🍃🍃🌼🍃🍃
બાળ ચરીત્ર...
શ્રીજીમહારાજ ભુજમાં સુંદરજીભાઇની મેડી ઉપર બિરાજમાન થયા અને પોતાના મુખારવિંદ આગળ ગંગારામભાઇ, હીરજીભાઇ એ આદિક હરિભક્તો આવીને બેઠા. તે સમયે સુંદરજીભાઇએ શ્રીજી મહારાજને વિનંતીએ સહિત નમસ્કાર કરીને પ્રશ્ન પૂછ્યો જે, હે મહારાજ ! આ દેહમાંથી જીવ જ્યારે બહાર નિસરે છે, ત્યારે તેનું રૂપ કેવું હશે ? અને તે જીવ કોઇને દેખતો હશે કે નહી? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે, જીવનું રૂપ તો અતિ સૂક્ષ્મમાં સૂક્ષ્મ છે. તે આ ચર્મ દ્રષ્ટિથી દેખાય એવું નથી અને જેને જ્ઞાન રૂપી અંધારું ટળી ગયું હોય તે દેખે છે અને તેની અલૌકિક દ્રષ્ટિ છે તેથી દેખવામાં આવે છે અને બીજો તો કોઈએ જીવાત્માને દેખવા સમર્થ થતો નથી. જેમ આપણે આ સંતે સહિત અહીં બેઠા છીએ તેમાંથી કોઇકને નિદ્રા આવી જાય અને સ્વપ્ર આવે છે ત્યારે તે એમ દેખે છે જે, ફોજ આવે છે તે જેને સ્વપ્ર છે તે ફોજ દેખે છે અને ભય પામે અને મેડી ઉપર કંઈ ફોજ આવી નથી. પરંતુ સ્વપ્રવાળાની દ્રષ્ટિમાં દેખાય છે. તેમ આત્મા જે જીવ તથા બ્રહ્મને દેખવાની દ્રષ્ટિ પણ જુદી છે અને એ દ્રષ્ટિ તે ભગવાનની મૂર્તિના ધ્યાને કરીને આવે છે અને તે વિના તો કોટી સાધન કરે તેણે કરીને પોતાના જીવાત્માને દેખવા તથા બ્રહ્મને દેખવું તેવી દ્રષ્ટિ આવતી નથી. માટે જે એ દ્રષ્ટિને પામ્યો હોય તે દેખવાને સમર્થ છે. અને જ્ઞાનીને તો શાસ્ત્રમાં અનંત લોચન કહ્યાં છે. માટે એ મર્મને અજ્ઞાની જીવ જાણતો નથી ને ભગવાનની મૂર્તિનું જે આત્મરૂપે થઇને અખંડ ધ્યાન કરે છે તે એ સર્વેને દેખે છે અને અલૌકિક દ્રષ્ટિને પણ તે પામે છે. તે ધ્યાન કરવાની રીત કહીએ છીએ જે, ભગવાનનો ભક્ત હોય તે દ્રષ્ટિ આગળ મૂર્તિને ધારે ત્યારે પ્રથમ તો જેવી ભગવાનની મૂર્તિ છે તેવીજ દેખાય છે. તે જ્યારે મૂર્તિને વિષે વૃત્તિ રાખે છે, તે જેમ સૂર્યની કિરણ જાળીએ થઈને ઘરમાં પડે છે. અને સૂર્ય તે એકતાર દેખાય છે તેમ તે ભક્તને અગ્નિ સરખી રક્ત ભાસવા લાગે છે. પછી તે રતાશમાંથી પ્રકાશ ઘણો પ્રકટીને સૂર્ય જેવી મૂર્તિ ભાસે છે અને જેવો ચંદ્રમા તેવું શીતળ અને મોટો તારો ખરે તેના જેવું ઉજળું તેજ તે સરખી અત્યન્ત ઉજળી પ્રકાશમાન મૂર્તિ ભાસે. પછી એવી મૂર્તિ જોતાં જોતાં અંતદૃષ્ટિ થઇ જાય છે. ત્યારે તે ભક્તના હૃદયમાં બ્રહ્માંડ જેવો અવકાશ દેખાય છે. પછી ચાર પ્રકારના પ્રલયે કરીને સર્વેને ખોટું જાણીને એક ભગવાનની મૂર્તિને ધારે. પછી જેમ કોઇકના હાથમાં ચિંતામણી હોય છે તેમ ભગવાનની મૂર્તિમાં જેની અખંડવૃત્તિ જોડાણી છે તે ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ, અક્ષરધામ અનંતકોટી મુક્ત તે સર્વેને દેખે છે.
🍃🍃🌼🍃🍃 668 ##જય સ્વામિનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર


