🍃🍃🌼🍃🍃
બાળ ચરીત્ર...
હવે શ્રી અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સર્વ અવતારના અવતારી શ્રીધર્મભક્તિના પુત્ર ઘનશ્યામ મહારાજનાં અસાધારણ લક્ષણો કહું તે સાંભળો, પૂર્વે થયા જે રામકૃષ્ણાદિક સર્વે અવતાર તેમને પોતે પોતાના સ્વરૂપને વિષે દેખાડતા હતા તથા વૈકુંઠાદિક ધામને વિષે રહેલી જે મૂર્તિમાં અને તેમાં રહેલાં જે દિવ્ય ઐશ્વર્ય તેને ઘનશ્યામ મહારાજ પોતાની મૂર્તિને વિષે અનંત મનુષ્યોને દેખાડતા હતા તથા જેવા તેવા જીવને પણ સમાધિ કરાવીને પોતાની મૂર્તિને વિષે નિરોધ કરાવ્યો તથા બીજા અવતારોએ જીવોનું જેવું કલ્યાણ કર્યું, તેવું તો પોતાના ભક્તદ્વારા સામર્થ્ય જણાવતા હતા તથા અપાર તેજોમય એવું જે પોતાનું અક્ષરધામ તેના મધ્યમાં રહ્યું જે દિવ્ય સિંહાસન તેના ઉપર સદા બિરાજમાન અને ચારે બાજુ અનંતકોટી મુક્તમંડળની સભાએ વિંટાણા એવા જે દિવ્યમૂર્તિ પોતે તેનું દર્શન જેવા તેવા જીવને સહજમાં કરાવતા હતા તથા પૂર્વે શાસ્ત્રને વિષે કહ્યા જે, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, અને ભક્તિ તથા સાંખ્ય, યોગ, વેદાંતાદિક શાસ્ત્રના મત તેમના સ્વરૂપનું પ્રતિપાદન જ્યારે પોતે કરે તથા તેમના પ્રતિપાદનનાં શાસ્ત્ર કરે ત્યારે પૂર્વનાં શાસ્ત્રમાંથી તેમાં બહુ ચમત્કાર આવે અને સહેજે સર્વેના સમજવામાં આવે અને તે વાર્તા શાસ્ત્રમાં જેની બુદ્ધિ પહોંચતી હોય તેને યથાર્થ જાણવામાં આવે.અને આજ તો તે વાર્તા જેવા તેવા જીવને સમજાય એવી સુગમ કરતા હતા.તથા પોતાનાં દર્શન માત્રથી અનેક જીવના મનની વૃત્તિઓને પોતાના સ્વરૂપમાં તાણી લેતા હતા. તથા જે કોઇ જીવે પોતાના આશ્રય કર્યો તેને પોતે પોતાના પાર્ષદે સહિત રથ વિમાન લઇને તેડવા આવે છે તથા પોતાની આજ્ઞાએ કરીને અનેક સ્ત્રીપુરુષ પોતપોતાના ધર્મ માર્ગે ચાલ્યા તથા જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિના માર્ગે ચાલ્યા. એવી રીતનો પોતાના વચનમાં પ્રતાપ જણાવતા હતા. તથા પોતાના સંબંધને પામ્યું જે, વસ્ત્રપુષ્પાદિક કંઇક વસ્તુ તેનાં દર્શન માત્રે કરીને તથા તેના સ્પર્શ માત્રે કરીને તત્કાળ અન્તર્દષ્ટિ થઇ જતી હતી. અને બ્રહ્મપુરાદિક ધામ તથા તે ધામોનાં દિવ્ય ઐશ્વર્ય તેને જણાતાં હતાં. તથા પોતાના સ્વરૂપ સંબંધી વાર્તા જે કોઈ પરદેશમાં જઇને કરે અને જે કોઇ સાંભળે તેને અલૌકિકપણું જણાઇ આવતું હતું. તથા જીવાત્મા, વિરાટ પુરુષ, ઈશ્વર, પ્રધાનપુરુષ, મૂળપ્રકૃતિ પુરુષ અને અક્ષરધામના મુક્ત ને તે અક્ષરધામના નિવાસી પોતે પુરુષોત્તમ એ સર્વેનું નિરુપણ ભેદે સહિત અને ઐશ્વર્યે સહિત નોખું નોખું કરીને સર્વને પોતે દેખાડ્યું તથા ઐશ્વર્ય સહિત તેમનાં સ્વરૂપ બીજાને દેખાડતા હતા. એવી રીતનું જ્ઞાન પોતાના ભક્તને આપીને તે ભક્ત દ્વારા તે ઐશ્વર્યને જણાવતા હતા. તથા પોતાના અવતાર તે પોતાની મૂર્તિને વિષે લીન થતા અને પોતાની મૂર્તિ કોઇ અવતારને વિષે લીન ન થતી હતી.
🍃🍃🌼🍃🍃 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #✋ જય સ્વામીનારાયણ ##જય સ્વામિનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗


