ShareChat
click to see wallet page
search
🍃🍃🌼🍃🍃 બાળ ચરીત્ર...            ત્યાર પછી શ્રીજી મહારાજ ત્યાં રહેતા સતા ત્યાં થકી ફરતા ફરતા ચાલ્યા તે ગામ માનકુવા આવતા હતા અને અદાજીના દરબારમાં પંદર દિવસ રહીને પોતાનો પ્રતાપ જણાવતા સતા, તેમની સેવા અંગીકાર કરીને પોતાના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય કરાવીને ત્યાં થકી ચાલ્યા તે ગામ કેરા આવ્યા. અને તે ગામના સમીપે સજીવન પાણી ઉપર થઈને વહે છે એવો એક મહા દેવતાઈ કુંડ છે. તેમાં સ્નાન કરીને સદાબાના દરબારમાં પધાર્યા અને ત્યાં થાળ જમીને તેમને રાજી કરતા સતા ત્યાં બે દિવસ રહીને ચાલ્યા તે ગામ બળદીયા થઇને શ્રીમાંડવી બંદર પધારતા હતા અને ત્યાં રહ્યા થકા દેશ દેશ પ્રત્યે કંકોત્રીઓ લખાવીને સર્વે સંત હરિભક્તોને તેડાવ્યા અને પોતે લક્ષ્મીનાથ ભટ્ટ પાસે કથા કરાવતા હતા અને વિશેષપણે કરીને તો વેદાંતની વાર્તા કરતા હતા અને પોતે વેદાંતની વાર્તા કરીને પરાજય કરતા હતા અને તે વેદાંતીઓમાં મુખ્ય એવો જે ખૈયો ખત્રી તેને શ્રીજી મહારાજને વિષે ભગવાનપણાની બુધ્ધિ થાતી હતી અને નિત્યે સમુદ્રમાં સ્નાન કરીને કિનારે રહી જે, મીઠીકૂઇ તેના જળનું પાન કરતા હતા.એવી રીતે અનેક પ્રકારની લીલા કરતા થકા ચોમાસાના ચાર માસ રહેતા હતા. પછી ત્યાં થકી ચાલ્યા તે ગામ રામપુર પધાર્યા અને ત્યાં થોડાક દિવસ રહીને આથમણી કોરે જે ગૌમુખીગંગા ત્યાં સ્નાન કરીને તે સ્થાનક બહુ રમણીય જોઇને, પ્રાગજી દવે પાસે શ્રીમદ્ભાગવતની સપ્તાહ કરાવતા પંદર દિવસ તે જગ્યાએ રહીને ત્યાં થકી ચાલ્યા, તે ગામ દહીંસરા પધાર્યા અને ત્યાં ગોવર્ધન વ્યાસના ઘેર થાળ જમીને ચાલ્યા તે ગામ સરલીમાં ગરાસીયા માનસંગના ઘેર પાંચ દિવસ રહીને તેમની સેવા અંગીકાર કરીને પાછા વળ્યા, તે માંડવી બંદર પધાર્યા અને દરબારની ટંકશાળામાં મોટી એક પાટ લાવીને તેના ઉપર બિરાજમાન થયા અને ગોમતીબાઈને ઘેર થાળ જમીને ચાલ્યા તે ગામ કાળાતળાવ પધારતા હતા. અને ભીમજી સુતારને ઘેર કેટલાક દિવસ રહીને અનેક પ્રકારની લીલાને કરતા સતા, ગામ તેરે માવજી સુથારને ઘેર પધાર્યા. અને ત્યાં દોઢ માસ રહીને પ્રાગજી દવે પાસે શ્રીમદ્ભાગવતની કથા વંચાવતા હતા.અને તે કથા સંપૂર્ણ સાંભળીને ત્યાં થકી ચાલ્યા તે ગામ ગોત્રકામાં વસંત પંચમીનો સમૈયો કરીને ગામ ભીમાસરમાં ગયા. અને ત્યાં કેટલાક દિવસ રહીને કંથકોટ થઇ, ભચાઉ, ધમડકા, થઇને ત્યાં થકી ચાલ્યા તે શ્રીભુજનગરને વિષે પધાર્યા.                                🍃🍃🌼🍃🍃 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #✋ જય સ્વામીનારાયણ ##જય સ્વામિનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗
અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા - Vm Prt Gurukul' SUraf सोहत  प्यारे॰ asIiG அf 0f1 auna Vm Prt Gurukul' SUraf सोहत  प्यारे॰ asIiG அf 0f1 auna - ShareChat