#🙏હિન્દૂ દેવી-દેવતા🌺 #👣 જય મેલડી માઁ #રામાયણ🏹
🌞અયોધ્યા કાંડ.. 30
༺꧁📙 🌞 હરિ દૂત 🕊
https://www.facebook.com/share/p/189JmZZamP/
🌞 .. ..કૈકેયી ની વાત સાંભળી ભરતના કાળજે આગ લાગી,પિતાના મરણનો શોક પણ તે જાણે ભૂલી ગયા.અને આ સર્વ અનર્થ નું કારણ પોતે છે,એ જાણી તેમના દુઃખ નો પાર રહ્યો નહિ.
મનમાં ભરાયેલા ગુસ્સા થી તે બોલી ઉઠયા કે-અરેરે,તેં તો કુળ નો નાશ કરી નાખ્યો,જો તારી આવી દુષ્ટ ઈચ્છા હતી તો મને જન્મતાં જ કેમ મારી ના નાખ્યો? તેં તો ઝાડને કાપીને પાંદડાં ને પાણી સીંચ્યું,
મને રામ-લક્ષ્મણ જેવા ભાઈ મળ્યા,પણ વિધિ ની વક્રતા છે, કે માતા તરીકે મને તુ મળી.
તને મા, કહેતાં પણ મારી જીભ અચકાય છે, અરે,આવું માગતાં તારી જીભ કેમ ના તૂટી પડી? તારા મોં મોં
કીડા કેમ ના પડ્યા? તારા હૃદય ના કટકા કેમ ના થયા?
તુ મારી માતા છે,ને રામ પણ તને માતા કહે છે,એટલે રામની માતા નો હત્યારો હું બનવા માગતો નથી,
નહિતર હાલ જ હું તારો વધ કરું,એવું મારા મન માં થાય છે.
પિતાજી ખૂબ ભોળા હતા કે તે તારા છળમાં આવી ગયા,પણ રામજી પાછળ જીવ આપીને એ તો ધન્ય થઇ ગયા.પત્ની થઇ ને પણ તેં પતિ નું હિત જોયું નહિ,તેં રામને વનમાં મોકલ્યા,મારા પિતાને મારી નાખ્યા,
અને લોકો માં મારી અપકીર્તિ કરી. હવે તો,લોકો પણ એમ કહેશે કે ભરત પણ તેની મા જેવો પાક્યો.
બોલતાં બોલતાં ભરત મૂર્છા પામી ગયો.
એટલામાં જ હરખાતી હરખાતી મંથરા ત્યાં આવી.
એણે જોતાં જ શત્રુઘ્ન નો ક્રોધ ઉછળી આવ્યો,એણે તેને જોરથી લાત મારી,ને એનો ચોટલો પકડી ને તેને
ઘસેડવા માંડી, આ ગરબડ માં ભરત ને થોડો હોશ આવ્યો,દયાળુ ભરતે તેને છોડાવી.
તે પછી ભરત કૌશલ્યાજી ને મળવા ચાલ્યો,અને મા ને મળતાંની સાથે તેમના ચરણ માં ઢગલો થઇ પડ્યો.
અને બોલ્યો-કે હે,માતા,રામજી વનમાં છે ને પિતાજી સ્વર્ગમાં છે,પણ હું જ આ અનર્થો નું કારણ બન્યો છું,
હું જ વાંસના વનમાં અગ્નિ પાક્યો.મને ધિક્કાર છે.
કૌશલ્યા મા એ ઉઠીને ભરત ને છાતી સરસો લીધો,તેમની આંખોમાંથી પણ અશ્રુઓ નો પ્રવાહ ચાલ્યો.
પછી એક હાથે ભરતને અને બીજા હાથે શત્રુઘ્ન ને પડખામાં લીધા,જાણે રામ-લક્ષ્મણ ફરી આવી મળ્યા ના હોય ! ભરતને પોતાના ખોળામાં બેસાડી તેમણે ભરત ના આંસુ લૂછ્યાં,અને બોલ્યાં કે-ભાઈ,કોઈને દોષ જેવા જેવું નથી,વિધાતા ને ગમ્યું તે ખરું.રાજાએ જીવી જાણ્યું ને મરી યે જાણ્યું.એનું નામ બાપ કહેવાય,હું મા નથી પણ પથરો છું, આટલું દુઃખ પડવા છતાં હું હજી કેમ જીવું છું? અરે,રે,મારા રામે વસ્ત્રાભૂષણ ઉતારીને વલ્કલ
પહેર્યા ત્યારે હું ફાટી કેમ ના પડી? કૌશલ્યાએ કરુણ આક્રંદ કર્યું,સાથે ભરત,શત્રુઘ્ન પણ રડે છે.
થોડો આવેગ ઓછો થયો ત્યારે કૌશલ્યાએ કહ્યું –હે,પુત્ર,જેવો મારે રામ તેવો જ તુ,મારે મન તો બે ય સરખા છે.એને ગાદી મળે કે તને ગાદી મળે, મને તેમાં કંઈ ફરક લાગતો નથી.પણ રામને વનમાં મોકલવામાં,
તારી માતા કૈકેયી ને શું વિશેષ લાભ દેખાયો હશે? તે મને સમજાતું નથી,પણ થયું તે થયું.
મારો રામ તો વનમાં ગયો ત્યારેય તેનું મન પ્રસન્ન હતું.હવે તું ગાદીપતિ થા,અને રાજ્ય ભોગવ.
કૌશલ્યા મા કંઈ ટોણો મારતાં હોય,એવો ભરત ને ભાસ થયો.એની વેદના નો પાર રહ્યો નથી.
એ હાથ,ઉંચો કરી બોલ્યો-હે,મા,સાંભળો,હું સત્ય ના સોગંદ ખાઈ ને પ્રતિજ્ઞા-પૂર્વક કહું છું,કે-
જો આ બધામાં મારો હાથ હોય,તો – મન,વચન અને કર્મ થી થનારાં જેટલાં પાપ છે તે ઉપરાંત
શાસ્ત્ર માં બીજાં જેટલાં પાપ કહ્યા છે તે મને લાગો.
“તે પાતક મોહિ હોહું બિધાતા,જૌઊ યહુ હોઈ મોર મત માતા.”
ત્યારે કૌશલ્યા એ ફરી ભરત ને ખોળામાં ખેંચી ને સ્નેહથી એના માથે હાથ ફેરવી કહ્યું,કે-
બેટા,હું જાણું છું કે શ્રી રામ તારા પ્રાણ ના પણ પ્રાણ છે,અને તુ પણ રામને પ્રાણથી યે પ્રિય છે.
ચંદ્રમાંથી કદી વિષ ઝરે, હિમ માંથી કદી આગ વરસે,પણ તુ કદી શ્રીરામની વિરુદ્ધ જાય તે બને જ નહીં.
જે કોઈ પણ આ કાર્ય માં તારી સંમતિ છે તેવું કહેશે તે કદી સ્વપ્ને પણ સુખી નહીં થાય.
દશરથરાજાએ મરતા પહેલાં કહ્યું હતું કે-
જો રામને વનમાં કાઢવામાં ભરત નો હાથ હોય તો તેને હાથે મારો અગ્નિ સંસ્કાર ન થાય.
પણ ભરત ના આવા શબ્દો થી સર્વે ને એની નિર્દોષતાની ખાતરી થઇ, તેથી બીજે જ દિવસે,
ભરતને હાથે જ રાજા નો વિધિ પૂર્વક અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો.
(#રામાયણ🏹
સરળ સમજૂતી સાથે..
તમને સમજાય તેવી સરળ શૈલી માં.. દરરોજ facebook માં..)
❛❛🕉️🏹જય શ્રી રામ🙏❜❜
❛❛🕉️ જય હનુમાન દાદા 🙏❜❜
#🙏હિન્દૂ દેવી-દેવતા🌺 #👣 જય મેલડી માઁ #રામાયણ🏹
🌞અયોધ્યા કાંડ.. 29
༺꧁📙 🌞 હરિ દૂત 🕊
https://www.facebook.com/share/p/18P5QbmMja/
🌞 .. .. વૃદ્ધાવસ્થામાં ખાધેલું પચતું નથી,છતાં ડોસાને વારંવાર સારું-સારું ખાવાની ઈચ્છા થાય છે.વૃદ્ધાવસ્થામાં આ લૂલી (જીભ) બહુ પજવે છે.
માટે હજી શરીર સારું છે ત્યાં સુધી બાજી આપણા હાથમાં છે,
ત્યાં સુધી માં પ્રભુ ને રાજી કરવામાં આવે તો બેડો પાર છે.
મરણ પથારીમાં પડ્યા પછી જેની પાછળ પૈસા નું પાણી કર્યું હશે તે જ લોકો,ડોસો ક્યારે મરે તેવી ઈચ્છા રાખે છે.ભાગવતમાં સગાંઓને શિયાળ-કૂતરાં જેવાં કહ્યા છે.છેવટે ડોસો એકલો જ રડતો,રડતો જાય છે.
તે જાણે છે કે કોઈ સાથે નહિ આવે,એકલાએ જ જવું પડશે,છતાં વિવેક રહેતો નથી.
યમદૂતો ની ગતિ પગ થી આંખ સુધી હોય છે,પણ બ્રહ્મ-રંઘ્ર માં જે પ્રાણ સ્થિર કરે છે તેને યમદૂતો કંઈ કરી શકતા નથી. પ્રભુએ,મનુષ્ય ને જિંદગી પુણ્ય કરવા આપી છે પણ તે પુણ્ય ને બદલે પાપ કરે છે.
વૃંદાવન ના એક મહાત્માની વાત છે.
તેમણે એક ઉંદર ને બિલાડા થી બીતો જોયો,ઉંદર ની વિનંતી સ્વીકારી તેમણે ઉંદર ને બિલાડો બનાવી દીધો.હવે બિલાડો કૂતરાથી બીતો હતો એટલે તેની વિનંતી થી તેને કૂતરો બનાવી દીધો.
કૂતરો હવે જંગલ ના વાઘથી બીતો હતો,એટલે તેણે ફરી મહાત્મા ને વિનંતી કરી,મહાત્માએ તેને
વાઘ બનાવી દીધો.પણ આ ઉંદરમાંથી બનેલો વાઘ, મહાત્મા ને જ ખાવા કૂદ્યો,એટલે,
તે મહાત્મા એ તેને ફરીથી ઉંદર બનાવી દીધો.
આ જીવ પણ એક વખત ઉંદર હતો,પણ હવે-અત્યારે તે માનવ થયો છે,અને
માનવ થયા પછી એ માનવ ને બનાવનાર ઈશ્વર ને ભૂલી જાય, અને ઈશ્વરનો જ છેદ ઉડાડવા જાય તો-
ઈશ્વર કહેશે કે-બચ્ચા,ચૂપ, હું ફરી થી તને ઉંદર બનાવી દઈશ.
અનેક જન્મો થી જીવ ભટકે છે,વારંવાર જન્મ-મરણ ના ચક્કર માં ફરે છે,પણ જીવન ને સુધારતો નથી,
જીવન ની પળ-પળ સુધારવામાં આવે તો અંત-કાળ સુધરે,મૃત્યુ સુધરે. સર્વ કથાઓ નો સાર આ જ છે.
રાજા દશરથે રામ-રામ કરતાં દેહ ત્યાગ કર્યો,અયોધ્યામાં હાહાકાર થઇ ગયો,ચાર દીકરામાંથી એક પણ દીકરો હાજર નહોતો,તો અગ્નિ સંસ્કાર કોણ કરે?
રાજાના મૃતદેહ ને તેલની ભરેલી કોઠી માં સાચવવામાં આવ્યો અને મારતે ઘોડે દૂતો ભરત-શત્રુઘ્ન ને તેડી લાવવા કૈકેય દેશ ની રાજધાની તરફ રવાના થયા.
આ બાજુ ભરત ને કેટલાક વખત થી પોતાના પિતા વિષેનાં અમંગળ સ્વપ્ન આવતાં હતાં.
અને સવારમાં તે શત્રુઘ્ન ને પોતાના સ્વપ્ન ની વાત કરતો હતો,એટલામાંજ અયોધ્યા થી આવેલો દૂત ત્યાં આવ્યો.અને તેને કહ્યું કે-ગુરૂ વશિષ્ઠ જી એ આપને તરત જ અયોધ્યા તેડાવ્યા છે,આપની જરૂર પડી છે.
ભરતને ફાળ પડી અને તેણે પૂછ્યું કે- અયોધ્યામાં સ્રર્વ કુશળ તો છે ને? દૂતે કહ્યું કે –હા.
તરત જ મામાની વિદાઈ અને આજ્ઞા લઇ,બંને અયોધ્યા તરફ જવા નીકળ્યા.
અયોધ્યા પહોચતાં જ અયોધ્યા નું નિસ્તેજ રૂપ જોઈ ભરત આભો બની ગયો,તેને અમંગળ વિચારો આવવા લાગ્યા.સીધો તે માતા કૈકેયી ના ભવનમાં ગયો.કૈકેયી પુત્ર ને મળવા દોડી,
ભરતે માતા ને વંદન કરી પૂછ્યું કે-મારા પિતાજી ક્યાં છે?
તરત જ કૈકેયી એ જવાબ આપ્યો કે-તેઓ સદગતિ ને પામ્યા છે.
ભરતના મનનો ભય સાચો પડ્યો,તેને આવેલાં અમંગળ સ્વપ્ન સાચાં પડ્યાં.
કૈકેયી જેટલી સહેલાઈ થી આ કઠોર સમાચાર કહી શકી તેટલી સહેલાઈ થી ભરત તે સહી શક્યો નહિ.
કપાયેલી લતા ની જેમ એ એકદમ જમીન પર પડી ગયો,ને વ્યાકુળ બની શોક કરવા માંડ્યો.
“હાય,રે હું કેવો કમનસીબ! અંતકાળે પિતાનું મોં પણ હું જોવા પામી શક્યો નહિ,ધન્ય છે રામ-લક્ષ્મણ ને કે સ્વ-હસ્તે તેઓ પિતાનો અગ્નિ-સંસ્કાર કરી શક્યા.”
ત્યારે કૈકેયી એ કહ્યું કે-ધન્ય,છે તને કે તારા હાથે,તારા પિતાનો અગ્નિ સંસ્કાર થશે.
નવાઈ પામી ભરતે પૂછ્યું કે-તુ આ શું કહે છે,મા?તો મારા રામ-લક્ષ્મણ ક્યાં છે?
હસવાનો પ્રયત્ન કરી,કૈકેયી એ કહ્યું કે-તારા પિતાએ અયોધ્યા નું રાજપાટ તને આપ્યું છે,અને રામને ચૌદ વર્ષ નો વનવાસ દીધો છે,લક્ષ્મણ અને સીતા તેમની સાથે ગયાં છે.
ઝેરી નાગ કરડ્યો હોય એવી વેદના ભરતને થઇ.એનો અવાજ ફાટી ગયો,ને તે બોલ્યો કે-
શાના કારણે મારા પિતાએ તેમને આવી સજા કરી? મારા રામે તો જિંદગીમાં કદી કોઈનું યે બુરું કર્યું નથી,
તો તેમણે આવી સજા કેમ? તેનું કારણ તો મને કહે...
ત્યારે કૈકેયી એ હસી ને કહ્યું કે-તારા હિત માટે જ મારી પાસે રાજા નાં બે વચનો કે જે મારે માગવાનાં
બાકી હતાં તે,મેં માગી લીધાં કે-તને રાજપાટ અને રામ ને વનવાસ.વચમાં બાજી બગડી હતી પણ મંથરાની મદદથી મેં એણે સુધારી લીધી.
(#રામાયણ🏹
સરળ સમજૂતી સાથે..
તમને સમજાય તેવી સરળ શૈલી માં.. દરરોજ facebook માં..)
❛❛🕉️🏹જય શ્રી રામ🙏❜❜
❛❛🕉️ જય હનુમાન દાદા 🙏❜❜









![🙏હિન્દૂ દેવી-દેવતા🌺 - ತ್ರ@ 3 [dl 415 BLl ೬dl M೬2l V2 VLI भIटे थणe६ पश्श्रिभ S२त| छेथ। छे खभाश ५ुशी அiuui ael Gqed odi vel थिंताभां %गdl %ोथ। छे ascilsl 211? cligeil ed yel छिंभत धर्था पभ२ थेs८| धथे GSdl छेथl छे Slda dsels quddl a edl uul uSul ad uccl ~lju थभाश Cविध्थन। सपनl सOddl छोेथ। छे Mld uld 051 52 ೫MI2 uuledl %l అ ५ुशी 4iz yldloll elHollello] zluldl %1l & ೫ ५ुशी sPhakasb Patel asdasear vu eudlஅ அds ed पितl स्व३पे सर्शनध२ने छोेथ। छे..! ತ್ರ@ 3 [dl 415 BLl ೬dl M೬2l V2 VLI भIटे थणe६ पश्श्रिभ S२त| छेथ। छे खभाश ५ुशी அiuui ael Gqed odi vel थिंताभां %गdl %ोथ। छे ascilsl 211? cligeil ed yel छिंभत धर्था पभ२ थेs८| धथे GSdl छेथl छे Slda dsels quddl a edl uul uSul ad uccl ~lju थभाश Cविध्थन। सपनl सOddl छोेथ। छे Mld uld 051 52 ೫MI2 uuledl %l అ ५ुशी 4iz yldloll elHollello] zluldl %1l & ೫ ५ुशी sPhakasb Patel asdasear vu eudlஅ அds ed पितl स्व३पे सर्शनध२ने छोेथ। छे..! - ShareChat 🙏હિન્દૂ દેવી-દેવતા🌺 - ತ್ರ@ 3 [dl 415 BLl ೬dl M೬2l V2 VLI भIटे थणe६ पश्श्रिभ S२त| छेथ। छे खभाश ५ुशी அiuui ael Gqed odi vel थिंताभां %गdl %ोथ। छे ascilsl 211? cligeil ed yel छिंभत धर्था पभ२ थेs८| धथे GSdl छेथl छे Slda dsels quddl a edl uul uSul ad uccl ~lju थभाश Cविध्थन। सपनl सOddl छोेथ। छे Mld uld 051 52 ೫MI2 uuledl %l అ ५ुशी 4iz yldloll elHollello] zluldl %1l & ೫ ५ुशी sPhakasb Patel asdasear vu eudlஅ அds ed पितl स्व३पे सर्शनध२ने छोेथ। छे..! ತ್ರ@ 3 [dl 415 BLl ೬dl M೬2l V2 VLI भIटे थणe६ पश्श्रिभ S२त| छेथ। छे खभाश ५ुशी அiuui ael Gqed odi vel थिंताभां %गdl %ोथ। छे ascilsl 211? cligeil ed yel छिंभत धर्था पभ२ थेs८| धथे GSdl छेथl छे Slda dsels quddl a edl uul uSul ad uccl ~lju थभाश Cविध्थन। सपनl सOddl छोेथ। छे Mld uld 051 52 ೫MI2 uuledl %l అ ५ुशी 4iz yldloll elHollello] zluldl %1l & ೫ ५ुशी sPhakasb Patel asdasear vu eudlஅ அds ed पितl स्व३पे सर्शनध२ने छोेथ। छे..! - ShareChat](https://cdn4.sharechat.com/bd5223f_s1w/compressed_gm_40_img_545928_23423c34_1775881544284_sc.jpg?tenant=sc&referrer=user-profile-service%2FrequestType50&f=284_sc.jpg)


