ShareChat
click to see wallet page
search
ચહેરા પરની ખીલ એક એવી સમસ્યા છે જે ચહેરા પર ડાઘ તો છોડી જ જાય છે, પરંતુ તમારા માનસ પર પણ મોટો પ્રભાવ પાડે છે. ઘણી વાર તો લોકો ખીલને કારણે એટલા પરેશાન થઈ જાય છે કે તણાવ અને હતાશાનો ભોગ બને છે. ખીલ એ ત્વચાની સામાન્ય સ્થિતિ છે જે મોટાભાગના લોકોને જીવનમાં અમુક તબક્કે અસર કરે છે. ખીલથી ફોલ્લીઓ થાય, તૈલી ત્વચા થાય અને ક્યારેક સ્પર્શ કરતા પીડાદાયક ત્વચાનું કારણ પણ બને છે. બ્રિટિશ આરોગ્ય વિભાગ અનુસાર, ગમે તે અવસ્થામાં ખીલ થઈ શકે છે. પરંતુ 11 થી 30 વર્ષની વયના 95 ટકા લોકો કોઈને કોઈ માત્રામાં ખીલથી પ્રભાવિત થાય છે.જોકે 3 ટકા લોકોમાં 35 વર્ષથી વધુ વયે પણ ખીલ રહી જાય છે. તેમજ તમારા પરિવારમાં માતાપિતા બંનેને ખીલ હોય તો તમને પણ ખીલ થવાની સંભાવના વધી જાય છે. જૂનાગઢના ત્વચા અને વાળના નિષ્ણાંત એમ.ડી. સ્કીન ડૉ. શ્યામ માંકડિયા કહે છે, "ખીલ થવા પાછળ ઘણા કારણો જવાબદાર છે. મુખ્ય કારણ હૉર્મોનમાં આવેલા ફેરફારો છે. કિશોરાવસ્થામાં પ્રવેશ કરતી વખતે થતા હૉર્મોનના ફેરફારને કારણે ચહેરા પરની તૈલી ગ્રંથિઓમાંથી તેલનો સ્રાવ વધી જાય છે. એને લીધે ગ્રંથિઓ મોટી થાય છે અને તેના કારણે ખીલ થાય છે."ખીલ થતા હોય તો દિવસમાં ત્રણથી ચાર લિટર પાણી પીવું જોઈએ. જો પાણી વધારે લેવાય તો ખીલ ઓછા થાય છે. બીજી તકેદારી એ રાખી શકાય કે ખોરાકમાં તેલનું પ્રમાણ ઓછું કરવું, ચોકલેટ, ચીઝ, પનીર જેવી ડેરી પ્રોડક્ટનું સેવન ઓછું કરવું અને સામે લીધા શાકભાજી, ખાટા ફળોનું પ્રમાણ વધારવું જોઈએ, જેથી ચહેરા પર નિખાર સારો આવે.ચહેરા પરના અસરગ્રસ્ત વિસ્તારોને દિવસમાં બે વારથી વધુ ન ધોવો. વારંવાર ધોવાથી ત્વચામાં બળતરા થઈ શકે છે અને લક્ષણો વધુ ખરાબ થઈ શકે છે. ખીલથી અસરગ્રસ્ત વિસ્તારને હળવા સાબુ અથવા ક્લિંઝર અને હૂંફાળા પાણીથી ધોવો. કારણ કે ખૂબ ગરમ અથવા ઠંડુ પાણી ખીલને વધુ ખરાબ કરી શકે છે. કાળા દાણા અથવા સ્ક્વિઝ સ્પૉટને સાફ કરવાનો પ્રયાસ કરવો નહીં. એમ કરવાથી સ્થિતિ વધુ ખરાબ થાય અને કાયમી ડાઘનું કારણ બની શકે છે. વધુ પડતા મૅકઅપ અને કૉસ્મેટિક્સનો ઉપયોગ કરવાનું ટાળવું. તૈલી મેકઅપ, સ્કિનકૅર અને સનકૅર ઉત્પાદનો ટાળવા, ઘણીવાર આવા ઉત્પાદનોને 'કોમેડોજેનિક' તરીકે લેબલ કરવામાં આવે છે. પાણી-આધારિત નોન-કોમેડોજેનિક ઉત્પાદનોનો ઉપયોગ કરો, કારણ કે તેનાથી તમારી ત્વચાના છિદ્રો અવરોધિત થાય તેવી શક્યતા ઓછી રહે છે. સૂતા પહેલા મૅકઅપને સંપૂર્ણપણે દૂર કરવો. નિયમિત કસરતથી તમારા ખીલમાં સુધારો ભલે ન આવે પરંતુ તેનાથી તમારો મૂડ સુધરશે અને તમારા આત્મસન્માનમાં વધારો થઈ શકે છે. કસરત કરી લીધા પછી શક્ય તેટલી વહેલી તકે સ્નાન કરી લેવું કારણ કે પરસેવો તમારા ખીલમાં બળતરાનો ઉમેરો કરી શકે છે. વાળ નિયમિતપણે ધોઈ લેવા અને વાળને તમારા ચહેરા પર ન આવવા દેવા. #💆‍♀️વિન્ટર સ્કિન કેર ટિપ્સ💁‍♀️ #🏋🏻‍♀️મહિલા ફિટનેસ અને સ્વછતા #👩નારી શક્તિ💪 #💁‍♀️ સ્ત્રી મુંજવણ અને ઉકેલ #👌 ઘરેલુ ઉપચાર
💆‍♀️વિન્ટર સ્કિન કેર ટિપ્સ💁‍♀️ - UI थााथतl నdsalamd2 [Eqetui 3-4 tce২ ٦،٩٨ ٦g ullelsui dcj ५रभIएI थोछुं s२वुं থlsce, ೩3, 12 ४वी डे२ ५रोss२नुं सेवन ೫19 5ಇ9 ೩[[50[9, uLet s013 WWIUI वधा२gुं UI थााथतl నdsalamd2 [Eqetui 3-4 tce২ ٦،٩٨ ٦g ullelsui dcj ५रभIएI थोछुं s२वुं থlsce, ೩3, 12 ४वी डे२ ५रोss२नुं सेवन ೫19 5ಇ9 ೩[[50[9, uLet s013 WWIUI वधा२gुं - ShareChat