ShareChat
click to see wallet page
search
🍃🍃🌼🍃🍃 બાળ ચરીત્ર...            વળી એક સમયે શ્રીગઢપુરને વિષે રામપ્રતાપભાઇ વહેલા ઉઠીને બે ઘડી રાત્રિએ ઘેલા નદીમાં સ્નાન કરવા ગયા. અને પોતાની સાથે લીમલીના મૂળજી શેઠ તથા ગામ મોરબીના બેચર ચાવડો એ આદિક એ ચાર હરિભક્તો હતા તેમણે કહ્યું જે, હે દાદા ! આજે નદીમાં પુર ઘણું આવ્યું છે તે આપણાથી સ્નાન કરાશે નહીં. કેમ કે આ નદીમાં પત્થર બહુ જ છે તેથી પગ ઠરી શકશે નહીં, માટે પાછા ચાલો, લક્ષ્મીવાડીએ સ્નાન કરીશું. તેવું સાંભળીને ભાઇ વળવાનો વિચાર કરે છે એટલામાં તો શ્રીજી મહારાજની ઇચ્છાથી આકાશવાણી થઇ જે, હે રામપ્રતાપજી ! તમો તો સાક્ષાત્ સંકર્ષણનો અવતાર છો. માટે પાછા વળશો નહીં અને આ પાણીને રોકી સ્નાન કરીને જાઓ. તેવું સાંભળીને ભાઈ તો તત્કાળ ઉતાવળા થકા તે પાણીમાં થોડેક દૂર જઈને બે હાથ પહોળા કરી, મોટા હાકોટા કરીને બોલ્યા કે તુરત આખી નદીનું પાણી ચાલતું બંધ થઇ ગયું અને પોતાના મુખારવિંદની આગળ મોટી પાણીની પાળ થઇ ગઇ. તે જોઇને બોલ્યા જે, હે મૂળજી શેઠ! આવો, તમો સર્વે નિર્ભય થઇ સ્નાન કરીને બહાર જાઓ. તેવું સાંભળીને આનંદ પામતા સતા શ્રીજી મહારાજને સંભાળીને ભાઈની પાછળ આવીને સ્નાન કરતા હતા. પછી ભાઈ સ્નાન કરીને બહાર આવ્યા કે તરત પાણી ચાલવા માંડ્યું. તેવું ચરિત્ર જોઇને સર્વે મંદિરમાં આવીને શ્રીજી મહારાજને તે વાત બહેચર ચાવડે વિસ્તારીને કહી. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે, ભાઇ તો મહા સમર્થ છે. તે ચાહે તેમ કરે. એમ કહીને ભાઇની બહુ પ્રશંસા કરતા હતા.                           🍃🍃🌼🍃🍃 #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ
🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 - 9 9 - ShareChat