ShareChat
click to see wallet page
search
🍃🍃🌼🍃🍃 બાળ ચરીત્ર...           હે ભાઈ ! ગામ પીપલાણામાં આવ્યા જે શ્રીરામાનંદ સ્વામી તે નરસિંહ મહેતાના ઘરમાં પોતે નિવાસ કરીને રહેતા સતા, પોતે પત્ર લખીને કુંવરજી નામે બ્રાહ્મણને શ્રીલોજપુર મોકલતા હતા. બ્રાહ્મણ કાગળ લઇને લોજપુરમાં આવીને મુક્તાનંદ સ્વામીને આપતો હતો. ત્યારે સ્વામી તે પત્ર લઇને સરજુદાસને વંચાવતા હતા. તે વાંચીને બોલ્યા જે, હે સ્વામિન્ ! હવે આપણે સર્વે ચાલો ત્યાં જઈએ. એમ કહીને સ્વામીએ સહિત સર્વે સંત હરિભક્તોને સાથે લઈને ચાલ્યા, તે વચ્ચે ગામ કાલવાણીમાં આવ્યા અને ટીંમણ કરીને પછી સ્વામી ત્યાં રાત્રિ રહેવાનો વિચાર કરે છે ત્યારે, દિલગીર થઇને સરજુદાસજી બોલ્યા જે, હે સ્વામિન્ ! અત્યારે ને અત્યારે સ્વામીનાં દર્શને ચાલો. ત્યારે કહ્યું જે આજે કૃષ્ણપક્ષની દશમી તિથિ છે. તે ચંદ્ર ઉગે ત્યારે ચાલીશું. ત્યારે બોલ્યા જે, આપણે ચંદ્રમા ઉગ્યાનું શું પ્રયોજન છે ? સ્વામીનાં દર્શને જવું તેમાં વિલંબ શા કરો છો ? ત્યારે સ્વામી બોલ્યા જે, પર્વતભાઇ આદિક ગામડાંના હરિભક્તોએ વાયદો કર્યો છે. તે સર્વે હરિભક્તો આવે એટલે ભેગા મળીને જઈએ. તમો દયા કરીને એક પ્રહરવાર ધીરજ રાખો. ત્યારે એમ બોલ્યા જે, સ્વામીનાં દર્શન કર્યા વિના એક પળ જાય છે. તે કોટી કલ્પ જેવી જાય છે. અને તમો તો ધીરજ રખાવતા જાઓ છો. ત્યારે સ્વામીએ કહ્યું જે, હે મહારાજ ! આટલા ઉતાવળા થાઓ છો, પરંતુ ઈશ્વરનું દર્શન તો ઇશ્વરના હાથમાં છે. તે આપણી ઉતાવળે કંઈ કામ સરતું નથી. ત્યારે બોલ્યા જે, કેમ સ્વામી ? આપણી ઉતાવળે કામ ન સરે ? આપણને જો દર્શનની અતિ આતુરતા છે. તો જરૂર દર્શન કરીશું. ત્યારે સ્વામી બોલ્યા જે, કદાપિ રાત્રિમાં કંઇક વિઘ્ન થયું કે દેહ પડી ગયો તો કેમ દર્શન થાય ? ત્યારે કહ્યું જે, એક વિઘ્નને કોણ ગણે છે ? કોટી વિઘ્ન થાય તો પણ સ્વામીનું દર્શન જરૂર કરવું. આવી રીતનો સંવાદ કરતા થકા ચંદ્રમાનો ઉદય થયો એટલે પર્વતભાઇ, અંબારામ વ્યાસ, જીવરામ સોની, તથા ખીમજી શેઠ એ આદિક કેટલાક હરિભક્તો તૈયાર થઇને આવ્યા. પછી ચંદ્રમાના અજવાળે ભગવદ્વાર્તા કરતા સતા ચાલ્યા, તે ગામ પીપલાણામાં ઓઝત નદીના કિનારા ઉપર બેસતા હતા. ત્યારે તે નદીમાં ચોમાસાના દિવસને કારણે પાણીનું પૂર આવેલું હતું. તેને સર્વેના દેખતે સતે પોતે પાણી ઉપર ચાલીને સામા કિનારે જઈને ઉભા રહ્યા. તે ચરિત્ર જોઈને મુક્તાનંદ સ્વામી આદિક સર્વે સંત હરિજન તો આશ્ચર્ય પામતા સતા, વહાણમાં બેસીને સામે કિનારે જઈને ઉતર્યા. પછી સર્વે ભેગા થઇને ગામમાં જતા હતા. ત્યારે નરસી મહેતાના ઘરમાં રામાનંદ સ્વામીનાં દર્શન કરતા થકા, દૂરથી સ્વામીને દંડવત્ પ્રણામ કરીને પગે લાગતા હતા. તે સમયે રામાનંદ સ્વામી તત્કાળ પોતાના આસન ઉપરથી ઉતરીને ઉતાવળા થકા, સામા જઇને સરજુદાસજી બ્રહ્મચારીને ઉપાડી લઇને અતિ સ્નેહ સહિત ગદ્ગદ્ કંઠે થઇને બાથ ભીડીને મળતા હતા. પછી મુક્તાનંદ સ્વામી આદિક સર્વે સંત હરિજનને અતિ સ્નેહ સહિત મળતા હતા. પછી પોતાના આસન ઉપર આવીને જેમ જેને ઘટે તેમ અતિ આદર વડે આસન આપીને બેસારતા હતા.                         🍃🍃🌼🍃🍃 ##જય સ્વામિનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ
#જય સ્વામિનારાયણ - 9856 < 20s2 6lCIS6 cঙী 9856 < 20s2 6lCIS6 cঙী - ShareChat