ShareChat
click to see wallet page
search
🍃🍃🌼🍃🍃 બાળ ચરીત્ર....           વળી એક સમયે અમદાવાદથી રામપ્રતાપભાઈ સિદ્ધપુર સરસ્વતીમાં નહાવા જવાનો વિચાર કરીને પોતાની સાથે પાળા કુબેરસંગજી તથા નિલમ મોટા એ આદિક પાંચ સાત પાળા લઇને ગાડી જોડાવીને ચાલ્યા, તે વચ્ચે દંઢાવ્ય દેશમાં ફરતા ફરતા કેટલેક દિવસે ગામ બીલીયામાં જઈને કામરાજ પટેલના ડેલામાં રાત્રી રહ્યા. પછી તેણે હેતે સહિત બીજે દિવસે ભાઈને જમાડયા. ત્યારે તે સમયે કામરાજનો કાકો તે ડેલાના ચોતરા ઉપર બેઠો હતો. તે બોલ્યો જે, હે કામરાજ ! આ કોણ આવ્યા છે ? અને ક્યાં જાય છે ? ત્યારે તેણે કહ્યું જે, હે કાકા ! આતો સ્વામિનારાયણના મોટા ભાઇ છે. તમો આવો, દર્શન કરો. એતો સિદ્ધપુર સરસ્વતીમાં નહાવા જાય છે. તે સાંભળીને તે પટેલ ત્યાંથી ઉઠીને ભાઈનાં દર્શન કરીને બોલ્યો જે, સરસ્વતીમાં તો બિલકુલ પાણી નથી. ત્યારે દાદા એમ બોલ્યા જે, હે પટેલ ! એતો બ્રહ્માકી બેટી હૈ તે હમ જાતે હૈં તો હમકું સ્નાન કરાવવા આયેગી. ત્યારે તેણે જાણ્યું જે, સ્વામિનારાયણ પોતે ભગવાન હતા તે સર્વેને પરચા આપતા અને આ તેમના મોટાભાઈ પણ કાંઇ પરચા જણાવશે કે શું ? તે જો કાંઇ ચમત્કાર મને જણાવે તો હું પણ તેમનો ભક્ત થઇને કંઠી બાંધુ. એવી રીતનો સંકલ્પ કરીને પાછો તે ઓટલા ઉપર જઇને બેઠો. ત્યારે દાદાએ તેમના મનનો સંકલ્પ અંતર્યામીપણે જાણીને તેને બોલાવીને કહ્યું જે, હે પટેલ ! જાઓ. તમો તમારા ઘરમાં ચાર શેર માખણનું તપેલું ભરીને અધર શીકા ઉપર મુકેલું છે તે બધું અહીં લાવો અને બશેર સાકર લઈ આવો. તમોને અમો ચમત્કાર જણાવીએ. તેવું સાંભળીને તે પટેલ ઉતાવળો થકો પોતાના ઘેર જઇને તે માખણ તોળી જોયું, એટલે બરાબર દાદાના કહેવા પ્રમાણે થયું. પછી તલકચંદ વાણીયાની દુકાનેથી દળેલી બશેર સાકર લાવીને માખણ સહિત દાદાની પાસે મૂકીને બે હાથ જોડીને સમીપે બેઠો, એટલે તેને દેખતે સતે તેમાખણ અને સાકર તે બે ભેગાં કરીને શ્રીજીમહારાજને સંભાળતા સતા જમી ગયા. ત્યાર પછી ભાઇ ત્યાં થકી ચાલ્યા ત્યારે પટેલ કામરાજ પણ દાદાની સાથે તે વાત જોવા માટે ભેગો ચાલ્યો, તે દાદા જ્યાં નદીમાં ગયા ત્યાં તો આખી નદીમાં કમર બરાબર પાણી એકદમ હડુડાટ કરીને આવતું હતું. ત્યારે તે પટેલ ભાઇને પણ મહાચમત્કારી જાણીને મહા આશ્ચર્ય પામતો સતો, ભાઇના હાથે નિયમ ધારીને સત્સંગી થયો. ત્યારે ભાઇ રાજી થઇ બોલ્યા જે, હે પટેલ ! તમારા પરિવારે સહિત ગામમાં પણ ઘણો સત્સંગ થશે. એવી રીતનો વર તે પટેલ પામીને ઘરે ગયો. ત્યાર પછી તે ગામના નથુ ભટ્ટ તથા લક્ષ્મીચંદ પારેખ તથા દલછારામ ભાવસાર એ આદિક સર્વે હરિભક્ત મળીને સન્માનને કરતા સતા, ભગવાનજી ચોબદારના વંડામાં ઉતારો કરાવતા હતા. પછી બીજા દિવસે સવારના પહોરમાં સરસ્વતીમાં સ્નાન કરવા માટે ચાલ્યા, તે માધુપાવડીયાને કિનારે વિધિપૂર્વક સ્નાન કરીને, શ્રાદ્ધ કરાવીને બ્રાહ્મણોને દાન પૂન્ય કરતા સતા, બિંદુ સરોવર, જ્ઞાનવાવ, વટેશ્વર મહાદેવ એવી રીતે સર્વે તીર્થોમાં સ્નાન કરીને દાન દક્ષિણાઓ કરતા સતા, દર્શન કરતા સતા પોતાના ઉતારે આવતા હતા. એવી રીતે તીર્થોમાં કેટલાક દિવસ રહીને ત્યાં થકી ચાલ્યા, તે અમદાવાદને વિષે પોતાના મંદિરમાં પધારતા હતા.                             🍃🍃🌼🍃🍃 #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ ##જય સ્વામિનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા
🙏 સ્વામિનારાયણ મંદિર - Vn rt Gurukul Surat Vn rt Gurukul Surat - ShareChat