c.j. jadav
780 views
4 days ago
🍃🍃🌼🍃🍃 🥀વૈશાખ સુદ - ૧૧ મોહિની એકાદશી.             પ્રભુ શ્રી રામચંદ્રજી કુળ ગુરુ શ્રી વશિષ્ઠમુની ને પૂછે છે :- હે ભગવન ? હે મહામુને ? મેં સીતાવીયોગના ઘણા દુઃખ ભોગવ્યા. માટે આપને પૂછું છું કે , સર્વે વ્રતોમાં ઉત્તમ હોય , પાપોનો ક્ષય કરનાર હોય , સર્વ દુઃખોનો નાશ કરનાર હોય , એવું ક્યુ વ્રત  છે તે જણાવવા કૃપા કરશો !!           વશિષ્ઠમુની બોલ્યા :- હે શ્રી રામ ? તમારી બુદ્ધિ બહુ સ્થિર છે. તમે ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે. હે રામચંદ્ર ? તમારું નામ લેવાથી જ મનુષ્ય પવીત્ર થાય છે. છતાં પણ લોકોના કલ્યાણને અર્થે ઉત્તમ વ્રત ની કથા કહું છું.              સરસ્વતી નદીના કિનારે ભદ્રાવતી નગરી છે ત્યાં ધૂતિમાન નામે રાજા હતા. રાજા ધૈર્યવાન અને સત્ય પ્રતિગ્ય હતા. તે નગરમાં એક ધનપાલ નામે વણિક હતો. એ વિષ્ણુભક્ત અને પુણ્યશાળી હતો. તેણે ધર્મશાળા , અન્નક્ષેત્ર , પરબ , તળાવ , બગીચા વગેરે નિર્માણ કરાવ્યા હતા. ને ઘણાંક ધર્મ કાર્ય પણ કર્યા હતા. તેને સુમના, ધુતિમાન, મેઘાવી, સુકૃતિ અને ધૃસ્ટબુદ્ધિ આ પાંચ પુત્રો હતા. તેમાં ધ્રુસ્ટબુદ્ધિ ઘણો જ પાપી અને વ્યભિચારી હતો. દેવ , અતિથિ , વૃદ્ધ , બ્રાહ્મણ , માતા - પિતા વગેરે કોઈની પણ આમન્યા રાખતો નહિ. સદા મદિરાપાન કારીને વેશ્યાલયોમાં ફરતો. આથી તેના પિતાએ તેને ઘરમાંથી કાઢી મુક્યો.           પછી ધન ખલાસ થઈ જતા ધૃસ્ટબુદ્ધિ ચોરી કરવા ગયો પરંતુ સિપાઈઓના હાથે પકડાઈ ગયો. તેના પિતા પ્રતિષ્ઠિત હોવાથી રાજાએ છોડી મુક્યો. છતાંય તે વારંવાર ચોરી કરતા પકડાયો. આથી રાજાએ થોડો દંડ આપીને દેશનિકાલ કર્યો.             પછી તે વનમાં ભટકવા લાગ્યો. જંગલમાં પશુ - પક્ષીઓના શિકાર કરીને નિર્વાહ ચલાવે. એમ કરતાં એક દિવસ પૂર્વના પુણ્ય હોવાથી કૌડીન્ય ઋષિના આશ્રમમાં જઈ ચડ્યો. ત્યાં ઋષિ ગંગામાં સ્નાન કરવા જળમાં ઉભા હતા. ત્યાં ગયો. સમર્થ અને તપસ્વી મુનિના વસ્ત્ર ઉપરથી તેના ઉપર જળના છાંટા પડયા. તેથી તેની બુદ્ધિ નિર્મલ થઈ. પાપો બળી ગયા. તે ઋષિમુનિને હાથ જોડીને કહેવા લાગ્યો :- હે મુનિવર ? મેં આ જન્મથી જ ઘણા જ પાપ કર્યા છે.  મને પાપી જાણીને રાજાએ મને દેશવટો આપ્યો છે. મારી પાસે બિલકુલ ધન નથી. માટે ખર્ચ વિનાનું પ્રાયશ્ચિત હોય તે મને બતાવો.           ઋષિમુની કહે છે કે તારા પાપોનો ક્ષય થાય  તેવો સરળ ઉપાય બતાવું છું. વૈશાખ સુદ મોહિની એકાદશીના દિવસે તું ઉપવાસ કરીને એક દિવસ અને રાત વિષ્ણુનું ભજન - સ્મરણ પૂજન કરે. આ વ્રતથી મેરુ પર્વત જેવડા પાપો પણ નષ્ટ થાય છે. કૌડીન્ય મુનિના આ વચન સાંભળીને ધૃસ્ટબુદ્ધિએ વિધિ પૂર્વક વ્રત કર્યું. તેથી તેના સર્વે પાપોનો નાશ થઈ ગયો. તે  અલૌકિક દિવ્ય શરીર ધારણ કરીને ગરુડ ઉપર બેસીને વૈકુંઠમાં ગયો.             હે રામચંદ્રજી ?? આવી રીતે  અજ્ઞાન અને મોહનો નાશ કરનાર આ મોહિની એકાદશીનું વ્રત છે. ત્રણેય લોકમાં આથી ઉત્તમ બીજુ વ્રત નથી. તીર્થસ્નાન , યજ્ઞ , દાન વગેરે કોઈ પણ મોહિની વ્રતના સોળમાં ભાગની તુલના કરી શકે તેમ નથી. આ કથાનો પાઠ કરવાથી અથવા સાંભળવાથી હજાર ગૌદાનનું પુણ્ય મળે છે.              આવી રીતે કૂર્મ પુરાણમાં વૈશાખ સુદ - ૧૧ મોહિની એકાદશીના વ્રતનું મહાત્મ્ય કહેલું છે.                    🍃🍃🌼🍃🍃 #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #એકાદશી #આજે મોહિની એકાદશી છે.