ShareChat
click to see wallet page
search
#😢ફેમસ અભિનેતાના ઘરે માતમ,નવા વર્ષના પ્રારંભે ટેલિવિઝન જગતમાંથી એક માઠા સમાચાર સામે આવ્યા છે. જાણીતા અભિનેતા અર્જુન બિજલાનીના સસરા અને નેહા સ્વામીના પિતા રાકેશ ચંદ્ર સ્વામીનું 73 વર્ષની વયે નિધન થયું છે. આ સમાચાર મળતા જ બિજલાની પરિવાર અને તેમના ફેન્સમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.રાકેશ ચંદ્ર સ્વામી લાંબા સમયથી બીમાર હતા, પરંતુ બુધવારે તેમની સ્થિતિ અચાનક બગડી હતી. ફેમિલી મેમ્બરના જણાવ્યા મુજબ, તેઓ રાત્રે ડિનર લેવાની તૈયારીમાં હતા ત્યારે જ તેમને અચાનક સ્ટ્રોક આવ્યો હતો. તેમને તાત્કાલિક બેલેવ્યુ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર બાદ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.અર્જુન બિજલાની તેના સસરાની ખૂબ જ નજીક હતો, કારણ કે અર્જુને તેના પિતાને વર્ષો પહેલા ગુમાવી દીધા હતા. જ્યારે આ ઘટના બની ત્યારે અર્જુન અને નેહા નવા વર્ષની રજાઓ ગાળવા માટે દુબઈમાં હતા. સસરાના નિધનના સમાચાર મળતા જ તેઓ પોતાની ટ્રીપ અધવચ્ચે છોડીને મંગળવારે તાત્કાલિક મુંબઈ પરત ફર્યા હતા. હાલ અર્જુન તેની પત્ની નેહા અને પરિવારને આ મુશ્કેલ સમયમાં સાંત્વના આપી રહ્યો છે. #🔥 બિગ અપડેટ્સ #📽 લેટેસ્ટ અપડેટ વીડિયો #😎 સેલિબ્રિટી અપડેટ્સ
😢ફેમસ અભિનેતાના ઘરે માતમ - ShareChat
00:21