ShareChat
click to see wallet page
search
🍃🍃🌼🍃🍃 બાળ ચરીત્ર...           ત્યારપછી દાદા અમદાવાદમાં રહ્યા ત્યાં સુધી પોતાને એવો નિયમ હતો જે, દરેક પૂર્ણિમાએ જેતલપુરને વિષે દર્શન કરવા જવું. તે એક દિવસે કાર્તિક સુદ પૂર્ણિમાના દિવસે ગાડી જોડાવીને પોતે નરનારાયણ દેવનાં મંગળા આરતીનાં દર્શન કરીને ગાડીમાં જઈને બેઠા અને હથીયાર બંધ ચાર પાળાને સાથે લઈને તે વચ્ચે કાંકરીયા તળાવમાં સ્નાન કરીને ચાલ્યા, તે ગામ અસલાલી અને જેતલપુરના વચ્ચમાં ગયા, ત્યારે રસ્તામાં પાણીનો રોદો બહુ પડેલો હતો. તે રોદામાં એક જેતલપુરના ગરાસીયાનું ગાડું ડાંગરનું ભરેલું ચાર બળદ સહિત ખૂંચેલું હતું. તે ગરાસીયો ઘણો પ્રયત્ન કરે પણ તે ગાડું બહાર નીકળે નહિ અને જેમ જેમ બળદને હાંકે તેમ તેમ માંહી કાદવમાં વધારે ખુંચતું જાય. તેવું દુઃખ જોઇને તે ગરાસીયો ભાઇની ગાડીના બળદ સારા દેખીને ગાડીને સમીપે જઇને બોલ્યો જે, હે ભાઈ ગાડીવાળા ! આ તમારા બળદ મને થોડીવાર આપો તો આ ગાડું માર્ગ વચ્ચે ખૂંચી ગયું છે તેને હું બહાર કાઢું એટલે તમો સુખેથી જાઓ. અને તમારે જવાનો બીજો માર્ગ નથી. જે તમો જઈ શકો અને સાંજ સુધી અહીંથી જવાશે નહિ. માટે દયા કરીને આપો તો બહુ સારું. ત્યારે ભાઇ ગાડીમાં તકીયાના ઓઠીંગણે બેઠા હતા. તે એ ગરાસીયાનાં અતિ નિર્માનીપણાનાં વચન સાંભળીને પડદો આઘો કરીને બોલ્યા જે, હે કરસન ભગત ! જાઓ. તમો એ ગાડીને બહાર કઢાવો. ત્યારે એમણે કહ્યું જે, હે દાદા ! આખા ગામના માણસ આવીને ખેંચે તો પણ ગાડું નિકળે તેમ નથી. એવું સાંભળીને પોતે ગાડામાંથી નીચે ઉતરીને તે ગાડા પાસે જઈને તે ચાર બળદને ગાડેથી કાઢી દેવરાવીને ગાડાનું ધુસરૂં પોતે એક હાથે ગ્રહણ કરીને તે એમને એમ શ્રીજી મહારાજનું નામ લઇને તે ગાડાને કડેડાટ કરીને બહાર ખેંચી લાવીને એક ખેતરવાર દૂર મૂકી આવતા હતા. તેવું મહા અદ્ભૂત ચરિત્ર જોઇને તે ગરાસીયા સહિત સર્વે પાળા ચકિત થઇ ગયા. ત્યારે તે ગરાસીયે પૂછ્યું જે, હે ભાઇ ! તમો આ સમર્થ મૂર્તિ કોણ છો ? ત્યારે કુબેરસિંહ બોલ્યા જે, આતો સ્વામિનારાયણના મોટા ભાઇ છે તે જેતલપુર દર્શન કરવા જાય છે. તે સાંભળીને બોલ્યો જે, અહો !! એ સ્વામિનારાયણ તો સાક્ષાત્ પોતે ભગવાન હતા. તેમણે અમારા જેતલપુરમાં ઘણાક યજ્ઞો કરીને લાખો બ્રાહ્મણોને જમાડીને દક્ષિણાઓ આપી, અનંત પરચાઓ આપ્યા છે. અને તેમના મોટાભાઇ પણ મહા પ્રતાપી છે. એમ કહીને બે હાથ જોડીને પોતાનું ગાડું ભાઇની પાસે બહાર કઢાવ્યું, એ રૂપી પોતાનો અપરાધ ક્ષમા કરાવીને, ચરણાવિંદમાં પોતાનું મસ્તક મૂકીને ગદ્ગદ્ કંઠે થઇને પગે લાગતો હતો. ત્યારપછી જાલમ મોટાએ જણાવ્યું જે, બહુ મોડું થઈ જશે અને શ્રીઠાકોરજીનાં દર્શન પણ નહિ થાય, એમ જાણીને ઉતાવળા થઇ ગાડીની ચારે બાજુ કપડાંનો પડદો હતો તેને આઘો કરી, જ્યાં બારીનું કમાડ ઉઘાડડ્યું ત્યાં તો અંદર ગાડીમાં દાદા એકરૂપે બેઠેલા છે અને વળી એકરૂપે બહાર ઉભેલા જોયા એટલે તત્કાળ કુબેરસિંહને તે વાત કહેવા જાય છે. ત્યાં તો તે ગાડીમાં તે દાદાની મૂર્તિ હતી તે અદૃશ્ય થઇ ગઇ. તેવું ચરિત્ર જોઇને આનંદ પામતા સતા દાદાને ગાડીમાં બેસારીને ત્યાં થકી ચાલ્યા તે મંદિરમાં જઈને તે વાત જાલમ મોટા એ આનંદાનંદ સ્વામીને કહીં, ત્યારે સ્વામી એમ બોલ્યા જે, હે જાલમ મોટા ! એ તો મુક્ત, દેવ, ઋષિ એ સર્વેનાં બે રૂપ હોય તે ભગવાનની ઇચ્છાથી કોઈકને દેખાય. એમ કહીને દાદા તો બળદેવજીનો અવતાર છે. તેની જાલમ મોટાને ખબર પડી અને તેમની પ્રશંસા કરતા હતા. તે સાંભળીને ચકિત થઇ ગયા અને ભાઈનો મહિમા સમજીને મન, કર્મ, વચનથી સેવા કરવાનો નિયમ રાખતા હતા.                           🍃🍃🌼🍃🍃 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 ##જય સ્વામિનારાયણ #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર
અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા - Vmn Art Gurukul Surat | Vmn Art Gurukul Surat | - ShareChat