#👩🍳 રસોઈ અને કિચન ટીપ્સ #🥗 પોષ્ટીક આહાર #🌯સ્ટ્રીટ ફૂડ ઓફ ઈન્ડિયા #☕સવારની ગરમાગરમ ચા #🌮ચટાકેદાર Snacks
#😍ક્રિકેટના ગબ્બરે કર્યા લગ્ન, સોશિયલ મીડિયામાં હાલ આ ક્યુટ કપલના લગ્નની તસવીરો છવાયેલી છે. તેમના આઉટફીટની વાત કરીએ તો, આ કપલે લગ્ન માટે, શિખર અને સોફીએ "સફેદ" થીમવાળા પોશાક પસંદ કર્યા, જેનાથી તેઓ એક શાહી યુગલ જેવા દેખાતા હતા. ચહલે શેર કરેલા ફોટામાં, વરરાજા અને કન્યા સ્ટેજ પર સફેદ અને ગોલ્ડન ફૂલો (Golden flowers) થી શણગારેલા મંડપ નીચે ઉભા જોવા મળે છે, તેમના સ્મિત સ્પષ્ટપણે તેમની ખુશી વ્યક્ત કરે છે.સોફી તેના દુલ્હનના પોશાકમાં કોઈ સ્વર્ગીય અપ્સરાથી ઓછી નહોતી દેખાતી . તેણે ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા (Fashion designer Manish Malhotra) ના કલેક્શનમાંથી એક સુંદર સફેદ અને નારંગી રંગનો 3D ફ્લોરલ ટ્રેલ લહેંગા પહેર્યો હતો. તેને મોતી-ભરતકામવાળા બ્લાઉઝ, કાઉલ ટેસેલ્સ (Cowl Tassels) અને મેચિંગ એમ્બ્રોઇડરીવાળા (Embroidered) હેડ વેઇલ સાથે બનાવવામાં આવ્યો હતો. રંગબેરંગી ફ્લોરલ ભરતકામ હાથથી કરવામાં આવ્યું હતું.સોફીએ લહેંગા (Lehenga) ને મેચિંગ નેટ ચોલી અને હળવા દુપટ્ટા સાથે જોડી દીધો, જેનાથી તેનો લુક ક્લાસી અને ભવ્ય બન્યો. ઘરેણાંની વાત કરીએ તો, મોતી અને કુંદનનો હાર અને એક નાનો માંગટિક્કા તેના રંગને વધુ નિખાર્યો. સોફીના લહેંગાની કિંમત આશરે 8 લાખ 25,000 હોવાનો અંદાજ છે.આપણા "ગબ્બર" શિખર ધવન પણ પોતાના લુકથી બધાને આશ્ચર્યચકિત (Surprised) કરી દીધા. સફેદ ભરતકામવાળી શેરવાની અને અદભુત પાઘડી પહેરેલા, તે કોઈ રજવાડાના રાજકુમારથી ઓછો દેખાતો ન હતો. તેણે પોતાના ગળામાં લાંબો નીલમણિ (Emerald) નો હાર પણ પહેર્યો હતો, જે તેના એકંદર લુકમાં શાહી કોન્ટ્રાસ્ટ ઉમેરતો હતો.
#🏏શિખર ધવન #🏆ટીમ ઈન્ડિયા🏏
#😢નાઈજીરિયામાં નરસંહાર 50ની હત્યા, નાઈજીરિયાના ઉત્તર-પશ્ચિમ ઝામફારા રાજ્યમાં આવેલા ટુંગન દુત્સે(Tungan Dutse) ગામમાં સશસ્ત્ર હુમલાખોરોએ કરેલા ભયાનક હુમલામાં 50થી વધુ લોકોના મોત થયા છે. સ્થાનિક ધારાસભ્ય હમીસુ એ. ફારુના જણાવ્યા અનુસાર, આ હુમલો ગુરુવાર સાંજે 5 વાગ્યાથી શરૂ થઈને શુક્રવાર વહેલી સવારના 3:30 વાગ્યા સુધી સતત ચાલુ રહ્યો હતો. હુમલાખોરોએ ગામમાં ઘૂસીને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો અને અનેક મકાનોને આગ ચાંપી દીધી હતી. જીવ બચાવવા ભાગી રહેલા રહેવાસીઓ પર પણ હુમલાખોરોએ ગોળીઓ ચલાવી હતી.આ આક્રમણ પહેલા ગ્રામજનોએ આશરે 150થી વધુ મોટરસાઇકલ પર સવાર હુમલાખોરોને જોયા હતા અને તે અંગે સુરક્ષા દળો તેમજ સ્થાનિક સત્તાધીશોને જાણ કરી હતી. જોકે, સ્થાનિકોનો આરોપ છે કે તેમની આ ગંભીર ચેતવણીને અવગણવામાં આવી હતી, જેના કારણે આટલી મોટી જાનહાનિ થઈ છે. આ હુમલામાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકોનું અપહરણ પણ કરવામાં આવ્યું છે, જેમની ચોક્કસ સંખ્યા જાણવા માટે સ્થાનિક પ્રશાસન હાલમાં તપાસ કરી રહ્યું છે.ગામના એક નિવાસી અબ્દુલ્લાહી સાનીએ પોતાની વ્યથા જણાવતા કહ્યું હતું કે, આ હુમલામાં તેણે પોતાના પરિવારના ત્રણ સભ્યો ગુમાવ્યા છે અને આખું ગામ હાલમાં શોક અને ભયમાં છે. નાઈજીરિયામાં 'બંદૂકધારી ડાકુઓ' દ્વારા કરવામાં આવતા આ પ્રકારના હુમલાઓ સતત વધી રહ્યા છે. ખંડણી માટે અપહરણ અને હત્યાની વધતી ઘટનાઓને રોકવા માટે સરકાર પર ભારે દબાણ છે, પરંતુ હાલની પરિસ્થિતિ જોતા ઉત્તર નાઈજીરિયામાં સુરક્ષા વ્યવસ્થા એક મોટો પડકાર બની રહી છે.
#આજના સમાચાર #તાજા સમાચાર #🔥 બિગ અપડેટ્સ
#😱પાકની અફઘાનિસ્તાન પર એરસ્ટ્રાઈક, પાકિસ્તાની સેનાએ રવિવારે વહેલી સવારે અફઘાનિસ્તાનના સરહદી વિસ્તારોમાં હવાઈ હુમલા કર્યા. અલ-જઝીરા અનુસાર, સેનાએ દાવો કર્યો કે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) અને ઇસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલા સાત કેમ્પ અને ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા.
પાકિસ્તાન સરકારે તેને તાજેતરના આત્મઘાતી હુમલાઓ પછીનો વળતો હુમલો ગણાવ્યો. સૂચના અને પ્રસારણ મંત્રાલયે નિવેદન જારી કરીને કહ્યું કે આ ઇન્ટેલિજન્સ આધારિત ઓપરેશન હતું. પાકિસ્તાને કહ્યું કે તેની પાસે પાકા પુરાવા છે કે હુમલા અફઘાનિસ્તાનની જમીન પરથી સંચાલિત નેટવર્ક દ્વારા કરવામાં આવ્યા હતા.
અફઘાન મીડિયા ટોલો ન્યૂઝ અનુસાર, હુમલામાં નાંગરહારના એક ઘરને નિશાન બનાવવામાં આવ્યું હતું, જેના કારણે એક જ પરિવારના 23 લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. અત્યાર સુધીમાં માત્ર ચાર લોકોને બહાર કાઢી શકાયા છે. હુમલા સમયે પરિવાર સૂતો હતો તેથી તેમને ભાગવાનો મોકો મળ્યો ન હતો.
અમેરિકી માનવાધિકાર સંગઠન ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશન (IHRF) અનુસાર, આમાં 16 લોકોના મોત થયા છે. જેમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે. જોકે, આંકડાઓની સત્તાવાર માહિતી હજુ સામે આવી નથી.અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે પાકિસ્તાની સેનાના હુમલાઓના જવાબમાં યોગ્ય સમયે જવાબ આપવાની ચેતવણી આપી છે. મંત્રાલયે આ હુમલાઓને અફઘાનિસ્તાનની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણાવ્યું. અફઘાન સૂત્રો અનુસાર, પક્તિકામાં એક ધાર્મિક શાળા પર ડ્રોન હુમલો થયો અને નંગરહાર પ્રાંતમાં પણ કાર્યવાહી કરવામાં આવી.
પાકિસ્તાને કહ્યું છે કે તેમણે આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો, પરંતુ અફઘાન સૂત્રો અનુસાર નાગરિકોને નુકસાન થયું.
પાકિસ્તાન લાંબા સમયથી તાલિબાન સરકાર પાસેથી માંગ કરતું રહ્યું છે કે તે પોતાની જમીનનો ઉપયોગ કોઈ પણ આતંકવાદી સંગઠનને ન કરવા દે. ઇસ્લામાબાદનો આરોપ છે કે TTP અફઘાનિસ્તાનથી સંચાલિત થઈ રહ્યું છે, જ્યારે તાલિબાન આ આરોપોનો ઇનકાર કરતું રહ્યું છે.
પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સમુદાયને તાલિબાન પર દબાણ લાવવાની માગ કરી
પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરી છે કે તે 2020માં દોહામાં અમેરિકા સાથે થયેલા કરાર હેઠળ તાલિબાન પર દબાણ લાવે, જેથી અફઘાન જમીનનો ઉપયોગ અન્ય દેશો વિરુદ્ધ ન થાય. પ્રસારણ મંત્રાલયે કહ્યું કે આ પગલું “પ્રાદેશિક અને વૈશ્વિક શાંતિ અને સુરક્ષા” માટે જરૂરી છે.ઓક્ટોબરમાં સરહદ પર થયેલી અથડામણોમાં બંને તરફના સૈનિકો અને નાગરિકોના મોત બાદથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સંબંધો તણાવપૂર્ણ બન્યા છે. કતારની મધ્યસ્થીથી 19 ઓક્ટોબરે યુદ્ધવિરામ થયો હતો, પરંતુ તુર્કીના ઇસ્તંબુલમાં પછીની વાટાઘાટો ઔપચારિક કરાર સુધી પહોંચી શકી નહીં.
#આજના સમાચાર #તાજા સમાચાર #🔥 બિગ અપડેટ્સ #📽 લેટેસ્ટ અપડેટ વીડિયો
#👩🍳 રસોઈ અને કિચન ટીપ્સ #🥘 મારી નવી રેસિપી #🌯સ્ટ્રીટ ફૂડ ઓફ ઈન્ડિયા #🍲શિયાળાની ટેસ્ટી વાનગી😋 #🥗 પોષ્ટીક આહાર
#🙏હનુમાન દાદા વીડિયો સ્ટેટ્સ🎥 #🙏શનિવાર ભક્તિ સ્પેશિયલ #🙏કષ્ટભંજન દેવ સ્ટેટ્સ #💐 શનિવાર સ્પેશિયલ #🙏જય હનુમાન🙌
#🙏જય હનુમાન🙌 #🙏હનુમાન દાદા વીડિયો સ્ટેટ્સ🎥 #🙏કષ્ટભંજન દેવ સ્ટેટ્સ #💐 શનિવાર સ્પેશિયલ #🙏શનિવાર ભક્તિ સ્પેશિયલ
#👩🍳 રસોઈ અને કિચન ટીપ્સ #🥘 મારી નવી રેસિપી #🍲શિયાળાની ટેસ્ટી વાનગી😋 #🌯સ્ટ્રીટ ફૂડ ઓફ ઈન્ડિયા #વડોદરા
પાણીપુરીના રસિકો માટે ખરાબ સમાચાર આવ્યા છે. એક સ્ટ્રીટ ફૂડની રેંકડીમાંથી જ્યારે પાણીપૂરી વિક્રેતા ચટપટું પાણી આપતા હતો એ સમયે જ એક ઉંદર તેમાંથી ન્હાય કૂદકો મારી બહાર નીકળ્યો અને પાણીપુરી ઝાપટતા રસિકોની આંખો પહોળી કરી દીધી. જોકે પ્રશ્ન એ ઉપસ્થિત થઈ રહ્યો છે કે આ ઉંદર એ પાણીપુરીના પાણીમાં છેલ્લા કેટલા સમયથી હતો ?
અમૃતસર પંજાબની આ ઘટના છે. ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. કદાચ આજના દિવસે સૌથી વઘારે વાયરલ થયેલો આ વીડિયો હશે! ઘટના કેમેરામાં વ્લોગરના કારણે કેદ થઈ ગઈ. એ અને તેનો એક મિત્ર પાણીપુરીની લારીએ પાણીપુરીનો સ્વાદ માણતા હતા. પાણીપુરીના મસાલેદાર પાણીથી ભરેલું નાનું એવું ટીપણું હતું, જેને જોતા જ મોઢામાંથી પાણી આવી જાય. આ ટીપણાંની અંદર ક્યારની કંઈક હલચલ મચી રહી હતી. જોકે સમજાય નહોતું રહ્યું કે પાણી એકલું એકલું કેવી રીતે વમળો ઉઠાવી રહ્યું છે!
જોકે પાણીપુરી વિક્રેતાને આ વાતની ભનક તો લાગી ગઈ હતી. એણે મસાલેદાર પાણીમાં સ્નાન કરી રહેલા ઉંદરને હટાવવાનો હાથથી પ્રયત્ન કર્યો હતો, પરંતુ ઉંદર તેની સહાયતા વગર કૂદકો મારી ગટરની તરફ ભાગી ગયો. એ જ સમયે પાણીપુરી મોંમાં મૂકી ચૂકેલા સ્વાદરસિકોના ચહેરાના હાવભાવ બદલી ગયા હતા. હવે થઈ ગયું એ તો થઈ ગયું !આ ઘટના બન્યા બાદ વ્લોગરે ખૂદ પાણીપુરી વિક્રેતાને કહ્યું હતું કે ઉંદરવાળું પાણી ફેંકી દે ભાઈ! આ વીડિયો શેર કર્યા પછી તેણે કેપ્શન પણ લખ્યું હતું, 'Rat In Panipuri' - હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો મુદ્દો બની ગયો છે. લોકો વાતો કરી રહ્યા છે રસ્તે રેંકડીમાં વેંચાતા ભોજનની ક્વોલિટીની. અર્થાત્ ગુણવત્તાની.
પ્રશ્નો એવા ઉઠી રહ્યા છે કે... પાણીપુરીનો બીજો સામાન તો એકદમ ચોખ્ખો દેખાય રહ્યો છે પણ આ ઉંદર પાણીની અંદર થોડી વાર પહેલા પ્રવેશ્યો કે પહેલાથી એમાં હતો. કોઈ કહે છે કે, કહી દો આ AI છે અને કોઈને ડિઝની + પિક્સારની ફિલ્મ Ratatouille યાદ આવી રહી છે. જેમાં એક ભોજન પ્રિય ઉંદર રેસ્ટોરન્ટના નબળા શેફની મદદ કરતો મહાન રસોયો બની જાય છે.
જોકે આ કંઈ નવું નથી. દર વર્ષે આવું કંઈકનું કંઈક થતું રહે છે. વાત છે ગયા વર્ષની એટલે કે 2025ની. જ્યારે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક પ્લેટમાં મરેલો ઉંદર પીરસાય ગયો હતો.
#📽 લેટેસ્ટ અપડેટ વીડિયો #👀 વાયરલ સ્ટોરી અપડેટ 🎬 #✔️ હકીકતો અને માહિતી #🔥 બિગ અપડેટ્સ #😋 પાણીપુરી ની રેસિપી
ગુજરાતની લોકપ્રિય ન્યૂઝ ચેનલ ZEE 24 કલાક પર તમે સવારે અમારો ભક્તિનો કાર્યક્રમ નિહાળતા હોઉ તો તમારા પસંદગીના ભક્તિ ગીતો મને લખી મોકલો, તમારા મનપંસદ ભક્તિગીતો અમારા કાર્યક્રમમાં તમને સંભાળીવીશું...તમારી ભક્તિ, તમારી પસંદગી
દરોરોજ સવારે 6:30થી 8 વાગ્યા સુધી નિહાળો 'સૂરવંદના'
#👣 જય મેલડી માઁ #🙏 મારી કુળદેવી માં #🙏ભક્તિ સ્ટેટ્સ #💐 ગુરૂવાર સ્પેશિયલ #જીગ્નેશ બારોટ








