#📢2 ડિસેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕 #સુરત સમાચાર #અમે સુરતી #સુરત #💥 સુરત અપડેટ્સ ભારત સરકારે દેશના ટેલિકોમ અને ડિજિટલ સુરક્ષા ક્ષેત્રે એક મહત્ત્વપૂર્ણ પરિવર્તન લાવવાનું નક્કી કર્યું છે. ટેલિકોમ મંત્રાલયે મોબાઇલ ઉત્પાદક કંપનીઓને ખાનગીમાં સૂચના આપી છે કે તમામ નવા સ્માર્ટફોન પર કેન્દ્ર સરકાર દ્વારા વિકસિત સાયબર સુરક્ષા એપ્લિકેશન ‘સંચાર સાથી’ પ્રિ-ઇન્સ્ટોલ કરવામાં આવે. યુઝર્સ આ એપને ડિલીટ કરી શકશે નહીં. સરકારના આ નિર્ણયની અસર લોકોની પ્રાઇવસી પર પડશે. આજે ભારત સહિત સમગ્ર વિશ્વમાં સાયબર ગુના અને હેકિંગનાં બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે, ત્યારે એ પડકારને ધ્યાનમાં રાખીને ભારત આ દિશામાં પગલું ભરી રહ્યું છે. ભારતનું ધ્યેય ચોરાયેલા ફોનના દુરુપયોગને અટકાવવું, નકલી IMEI (ઇન્ટરનેશનલ મોબાઇલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી) નંબરોના ગેરકાયદે ઉપયોગને રોકવાનું તેમજ નાગરિકોને એક વિશ્વસનીય સરકારી સુરક્ષા સેવા પ્રદાન કરવાનું છે. રશિયામાં પણ ફરજિયાત સરકારી મેસેન્જર એપ્લિકેશન્સને પ્રિ-ઈન્સ્ટોલ કરવાના નિયમો લાગુ કરાયા છે.
સરકારની દલીલ છે કે 'સંચાર સાથી' એપ્લિકેશન સાયબર ગુના અને ટેલિકોમ છેતરપિંડીનો મુકાબલો કરવા માટે એક જરૂરી સાધન છે. આ એપ કેન્દ્રીય ડેટાબેઝનો ઉપયોગ કરીને ચોરાયેલા અથવા ખોવાયેલા ફોનને તમામ નેટવર્ક પર બ્લૉક અને ટ્રેક કરવામાં મદદ કરે છે. જાન્યુઆરીમાં લોન્ચ થયા પછી આ એપને 7 લાખથી વધુ ફોનને પુનઃપ્રાપ્ત કરવામાં અને 3 કરોડથી વધુ બનાવટી કનેક્શનને બંધ કરવામાં સફળતા મેળવી છે. આ એપ ફોનની આગવી ઓળખ એવા ‘IMEI નંબર’ની નકલ કરવાની ઘટનાઓને રોકવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
મંત્રાલય દ્વારા 28 નવેમ્બરના રોજ સ્માર્ટફોન ઉત્પાદક કંપનીઓએ નીચે મુજબની સૂચનાઓ અપાઈ છે. આગામી 90 દિવસમાં 'સંચાર સાથી' એપ તમામ નવા મોબાઇલ ફોનમાં પ્રિ-ઇન્સ્ટોલ કરી દેવાની રહેશે. જે મોબાઇલ ગ્રાહકો દ્વારા ખરીદીને ઉપયોગમાં છે, એ તમામમાં પણ કંપનીઓએ સોફ્ટવેર અપડેટ્સ દ્વારા આ એપ પહોંચાડી દેવાની રહેશે. આ સૂચના હજી સુધી સત્તાવાર રીતે જાહેર નથી કરાઈ, પરંતુ સંબંધિત કંપનીઓને અપાઈ છે.
#surat #suratnews #suratcity #suratcitynews #suratsmartcity #suratcityupdates #amesurati #gujarat #sancharsaathi #indiangovernment #application #app

