#😱સેનાનું પ્લેન ક્રેશ 5 જવાનો શહિદ #💥 સુરત અપડેટ્સ #અમે સુરતી #સુરત સમાચાર #સુરત આસામના જોરહાટ એરફોર્સ સ્ટેશન પર શનિવારે બનેલી AN-32 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ દુર્ઘટનાના CCTV દ્રશ્યો સામે આવ્યા છે. વાયરલ વીડિયોમાં વિમાન રનવે પર ઉતર્યા બાદ અચાનક એક તરફ જતું અને ત્યારબાદ દુર્ઘટનાગ્રસ્ત થતું જોવા મળે છે.
આ દુર્ઘટનામાં ભારતીય વાયુસેનાના પાંચ વાયુવીરોએ સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું. શહીદ થયેલા વાયુવીરોમાં સ્ક્વોડ્રન લીડર પ્રશાંત સિંહ, ફ્લાઇટ લેફ્ટનન્ટ શુભમ કુમાર, સારજન્ટ જિતેન્દ્ર શર્મા, અગ્નિવીર વાયુ ખેમારામ કુમાવત અને અગ્નિવીર વાયુ દાનિશ આલમનો સમાવેશ થાય છે. કો-પાયલટ આ દુર્ઘટનામાં બચી ગયા હતા અને તેમની સારવાર ચાલી રહી છે.
દુર્ઘટના બાદ એરબેઝ પર તાત્કાલિક બચાવ અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભારતીય વાયુસેનાએ સમગ્ર ઘટનાની તપાસ માટે કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ આપ્યા છે. અકસ્માતનું ચોક્કસ કારણ તપાસ પૂર્ણ થયા બાદ સ્પષ્ટ થશે.
Jorhat air crash, AN-32 CCTV footage, Indian Air Force accident, Assam airbase, IAF martyrs, air force aircraft crash, Jorhat news, defence news India
#IndianAirForce #AN32 #Jorhat #AssamNews #SaluteToHeroes
00:25

