ShareChat
click to see wallet page
search
🥀श्री हरि चरित्र-whatsapp🥀: 🍃🍃🌼🍃🍃 બાળ ચરીત્ર...          હે રામશરણજી ! જ્યારે રામપ્રતાપજી તથા ઇચ્છારામજી એ બન્ને ભાઈ પ્રથમ લોયા ગામમાં આવ્યા અને શ્રીજી મહારાજને મળીને શ્રીદ્વારકાની યાત્રા માટે તૈયાર થયા ત્યારે શ્રીજી મહારાજે કહ્યું જે, ભાઈ! તમો દ્વારકાની યાત્રા કરી પાછા વહેલા પધારજો અને તમોને ત્યાં મંદિરમાં કંઇક ચમત્કાર જણાશે. ત્યારે ભાઇ બોલ્યા જે, બહુત અચ્છા. એમ કહીને ત્યાં થકી ચાલ્યા તે રૈવતાચલ ગયા અને ત્યાં પાંચ દિવસ રહીને ગીરનાર પર્વત ઉપર ચઢ્યા અને દામોદર કુંડમાં સ્નાન કરતા સતા, બ્રાહ્મણોને દાન-દક્ષિણા આપીને ત્યાં થકી ચાલ્યા, તે પ્રભાસપાટણ જતા હતા અને ત્યાં સમુદ્રમાં સ્નાન કરતા સતા, ભાટીયાની ધર્મશાળામાં ઉતારો કરીને તે તીર્થમાં કેટલાક દિવસ રહીને દર્શન કરતા થકા, પાછા ત્યાં થકી વહાણમાં બેસીને દ્વારકાજી જતા હતા અને ત્યાં રાજાના સદાવ્રતના વંડામાં ઉતારો કરીને, બીજે દિવસે તે જગ્યામાં રાજાના તરફથી હિન્દુસ્તાન દેશમાં પ્રયાગરાજ પાસે દલ્લિપુરના રહેવાસી બે બ્રાહ્મણ ઇટાર પાંડે ધર્મદેવના પિતરાઈ ભાઈ હતા, તે કેટલાક દિવસથી ત્યાં નોકર રહેલા હતા, તેમની સાથે એકબીજાને પૂછવાથી રામપ્રતાપભાઇને ઓળખાણ નીકળી. એટલે ભાઇ અતિ હેતપૂર્વક મળીને તેમને સાથે લઇને રણછોડજીના મંદિરમાં દર્શન કરવા સારૂ પધાર્યા. ત્યારે ત્યાં ગયા એટલે સિંહાસન ઉપરથી શ્રીકૃષ્ણની મૂર્તિની સમીપે જમણી બાજુ ઘનશ્યામ મહારાજ નાના બાળસ્વરૂપ ભારે વસ્ત્ર-ઘરેણાં પહેરેલાં અને ચતુર્ભુજરૂપે વિરાજમાન હતા. એવાં અલૌકિક બે ભાઈ સહિત તે બે બ્રાહ્મણોને દર્શન થયાં. ત્યારે તે જોઇને ભાઇ તો પ્રેમના ભર્યા ગદ્ગદ્ કંઠ થકા, બે હાથ જોડીને સ્તુતિ કરવા લાગ્યા અને તે બ્રાહ્મણ તો આનંદ પામતા સતા બોલ્યા જે, અહો, હે પૂજારી ! આ કૃષ્ણની મૂર્તિના સમીપે નાના બાળ ચતુર્ભુજરૂપે કોની મૂર્તિ બેઠેલી છે ? અમો કેટલીક વખત અહીં દર્શન કરવા સારૂં આવીએ છીએ પરંતુ આ મૂર્તિને તો અમોએ, કોઇ દિવસે દીઠી નથી. એમ કહે છે એટલામાં તો ઘનશ્યામ મહારાજ પોતે અદ્રશ્ય થઇ ગયા.પછી રામપ્રતાપજી પોતાના ભાઈ ઘનશ્યામ મહારાજ અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે. તે જેવી રીતે પ્રગટ થયા અને પોતાને બાળપણામાં જે જે ઐશ્ચર્ય જણાવ્યાં હતાં તે વૃત્તાંતની વાર્તા વિસ્તારે સહિત કહેવા લાગ્યા.                           🍃🍃🌼🍃🍃 687 🍃🍃🌼🍃🍃 બાળ ચરીત્ર....           વળી એક સમયે અમદાવાદથી રામપ્રતાપભાઈ સિદ્ધપુર સરસ્વતીમાં નહાવા જવાનો વિચાર કરીને પોતાની સાથે પાળા કુબેરસંગજી તથા નિલમ મોટા એ આદિક પાંચ સાત પાળા લઇને ગાડી જોડાવીને ચાલ્યા, તે વચ્ચે દંઢાવ્ય દેશમાં ફરતા ફરતા કેટલેક દિવસે ગામ બીલીયામાં જઈને કામરાજ પટેલના ડેલામાં રાત્રી રહ્યા. પછી તેણે હેતે સહિત બીજે દિવસે ભાઈને જમાડયા. ત્યારે તે સમયે કામરાજનો કાકો તે ડેલાના ચોતરા ઉપર બેઠો હતો. તે બોલ્યો જે, હે કામરાજ ! આ કોણ આવ્યા છે ? અને ક્યાં જાય છે ? ત્યારે તેણે કહ્યું જે, હે કાકા ! આતો સ્વામિનારાયણના મોટા ભાઇ છે. તમો આવો, દર્શન કરો. એતો સિદ્ધપુર સરસ્વતીમાં નહાવા જાય છે. તે સાંભળીને તે પટેલ ત્યાંથી ઉઠીને ભાઈનાં દર્શન કરીને બોલ્યો જે, સરસ્વતીમાં તો બિલકુલ પાણી નથી. ત્યારે દાદા એમ બોલ્યા જે, હે પટેલ ! એતો બ્રહ્માકી બેટી હૈ તે હમ જાતે હૈં તો હમકું સ્નાન કરાવવા આયેગી. ત્યારે તેણે જાણ્યું જે, સ્વામિનારાયણ પોતે ભગવાન હતા તે સર્વેને પરચા આપતા અને આ તેમના મોટાભાઈ પણ કાંઇ પરચા જણાવશે કે શું ? તે જો કાંઇ ચમત્કાર મને જણાવે તો હું પણ તેમનો ભક્ત થઇને કંઠી બાંધુ. એવી રીતનો સંકલ્પ કરીને પાછો તે ઓટલા ઉપર જઇને બેઠો. ત્યારે દાદાએ તેમના મનનો સંકલ્પ અંતર્યામીપણે જાણીને તેને બોલાવીને કહ્યું જે, હે પટેલ ! જાઓ. તમો તમારા ઘરમાં ચાર શેર માખણનું તપેલું ભરીને અધર શીકા ઉપર મુકેલું છે તે બધું અહીં લાવો અને બશેર સાકર લઈ આવો. તમોને અમો ચમત્કાર જણાવીએ. તેવું સાંભળીને તે પટેલ ઉતાવળો થકો પોતાના ઘેર જઇને તે માખણ તોળી જોયું, એટલે બરાબર દાદાના કહેવા પ્રમાણે થયું. પછી તલકચંદ વાણીયાની દુકાનેથી દળેલી બશેર સાકર લાવીને માખણ સહિત દાદાની પાસે મૂકીને બે હાથ જોડીને સમીપે બેઠો, એટલે તેને દેખતે સતે તેમાખણ અને સાકર તે બે ભેગાં કરીને શ્રીજીમહારાજને સંભાળતા સતા જમી ગયા. ત્યાર પછી ભાઇ ત્યાં થકી ચાલ્યા ત્યારે પટેલ કામરાજ પણ દાદાની સાથે તે વાત જોવા માટે ભેગો ચાલ્યો, તે દાદા જ્યાં નદીમાં ગયા ત્યાં તો આખી નદીમાં કમર બરાબર પાણી એકદમ હડુડાટ કરીને આવતું હતું. ત્યારે તે પટેલ ભાઇને પણ મહાચમત્કારી જાણીને મહા આશ્ચર્ય પામતો સતો, ભાઇના હાથે નિયમ ધારીને સત્સંગી થયો. ત્યારે ભાઇ રાજી થઇ બોલ્યા જે, હે પટેલ ! તમારા પરિવારે સહિત ગામમાં પણ ઘણો સત્સંગ થશે. એવી રીતનો વર તે પટેલ પામીને ઘરે ગયો. ત્યાર પછી તે ગામના નથુ ભટ્ટ તથા લક્ષ્મીચંદ પારેખ તથા દલછારામ ભાવસાર એ આદિક સર્વે હરિભક્ત મળીને સન્માનને કરતા સતા, ભગવાનજી ચોબદારના વંડામાં ઉતારો કરાવતા હતા. પછી બીજા દિવસે સવારના પહોરમાં સરસ્વતીમાં સ્નાન કરવા માટે ચાલ્યા, તે માધુપાવડીયાને કિનારે વિધિપૂર્વક સ્નાન કરીને, શ્રાદ્ધ કરાવીને બ્રાહ્મણોને દાન પૂન્ય કરતા સતા, બિંદુ સરોવર, જ્ઞાનવાવ, વટેશ્વર મહાદેવ એવી રીતે સર્વે તીર્થોમાં સ્નાન કરીને દાન દક્ષિણાઓ કરતા સતા, દર્શન કરતા સતા પોતાના ઉતારે આવતા હતા. એવી રીતે તીર્થોમાં કેટલાક દિવસ રહીને ત્યાં થકી ચાલ્યા, તે અમદાવાદને વિષે પોતાના મંદિરમાં પધારતા હતા.                             🍃🍃🌼🍃🍃 #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર ##જય સ્વામિનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗
✋ જય સ્વામીનારાયણ - 5a50 Meneel JuneJeL 5a50 Meneel JuneJeL - ShareChat