Follow
Mr_jignesh_01_ll
@jignesh_01
9
Posts
68
Followers
Mr_jignesh_01_ll
1.5K views
29 days ago
#😱શંકરાચાર્ય પર FIR કરનાર પર હુમલો ફતેહપુર અને કૌશાંબી જિલ્લાઓ વચ્ચે સિરાથુ રેલ્વે સ્ટેશન નજીક તેમના પર હુમલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જોકે, આશુતોષ મહારાજે ટ્રેનના ટોઇલેટમાં પોતાને બંધ કરીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ હુમલામાં આશુતોષ મહારાજને પણ ઘણી જગ્યાએ ઈજાઓ થઈ છે. તેઓ લોહીલુહાણ હાલતમાં પ્રયાગરાજ પહોંચ્યા હતા. હાલમાં તેમની હાલત ખતરાની બહાર છે. Ashutosh Brahmachari:અવિમુક્તેશ્વરાનંદ સામે આરોપો પત્રકારો સાથે વાત કરતા, આશુતોષ મહારાજે (Ashutosh Brahmachari) હુમલા માટે સીધા સ્વામી અવિમુક્તેશ્વરાનંદને દોષી ઠેરવ્યા. તેમણે કહ્યું કે હુમલાખોર તેમનું નાક કાપી નાખવા માંગતો હતો. તેમને શંકા છે કે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ આ હુમલાનું કાવતરું ઘડી રહ્યા છે. તેમણે પ્રયાગરાજ જંકશન ખાતેના GRP સ્ટેશન પર FIR પણ નોંધાવી. આશુતોષ મહારાજને પ્રયાગરાજની કોલવિન હોસ્પિટલમાં તબીબી સારવાર આપવામાં આવી. અહેવાલો અનુસાર, તેઓ ગાઝિયાબાદથી પ્રયાગરાજ જઈ રહ્યા હતા ત્યારે રેવા એક્સપ્રેસમાં તેમના પર હુમલો થયો હતો. #🔴 ક્રાઈમ પર દરેક અપડેટ #🔥 બિગ અપડેટ્સ #📜 સ્પેશ્યલ સ્ટોરી
Mr_jignesh_01_ll
578 views
29 days ago
#🧑‍⚖️હત્યાકાંડ કેસમાં રામ રહીમ નિર્દોષ સિરસા સ્થિત 'પૂરા સચ' નામના અખબારના સંપાદક અને પત્રકાર રામચંદર છત્રપતિ પર વર્ષ 2002માં ગોળીબાર કરવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા છત્રપતિનું બાદમાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ હુમલાને ડેરા સચ્ચા સૌદા અને તેના પ્રમુખ ગુરમીત રામ રહીમ સાથે જોડીને તપાસ કરવામાં આવી હતી. કેસની તપાસ બાદ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) દ્વારા આરોપપત્ર દાખલ કરવામાં આવ્યો હતો. સીએબીઆઈ કોર્ટનો અગાઉનો ચુકાદો વર્ષ 2019માં સીએબીઆઈની વિશેષ અદાલતે ગુરમીત રામ રહીમ અને અન્ય આરોપીઓને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી. ત્યારબાદ આરોપીઓએ આ નિર્ણય સામે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં અપીલ કરી હતી. હાઈકોર્ટનો નિર્ણય હાઈકોર્ટએ કેસની તમામ દલીલો અને પુરાવાઓનું વિશ્લેષણ કર્યા બાદ જણાવ્યું કે રજૂ થયેલા પુરાવા આરોપીઓને દોષિત ઠેરવવા પૂરતા નથી. તેથી ગુરમીત રામ રહીમ સહિતના તમામ આરોપીઓને આ કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. આ ચુકાદા સાથે જ પત્રકાર હત્યા કેસમાં લાંબા સમયથી ચાલી રહેલી કાનૂની લડતને નવો વળાંક મળ્યો છે. #📜 સ્પેશ્યલ સ્ટોરી #🔥 બિગ અપડેટ્સ #🔴 ક્રાઈમ પર દરેક અપડેટ
Mr_jignesh_01_ll
8.7K views
1 months ago
#🚫બાળકોના સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ શુક્રવારે રાજ્યનું બજેટ (૨૦૨૬-૨૭) રજૂ કરતી વખતે આ મોટું એલાન કર્યું હતું. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના મતે, બાળકોમાં મોબાઈલના વધતા જતા વપરાશની અત્યંત પ્રતિકૂળ અસરો જોવા મળી રહી છે. સરકાર ઇચ્છે છે કે, બાળકોમાં વધી રહેલી મોબાઈલ ફોનની લતને રોકવી જરૂરી છે. ઓનલાઇન ગેિંમગ અને સોશિયલ મીડિયાના કારણે બાળકોના શિક્ષણ, શારીરિક ફિટનેસ અને માનસિક સ્વાસ્થ્ય પર પડી રહેલી નકારાત્મક અસરો પડી રહી છે. ગયા મહિને બેંગલુરુમાં આયોજિત કુલપતિ સંમેલનમાં મુખ્યમંત્રીએ આ મુદ્દે ગંભીર ચર્ચા કરી હતી અને શિક્ષણવિદૃોના મંતવ્યો પણ મંગાવવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર પ્રતિબંધની સાથે સરકારે ટેકનોલોજી ક્ષેત્રે પણ મોટી જાહેરાતો કરી છે. બેંગલુરુ રોબોટિક્સ અને છૈં ઇનોવેશન ઝોન: ૈૈંંજીષ્ઠ હેઠળના છૈં અને ટેક પાર્ક દ્વારા ૈંર્જીઇં અને ર્ીહૈષ્ઠજ ના સહયોગથી એક અત્યાધુનિક રોબોટિક્સ અને છૈં કેમ્પસ સ્થાપવામાં આવશે. વિકાસ અને કલ્યાણનો સમન્વય: સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લાંબા ગાળાના આર્થિક પરિવર્તન સાથે જનકલ્યાણના કાર્યક્રમોને સંતુલિત કરવાની વ્યૂહરચના અપનાવી છે. પોતાનું ૧૭મું બજેટ રજૂ કરતા સિદ્ધારમૈયાએ કેન્દ્ર સરકારની ટીકા કરી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે, કેન્દ્ર સરકાર ફેડરલ સિસ્ટમનું પાલન ન કરીને કર્ણાટક સાથે અન્યાય કરી રહી છે. તેમણે માંગ કરી હતી કે કેન્દ્ર સરકારે રાજ્યની માંગણીઓ પ્રત્યે વધુ સંવેદૃનશીલ બનવું જોઈએ. ઓસ્ટ્રેલિયા અને અન્ય ઘણા દૃેશો બાદૃ હવે ભારતનું કર્ણાટક રાજ્ય પણ બાળકોને ડિજિટલ દૃુનિયાના જોખમોથી બચાવવા માટે કડક કાયદૃા તરફ આગળ વધી રહૃાું છે. #🗞️ ગુજરાત અપડેટ્સ #🔥 બિગ અપડેટ્સ #📜 સ્પેશ્યલ સ્ટોરી #✒ રાજકારણ અપડેટ્સ
Mr_jignesh_01_ll
6.2K views
1 months ago
#😱LPG સિલિન્ડરના ભાવમાં વધારો માત્ર ઘરેલુ જ નહીં, પણ વ્યાપારી હેતુ માટે વપરાતા 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં પણ ₹115નો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. આ વધારાને કારણે હોટલ, રેસ્ટોરન્ટ, ખાણીપીણીની લારીઓ અને નાના વેપારીઓના સંચાલન ખર્ચમાં વધારો થશે, જેની આખરી અસર ગ્રાહકો પર પડી શકે છે. બહાર મળતું ભોજન હવે મોંઘું થવાની શક્યતા છે. મુખ્ય શહેરોમાં કોમર્શિયલ ગેસના નવા ભાવ (19 kg): શહેર જૂનો ભાવ (₹) નવો ભાવ (₹) વધારો (₹) દિલ્હી 1768.50 1883 115 મુંબઈ 1720.50 1835 115 કોલકાતા 1875.50 1990 115 ચેન્નાઈ 1929 2043.50 115 મોંઘવારીની બેવડી અસર છેલ્લા એક વર્ષથી સ્થિર રહેલા ગેસના ભાવોમાં અચાનક થયેલા આ વધારા પાછળ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ અને ગેસના વધતા ભાવો તેમજ સપ્લાય ચેઈનની સ્થિતિને જવાબદાર માનવામાં આવે છે. ગૃહિણીઓનું કહેવું છે કે, જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ પહેલેથી જ આસમાને છે, ત્યારે રાંધણ ગેસમાં ₹60નો વધારો ઘરનું બજેટ ખોરવી નાખશે. બીજી તરફ, વેપારીઓ પણ કોમર્શિયલ સિલિન્ડરમાં ₹115ના વધારાથી મૂંઝવણમાં મુકાયા છે. 7 માર્ચથી લાગુ થયેલા આ નવા દરો દેશના દરેક ખૂણે અમલી બની ગયા છે. આ ભાવવધારો સામાન્ય જનતા માટે મોટો આર્થિક ફટકો સાબિત થશે. વિરોધ પક્ષો દ્વારા આ ભાવવધારાને લઈને સરકાર પર પ્રહારો કરવામાં આવે તેવી પણ શક્યતા છે. આગામી દિવસોમાં આ વધારાની અસર અન્ય ચીજવસ્તુઓના ભાવ પર કેવી પડે છે તે જોવું રહ્યું. #🔥 બિગ અપડેટ્સ #🗞️ ગુજરાત અપડેટ્સ #🏥 હેલ્થ અપડેટ્સ #📜 સ્પેશ્યલ સ્ટોરી
Mr_jignesh_01_ll
4.2K views
1 months ago
#😢ગુજરાતના ધારાસભ્યનું નિધન તેમના આકસ્મિક નિધનથી સમગ્ર ચરોતર પંથક અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં શોકની લહેર પ્રસરી ગઈ છે.સાદગી અને જનસેવાના પર્યાય સમાન નેતાગોવિંદભાઈ પરમાર માત્ર એક રાજકારણી જ નહીં પરંતુ પ્રજાના પ્રશ્નો માટે સદાય તત્પર રહેતા પાયાના કાર્યકર હતા. 15મી ગુજરાત વિધાનસભામાં તેઓ ઉમરેઠ બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. ભૂતકાળમાં તેમણે ગુજરાત સરકારમાં મંત્રી તરીકે પણ મહત્વની જવાબદારીઓ સંભાળી હતી. વહીવટી કુશળતા અને સામાન્ય માનવી સાથેના સીધા જોડાણને કારણે તેઓ વિસ્તારમાં ખૂબ જ લોકપ્રિય હતા. તેમની ગણના ભાજપના અનુભવી અને નિષ્ઠાવાન નેતાઓમાં થતી હતી.રાજકીય આલમમાં શોકની લાગણીતેમના અવસાનના સમાચાર મળતા જ ગુજરાતના મુખ્યમંત્રી સહિતના મંત્રીમંડળના સભ્યો અને ભાજપના વરિષ્ઠ નેતાઓએ ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. રાજકીય અગ્રણીઓએ ગોવિંદભાઈને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે ગુજરાતના જાહેર જીવનમાં અને સંગઠનમાં તેમનું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે. તેમના નિધન સાથે જ 15મી વિધાનસભામાં હવે એક બેઠક ખાલી પડી છે. ભાજપે એક શક્તિશાળી અને લોકપ્રિય જનપ્રતિનિધિ ગુમાવ્યા છે.રાજકીય કારકિર્દી દરમિયાન ગોવિંદભાઈ પરમાર ગુજરાત સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી તરીકે પણ સેવા આપી ચૂક્યા હતા. વર્ષ 2002માં તેઓ રાજ્યકક્ષાના મંત્રી બન્યા હતા અને વિવિધ વિકાસકાર્યોમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેઓ તેમની સાદગી, સરળ સ્વભાવ અને જનસેવા માટે જાણીતા હતા, જેના કારણે તેઓ વિસ્તારના લોકોમાં ખૂબ લોકપ્રિય બન્યા હતા. તેમના અવસાનના સમાચાર મળતા જ અનેક રાજકીય નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા એ તેમના નિધન પર દુઃખ વ્યક્ત કરતાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી હતી. તેમણે લખ્યું હતું કે ઉમરેઠના લોકપ્રિય ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના દુઃખદ અવસાનના સમાચાર સાંભળી હૃદય દ્રવી ઉઠ્યું છે. #🔥 બિગ અપડેટ્સ #🗞️ ગુજરાત અપડેટ્સ #✒ રાજકારણ અપડેટ્સ
Mr_jignesh_01_ll
3.7K views
1 months ago
#😲ભર ઉનાળે ચોમાસા જેવા વરસાદની આગાહી ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની શક્યતા હોવાથી 'યેલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદમાં પણ પારો 40 ડિગ્રીની નજીક પહોંચવાની વકી છે, જેનાથી શહેરીજનોએ બપોરના સમયે ભારે આકરા તાપનો સામનો કરવો પડશે.અંબાલાલ પટેલની આગાહી: ક્યારે આવશે વરસાદ?અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, માર્ચના બીજા અઠવાડિયાથી વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધશે અને 16 થી 20 માર્ચ દરમિયાન પ્રથમ રાઉન્ડમાં હવામાન પલટાશે. ત્યારબાદ 24 માર્ચથી એપ્રિલની શરૂઆત સુધી ફરીથી માવઠું થવાની શક્યતા છે. આ દરમિયાન ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડી શકે છે, જેની અસર ગુજરાતના વાતાવરણ પર પણ જોવા મળશે.સૌરાષ્ટ્ર-કચ્છ માટે હીટવેવનું એલર્ટહવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છ માટે યેલો એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યના 12 જેટલા જિલ્લાઓમાં તાપમાન અત્યારથી જ 37 ડિગ્રીને પાર કરી ગયું છે. ગરમ પવનો ફૂંકાવાને કારણે લોકોને બપોરના સમયે લૂ લાગવાની પણ શક્યતા છે. વિશેષ કરીને બાળકો અને વૃદ્ધોને ગરમીથી બચવા માટે જરૂરી સાવચેતી રાખવા સલાહ આપવામાં આવી છે.કયા જિલ્લામાં કેટલો નોંધાયો પારો? (તાપમાનની સ્થિતિ)રાજ્યમાં હાલ ભાવનગર સૌથી ગરમ શહેર સાબિત થયું છે. મુખ્ય શહેરોનું તાપમાન નીચે મુજબ છે:શહેરતાપમાન (સેલ્સિયસ)ભાવનગર38.0°Cરાજકોટ37.9°Cઅમદાવાદ37.7°Cઅમરેલી37.7°Cકેશોદ37.7°Cકંડલા37.6°Cસુરેન્દ્રનગર37.5°Cગાંધીનગર37.2°Cખેડૂતો માટે ચિંતાનો વિષયભર ઉનાળે જો કમોસમી વરસાદ કે માવઠું થાય, તો ખેતરોમાં ઉભા રવિ પાકને મોટું નુકસાન થઈ શકે છે. ખાસ કરીને ઘઉં, જીરું અને ઉનાળુ પાકોને આ પલટાની સીધી અસર થવાની ભીતિ છે. અંબાલાલ પટેલની આ આગાહીએ ખેડૂતોના જીવ અધ્ધર કરી દીધા છે. #🗞️ ગુજરાત અપડેટ્સ #🔥 બિગ અપડેટ્સ #🌦️ હવામાન અપડેટ્સ
Mr_jignesh_01_ll
17.7K views
1 months ago
#💊દર્દીઓને મોટી રાહત વિનામૂલ્યે મળશે દવાઓ આ નવી યાદીમાં 150 નવી દવાઓનો ઉમેરો કરવામાં આવ્યો છે, જેનાથી કુલ સંખ્યા 1,479 થઈ છે. આ દવાઓ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી (PHC) લઈ મેડિકલ કોલેજો સુધી વિનામૂલ્યે (Free of cost) ઉપલબ્ધ કરાવાશે. આવશ્યક દવાઓની યાદીમાં 150 નવી દવાઓનો ઉમેરો રાજ્યના નાગરિકોને શ્રેષ્ઠ સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરી પાડવા માટે મુખ્યમંત્રી (Chief Minister) ભૂપેન્દ્રભાઈ પટેલના (Bhupendra Patel) નેતૃત્વ હેઠળની સરકાર કટિબદ્ધ છે. આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરતા આરોગ્ય મંત્રી (Health Minister) પ્રફુલભાઈ પાનસેરિયાએ (Praful Pansheriya) વર્ષ 2025-26 માટેની આવશ્યક દવાઓની યાદી (Essential Drug List – EDL) જાહેર કરી છે. આ નવી યાદીમાં ગત વર્ષની સરખામણીએ નોંધપાત્ર સુધારો અને વધારો કરવામાં આવ્યો છે. દવાઓની સંખ્યામાં ધરખમ વધારો ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન લિ. (Gujarat Medical Services Corporation Ltd – GMSCL) દ્વારા વર્ષ 2024-25ની કુલ 1,386 દવાઓની સઘન સમીક્ષા (Review) કરવામાં આવી હતી. આ સમીક્ષાના અંતે, નિષ્ણાતોના સૂચન મુજબ 150 નવી જીવનરક્ષક દવાઓનો (Life-saving drugs) ઉમેરો કરવાનો નિર્ણય લેવાયો છે. સાથોસાથ, બિનજરૂરી જણાતી 57 દવાઓને યાદીમાંથી રદ (Cancel/Remove) કરવામાં આવી છે. આ ફેરફાર બાદ હવે આગામી વર્ષ માટે કુલ 1,479 જેટલી સર્જિકલ (Surgical) અને ડાયગ્નોસ્ટિક (Diagnostic) દવાઓ રાજ્યના દર્દીઓને સરળતાથી મળી રહેશે. #🔥 બિગ અપડેટ્સ #🏥 હેલ્થ અપડેટ્સ #🗞️ ગુજરાત અપડેટ્સ #🌏 વિદેશની અપડેટ્સ
Mr_jignesh_01_ll
19.7K views
1 months ago
#😪ફેમસ ફિલ્મ પ્રોડ્યૂસરનું નિધન આ દુ:ખદ સમાચારથી ફિલ્મ જગત અને થિયેટર કલાકારોમાં શોકની લહેર છવાઈ ગઈ છે.અભિનેતા વિજય કૃષ્ણાએ ૮૧ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. અનુપમ ખેર, લિલેટ દુબે અને સબા પટૌડી સહિતના કલાકારોએ તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી છે. લિલેટ દુબેએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરતા લખ્યું કે, "દિલ તૂટી ગયું છે. અમારા વહાલા વિજય કૃષ્ણા હવે નથી રહ્યા. તેઓ છેલ્લા ૨૫ વર્ષથી અમારા થિયેટર પરિવારનો ભાગ હતા". અનુપમ ખેરે પણ આ સમાચારને અત્યંત દુ:ખદ ગણાવતા 'ઓમ શાંતિ' લખી શ્રદ્ધાંજલિ આપી હતી.વિજય કૃષ્ણા માત્ર એક કલાકાર જ નહીં, પરંતુ એક પર્યાવરણવાદી અને જાણીતા ગોદરેજ પરિવાર દ્વારા ચલાવવામાં આવતા બિઝનેસના પૂર્વ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પણ હતા. ભારતીય થિયેટરમાં તેઓ એક ખૂબ જ જાણીતો ચહેરો હતા, જ્યાં તેમણે ૨૫ વર્ષથી વધુ સમય સુધી પ્રદર્શન કર્યું હતું. વર્ષ ૨૦૦૪ની અંગ્રેજી ફિલ્મ 'ડાન્સ લાઈક એ મેન' માં તેમના પાત્ર માટે તેમને ખૂબ જ પ્રશંસા મળી હતી, જે ફિલ્મને નેશનલ ફિલ્મ એવોર્ડ પણ મળ્યો હતો.હિન્દી સિનેમામાં તેમને વર્ષ ૨૦૦૨ની બ્લોકબસ્ટર ફિલ્મ 'દેવદાસ' માટે સૌથી વધુ યાદ કરવામાં આવે છે. આ ફિલ્મમાં તેમણે શાહરૂખ ખાન (દેવદાસ) ના પિતા નારાયણ મુખર્જીનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મમાં તેમણે ઐશ્વર્યા રાય અને માધુરી દીક્ષિત જેવા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું હતું.તેમના પત્ની સ્મિતા કૃષ્ણા એક જાણીતા બિઝનેસમેન છે, જેમની નેટવર્થ આશરે ૨.૫ બિલિયન ડૉલર છે. ૨૦૨૪ના અંતમાં તેમની પત્ની અને જમશેદ ગોદરેજને ભારતના સૌથી ધનિક લોકોની ફોર્બ્સ યાદીમાં ૨૨મું સ્થાન મળ્યું હતું. જાેકે, પરિવાર દ્વારા અત્યાર સુધી તેમના અવસાન અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. #🌏 વિદેશની અપડેટ્સ #🔥 બિગ અપડેટ્સ