Ame Surati
4K views 12 days ago
#📰 5 ડિસેમ્બર ના સમાચાર #💥 સુરત અપડેટ્સ #અમે સુરતી #સુરત સમાચાર #સુરત ગણેશોત્સવની તૈયારીઓ વચ્ચે વલસાડના સરોધી નજીકથી એક દુઃખદ દૃશ્ય સામે આવ્યું છે. મુંબઈથી સુરત લાવવામાં આવતી શ્રીજીની પ્રતિમા NH48 પરના ખાડાઓના કારણે વાહન હચમચતાં નીચે પટકાઈ હોવાનું સામે આવ્યું છે. પ્રતિમા ખંડિત થતાં મંડળના સભ્યોમાં દુઃખ અને નારાજગી જોવા મળી. ઘટનાસ્થળે ક્રેનની મદદથી પ્રતિમાને ફરી વાહનમાં મૂકવાની કામગીરી કરવામાં આવી હતી. આ ઘટનાએ માત્ર રસ્તાની સલામતી નહીં, પરંતુ હાઈવેની સ્થિતિ અને જાળવણી અંગે પણ સવાલો ઊભા કર્યા છે. વાહનચાલકો અને સ્થાનિકોએ હાઈવેના ખાડાઓ તાત્કાલિક પૂરવાની માંગ કરી છે. Vapi Valsad highway, Sarodhi NH48, Ganesh idol damaged, NH48 potholes, Valsad road condition, Ganesh festival Gujarat, Mumbai Surat Ganesh idol, Gujarat highway news #ValsadNews #NH48 #GaneshUtsav #RoadSafety #GujaratNews
25 shares

More like this