#😰NEET પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓના આપઘાત, અમદાવાદ શહેરના ન્યુ રાણીપ વિસ્તારમાં આજે વહેલી સવારે 17 વર્ષના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી છે. કહાન પટેલે એરિસ્ટો આનંદમ ફ્લેટના છઠ્ઠા માળેથી કૂદીને આપઘાત કર્યો છે. પોલીસ તપાસમાં મૃતક વિદ્યાર્થી NEETની પરીક્ષાની તૈયારી કરતો હોવાનું સામે આવ્યું છે. સાબરમતી પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે.તો વિધાર્થીએ કેમ આપઘાત કર્યો તેની પાછળનું કારણ અકબંધ છે. પોલીસને હજી સુધી કોઈ સ્યુસાઈડ નોટ મળી આવી નથી અને પરિજનોના નિવેદન લીધા છે. સમગ્ર ઘટનામાં પોલીસ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પીએમ માટે ખસેડયો હતો.
પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે. ગઈકાલે પણ તમિલનાડુના કોઈમ્બતૂરમાં NEETની તૈયારી કરી રહેલી 19 વર્ષીય અનુકીર્તનાએ 17 જૂન 2026ના રોજ આત્મહત્યા કરી લીધી. આત્મહત્યા કરતા પહેલા તેણે પોતાના સંબંધીને વોટ્સએપ પર લખ્યું કે મને ફરીથી પરીક્ષા આપતા ડર લાગી રહ્યો છે.
#🔥 બિગ અપડેટ્સ #🗞️ ગુજરાત અપડેટ્સ #🔴 ક્રાઈમ પર દરેક અપડેટ #📽 લેટેસ્ટ અપડેટ વીડિયો
00:45

