Follow
Prakash Patel
@3075628873
180
Posts
216
Followers
Prakash Patel
537 views
22 hours ago
#👣 જય મેલડી માઁ #🙏હિન્દૂ દેવી-દેવતા🌺 #રામાયણ🏹 🌞અયોધ્યા કાંડ.. 01 ༺꧁📙 🌞 હરિ દૂત 🕊 https://www.facebook.com/share/p/18T83zQsTf/ 🌞દશરથ રાજાના સર્વે કુંવરો ના લગ્ન થઇ ગયા.અને કુંવરો હવે રાજકાજ માં મદદ કરે છે. રાજાના સુખ નો કોઈ પર નથી.શ્રીરામ પ્રજા ને સર્વ રીતે સંતુષ્ટ રાખે છે. શાસ્ત્રમાં લખ્યું છે કે પિતાએ સહુ આગળ જીતવાની ઈચ્છા રાખવી પણ પુત્ર આગળ હારવાની ઈચ્છા કરવી. કહેવા એમ માગે છે કે બાપ કરતા બેટો સવાયો થાય,દોઢો થાય.(દોઢ ડાહ્યો નહિ)તેવી ઈચ્છા રાખવી. બાપ કરતા દીકરો ધર્મ-કાર્ય,શુભ-કાર્યો માં આગળ વધે,સારા કર્મોમાં પોતાના કરતાં ચડિયાતી કીર્તિ પ્રાપ્ત કરે એવી બાપે ઈચ્છા રાખવી.અને એવી રીતે દીકરા ને ઘડવો.તે જવાબદારી મા-બાપ ની છે ઘડ્યા વગર ઘાટ ની ઈચ્છા રાખવી તે મૂર્ખતા છે.સોનાની લગડી તે કોઈ ઘાટ નથી, લગડી પહેરી ને કોઈ ફરે નહિ.લગડી નો ઘાટ ઘડવો પડે છે. દીકરો ભલે સોનાની લગડી જેવો હોય.કે સોના જેવો વહાલો હોય,પણ મા-બાપ તેને ઘડી ને ઘાટ ના કરે તો, એ સોનાની લગડી ઘરમાં હોય તો યે શું ને નાં હોય તો યે શું? “છે” એમ સમજી ને મન રાખવાનું પણ તેનો (તેવા સંતાન નો) કશો ઉપયોગ નથી.(તે કશા કામનો નથી) દશરથરાજાએ પુત્રો ને ઘડ્યા હતા,તેમણે વસિષ્ઠ અને વિશ્વામિત્ર જેવા ગુરુઓ પાસે શિક્ષણ અપાવ્યું હતું. અને એથી જ આજે તેમના સુખ નો પાર નથી. રામચંદ્રજી વેદવિદ્યા,ધનુર્વિદ્યા અને રાજવિદ્યા ભણ્યા હતા.રામચંદ્રજી ના ગુણો નું વર્ણન કરતાં વાલ્મિકીજી થાકતા નથી.તેઓ કહે છે કે રામચંદ્રજી સર્વ ગુણો ના ભંડાર છે,તેમણે કોની સાથે સરખાવવા? તેમના જેવા જગતમાં કોઈ નથી તો પછી તેમનાથી અધિક તો કેવી રીતે હોઈ શકે? એટલે જ કહે છે કે-રામચંદ્રજી જેવા તો રામચંદ્રજી જ છે. રામચંદ્રજી બધામાં ગુણ જ જુએ છે,કોઈનામાં તેમને દોષ કે દુર્ગુણ દેખાતો જ નથી. કોઈ કઠોર વચન કહે તો પણ સામે તે કઠોર વચન કહેતાં નથી. બીજા એ કરેલા કરોડો અપ-કારો ને ભૂલી જઈ ને તેઓ તેના (બીજાએ કરેલા) એક નાના ઉપકાર થી પોતાને ઋણી સમજે છે. પોતાના થી ઉંમરમાં મોટા અને શીલ-જ્ઞાન થી ભરપૂર વયોવૃદ્ધ પાસે થી જ્ઞાન મેળવવા હંમેશા તત્પર રહે છે.પોતે મહાન પરાક્રમી છે છતાં પરાક્રમ નો તેમણે ગર્વ નથી.દયાળુ છે,ધર્મજ્ઞ છે,વિપત્તિ માં પણ સત્ય બોલનારા છે,ધર્મ.અર્થ,કામ અને મોક્ષ ને જાણનારા છે,વ્યવહારનીતિ સમજવાવાળા છે, હર્ષ અને ક્રોધ ને કાબુમાં રાખનારા છે,સ્થિર બુદ્ધિ વાળા ને અસદ વસ્તુ ને નહિ ગ્રહણ કરનાર છે,માતા-પિતા અને ગુરુમાં દૃઢ પ્રીતિ વાળા છે,સદા સાવધાન,બીજા ને ઉદ્વેગ ના થાય તેવું બોલવાવાળા છે.કર્તવ્ય માં આળસરહિત છે,ન્યાય-નીતિ માં નિષ્પક્ષ છે,દેશ-કાળ ને જાણનારા છે,નિગ્રહ-અનુગ્રહ કરવામાં વિચક્ષણ છે, પ્રજા ને હાનિ ના થાય તેમ કર લેવામાં ચતુર છે,રમત-ગમત,ગીત-વાજિંત્ર,ચિત્ર-શિલ્પ આદિ ના જાણકાર છે,હાથી,અશ્વ,રથ વગેરે ની સવારી કરવાની કળાના જાણનાર છે,યુદ્ધ ના વ્યૂહો માં નિપુણ છે, આવા શ્રીરામના પ્રત્યેક ગુણો તેમના વ્યવહારમાં પ્રગટ થયા હતા. તેથી પ્રજા એવી ખુશ હતી કે ક્યારે શ્રીરામ રાજા થાય?એની રાહ જ જોતી હતી. જો કે દશરથ રાજાના રાજ્ય કારભારમાં પ્રજા સર્વ રીતે સુખી જ હતી,કોઈ વાતે દુઃખ નહોતું, તેમ છતાં રામને રાજા તરીકે જોવાની પ્રજા ને હોંશ હતી. દશરથ રાજા સુખ ની ટોચે હતા,પણ તે ટોચ પર કોઈ કાયમ રહી શકતું નથી. સુખ-દુઃખ નું ચક્કર સંસાર માં ફર્યા જ કરે છે.સંસાર છે ત્યાં લગી દુઃખ તો છે જ. સરે-તે –સંસાર. છે-છે-અને નથી એ સંસાર. હાથમાં આવી ને સરકી જાય તે સંસાર. મોહ પમાડી ને પાછળ દોડાવે અને પકડવા જતાં સરી જાય તે સંસાર. આ સંસારની ગાદી પર કોઈ ચીટકી ને બેસી શકતું નથી. સુખ નું બીજું પાસુ દુઃખ છે.સુખમાં જ દુઃખ છે. તત્વ થી જોવા જાઓ તો સુખ એ જ દુઃખ છે.કારણકે તે અંત વાળું છે.તેનો નાશ નક્કી છે. અને જેનો નાશ થાય તે શાશ્વત (સત્ય) હોઈ શકે જ નહિ.બિલકુલ સાદો હિસાબ છે,પણ સમજવો છે કોને? ❛❛🕉️🏹જય શ્રી રામ🙏❜❜ ❛❛🕉️ જય હનુમાન દાદા 🙏❜❜
See other profiles for amazing content