𝗦𝗔𝗡𝗝𝗔𝗬 𝗗𝗘𝗦𝗔𝗜
2K views • 4 hours ago •
#😯પાન-મસાલા ગુટખાના શોખીનોને મોટો ઝટકો, ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ (FSSAI) એ પાન મસાલાના પેકેજિંગમાં ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂક્યો છે. નવા નિયમો હેઠળ, કંપનીઓ હવે ફક્ત કાગળ, ટીન અથવા ગ્લાસ કન્ટેનરમાં જ પાન મસાલા પેક કરીને વેચી શકશે.કંપનીઓએ નવા ઇકો-ફ્રેન્ડલી વિકલ્પો તરફ વળવું પડશે. FSSAI એ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ પેકેજિંગ એમેન્ડમેન્ટ રેગ્યુલેશન 2026 ને નોટિફાય કર્યું છે. આ નવા નિયમો તાત્કાલિક અમલમાં આવી ગયા છે.કંપનીઓ પાસે હવે માત્ર પ્રાકૃતિક અને ઈકો-ફ્રેન્ડલી વિકલ્પો જ રહેશે. તેઓ કોઈપણ પ્લાસ્ટિકના મિશ્રણ વગરના કાગળ, પેપરબોર્ડ કે સેલ્યુલોઝમાં પાન મસાલા પેક કરી શકશે. આ સિવાય ટીનના ડબ્બા અને કાચની બોટલોમાં પણ વેચાણ કરવાની મંજૂરી આપવામાં આવી છે.નિયમો અનુસાર, પેકેટ બનાવવા માટે પોલિથિન, પોલિએસ્ટર, PVC કે અન્ય કોઈપણ પ્રકારના સિન્થેટિક પ્લાસ્ટિકનો ઉપયોગ કરી શકાશે નહીં. ઘણીવાર કંપનીઓ બહાર કાગળ લગાવીને અંદર પ્લાસ્ટિક કે ચમકતી એલ્યુમિનિયમ ફોઈલની પરત લગાવતી હોય છે. આવી મિશ્રિત પરત વાળા પાઉચ પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. એટલે કે કાગળની અંદર પણ પ્લાસ્ટિક કે મેટલનું છુપુ સ્તર હોવું જોઈએ નહીં.FSSAI એ 'ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ્સ સુધારા નિયમો, 2026' હેઠળ પાન મસાલાને પેકેજિંગ રેગ્યુલેશનની ખાસ યાદીમાં સામેલ કર્યો છે. રસ્તાઓ પર ફેંકવામાં આવતા પ્લાસ્ટિકના નાના-નાના પાઉચ પર્યાવરણ અને ગટર વ્યવસ્થા માટે મોટો ખતરો બનતા હતા. આ નિર્ણયથી કચરામાં ઘટાડો થશે અને પ્લાસ્ટિકના લાંબા સંપર્કથી ગુણવત્તા બગડવાનું જોખમ પણ ઘટશે.
#🔥 બિગ અપડેટ્સ #🗞️ ગુજરાત અપડેટ્સ
17 likes
15 shares