ShareChat
click to see wallet page
search
🍃🍃🌼🍃🍃 બાળ ચરીત્ર...         આવી રીતે લોજપુરમાં કેટલાક દિવસો વીત્યા પછી, મુક્તાનંદ સ્વામીએ શ્રીનીલકંઠ બ્રહ્મચારી આવ્યાના સમાચાર પત્રમાં લખીને બોલ્યા જે, હે સરજુદાસજી ! તમે પણ એક પત્ર લખો. તેવું સાંભળીને પોતે પણ રામાનંદ સ્વામીના ઉપર પત્ર લખ્યો. અને તે બે પત્રો ભેળા કરીને મુક્તાનંદ સ્વામીએ મયારામ ભટ્ટ સાથે શ્રીભુજનગરને વિષે રામાનંદ સ્વામીને પહોંચાડ્યા. ત્યારે રામાનંદ સ્વામી, ગંગારામભાઇના ઘરમાં પોતાના હજારો સેવકોથી વિંટાણા સતા બેઠેલા હતા. ત્યાં જઈને તે પત્ર આપતા હતા. ત્યારે તે પત્ર અતિ હર્ષથી લઈને ઉખેડવા જાય છે, એટલે અતિ સ્નેહ આવી ગયો છે જેમને, એવા જે શ્રી રામાનંદ સ્વામી તેમનાં બંને નેત્રમાંથી અતિશય હર્ષનાં આંસુ આવી ગયાં. તે જોઇને ગંગારામ મલ્લ તથા સુંદરજીભાઇ વિગેરે સર્વે સભાજનો પૂછવા લાગ્યા જે કેમ, સ્વામી ! તમોનું શું થયું ? ત્યારે સ્વામી તે પત્રની વાર્તા તથા શ્રીનીલકંઠ બ્રહ્મચારી પોતે પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન પધાર્યા, એ બે વૃત્તાન્તની વાર્તા કહેવા લાગ્યા. તેજ વખતે કોટી કોટી સૂર્યનો પ્રકાશ તે પત્રમાંથી નીકળતો જોઈને સર્વે ભક્તો મહા આશ્ચર્ય પામી ગયા. પછી તો સ્વામી બોલ્યા જે, હવે અમારે કંઇ કરવું ન રહ્યું. પોતે પુરુષોત્તમ પધાર્યા તેમનો પત્ર આવેલો છે. તે પત્રમાં આટલો ચમત્કાર છે, તો એમની તે શી વાત કરવી? એમ કહીને પત્રના જવાબમાં લખ્યું જે, હે શ્રીનીલકંઠ બ્રહ્મચારી ! તમો અકળાશો નહીં. અમો થોડાક દિવસોમાં ત્યાં આવીશું. એમ લખી મોકલ્યું. પછી થોડાક માસ ત્યાં રહીને સર્વે હરિજનની રજા માગીને તે ભુજનગરમાંથી રામાનંદ સ્વામી કેટલાક પોતાના સેવકોને સાથે લઈને ચાલ્યા. તે રસ્તામાં મુકામ કરતા થકા કેટલાક દિવસે ગામ પીપલાણામાં આવતા હતા.                              🍃🍃🌼🍃🍃 #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ
✋ જય સ્વામીનારાયણ - GurukutAif Surdf वन में विचरे, शोभा अलौकिक न्यार नीलकंठ प्रभुजी GurukutAif Surdf वन में विचरे, शोभा अलौकिक न्यार नीलकंठ प्रभुजी - ShareChat