🍃🍃🌼🍃🍃
બાળ ચરીત્ર...
વળી એક સમયે શ્રીગઢપુરને વિષે શ્રીજી મહારાજે પોતાના મોટાભાઇના પુત્ર નંદરામજીને ભારે વસ્ત્ર-ઘરેણાં પહેરવા આપ્યાં અને તે પહેરી રહ્યા એટલે એક આખી જગન્નાથીનું થાન મસ્તકે બાંધવા આપ્યું અને બોલ્યા જે, હે નંદરામજી ! આ ફેંટો તમો હિન્દુસ્તાની માથે બાંધો. પછી નંદરામજીભાઈ તો પછવાડે પગની પેની બરોબરી હીંડળતો છેડો મૂકીને મસ્તકે બાંધવા લાગ્યા. તે એક ઠેબું દોઢ હાથ ઉચું રાખ્યું અને બીજું ઠેબુંનીચું રાખીને વચ્ચે છોગું મૂક્યું. એવી રીતે ફેંટો પોતાના મસ્તકે બાંધ્યો. પછી શ્રીજી મહારાજે સભામાં એક હાથ ઉંચો ચાકળો નંખાવી આપ્યો અને બોલ્યા જે, હે નંદરામજી ! આ ચાકળા ઉપર તમો બેસો. ત્યારે એક ઢીંચણ ઉંધો રાખ્યો અને બીજો ઢીંચણ ઉભો રાખીને છાતી કાઢીને રાજાની રીતે બેઠા. ત્યારે મૂળ પ્રથમથીજ પાંચ હાથ ઉંચા તો હતા અને વળી એક પગ ઉંધો રાખીને ખડા બેઠા તે સર્વે સભા કરતાં ગજ એક ઉંચા દેખાણા. તે જોઈને મહારાજ પોતાના મુખારવિંદ આડો રૂમાલ રાખીને હસ્યા. ત્યારે નિત્યાનંદ સ્વામી બોલ્યા જે, હે મહારાજ! આતો સત્યયુગી દેખાય છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે, એતો જેણે નક્ષત્રી પૃથ્વી કરી હતી તે છે. એવી રીતે શ્રીજી મહારાજ મર્મ કરીને બોલતા હતા.
🍃🍃🌼🍃🍃 #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર ##જય સ્વામિનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗


