🍃🍃🌼🍃🍃
બાળ ચરીત્ર...
ત્યાર બાદ મૃત્યુ પછી જીવને બાર દિવસ સુધી ઘરનાં નેવાં ઉપર તેને રાખ્યો અને પછી તે યમોએ પૂછયું જે, તારે અર્થે કંઇ કર્યું ? તેવું સાંભળીને તત્કાળ રૂદન કરવા લાગ્યો અને બોલ્યો જે, હે ભાઇઓ ! મારા માટે કંઇ કર્યું નહીં. એમ કહ્યું ત્યાં તો મહાક્રોધ કરીને ત્યાં થકી એકદમ ચટીચોટ લીધો. તે ચાલતાં ચાલતાં જ્યારે તે યમદુત ભૂખ્યા થયા ત્યારે પ્રેતદેહને છરીથી કાપીને અંદર મશાલો નાંખીને સર્વે ખાવા લાગ્યા અને તે પ્રેતદેહમાંથી જીવ જાય નહીં. અને તે યમ પાસે એવી સિદ્ધિઓ હોય જે, એના મસ્તક ઉપર હાથ ધરે એટલે તરત હતો તેવો થઈ જાય અને વળી લોઢાના સોયા ઉપર ચલાવે. અને માથા ઉપર મુદ્ગળ મારે અને ખેરના અંગારાની મોટી મોટી ખાઈઓ ભરી હોય તેના ઉપર ચલાવે અને ઝેર પાયેલા છરા મારે ત્યારે મહાત્રાસનો ભર્યો રૂદન કરતો સર્વેને સાંભળતો જાય અને વળી કહે જે, અહો ! મેં ઘણા અનર્થ કર્યા અને ચોરીઓ, છીનાળાં આદિક ઘણાં કુકર્મ કરીને પારકું ધન હરીને ઘરેણાં કર્યાં. કુટુંબ પોપ્યું અને આ પાપી દેહનું પોષણ કર્યું. અરે ભગવન્ ! આખરી વખતે અહીં મારી પાસે કાંઈ ન મળે. તેવું સાંભળીને યમદુતો અતિક્રોધથી મહાકષ્ટ આપતા સતા તપાવેલા અંગારે બાળે અને ખીલે વિંધાય. તેવું મહાદુઃખ જોઇને ત્રાસ પામતો થકો રોઇ જતો હતો. અને કુટુંબીને સંભારતો જાય જે, અરે હું દુષ્ટ છું. તે તમારા માટે મેં ઘણાં પાપ કર્યાં. એમ કરતા થકા યમનાં નાકાં આવે ત્યાં તેના શરીરને છોલી લઇને બધું રૂધિર નીચોવી લેતા હતા.
વળી ત્યાં થકી આગળ ચાલ્યા ત્યાં યમનાં છોકરાં આનંદ પામતાં આવે, તે મહા રીસનાં માર્યાં બટકાં ભરીને તોડી ખાય. ત્યારે બુમો પાડે, હાય હાય ઓય બાપરે, હું મરી ગયોરે, એવા શબ્દને મૂક્તો હતો. આ એક યમપુરીના માર્ગની વાર્તા થોડીક કહી છે. અને જેમ છે તેમ નથી કહી. આવી રીતે વચ્ચે સોળ પુર આવે છે. અને તેને વિષે અનંત પ્રકારનાં દુઃખ આ જીવ ભોગવે છે. ત્યાર પછી બારમી યમપુરીમાં ધર્મરાજાના સ્થાનકે દાક ચોકીએ લઇ જઇને તેને ધર્મરાજાની પાસે ઉભો કર્યો. ત્યાર પછી તેના ઘરે બાર માસ થયા ત્યારે વરસીનો દિવસ આવ્યો એટલે બ્રાહ્મણને જમાડીને ધર્મ કર્યો. જેમ પોતાને શોભે તે પ્રમાણે દાન-પુણ્ય કરીને તેનો શોક હતો તેને મૂક્યો. હવે ધર્મરાજા તેને પૂછવા લાગ્યા જે, શાં શાં પુણ્ય-પાપ તેં કર્યાં છે? તેવું સાંભળીને તે જીવ બોલ્યો જે, હે મહારાજ! મેં કોઇ દિવસ કંઇ પાપ તો કર્યું જ નથી. તેવું સાંભળીને તેના નામનો ચોપડો મંગાવીને અંદરથી આખી ઉંમરનું નામું કાઢી બતાવીને બોલ્યા જે, હે અપરાધી જીવ ! તું જો, આ પૂર્વે ચૌદ ઇન્દ્રિયોના દેવતા તેમણે આવીને વિગતવાર રતિ રતિનો જવાબ લખાવ્યો છે. તે હવે આ પાપની કોટડીઓ ભોગવ. એમ કહીને ચૌદ કરોડ યમને સોંપીને પોતાના ઉતારે ગયા.
🍃🍃🌼🍃🍃 #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ ##જય સ્વામિનારાયણ


