જેતલપુરના બળદેવજી રેવતીજી ની મૂર્તિઓ વિશે જાણવા જેવું.....
એકવાર ગંગામાના દાદા શ્યામજી મહેતાને સ્વપ્ન આવ્યું કે નારદીપુરમાં રબારીવાસના ટેકરા નીચે ભગવાનની મૂર્તિઓ મોગલ શાસન સમયથી દબાયેલી છે. અને લક્ષ્મણજીના જમણા ગાલે મોટા તલની નિશાની છે. આ વાત જમીન માલિક રબારીને કરી તો તેણે પણ સાક્ષી પુરી કે અમારી ગાયો પણ આ ટેકરા પર અનેકવાર શિંગડાથી જમીન ખોદવાનો પ્રત્ન કરે છે.
પછી પીપળજ ઠાકોરની મદદથી ટેકરાનું ખોદકામ કર્યું તો તેમાંથી બળીયાદેવ, શ્રીકૃષ્ણ, રાધાજી, બળદેવજી, રેવતીજી, લક્ષ્મણજી, પાંચ પાંડવ, કુંતાજી, અષ્ટપટ્ટરાણી આદિક મૂર્તિઓ નીકળી. તે મૂર્તિઓમાં બળીયાદેવને નારદીપુરના નાયક લોકોએ લાંભા ગામના તળાવના કિનારે સ્થાપના કરીને મંદિર કર્યું. જે આજે લાંભા બળીયા કાકા દેવ મંદિર ખૂજ પ્રસિદ્ધ છે. તથા પાંડવો કુંતાજીની મૂર્તિઓને એકનાયક બહુચરાજી પાસે આસજોલ ગામે લાવીને મંદિર કરીને સ્થાપના કરી.
નારદીપુરમાં રબારીવાસના ટેકરામાંથી નીકળેલી મૂર્તિઓમાંથી રાધાકૃષ્ણની મૂર્તિની શામજીમહેતાએ ઘરમાં સ્થાપના કરી પૂર્ણ પૂજા અર્ચના નૈવેદ્ય કરતા તથા બળદેવજી, રેવતીજી અને લક્ષ્મણજીની મૂર્તિને નારદીપુરમાં ગંગામાના પિતા ભુદરજી મહેતા પોતાના ઘરમાં રાખી પૂજા કરતાં.
(સમયાન્તરે શ્રીહરિએ જેતલપુરમાં આનંદાનંદ સ્વામી પાસે મંદિર કરાવીને મુખ્ય મંદિરમાં સ્વહસ્તે બળદેવજી, રેવતીજી સાથે લક્ષ્મણજીની મૂર્તિને હરિકૃષ્ણ નામાનિધાન કરીને સંવત ૧૮૮૨ ફાગણ વદ-૮ ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા કરી પધરાવી.) #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 ##જય સ્વામિનારાયણ #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા


