#😰બસ ખીણમાં ખાબકી 7ના મોત,ઉત્તરાખંડના અલ્મોડામાં આજે સવારે મુસાફરોને લઈ જતી બસ ખીણમાં ખાબકી હતી. જેમાં સાત લોકોના મોત થયા છે અને 11 અન્ય લોકોની હાલત ગંભીર છે. બસ રામનગર તરફ જઈ રહી હતી ત્યારે ભીખિયાસૈન-વિનાયક રોડ પર ડ્રાઇવરે અચાનક કાબુ ગુમાવ્યો હતો.અકસ્માતમાં ઘણા મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હોવાની આશંકા છે. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ, વહીવટીતંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. મુશ્કેલ પર્વતીય ભૂપ્રદેશને કારણે, બચાવ અને રાહત કામગીરીમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.ભીકિયાસૈન-વિનાયક-જલ્લી મોટરવે પર શિલાપની નજીક આ અકસ્માત થયો હતો. બસ ભીકિયાસૈનથી રામનગર જઈ રહી હતી અને દ્વારહાટથી નીકળી હતી. રસ્તામાં બસે કાબુ ગુમાવ્યો અને ઊંડી ખીણમાં પડી ગઈ. પ્રાથમિક માહિતી મુજબ આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે. બસમાં કુલ 15થી વધુ મુસાફરો સવાર હતા. ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને ભીકિયાસેનની નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.બસ KMOUની હતી, જે દ્વારહાટ નોબારા જઈ રહી હતી.અકસ્માત થયેલી બસ (UK 07PA4025) રામનગર સ્થિત કુમાઉ મોટર ઓનર્સ યુનિયન (KMOU) લિમિટેડની હતી. બસ સવારે 11 વાગ્યે દ્વારહાટ નોબારા પહોંચવાની હતી. આ દરમિયાન, શૈલાપાની નજીક ડ્રાઇવરે અચાનક બસ પરનો કાબુ ગુમાવ્યો હતો.
#🔥 બિગ અપડેટ્સ #📽 લેટેસ્ટ અપડેટ વીડિયો #રાષ્ટ્રીય સમાચાર #રાષ્ટ્રીય #અકસ્માત
00:23

