#🙏હિન્દૂ દેવી-દેવતા🌺 #👣 જય મેલડી માઁ #રામાયણ🏹
🌞 અરણ્ય કાંડ..
08
༺꧁📙 🌞 હરિ દૂત 🕊
https://www.facebook.com/share/p/18ZXTaevSp/
🌞 .. .. તપ કરીને જે,મનુષ્યનો આત્મા,પરમાત્મા સાથે એક-ચિત્ત બને તો,પરમાત્મા ની શક્તિ તેના દ્વારા વહે.અને પછી કશું જ અશક્ય નથી,કશું જ અસાધ્ય નથી.અને એવા તપસ્વી ને ઘેર પ્રભુ એમને શોધતાં શોધતા એમના દ્વારે ટકોરા મારે છે.અતિથી બને છે.તપ નું આ ફળ છે.
એકવાર,તુકારામ માંદા હતા અને તેથી વિઠોબા (વિઠ્ઠલ) ના દર્શન કરવા જઈ શક્યા નહિ,તો વિઠોબા જાતે તુકારામ ને ઘેર પહોંચી ગયા ને દર્શન આપ્યા.ભક્ત ને પરમાત્માનાં દર્શન ની જેટલી આતુરતા છે એટલી જ ભગવાનને ભક્ત નાં દર્શન ની આતુરતા છે!!! ખરો ભક્ત એ છે કે જેની ભગવાન ચિંતા કરે.
અનસૂયા એ સીતાજી ને ખૂબ હર્ષ થી આશીર્વાદ આપ્યા.સીતાજી ને પતિ સાથે વનવાસ ભોગવતા જોઈ તેમણે,તેમને ખૂબ ધન્યવાદ આપ્યા,ને કહ્યું કે-જે સ્ત્રી પતિ ની સાથે રહીને,તેની આજ્ઞામાં રહીને ધર્માચરણ કરે તેને ધન્ય છે.પતિસેવા એ સ્ત્રી માટે મોટું તપ છે,તારું તપ જોઈ હું પ્રસન્ન છું,માટે મારી પાસે થી કંઈક માગ. ત્યારે સીતાજી એ કહ્યું કે-આપની દયા સિવાય મારે બીજું કશું ના જોઈએ.
તેમ છતાં પણ અનસૂયા એ કદી પણ કરમાય નહિ તેવી ફૂલની માળા અને કેટલાંક દિવ્ય વસ્ત્રો આપ્યાં.
આ વસ્ત્રો એવાં હતા કે તે કદી બગડે નહિ કે ભીનાં પણ થાય નહિ.
અત્રિ-ઋષિ નો આશ્રમ છોડી ને શ્રીરામ આગળ ચાલ્યા.દક્ષિણ તરફ જવાનો તેમનો નિર્ધાર હતો.
હવે વધારે ભીષણ વનમાં તેમનો પ્રવેશ થયો.વન સુંદર છે,પણ એ ગીચ હોવાને કારણે ભીષણ લાગે છે.
તેમાં અનેક તપસ્વીના આશ્રમો છે અને રાક્ષસો નો પણ વાસ છે.
રસ્તામાં રામ-લક્ષ્મણે એક વિકરાળ રાક્ષસ ને રસ્તો રોકી ને પડેલો જોયો,ઘડીક માં તો તેણે સર્પ નું સ્વરૂપ લઇ ને સીતાજી ને ઉપાડી ને લઇ ગયો અને રામ-લક્ષ્મણ ને ડરાવવા લાગ્યો અને કહેવા લાગ્યો કે-
હું મહા ભયંકર વરાધ (રાક્ષસ) છું,અહીંથી ભાગી જાઓ નહિતર હું તમને ખાઈ જઈશ,
લક્ષ્મણે એકદમ બાણ નો મારો ચલાવી તેને અટકાવ્યો.ત્યારે ગુસ્સે થઇ વરાધ,સીતાજી ને બાજુ પર મૂકી દઈ ને, ત્રિશુલ લઇ ને રામ-લક્ષ્મણ ને મારવા ધસ્યો.ત્યારે રામજી એ બાણ ચલાવી ત્રિશુલ ના બે ટુકડા કરી દીધા.વરાધ ચમક્યો-તેણે આવું બળ પહેલાં ક્યાંય જોયું નહોતું,પણ હવે તે મરણિયો બની ને વિકરાળ સ્વરૂપ ધારણ કરી ને મોં ફાડી ને રામ-લક્ષ્મણ ને જાણે,ગળી જવા દોડ્યો.
પણ રામજી ની આગળ તેનું કશું ચાલ્યું નહિ,રામજી ના એક બાણે તે ધરાશયી થઇ ગયો.ત્યારે લક્ષ્મણે એક મોટા ખાડામાં હાથી ને દાટે તેમ દાટી દીધો.
શ્રીરામ ના હાથે મરણ પામતાં તે વરાધ રાક્ષસ દિવ્યરૂપ શરીરે પ્રભુના ના ધામમાં ગયો,
પૂર્વ-જન્મ માં તે એક ગંધર્વ હતો ને કુબેર ના શાપ થી તે રાક્ષસ થયો હતો.
રાક્ષસ એટલે અવિવેક અને અધર્મ-બુદ્ધિ.રામજી તેમના માં વિવેક અને ધર્મ-બુદ્ધિ નો પ્રકાશ પ્રેરી
અને તે અવિવેક-અધર્મ બુદ્ધિ ના અંધકાર ને દૂર કરે છે.
ત્યાંથી આગળ ચાલતાં શ્રીરામ,શરભંગ-ઋષિ ના આશ્રમ માં પહોંચ્યા.ત્યારે દેવાધિદેવ ઇન્દ્ર શરભંગ-ઋષિ ના દર્શને પોતાના રસાલા સાથે આવ્યો હતો,પણ એકાએક રામને ત્યાં આવી ચડેલા જોઈ તેણે ચુપચાપ ત્યાંથી વિદાઈ લઇ લીધી. શ્રીરામ તો સહુ ના માલિક અને તેમની આગળ પોતે મોટો ઠાઠ કરે તે શોભે નહિ,એમ સમજી ને ઇન્દ્ર શરમાઈ ગયો હતો અને ત્યાંથી ચાલ્યો ગયો.
ઇન્દ્ર ને સત્કારવા શરભંગ-ઋષિ પોતાના આસંપરથી ઉઠયા નહોતા પણ રામ આવ્યા છે તે જોઈને તેઓ એકદમ ઉભા થઇ ને રામને મળવા દોડ્યા અને ભાવ થી ભેટી પડ્યા,અતિ પ્રસન્નતાથી સ્વાગત કરીને,
તે શ્રીરામને કહેવા લાગ્યા કે-આપે વનવાસ લીધો છે એવું સાંભળ્યું,ત્યારથી હું રાત-દિવસ આપની રાહ જોઈ રહ્યો છું,કેટલાય વખત થી હું શરીર છોડી દેવાનો વિચાર કરું છું,પણ આપનાં દર્શન અર્થે શરીર ને ટકાવી રાખ્યું છે.હવે આપનાં દર્શન થયા એટલે મને મારી તપસ્યા નું ફળ મળી ગયું.
અત્યાર સુધી મેં જે જપ,તપ,યજ્ઞ વગેરે જે સર્વ કર્યાં છે,તે સર્વ હું આપનાં ચરણમાં અર્પણ કરી દઉં છું,
હવે હું એટલું જ માગું કે નિરંતર મારા હૃદય માં નિવાસ કરીને રહો.અને હું દેહ છોડી દઉં ત્યાં સુધી મારી નજર સામે રહો.આમ કહી તેમણે શ્રીરામના ચરણમાં પ્રણામ કર્યા,અને તે અગ્નિહોત્રી ઋષિ એ,ચિત્ત ને પ્રભુ સ્મરણમાં સ્થિર કરી ને શરીર ને અગ્નિ માં સમર્પિત કરી દીધું,થોડીવાર પછી,અગ્નિકુંડ માંથી એક દિવ્ય દેહવાળો કુમાર બહાર નીકળ્યો,કે શરભંગ-ઋષિ પોતે હતા,અને આ દિવ્ય રૂપે તેઓ આ શરીર છોડી ને બ્રહ્મ-લોક માં પધાર્યા. ઋષિ-મુનિઓએ એમનો જયજયકાર કર્યો.
🌞 અરણ્ય કાંડ..
09
༺꧁📙 🌞 હરિ દૂત 🕊
શ્રીરામચંદ્રજી શરભંગમુનિ ના આશ્રમ માં પધાર્યા છે તે જાણી ઘણા ઋષિ-મુનિઓ તેમના દર્શન કરવા ભેગા થયા. તે બધા જુદે જુદે રહીને તપસ્યા કરતા હતા,તેમણે રાક્ષસો ના ત્રાસ ની વાત રામજી ને કરી.અને કહ્યું કે-હવે અમારાથી આ ત્રાસ સહન થતો નથી,અમે તમારું રક્ષણ કરો.અમે તમારા શરણે છીએ.
આ સાંભળી શ્રીરામે કહ્યું કે-હે મુનિવરો,તમે નિશ્ચિંત રહો,બહારથી જોતાં હું પિતાજી ની આજ્ઞાનું પાલન કરવા વનમાં આવ્યો છું,પણ અંદરથી જોતાં,હું રાક્ષસો નો સંહાર કરી,તમને સુખી કરવા જ વનમાં આવ્યો છું.રાક્ષસો નો સંહાર કરી તમને સુખી કરવા એ મારું કર્તવ્ય છે,એમ માની ને જ મેં આ દંડકારણ્યમાં પ્રવેશ કર્યો છે,આજે હું પ્રતિજ્ઞા કરું છું કે હું રાક્ષસો ને હણીશ.
રામચંદ્રે આવી ભીષણ પ્રતિજ્ઞા લઈને ઋષિ-મુનિઓ ને આશ્વાસન આપ્યું.
સીતાજી તે વખતે કશું બોલ્યા નહિ પણ જયારે આગળ પ્રવાસ ચાલુ થયો ત્યારે તેમણે પોતાના મનની વાત રામજી ને કરી કે-હે સ્વામી,તમે જીતેન્દ્રિય છો,ધર્મિષ્ઠ છો,સત્ય નું પાલન કરનારા છે,અને સર્વ ધર્મો અને સત્યો ના તમે આશ્રય છો,તો વિના કારણ પરાયા પ્રાણો ની હિંસા કરવાની પ્રતિજ્ઞા કેમ કરી તે મને સમજાતું નથી.ત્યારે રામજી કહે છે કે-ઋષિ-મુનિઓ અને બ્રાહ્મણો આવી એક ક્ષત્રિયને નમન કરે તે મને અજુગતું લાગ્યું અને જયારે તેમણે શરણું માગ્યું અને રક્ષણ માટેની પ્રાર્થના કરી,ત્યારે મેં કહેલું કે –આપ સર્વ પવિત્ર મુનિઓ એક ક્ષત્રિય ને નમે તે મને શરમાવા જેવું થાય છે,માટે આપ ખુશી થી મને આજ્ઞા કરો.
ત્યારે ઋષિ-મુનિઓ એ રાક્ષસો ને મારવાની જે આજ્ઞા કરી તેને લીધે મેં પ્રતિજ્ઞા કરી છે.ઋષિ-મુનિઓ નું કાર્ય કરવું એ મારો ધર્મ છે.એમની આજ્ઞા ના હોત તો પણ તેમનું રક્ષણ કરવાની મારી ફરજ છે.
મારા પર પ્રીતિ ને લીધે તમે મને જે વચન કહ્યું,તેથી હું પ્રસન્ન છું,સ્નેહી-જન જ સ્નેહી ને આવી રીતે કહી શકે છે.તમારા આવા ઉત્તમ સ્વભાવ ને લીધે જ તમે મને પ્રાણથી યે પ્રિય છો.
શરભંગ-ઋષિ નો આશ્રમ છોડ્યા પછી શ્રીરામ સુતીક્ષ્ણ –ઋષિ ના આશ્રમ માં આવ્યા.રામચંદ્ર આવી રહ્યા છે તે જાણી સુતીક્ષ્ણ-મુનિ તેમનો સત્કાર કરવા દોડ્યા.શ્રીરામ તેમના આરાધ્ય દેવ હતા અને આજે જયારે સદેહે તેમની પધરામણી થતી હતી ત્યારે તે પાગલ સરીખા બની ગયા હતા.અને રામ-રામ કરી- અહીં તહીં
શ્રીરામ ને શોધતા હતા.રામજી ઝાડ ના ઓથે થી ભક્ત ની આતુરતા જોતા હતા.અને પ્રસન્ન થઈને
ભક્તને દર્શન આપ્યા.અને દર્શન થતાં જ મુનિને રસ્તા વચ્ચે જ સમાધિ લાગી છે.
તુલસીદાસજી તે વખત ની મુનિ ની સ્થિતિ નું વર્ણન કરતાં કહે છે કે-
ફણસ ના ફળ ની પેઠે મુનિ નું આખું શરીર આનંદથી રોમાંચિત થઇ ગયું.
શ્રીરામ મુનિ ની પાસે ગયા અને સમાધિમાંથી જગાડતા કહ્યું કે-મુનિવર,ઉઠો,તમે તો મારા પ્રાણ સમાન છે.પણ મુનિ જાગે તો ને?મુનિ તો પોતાના અંતરમાં પ્રગટેલ શ્રીરામ ના દર્શન કરવામાં મસ્ત બની ગયા હતા.તેમની તમામ ઇન્દ્રિયો,મન ને બુદ્ધિ બધું ભગવાન ના સ્વરૂપ ની સેવામાં લાગી ગયું હતું.
તેમને પોતાના સ્થૂળ શરીર નું ભાન લેશ-માત્ર રહ્યું નહોતું.
તુલસીદાસ કહે છે કે-રામની કૃપાએ મુનિ નાં દુઃખ-દારિદ્રય નો નાશ કરી નાખ્યો હતો.
રામજી નો એવો સ્વભાવ છે કે-ભક્તો ને ચિરંતન સુખ નું દાન કરવું.
અને મુનિ એ સુખ-સમાધિમાંથી હટવા માગતા નહોતા.
હવે શ્રીરામે પોતાનું રાજવી રૂપ છુપાવ્યું અને મુનિ ના અંતરમાં તેઓ ચતુર્ભુજ ભગવાન રૂપે પ્રગટ થયા.
પોતાના ઇષ્ટદેવના સ્વરૂપ ને બદલે ચતુર્ભુજ સ્વરૂપ ઋષિ ને રુશ્યું નહિ,અને ઇષ્ટદેવ ના સ્વરૂપ ને અદશ્ય થયેલું જોઈ,મુનિ વ્યાકુળ થયા ને એમને આંખો ઉઘાડી ને જોયું તો પોતાની સામે જ,ઇષ્ટદેવ ને
ઉભેલા જોયા,અને જોતાં જ એવો હર્ષ થયો કે-શ્રીરામ ના ચરણ માં ઢળી પડ્યા.
શ્રીરામની કૃપા નો કોઈ પાર નથી,પોતાની વિશાળ ભુજાઓથી તેમણે મુનિ ને ઉભા કર્યા,
ને બહુ જ પ્રેમથી, હૃદય સરસા ચાંપ્યા.જાણે સોનાના વૃક્ષ ને તમાલ નું વૃક્ષ ભેટ્યું.
મુનિ સ્તબ્ધ બની ને એકીટશે રામજી તરફ જોઈ રહ્યા છે,હજુ પણ કોઈ અકળ અભાન અવસ્થામાં છે.
(#રામાયણ🏹
સરળ સમજૂતી સાથે..
તમને સમજાય તેવી સરળ શૈલી માં.. દરરોજ facebook માં..)
❛❛🕉️🏹જય શ્રી રામ🙏❜❜
❛❛🕉️ જય હનુમાન દાદા 🙏❜❜
#🙏હિન્દૂ દેવી-દેવતા🌺 #👣 જય મેલડી માઁ #રામાયણ🏹
🌞 અરણ્ય કાંડ..
07
༺꧁📙 🌞 હરિ દૂત 🕊
https://www.facebook.com/share/p/187QJWV9Cv/
🌞 .. .. સર્વ પ્રત્યે સમભાવ રાખવાથી સત્કાર્ય સફળ થાય છે.સર્વ નું કલ્યાણ થાય એ જ સત્કાર્ય.
જીવ-માત્ર ના હિતમાં રત રહેવું,તે સાત્વિકતા-તે સત્વગુણ.અને સત્વગુણ હંમેશાં સત્યને પડખે જ રહેશે.
કુટુંબી જનો અસત્ નો પક્ષ લેતાં હશે તો તેમનો પણ ત્યાગ કરી ને સત્વ-ગુણી સત્યના પક્ષે જશે.
અને વિભિષણે પણ તેમ જ કર્યું,વિભીષણ એ સત્વ-ગુણી છે.
સર્વમાં સદભાવ રાખવો તે ઉત્તમોત્તમ ધર્મ છે.સદભાવ એટલે ઈશ્વરનો ભાવ.
જેનો કદી ક્ષય (નાશ) થતો નથી તે “સદ” (સત્ય) છે.ઈશ્વર સત્ય સ્વરૂપ છે માટે સદભાવ ઈશ્વરનું રૂપ છે.
તેથી તો વ્યાસ ભગવાને ભાગવત ના મંગલાચરણમાં-સત્યં પરં ધિમહિ-કહી સત્ય નું ધ્યાન કરવાનું કહ્યું છે.સત્યનું ધ્યાન તે બ્રહ્મ-સંબંધ કરાવે છે,અને આ બ્રહ્મ-સંબંધ કરવો કઠણ છે અને
બ્રહ્મ-સંબંધ થાય તો તેને જાળવી રાખવો તો તેનાથી પણ વધુ કઠણ છે.
એકવાર બ્રહ્મા,વિષ્ણુ અને મહેશ,અનસૂયા ની પતિ-ભક્તિ ની કસોટી કરવા બ્રાહ્મણ-અતિથી-રૂપે આવી અને એમના બારણે ભિક્ષા માટે ઉભા,ને કહે-“ભિક્ષાન દેહિ”
અનસૂયા ભિક્ષા આપવા આવ્યા ત્યારે કસોટી કરવા આવનાર ત્રણે દેવો અનસુયાની કસોટી કરવા કહે છે કે-
નગ્ન થઇ ને ભિક્ષા આપો તો અમે લઈએ!
અતિથી ને ભિક્ષા વગર પાછો કઢાય નહિ,તેમ જ લાજ મર્યાદા પણ છોડાય નહિ.
અનસૂયા ધર્મ-સંકટ માં મુકાયાં.પ્રભુ નું શરણ યાચીને એમણે ત્રણેય અતિથીઓ પર જળ ની અંજલિ છાંટી,
ત્રણેય દેવો ધાવણાં બાળક બની ગયા.ને માતા અનસૂયા એમણે ઘોડીયામાં નાંખી હીંચોળવા બેઠાં.
શ્રીકૃષ્ણે ગોપીઓ સાથે ચિર-હરણ લીલા કરી હતી.તે લીલા એટલે-”હું સ્ત્રી છું” એવા “હું પણા નું હરણ”
“હું પણું” એટલે અહંકાર,અહંકાર નો પડદો દૂર કરીને પ્રભુને અર્પણ થવું એનું નામ ચિરહરણ.ચિર એ વાસના છે,વાસના રહિત થઇ ને પ્રભુ ને અર્પણ થવું, તે ચિર હરણ નો મર્મ છે.
અનસૂયા આગળ પણ દેવો અહમ-ભાવ લઈને,તુ સ્ત્રી અને અમે પુરુષ એવો ભાવ લઈને ગયા હતા.
તો તે હારી બેઠા.અનસુયા એ તેમના અહમ-ભાવ નું હરણ કરી ને નિર્દોષ બાળક બનાવી દીધા.
સતીત્વનો,પતિ નિષ્ઠા નો ને ગૃહસ્થ ધર્મ નો આ પ્રભાવ છે.
ત્રણે દેવીઓ તેમને શોધતી આવી અને તેમણે અને દેવોએ અનસૂયા ની માફી માગી ત્યારે તે દેવો,મૂળ સ્વરૂપ ને પામી શક્યા.તે ત્રણેય દેવો પછી અત્રિ-અનસૂયા ને ત્યાં ભગવાન દત્તાત્રેય રૂપે પ્રગટ થયા.
સતીની પરીક્ષા કે કસોટી થાય નહીં,બ્રહ્મા,વિષ્ણુ અને મહેશ પણ ખોટું અડપલું કરી ને પસ્તાયા.
ગૃહસ્થાશ્રમ નો આ મહિમા છે,
શરીર એ મળ-મૂત્ર નું ઘર છે એ ખરું પણ,એ જ શરીર થી પ્રભુ ની ઉપાસના થાય છે.
જેમ,ચલણ ની સો રૂપિયા ની નોટ ફાટી હોય,ઉપર તેલના ડાઘા હોય,ચૂંથાઈ ગઈ હોય તો પણ જો તેના પર નોટ નો નંબર સાચો હોય તો તેણે કોઈ ફેંકી દેતું નથી.
તેમ આ શરીર થી જ ભગવાન નું ભજન થાય છે,ભગવાન ના નામ-જપ નો આનંદ મનુષ્ય ને જ મળે છે.
કૂતરાં-બિલાડાં,કંઈ “રઘુપતિ રાઘવ રાજારામ” બોલી શકવાના નથી.
પશુ ઓ ને પોતાના સ્વ-રૂપ નું જ ભાન નથી તે તે ભગવાન ને કેવી રીતે જાણી શકે?કે પામી શકે?
અનિત્ય અને મલિન એવા આ શરીરથી જ નિત્ય અને નિર્મળ એવા પ્રભુ ને પ્રાપ્ત કરી શકાય છે.
શરીર ઉપર માત્ર પ્રભુનો જ હક્ક છે,બીજા કોઈનો નહિ.પ્રભુને જે ભૂલે તે પ્રભુના આ શરીર પરના હક્ક ને ડુબાડવાનો પ્રયત્ન કરે છે,અને તે કદી પ્રભુ ની કૃપા ને પામી શકતો નથી.
અનસૂયા મહા તપસ્વીની હતાં.તપ થી કશું અસાધ્ય નથી.
આત્મા એ પરમાત્મા નું કિરણ છે.જેમ સૂરજ ના એક કિરણમાં સૂરજની શક્તિ છે તેમ પરમાત્મા ના એ કિરણમાં પરમાત્મા ની શક્તિ છે.
(#રામાયણ🏹
સરળ સમજૂતી સાથે..
તમને સમજાય તેવી સરળ શૈલી માં.. દરરોજ facebook માં..)
❛❛🕉️🏹જય શ્રી રામ🙏❜❜
❛❛🕉️ જય હનુમાન દાદા 🙏❜❜













