🍃🍃🌼🍃🍃
🥀મહા વદી - ૧૧ વિજયા એકાદશી.
નારદજી બ્રહ્માજીને પૂછે છે :- હે પરમપિતા બ્રહ્મદેવ ? મહાવદ એકાદશી નું વ્રત કરવાથી શું ફળ મળે ?
બ્રહ્માજી કહે છે હે નારદ ? આ વિજયા એકાદશીનું વ્રત પ્રાચીન , પવિત્ર અને વિજય અપાવનારું છે. આ વ્રત કરનાર મનુષ્યનો જય થાય છે. પ્રભુ શ્રી રામ જ્યારે લંકા ઉપર ચડાઈ કરવા વાનર સેના સાથે સમુદ્રના કિનારે પધાર્યા ત્યારે શ્રી રામચંદ્રજી લક્ષમણજીને પૂછે છે હે લક્ષ્મણ ? આ સમુદ્રના અગાધ જળને કયા પુણ્યથી તરી શકાય ?
લક્ષ્મણજી કહે છે હે પૂર્ણ પુરુષોત્તમ ? આપ જ આદિ દેવ છો. આ દ્વીપમાં બે કોષ દૂર દાલભ્ય મુનિ રહે છે. તેમણે ઘણા બ્રહ્માઓ દીઠા છે. તે પુરાણા મુનિ આપને જણાવશે. પછી શ્રી રામચંદ્રજી તે મુનિના આશ્રમે જઈને તેમને નમસ્કાર કરીને પૂછે છે :- હે મુનિશ્રેષ્ઠ ? હું આપની કૃપાથી લંકાના રાક્ષસોને જીતવા માટે અહીં સુધી આવ્યો છું. હવે આ સેના સાથે સમુદ્ર ઉતરીને વિજય મળે તેવો ઉપાય જણાવો.
મુનિરાજ કહે છે :- હે શ્રી રામ ? વિજય આપાવનાર મહાવદી વિજયા એકાદશીનું વ્રત વિધિ પૂર્વક કરો. આ વ્રતની રીત તમે સાંભળો. દશમી ના દીવસે આપની અનુકૂળતા મુજબ સોના , રૂપા , તાંબા કે માટી નો ઘડો લેવો. પછી તેને સ્થન્ડીલ કરીને તેના પર સાત ધાન્ય પાથરીને તેના ઉપર પાંદડા વાળા જવથી ભરેલા ઘડા મૂકીને તેના ઉપર જળથી ભરેલું ત્રભાણું મૂકવું. તેની અંદર વિષ્ણુની મૂર્તિ પધરાવી. પછી એકાદશીના દિવસે પ્રાતઃ કાળૅ સ્નાન કરીને ચંદન , પુષ્પ , ધૂપ , દીપ , નૈવેધ વગેરે ઉપચારોથી નારાયણની પૂજા કરવી. દિવસ દેવ પૂજામાં પસાર કરવો. અને આખી રાત જાગરણ કરીને પ્રભુનું નામ કિર્તન કરવું. બારસના દિવસે સ્થાપિત કરેલો ઘડો નદી , તળાવ કે જળાશય પાસે રાખવો. ત્યાં વિધિ પૂર્વક તેની પૂજા કરવી. પછી તે કુંભ અને વિષ્ણુની મૂર્તિ કોઈ સુપાત્ર બ્રાહ્મણને દાનમાં આપી દેવી. હે શ્રી રામ ? તમે સૈન્ય સાથે વિધિ પૂર્વક આ વ્રત કરો.
પછી પ્રભુ શ્રી રામચંદ્રજીએ મુનિના કહેવા પ્રમાણે વિજયા એકાદશીનું વ્રત કર્યું. અને પછી સેના સાથે સમુદ્ર પાર કરીને વરદાન મેળવેલા શક્તિ શાળી રાક્ષસોનો નાશ કરીને વિજય પ્રાપ્ત કર્યો.
બ્રહ્માજી કહે છે હે નારદ ? વિજયા એકાદશી ઉત્તમ ફળ આપનારું વ્રત છે. આ કથાનો પાઠ કરવાથી અથવા સાંભળવાથી વાજપેય યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય છે.
આવી રીતે સ્કંદ પુરાણમાં મહાવદી - ૧૧ વિજયા એકાદશી નું મહાત્મ્ય કહેલું છે.
🍃🍃🌼🍃🍃 #એકાદશી #એકાદશી ની શુભકામના


