ShareChat
click to see wallet page
search
🍃🍃🌼🍃🍃 બાળ ચરિત્ર...            વળી એક સમયે લખનૌ પરગણે ચનહટ ગામમાં કંદોઈ ભગવાન દીનાભાઇ એવા નામના સારા સત્સંગી હતા. તે પોતાના કુટુંબપરિવારને સાથે લઇને શ્રાવણ માસમાં છપૈયાપુરમાં ઘનશ્યામ મહારાજનાં હિંડોળાનાં દર્શન કરવા માટે પોતાના ગામથી ચાલ્યા. તે વચ્ચે અયોધ્યાપુરીમાં આવીને બરહટ્ટા બજારમાં આપણા મંદિરમાં ઉતારો કરીને, જ્યાં શ્રીઘનશ્યામ મહારાજને જનોઇનો વિધિ કર્યો છે. તે સ્થળે વેદિકાનાં દર્શન કરીને સરયૂગંગામાં લક્ષ્મણઘાટે પોતાના પુત્રાદિકને સાથે લઇને સ્નાન કરવા ગયા. પછી કિનારે કપડાં ઉતારીને ગોરના કહેવા પ્રમાણે જળમાં સ્નાન કરીને સરાવા બેઠા. તે વખતે પોતાનો પુત્ર શંકરપ્રસાદ નાનો બાળક હતો તે કોઈને ખબર ન રહી ને પાણીમાં સ્નાન કરતાં ડુબી ગયો, એટલે તે વાતની પોતાના પિતાને ખબર પડી. ત્યારે સરાવવું પડતું મૂકીને અંતરમાં ત્રાસ પામતા સતા, શ્રીજી મહારાજને સંભારીને તે ગોર સહિત બીજાં કેટલાંક માણસો તે જળમાં ઉતરીને શોધવા લાગ્યાં. પરંતુ ક્યાંય તેનો પત્તો લાગ્યો નહિં. પછી તે છોકરાની માતુશ્રી ઉચ્ચે સ્વરે કરીને શ્રીજી મહારાજની પ્રાર્થના કરવા લાગી જે, હે ભક્તિધર્મના પુત્ર ! હે ઘનશ્યામ મહારાજ ! અમો સર્વે પ્રેમના ભર્યા તમારા જન્મસ્થાનકનાં દર્શન કરવા માટે છપૈયાપુર આવતાં વચ્ચે આ અવળું વિઘ્ન થયું. માટે મારા પુત્રનો મેળાપ મને કરાવો, નહિ તો અમો સર્વે અહીંથી પાછા વળીને અમારા ગામ જઇશું. અને ફરીથી કોઇ દિવસ તમારાં જન્મસ્થાનક આવીશું નહી. એવી રીતની પ્રાર્થના સાંભળીને પોતાના ભક્તની સહાય કરવા માટે શ્રીજી મહારાજ તત્કાળ બાળસ્વરૂપે આવીને, તે બાઈને દર્શન દઇને ધીરજ આપીને તણાતો એવો જે શંકરપ્રસાદ તેની રક્ષા કરતા સતા, તેનો હાથ પકડીને એમને એમ રામઘાટે કાઢીને, તુલસીદાસની છાવણીમાં તેને લઇ ગયા. અને ત્યાં મંદિરમાં રઘુનાથદાસ નામના વૈરાગીને કહ્યું જે, આ છોકરાને અમો જળમાંથી કાઢીને અહીં લાવ્યા છીએ અને તેનાં માતાપિતા લક્ષ્મણઘાટ ઉપર બેસીને રૂદન કરે છે તો આને ત્યાં પહોંચાડો. એમ કહીને તેના હાથમાં બે મગજના લાડુ આપીને અદ્રશ્ય થઇ ગયા. ત્યારે તે વૈરાગી આશ્ચર્ય પામતો સતો તે છોકરાને લક્ષ્મણઘાટે પોતાના બે સેવકને મોકલીને પહોંચાડ્યો. એટલે તેનાં માતાપિતા પોતાના પુત્રને જોઇને બહુ રાજી થયાં. પછી તે છોકરાની જેવી રીતે શ્રીજી મહારાજે રક્ષા કરી તે વૃત્તાંતની વાર્તા કહી. તે સાંભળીને તત્કાળ ત્યાં થકી ચાલ્યાં તે વહાણમાં બેસીને સરયૂ ઉતરીને છપૈયાપુરમાં આવીને હિંડોળામાં શ્રી ઘનશ્યામ મહારાજનાં દર્શન કરતાં હતાં. પછી તે વાર્તા સર્વેને કહી અને કેટલાક દિવસ ત્યાં રહીને છાપો લઇને પોતાના ગામ ગયાં. હે રામશરણજી! આ સર્વે ઉપર કહ્યાં એવાં જે શ્રીઘનશ્યામ મહારાજનાં ઐશ્વર્ય તથા બાળચરિત્ર તે જે તમારાં માતાપિતાના જાણ્યામાં-સાંભળ્યામાં જેટલાં આવ્યાં હતાં તે સર્વે અમોને કહ્યાં હતાં તે. મેં તમોને કહી બતાવ્યાં. તે ચરિત્ર કેવાં છે તો પરમપદને આપે એવાં છે. તે હેતુ માટે આ ચરિત્રના ગ્રંથને જે જન અતિ હેતપૂર્વક પ્રેમમગ્ન થઈને ગાશે સાંભળશે તથા લખશે-લખાવશે અને જે કોઈ આ ગ્રંથમાં મદદ કરશે. તેના ઉપર શ્રીજી મહારાજની ઘણીક પ્રસન્નતા થશે અને પ્રયત્ન વિના અક્ષરધામને પામશે.                          🍃🍃🌼🍃🍃 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🙏 સ્વામિનારાયણ મંદિર #✋ જય સ્વામીનારાયણ ##જય સ્વામિનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗
અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા - पुरषोत्तम श्री स्वामिनारायण भगवान पुर्ण ' व्हयला लागे मने प्याय लागे , अक्तिमाताना बाळ Shree Suaminaragan Gurukut Rajkof Sansihan VDAGuukutSurnf  पुरषोत्तम श्री स्वामिनारायण भगवान पुर्ण ' व्हयला लागे मने प्याय लागे , अक्तिमाताना बाळ Shree Suaminaragan Gurukut Rajkof Sansihan VDAGuukutSurnf - ShareChat