Ame Surati
581 views 1 days ago
#📰 5 ડિસેમ્બર ના સમાચાર #સુરત #💥 સુરત અપડેટ્સ #અમે સુરતી #સુરત સમાચાર હરિયાણાના સોનીપતમાંથી સામે આવેલી આ ઘટના સંબંધોની બદલાતી વ્યાખ્યા પર અનેક સવાલો ઊભા કરી રહી છે. મુંબઈના જાણીતા કાપડ વેપારી 74 વર્ષીય શિવચરણ રામરત્ન ગુપ્તા છેલ્લા ત્રણ વર્ષથી સોનીપતના એક વૃદ્ધાશ્રમમાં રહેતા હતા. તેમની પત્નીનું પણ આશરે બે વર્ષ પહેલાં એ જ વૃદ્ધાશ્રમમાં અવસાન થયું હતું. મંગળવારે તેમના અવસાન બાદ વૃદ્ધાશ્રમ સંચાલકોએ તેમની ત્રણેય દીકરીઓને જાણ કરી હતી. સંચાલકોના જણાવ્યા મુજબ દીકરીઓએ ઓનલાઈન ₹5,100 મોકલી અંતિમ સંસ્કાર સોનીપતમાં જ કરવાની વિનંતી કરી હતી. અંતિમ સંસ્કાર દરમિયાન દીકરીઓ વીડિયો કોલ દ્વારા જોડાઈ હતી. વૃદ્ધાશ્રમના સંચાલક આનંદ કુમારે જણાવ્યું કે એક દીકરીએ વીડિયો કોલ પર પોતાના પિતાના અંતિમ દર્શન કર્યા, જ્યારે બીજી તરફ અંતિમ સંસ્કાર પૂર્ણ થવામાં કેટલો સમય લાગશે તે અંગે પણ પૂછપરછ કરી હતી. અંતિમ સંસ્કાર બાદ સમગ્ર પ્રક્રિયાનો વીડિયો મોકલવાની પણ વિનંતી કરવામાં આવી હતી. હાલ આ ઘટના સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાનો વિષય બની છે. જોકે, પરિવાર તરફથી આ નિર્ણય પાછળના કારણો અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી. તમારું આ સમગ્ર ઘટના અંગે શું કહેવું છે તે કોમેન્ટ કરી જણાવો. Mumbai businessman, Shivcharan Ramratan Gupta, Sonipat old age home, video call funeral, elderly care India, family relations, Haryana news, viral India news #IndiaNews #HumanStory #OldAgeHome #SocialIssue #ViralNews
12 likes
10 shares

More like this