ShareChat
click to see wallet page
search
🍃🍃🌼🍃🍃 બાળ ચરીત્ર...          એમ કરતાં સતાં એ જીવની અવિધ આવી રહી અને સર્વે શરીરની નાડીઓ બધી તણાવા માંડી તે સમયમાં ઝાડો-પેશાબ થઇ ગયો. અને આખા ગામમાં તેની ખબર પડતી હતી. જે, ભૂલોભાઇ દેહ મૂકે છે, એમ જાણી સર્વે સગાંસંબંધી દોડી આવ્યાં અને કહ્યું જે, હવે નવરાવો અને ચોકો કરાવીને દર્ભ પાથરો, એમ કહે છે એટલામાં તો ખાટલેથી તરત ભોંય નાખીને ઘરનાં માણસો પૂછવા લાગ્યાં જે, કંઇ લેણું દેણું. દાટ્યું હોય તો બતાવતો જા. ત્યારે કહે જે, મારી પાસે હવે કંઈ નથી. એમ કરતાં સતાં સર્વે કુટુંબીને જોઇને હૃદય ભરાઇ આવ્યું. એવો થકો વળી બોલ્યો જે, અહો ભાઇઓ ! તમો સર્વે અહીં રહેશો અને હું એકલો મરી જઇશ. એમ કહે છે એટલામાં તો ગોપીચંદનનો ચાંદલો કર્યો કે તુરત જમડા નજરે પડતા હતા. તેમને જોઇને અંતરમાં ત્રાસ થયો. તે ભેળું ગળું પણ બંધ થઇ ગયું. તે બોલાય નહીં અને બોલે કંઈ તો બોલાય કંઈ બીજું. ત્યારે તેની સ્ત્રીનું નામ વેવલીબાઇ હતું. એકદમ રીસ લાવીને બોલી ઉઠી જે, આજે જેઠ મહિનાનો દિવસ આવ્યો. અને લોક ખાતર નાખે, લાકડાં લાવે, આવી રીતે આજ કમાવાના દિવસ આવ્યા એટલે મારો પીટયો લાંબો થઇને સુતો. એમ સર્વેને સાંભળતાં ઉચ્ચે સ્વરથી બોલી. તે સાંભળીને તેના મનમાં એમ થયું જે અહો, હું નાનો હતો ત્યારે બળદ ચાર્યા, ભેંસો ચારી, એમ કરતાં મોટો થયો ત્યારે હળ હાંકયાં, કોસ તાણ્યો અને અડધી રાત્રે સીમમાં જતો. અને જ્યારે છ ઘડી રાત્રી જાય ત્યારે ઘેર આવતો અને કોઇ સારા પર્વના દિવસે નિરાંતે બેસીને મેં રોટલો ખાધો નથી. અને ચોરાનું મોઢું તો કોઇ દિવસ મેં જોયું જ નથી. અને ગદ્ધાવૈતરું કરવામાં મારો જીવ ગયો. હે મહારાજ ! આટલા વર્ષે મને નિરાંતે મરવા દીધો નહીં. એવી રીતે સંસારમાં સ્વાર્થની સગાઇ છે. હવે તેને યમ નજરે પડયા તે તુરત જ તે જીવને જમાની સાંભળી જે હાય હાય, આ યમ આવ્યા. એમ કહે છે, એટલામાં તો યમે રૂંધિ નાખીને નવ દ્વારે ચોકી મૂકીને કેટલાક યમ હાથમાં ધોકો લઇને શરીરમાંહી પ્રવેશ કરતા હતા. એટલે અંદર નવસો નવાણું નાડીઓ અને બોતેર કોઠા છે તેમાં જીવ દોડવા લાગ્યો. ત્યારે યમ ઉપર ધોકા મારે તેમ તેમ શ્વાસ ઉઠે તે જોઈને ઉપર માણસો બેઠા હોય તે એમ કહે જે અહો, ભાઈઓ ! આને ઉપશ્વાસ થયો. એમ કરતાં સતાં તે યમ મારે ત્યારે હાથ-પગ સર્વે પકડી રાખે. એટલે યમને મારતાં ઘણું સુગમ પડતું હતું. તેવું મહાદુઃખ જોઈને માંહી દોડતાં થકાં ઇન્દ્રિયો દ્વારે નાશી જવા આવે એટલે પ્રત્યેક ઈન્દ્રિયે યમને બેઠેલા જોઈને પાછો જીવ ત્રાસ પામીને અંદર પેસી ગયો. એટલામાં તો યમે પકડીને એકદમ સાંકળે બાંધી લીધો કે શ્વાસ મટી ગયો. તે જોઇને સંબંધીઓએ જાણ્યું જે, હવે મરી ગયો. ત્યારે તે વેવલીબાઇ કહેવા લાગી જે, આ પહેરેલું ધોતીયું કાઢી લ્યો. છોકરાં પહેરશે. અને એક જીર્ણ કટકો તેને પહેરાવો અને પછી મરણ પોક પાડો. એમ કહીને કટકો મગાવી પામરીની સોખ્ય ઘાલીને વટલોઇએ આગ કાઢી તથા સ્મશાને ગયા. દશમું સરાવીને એકાદશી સરાવી બારમું સરાવ્યું. તેરમું સરાવ્યું અને ગોરને શય્યા આપી અને ગામ ભાગોળે ચોખા મૂકીને જમાડ્યું. તે આ સર્વે પોતાની આબરૂ માટે કર્યું. અને અઢારે વર્ણને લાપસી ખવરાવી, અને જ્યારે તેને ચવાતું ન હતું તે વખતે તેણે સુવાળું માગ્યું ત્યારે વેવલીબાઇએ કહ્યું જે, સુવાળું તો તારે લાકડાંમાં છે એમ બોલી અને આ તો પોતાની પ્રતિષ્ઠા અને મોટાઇ સારૂં કર્યું.                         🍃🍃🌼🍃🍃 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ #એકાદશી ની શુભકામના ##જય સ્વામિનારાયણ
અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા - HuddBoau HuddBoau - ShareChat