#👫 મારા મિત્ર માટે #🙏હિન્દૂ દેવી-દેવતા🌺 #🙏પૂજ્ય મહંત સ્વામી મહારાજનો જન્મદિવસ #🙏 જય શ્રી કૃષ્ણ Daily Prasang 📜
રાત્રે ચેષ્ટા પછી યોગીજી મહારાજ પાસે થોડા યુવકો બેઠા હતા. એક યુવકે નિર્દોષભાવે સ્વામીશ્રીને પ્રશ્ન પૂછ્યો, 'અમને તો બહુ સંકલ્પ થાય છે. આપને સંકલ્પ થાય છે કે નહિ ?'યોગીજી મહારાજ હસતાં હસતાં કહે, 'મન હોય તો સંકલ્પ થાય.પણ સત્પુરુષનું મન તો અમન થઈ ગયું હોય. ઇન્દ્રિયો, અંતઃકરણ પુરુષોત્તમરૂપ થઈ ગયા હોય પછી સંકલ્પ શેના થાય ?'યોગીજી મહારાજે એવા તો નિર્દોષભાવથી અને સરળતાથી ઉત્તર આપ્યો કે તે પોતે બોલી રહ્યા જ નથી, કોઈ બીજું એમનામાં રહીને બોલે છે એવી સૌને પ્રતીતિ થઈ.