રોહિત અને વિરાટે 2027નો વર્લ્ડ કપ રમવો જોઈએ ? જાણો શું કહ્યું MS ધોનીએ
MS Dhoni : રોહિત શર્મા અને વિરાટ કોહલી હવે ફક્ત ODI ફોર્મેટમાં રમે છે અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેમના ભવિષ્ય પર બધાની નજર છે. ચાહકો તેમને 2027 ODI વર્લ્ડ કપમાં રમતા જોવા માંગે છે. હવે એમએસ ધોનીએ આ વિષય પર વાત કરી છે અને જણાવ્યું છે કે શું બંનેએ આગામી વર્લ્ડ કપમાં રમવું જોઈએ.