🍃🍃🌼🍃🍃
🥀ભાદરવા વદ - ૧૧ ઇન્દિરા એકાદશી.
🥀યુધિષ્ઠિરે પૂછ્યું :- હે વાસુદેવ શ્રી કૃષ્ણ ? આ ભાદરવા વદ એકાદશીનું શું નામ છે ? તેનું વ્રત કેવી રિતે કરવું ? તે કૃપા કરીને જણાવો !!
🥀શ્રી કૃષ્ણ ભગવાન કહે છે હે રાજન !! આ એકાદશીનું નામ ઇન્દિરા એકાદશી છે. આનું વ્રત કરવાથી પિતૃઓનો ઉદ્ધાર થાય છે. ને આની કથા સાંભળવાથી વાજપેય યજ્ઞનું ફળ મળે છે.
પૂર્વે સત્ય યુગમાં માહિષ્મતી નગરીમાં ઇન્દ્રસેન નામનો રાજા રાજ્ય કરતો હતો. તે ધર્મનિષ્ઠ અને વિષ્ણુભક્ત હતો. એક દિવસ તે સભામાં બેઠો હતો ત્યાં નારદજી પધાર્યા. રાજાએ ઉભા થઈને આદર સત્કાર કર્યો ને વિધિપૂર્વક પૂજન કર્યું.
નારદજી કહે છે રાજન ? હું યમ લોકમાં ગયો હતો. ત્યાં તમારા પિતા કોઈ વ્રતભંગ થી યમલોકમાં યમરાજની સેવા કરતા હતા. તેમણે મને કહ્યું કે તમે મારા પુત્ર ઇન્દ્રસેનને કહો કે તે ઇન્દિરા એકાદશીનું વ્રત કરે.
ઈન્દ્રસેન નારદજીને પૂછે છે ભગવન ? આ ઇન્દિરા એકાદશી નું વ્રત ક્યાં પક્ષમાં - કયા દિવસે - કેવી રીતે કરવું તે બધું જ કૃપા કરીને જણાવો.
નારદજી કહે છે હે રાજન ! ઇન્દિરા એકાદશી ભાદરવા વદ - ૧૧ એકાદશી. તેના આગલા દિવસે ( ભાદરવા વદ - ૧૦ ) ના દિવસે પ્રાતઃ કાળમાં શ્રદ્ધા પૂર્વક સ્નાન કરવું. મધ્યાનહે ફરીવાર નદી કે જળાશયમાં સ્નાન કરીને પિતૃઓ માટે શ્રાદ્ધ કરવું. એક વાર ભોજન કરીને રાત્રે ભૂમિ પર સૂવું. બીજે દિવસે એકાદશી ના દિવસે સવારે પ્રાતઃ કાળે દાતણ - સ્નાન આદિક થી પરવારી ને મનમાં ભગવાન નારાયણનું સ્મરણ કરીને નિયમ લેવો કે " હે ભગવાન ? હું આજે ભોજન કરીશ નહિ તેમજ કોઈ જાતના ભોગ ભોગવીશ નહિ. " ભક્તિ પૂર્વક નિયમ લઈને બપોરે સ્નાન કરીને શાલિગ્રામ પાસે શ્રાદ્ધ કરવું. નૈવેધ પોતે સૂંઘી ને ગાય ને આપી દેવું. નારાયણની ધૂપ - ચંદન થી પૂજા કરીને રાત્રે ભજન કરતાં જાગરણ કરવું. સવારે બ્રાહ્મણોને જમાડીને પછી પોતે પરિવાર સહિત પારણાં કરવા.
પછી રાજાએ નારદજીના કહેવા પ્રમાણે ઇન્દિરા એકાદશીનું વ્રત કર્યું તેથી આકાશમાંથી પુષ્પ વૃષ્ટિ થઈ ને રાજાના પિતા ગરુડ ઉપર બેસીને વૈકુંઠ લોકમાં ગયા.
શ્રી કૃષ્ણ કહે છે હે યુધિષ્ઠિર ? જે કોઈ આ કથા સાંભળે છે , અને તેનો પાઠ કરે છે તે વૈકુંઠ ધામને પામે છે.
આવી રીતે બ્રહ્મવૈવર્ત પુરાણમાં ઇન્દિરા એકાદશીનું ( ભાદરવા વદ - ૧૧ ) મહાત્મ્ય કહેલું છે.
🍃🍃🌼🍃🍃 #ઇન્દિરા એકાદશી #એકાદશી #🙏 સ્વામિનારાયણ મંદિર #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા


