🍃🍃🌼🍃🍃
બાળ ચરીત્ર...
શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ કહે છે કે એક બીજું દ્રષ્ટાંત જે, એક પાટીદારનું ગામ હતું. તેમાં એક પટેલનો ગોર હતો. તે કંઈ ભણેલો ન હતો. ત્યારે બીજા ગામનો આશરાગતિઓ બ્રાહ્મણ કથા કરે. એટલે તે ગોરે એમ કહ્યું જે, હે ગોર મહારાજ ! ભાગવત ભણીને તમો જ કથા કરો. કેમ જે એક તો ગોરના ગોર અને વળી આશરાગતિયા તે ગામના દામ દોકડા હોય તે બધાય તમોને આપીએ. તેવું સાંભળીને તે ગોર થોડાક દિવસમાં ભાગવત-ભણીને કથા કરવા માંડી. એટલે કોઇક દિવસે તે ગોર પોતાની દીકરીને સાસરીયે કોઇક કારણસર ગયો. ત્યારે તેનો છોકરો ભાગવત ભણેલો હતો તેને સર્વે પાટીદારે મળીને ચોરામાં ભાગવતની કથા કરવા સારૂં બેસારતા હતા. ત્યારે તે કથામાં એક શ્લોક આવ્યો જે, એક કિંચિત્ માત્ર દારૂ તથા માંસનું ભક્ષણ કરે તો મહાઘોર નરકમાં પડે છે. ત્યારે તે સાંભળીને સર્વે પાટીદાર અંતરમાં ઘણો ત્રાસ પામતા હતા. તે શા કારણથી ત્રાસ પામતા હતા જે ગોર તથા પાટીદાર સર્વે શક્તિપંથી હતા દારૂ-માંસનું ભક્ષણ કરતા. પછી તો ગોર પોતાને ઘરે જ્યારે આવ્યો ત્યારે તે સર્વે પાટીદાર બોલ્યા જે, અહો, ગોર મહારાજ ! પચીસ વર્ષ થયાં અને તમારા મુખની કથા સાંભળીએ છીએ પરંતુ આજે સાંભળ્યું તેવું તો તમોએ કોઇ દિવસ સંભળાવ્યું નથી. ત્યારે ગોર બોલ્યા જે, તમોએ એવું શું સાંભળ્યું ? ત્યારે તે પાટીદાર બોલ્યો જે, એક કિંચિત્ માત્ર દારૂમાટીનું ભક્ષણ કરે તો ઘોર નરકમાં પડે છે. એમ કહ્યું ત્યારે તે ગોર પોતાના મનમાં એમ જાણ્યું જે, આ મૂર્ખ છોકરે ન કહેવાનું હતું તે કહ્યું.
એમ વિચારીને તેનો અર્થ એમ કર્યો જે, એક કિંચિત્માત્રનો દોષ કહ્યો છે. પરંતુ દારૂ પીવો તો માણ્યો ભરી ભરીને પીવો અને માટી જે માંસ ખાઈએ તો ટોપલા ભરી ભરીને વાપરીએ. એટલે તેનો દોષ જરા પણ નથી. તેવું સાંભળીને તે પાટીદાર બહુ રાજી થયા અને એમ બોલ્યા જે, અહો ગોર મહારાજ! એમ ન હોત તો માર્યા ગયા હતા. માટે બહુજ રૂડું કામ થયું. એમ કહીને તે ગોરને સર્વે પગે લાગતા હતા. જુઓ! એ અર્થનો અનર્થ કર્યો. એ ઉપર બ્રહ્માનંદ સ્વામીનો કરેલો એક સવૈયો છે જે;
ભઈ દેખ તેરા યહ દેહ ખોટા, તાતે સંત કે કામ લગાવનાજી ।
સાધુ દ્વાર ખડે ગૌવા રામજીકી, ખુબ માલ તાજા ખવરાવનાજી ।। ભિન્ન ભાવ ન રાખીએ ભેખહુંસે, તાકી સીતપ્રસાદી પાવનાજી ।
બ્રહ્માનંદ કહે કછું મંત્ર કહે, એકાંત આસન પર આવનાજી ।।
માટે જુઓ એ અર્થનો અનર્થ કર્યો. જીવને ઠગ મળ્યો માટે જીવ ઠગાયો. તે ઉપર દ્રષ્ટાંત જે સુરદાસને માર્ગમાં એક પુરૂષ મળ્યો ત્યારે તેણે કહ્યું જે, હે સુરદાસ ! તમારે કયાં જવું છે ? ત્યારે તેણે પોતાના દુઃખના વૃતાન્તની વાર્તા કહી. તે સાંભળીને કહ્યું જે આ તમારાં કપડાં કોઇક ચોર મળશે તો મારીને લઈ જશે. માટે લાવો હું લઇ જઉં અને આગળ હું બેઠો છું અને તમો ધીરે ધીરે આવો. એમ કહીને બધાં કપડાં તેનાં લઇ લીધાં અને હાથમાં બે પથ્થર આપીને કહ્યું જે, ભાઈ સુરદાસ! તમો આ માર્ગ ભૂલ્યા છો, એમ કોઈક કહે તો, આ પથ્થર મારજો. એવી રીતે અવળું સમજાવીને કપડાં લઇ ગયો. પછી થોડીકવાર કેડે તેને માર્ગમાં આથડાતો જોઇને કોઇક શાહુકારે તેને કહ્યું જે હે ભાઈ ! તમો માર્ગ ભૂલ્યા છો. એમ બોલ્યા કે, તત્કાળ તે પથ્થર લઇને મારવા દોડયો. અને કહ્યું જે, તું મને છેતરવા આવ્યો છે. તે હું કોઇ દિવસ છેતરાવું તેવો નથી. તેવું સાંભળીને તે શાહુકાર તો ચાલ્યો ગયો. એ તો દ્રષ્ટાંત છે. એમ સુરદાસને ઠેકાણે તો આ બધુ જગત છે. અને ઠગને ઠેકાણે સર્વે ભેખધારી છે, તથા શાસ્ત્રના ભણેલા છે. તે પેટભરા અને પાખંડી અને કલ્યાણની તો ખબર જ મળે નહીં. અને તે ઠગ રૂપી ભણેલા અને ભેખધારી તે કાન ફુંકીને ઉપદેશ કરે અને ધન હરી લે અને મતપંથમાં ભેળા કરીને સર્વેને વટલાવે અને કલ્યાણના માર્ગથી પાડીને ત્રાસ મનમાં ન લાવે, અને ધર્મ મર્યાદા તોડાવે. એમ પેટને અર્થે એવાં કામ કરે છે. અને સાચા સાધુ કનક કામિનીના ત્યાગથી એવાને વિષે દોષ દેખાડીને, જગત સૂરદાસના હાથમાં અજ્ઞાનરૂપી પથ્થર આપ્યો છે. તે અજ્ઞાનરૂપી પથ્થરો કયા ? તો કહીએ છીએ જે, અમારા બાપ દાદાનો ધર્મ શું ખોટો છે? તેને કેમ મૂકી દઇએ ? તે ઠગી ઠગીને ધોયેલા મૂળા જેવા કરી મૂક્યા છે. માટે તે પૂર્વે મહાદુઃખ ભોગવીને આવ્યા છે.અને અહીં આ મનુષ્યદેહ પામ્યા છે તે ઠગે ઠગીને યમપુરી દક્ષિણ દિશામાં છે, તેના માર્ગે ચઢાવી મૂક્યા છે. તે દુઃખ હવે આગળ કહેશે.
🍃🍃🌼🍃🍃 #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર ##જય સ્વામિનારાયણ #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗


