ShareChat
click to see wallet page
search
#🙏 જય શ્રી કૃષ્ણ #🙏પૂજ્ય મહંત સ્વામી મહારાજનો જન્મદિવસ #🙏હિન્દૂ દેવી-દેવતા🌺 #😇 સુવિચાર પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ ભાદરા મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવને સફળતાપૂર્વક સંપન્ન કરવા માટે કુલ 23 વિભાગોમાં 2,225 સ્વયંસેવકો તથા સ્વયંસેવિકાઓ કાર્યરત હતાં, પરંતુ 1969માં યોગીજી મહારાજે જ્યારે અહીં જ મંદિરની પ્રતિષ્ઠા કરી ત્યારે આવું કોઈ સ્વયંસેવકદળ હતું નહીં. દળ ગણો તોય સ્વામીશ્રીની શ્રીજીમહારાજ પ્રત્યેની શ્રદ્ધા અને બળ ગણો તો પણ સ્વામીશ્રીની શ્રીજી-મહારાજ પ્રત્યેની અતૂટ ભક્તિ અને યોગીજી મહારાજ પ્રત્યેની ગુરુભક્તિ હતાં. એ વખતના સ્વામીશ્રીના પરિશ્રમનો અમૂલ્ય દસ્તાવેજ તેઓએ જ લખેલી ડાયરીઓનાં પાને પાને મળતો રહે છે. ઇતિહાસનું આ સુવર્ણ દસ્તાવેજી પૃષ્ઠ છે. અહીં થોડાંક એ અસલ પાનાંઓ સ્મૃતિ માટે પ્રસ્તુત છે. સ્વામીશ્રીએ સ્વ-હસ્તાક્ષરમાં કરેલી નોંધને યથાવત્ પ્રસ્તુત કરીને તેની નીચે તે જ વિગતો ટાઈપ કરીને પણ મૂકવામાં આવી છે.ઘનશ્યામપ્રસાદ સ્વામી ઉમેરે છે કે - ‘સવારના મારે રસોઈ કરવાની હોય અને રાત્રે પ્રમુખસ્વામી મહારાજની જોડમાં મારે રહેવાનું હોય. સુખડી, મોતૈયા, ગાંઠિયા વગેરે રોજ હોય. બધાને રાતના નાસ્તો કરાવવાનો. ધર્મશાળામાં નાસ્તો કરાવીએ પછી પાઇપલાઇન માટે જવાનું હોય.’ સ્વામીશ્રીએ આવી અણથક મહેનત કરીને કોઈના પણ બળ વગર કે નિશ્ચિત સ્વયંસેવકદળ વગર પોતાનું કાર્ય જાતે જ કરીને યોગીજી મહારાજનો અપાર રાજીપો મેળવ્યો હતો. એ વખતે એમની પાસે વ્યવસ્થામાં સરળતા રહે એવા કોઈ ફોન પણ હતા નહિ કે નિશ્ચિત વાહન પણ હતાં નહિ. #👫 મારા મિત્ર માટે
🙏 જય શ્રી કૃષ્ણ - HELGHANSHMAN HARA HELGHANSHMAN HARA - ShareChat