ShareChat
click to see wallet page
search
#😢હાઈવે બન્યો લોહીયાળ 6ના મોત, યમુના એક્સપ્રેસવે પર લધુશંકા કરવા માટે બસમાંથી ઉતરેલા મુસાફરોને કન્ટેનરે અડફેટે લીધા હતા. આ ઘટનામાં 6 મુસાફરોના મોત થયા છે. જ્યારે એક ઘાયલ થયો. આ ઘટના લગભગ 2:45 વાગ્યે બની. બસ દિલ્હીના નાંગલોઈથી કાનપુરના રસુલાબાદ જઈ રહી હતી. સુરીર પોલીસ સ્ટેશન વિસ્તારમાં માઈલસ્ટોન 88 નજીક, મુસાફરોએ ડ્રાઇવરને લધુશંકા માટે રોકવા કહ્યું. ડ્રાઇવરે ગ્રીન ઝોનમાં રોકવાને બદલે બસ રોકી. મુસાફરો લધુશંકા કરવા માટે બસમાંથી ઉતર્યા. ત્યારે જ, પાછળથી આવતા એક ઝડપી કન્ટેનરે બસને ટક્કર મારી અને નીચે ઉભેલા મુસાફરોને કચડી નાખ્યા.સરવા કટરા, ઔરૈયા, અલેવાલ, બસ્તીના રહેવાસી દેવેશ, ગણેશ કા પુરવાના રહેવાસી અસલમ, દિલ્હીના પ્રેમ નગરના રહેવાસી સંતોષ અને અન્ય બે લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા. તેમની હજુ સુધી ઓળખ થઈ નથી. આ અકસ્માતમાં ઔરૈયાના બેલાના રહેવાસી અમર દુબે ઘાયલ થયા હતા. ઘટના સમયે ધુમ્મસ નહોતું. સુરીર ઇન્સ્પેક્ટર અજય કુમારે જણાવ્યું હતું કે થોડા સમય માટે ટ્રાફિક ખોરવાયો હતો, પરંતુ ઘટનાસ્થળે રાહત કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું અને ટ્રાફિક પૂર્વવત કરવામાં આવ્યો હતો.મુખ્યમંત્રીએ રોડ અકસ્માતની નોંધ લીધી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી રાહત કાર્ય ઝડપી બનાવવા નિર્દેશ આપ્યો છે. #🔥 બિગ અપડેટ્સ #આજના સમાચાર #📽 લેટેસ્ટ અપડેટ વીડિયો #તાજા સમાચાર
😢હાઈવે બન્યો લોહીયાળ 6ના મોત - ShareChat
01:05