ ? અને ૩૩ માલપુડા જ કેમ ?
તો માલપુડા માં નાના-નાના છીદ્રો પડે છે, તે છીદ્રો માટે તેમ કેહવામાં આવેલ છે કે તે જેટલા છિદ્રો હોય તેટલા નર્ક આપડા પિતૃઓને ભોગવવા પડતા નથી, અને તેટલી યાતનાઓ તેમને ઓછી ભોગવવી પડતી હોય છે.
🥞આમ ત્રીસ દિવસના ૩૦ માલપુડામાં નું દાન દર્શાવવામાં આવેલ છે, તથા બીજા આ સાથે બીજા ૩ માલપુડા માટે એમ દર્શાવવામાં આવેલ છે કે આપણે આપણા જીવનમાં લગ્ન કરાવેલ છોકરીના ઘરનું જમણવાર કર્યું હોય તો તે પણ એક પાપ છે તો તે પાપ ના દોષ માંથી મુક્તિ માટે ૩૧ મો માંલપુડો છે. ૩૨ મો માલપુડો આપણે જો કોઈ બ્રાહ્મણ અને ગુરુના ઘરનું જમણવાર કર્યું હોય તો તેના દોષ ના શમન માટે છે, તથા ૩૩મા માલપુડા આપણે કોઈના ગૃહનું વાસ્તુ, શ્રીમંત કે સુતક નું જમ્યા હોય તેનો દોષ ન લાગે તેના માટે કરવામાં આવે છે.
🥞આ પુરા અધિક માસ દરમિયાન ૩૩ માલપૂળા (ઘી માં બનાવેલ) નું દાન કરવામાં આવે તો આપણા દરેક પૂર્વજોને માલપુડા માં પડેલા છિદ્રો જેટલા નર્ક ભોગવવા પડતા નથી તથા આપને ગૃહસ્થ જીવન વાળા જાતક પણ ઉપરોક્ત ૩ પાપ માંથી મુક્ત થવાય છે
🙏ૐ નમો નારાયણ🙏