પેટ્રોલ-ડીઝલના ભાવ હવે ક્યારે વધશે? સરકારે આપી દીધો જવાબ, જાણો હવે પછીનો ઝટકો ક્યારે લાગશે
નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈ સરકાર તરફથી મોટું નિવેદન આવ્યું છે. પેટ્રોલિયમ મંત્રાલયે કહ્યું કે, હાલમાં એ કહેવું શક્ય નથી કે હવે પછી કિંમતોમાં વધારો ક્યારે થશે. જો કે, મંત્રાલયે સ્પષ્ટ કહ્યું કે, દેશમાં પેટ્રોલ, ડીઝલ, એલપીજી અને નેચરલ ગેસની કોઈ કમી નથી અને સપ્લાય સામાન્ય રીતે ચાલી રહી છે. પેટ્રોલિયમ મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી સુજાતા શર્માએ કહ્યું કે સરકાર હાલમાં આગળ થનારા કોઈ પણ સંભવિત કિંમત વધારાને લઈ કોઈ અનુમાન નથી લગાવી શકતી. તેમણે લોકોને અપીલ કરી કે ગભરાઈને જરૂરિયાત કરતા વધારે ઈંધણ ન ખરીદતા.